આયોડિન એક મહત્ત્વનું માઈક્રોન્યૂટ્રિએન્ટ છે, જે થાઈરોઈડ હોર્મોન્સના નિર્માણ માટે જરૂરી છે. આયોડિન આપણા ડાયટનું એક જરૂરી પોષક તત્ત્વ છે. આયોડિનની ઊણપથી હાઈપોથાઈરોઈડિઝ્મ થાય છે. જેા સમય રહેતા તેનો ઈલાજ ન કરવામાં આવે તો ગર્ભધારણ કરવામાં સમસ્યા થવી, વંધ્યત્વ, નવજાત શિશુમાં તંત્રિકા તંત્ર સાથે સંબંધિત ગરબડ વગેરે થવાનું જેાખમ વધી જાય છે. કેટલાક લોકોમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોવાથી કોઈ લક્ષણ દેખાતું નથી. આમ તો અનેક લક્ષણ છે, જેનાથી હાઈપોથાઈરોઈડિઝ્મ ઓળખી શકો છો જેમ કે :

  • થાક અને આળસ અનુભવવા.
  • માંસપેશીઓની કમજેારી.
  • પીરિયડ સંબંધિત ગરબડ.
  • ધ્યાનકેન્દ્રિત કરવામાં સમસ્યા થવી.
  • યાદદાસ્ત કમજેાર થવી.
  • અસામાન્ય રીતે વજન વધવું.
  • પીડા. શ્ર વાળ ખરવા.
  •  સ્કિન ડ્રાઈ થવી.
  • હૃદયના ધબકારા ધીમે પડવા.

મહિલાઓના શરીરમાં આયોડિનની ઊણપનો તેમના પ્રજનન તંત્રની કાર્યપ્રણાલી સાથે સીધો સંબંધ છે. હાઈપોથાઈરોઈડિઝ્મ વંધ્યત્વ અને ગર્ભપાતનું મુખ્ય કારણ છે. જ્યારે થાઈરોઈડ ગ્લેન્ડની કાર્યપ્રણાલી ધીમી પડી જાય છે, ત્યારે તે પૂરતા પ્રમાણમાં હોર્મોન્સનું ઉત્પાદન નથી કરતા, જેથી અંડાશયમાંથી ઈંડાને રિલીઝ કરવામાં મુશ્કેલી આવે છે, જે વંધ્યત્વનું કારણ બને છે. જે મહિલાઓ હાઈપોથાઈરોઈડિઝ્મનો શિકાર બને છે, તેમને સેક્સમાં અરુચિ, પીરિયડ સંબંધિત ગરબડ અને ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે. જે હાઈપોથાઈરોઈડિઝ્મથી પીડિત મહિલાઓ ગર્ભધારણ કરી પણ લે છે, તો પણ ગર્ભનો વિકાસ પ્રભાવિત થાય છે.

હાઈપોથાઈરોઈડિઝ્મને અટકાવવો :

ધ્રૂમપાન અટકાવો : ધ્રૂમપાન થાઈરોઈડને પ્રભાવિત કરે છે. તેની સાથે નિકોટિન શરીરમાંથી આયોડિનને શોષે છે, જેથી હોર્મોન્સનો સ્રાવ પ્રભાવિત થાય છે. આ સામાન્ય કારણ છે, જે વંધ્યત્વમાં યોગદાન આપે છે. બોટલબંધ પાણી પીઓ : આ પાણીમાં રહેલા ફ્લોરાઈડ અને પરક્લોરેટ એવા તત્ત્વ છે, જે હાઈપોથાઈરોઈડિઝ્મને ટ્રિગર કરે છે અથવા થાઈરોઈડથી સંબંધિત અન્ય સમસ્યાનું કારણ બને છે.

મર્યાદિત પ્રમાણમાં આયોડિનનું સેવન કરો : ધ્યાન રાખો કે આયોડિનનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો. વધારે કે ઓછા પ્રમાણમાં આયોડિનનું સેવન આયોડિન સંબંધિત ગરબડ થવાની શંકા વધારી દે છે. તાણ ન રાખો: નિયમિત એક્સર્સાઈઝ તરફ ધ્યાન આપો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે, જે થાઈરોઈડને અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોયા ઉત્પાદનનું વધારે સેવન ન કરો : સોયા સપ્લિમેન્ટ અને પાઉડરનું સેવન ઓછા પ્રમાણમાં કરો. આખા દિવસમાં સોયાબીનની એક આઈટમથી વધારે ન ખાઓ અને તે પણ થોડા પ્રમાણમાં જ ખાઓ.

નવજાતને સોયા બેઝ વસ્તુ ન આપો : જે બાળકોને નાની ઉંમરમાં સોયાબીનયુક્ત ઉત્પાદન આપો છો તે બાળકોને મોટા થઈને થાઈરોઈડની બીમારી થવાનું જેાખમ વધી જાય છે. વંધ્યત્વને દૂર કરવા માટે કરાતા પ્રયાસમાં હાઈપોથાઈરોઈડિઝ્મની સારવાર એક મહત્ત્વનો ભાગ છે. જે હાઈપોથાઈરોઈઝ્મિની સારવાર કરાવ્યા પછી પણ વંધ્યત્વની સમસ્યા રહે, તો વંધ્યત્વ માટે અન્ય સારવારની જરૂર પડે છે. ગર્ભવતી મહિલાઓને જેટલી જલદી શક્ય હોય શરીરમાં થાઈરોઈડના સામાન્ય સ્તરનું ડાયગ્નોસિસ કરાવી લેવું જેાઈએ. જેા ડાયગ્નોસિસમાં થાઈરોઈડ સંબંધિત ગરબડની જાણ થાય છે તો સલામત ગર્ભાવસ્થા, પ્રસવ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે તરત સારવાર કરાવો.

– ડો. અલ્કા

વધુ વાંચવા કિલક કરો....