એક વાત એ પણ સાચી છે કે સ્વાસ્થ્યનો સંબંધ કિચન સાથે જેાડાયેલો છે. કિચનમાં ન માત્ર સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય છે, પણ પૂરા પરિવારની તંદુરસ્તી અને લાંબું આયુષ્ય પણ રસોઈ પર જ આધાર રાખે છે. સ્વાસ્થ્ય અને સ્વાદનો સંબંધ ત્યારે જ જળવાઈ રહે છે જ્યારે કિચનનું વાતાવરણ સારું હોય. વીજળીના ઉપકરણ યોગ્ય રીતે કામ કરતા હોવા જેાઈએ, વાસણો યોગ્ય હોવા જેાઈએ અને કિચન જીવજંતુ રહિત હોવું જેાઈએ.

વીજળીના ઉપકરણોની યોગ્ય જાળવણી : આધુનિક યુગમાં કિચનની કલ્પના વિના ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયંસિસ એટલે કે વીજળીના ઉપકરણ વિના કરી જ ન શકાય. પરંતુ એવા ઉપકરણનો ઉપયોગ કરવો જેાઈએ જેમાં વીજળીનો ઓછો ખર્ચ થતો હોય. કિચનમાં વીજળીથી ચાલતા ઉપકરણ જેમ કે મિક્સી, ઓવન, એરફ્રાયર, ટોસ્ટર, કોફી મેકર, માઈક્રોવેવ વગેરેના ઉપયોગ પછી તેને બંધ કરી દેવા જેાઈએ. એમ ન વિચારવું જેાઈએ કે તે તો ઓટોમેટિક બંધ થઈ જશે. તેમને મેઈન પ્લગથી અલગ કરી દો અથવા ત્યાંથી જ બંધ કરી દો.

  • ફ્રિજને વારંવાર ન ખોલવું જેાઈએ, કારણ કે વારંવાર ખોલવાથી વીજળીનો વધારે ખર્ચ થાય છે. વધારે સમય સુધી ફ્રિજને ખુલ્લું રાખીને ઊભા પણ ન રહો.
  • રસોઈ બનાવવા અથવા ગરમ કરવા માટે ઓવનના બદલે માઈક્રોવેવનો ઉપયોગ કરો. ખાવાનું ગરમ કરવા માટે તો માઈક્રોવેવ ખૂબ જ સારું ઉપકરણ છે. તેમાં મિનિટોમાં ભોજન ગરમ થઈ જાય છે, પરંતુ ધ્યાન રાખો કે માઈક્રોવેવ માટે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ બિલકુલ ન કરો પછી ભલે ને તે ગમે તેટલી સારી ક્વોલિટીના કેમ ન હોય. માઈક્રોવેવ માટે કાચનાં વાસણોનો ઉપયોગ જ સારો રહે છે.
  • વીજળીના ઉપકરણની સાફસફાઈનું પણ ધ્યાન રાખો. ઉદાહરણ તરીકે ટોસ્ટરમાં બ્રેડને શેકી હોય અથવા સેન્ડવિચ બનાવી હોય તો ટોસ્ટરને સાફ કરીને મુલાયમ કપડાથી લૂછીને જ મૂકો. મિક્સી અથવા હેન્ડ બ્લેન્ડેરનો ઉપયોગ કર્યા પછી લિક્વિડ શોપ જારમાં નાખીને થોડો સમય ફેરવો અને સાફ કરીને મૂકો.
  • કિચનમાં લાઈટની યોગ્ય વ્યવસ્થા રાખો. એક્ઝોસ્ટ ફેન અથવા ચિમનીનો ઉપયોગ રસોઈ બનાવતા અચૂક કરો જેથી વઘાર વગેરેની વાસ ઘરમાં ન ફેલાય અને તેની સફાઈ પણ સમયાંતરે કરતા રહો.

વાસણની યોગ્ય પસંદગી તથા સાફસફાઈ : કિચનને ઈકો ફ્રેન્ડલી બનાવવા માટે યોગ્ય વાસણની પસંદગી તથા તેની સાફસફાઈ પણ ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો એટલે કે હેલ્થ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર પેટના ઈંફેક્શનથી બચવા માટે કિચનમાં સફાઈ ખૂબ જરૂરી છે. સિંકમાં લાંબા સમય સુધી પડી રહેલા એઠાં વાસણ, મિક્સર, જ્યૂસર ગ્રાઈન્ડરમાં બચેલા ખાદ્યકણ જીવાણુ તથા કીટાણુના જન્મનું કારણ બને છે જે અનેક રોગને જન્મ આપતા હોય છે.

  • આજકાલ બજારમાં વિવિધ પ્રકારના કેટલાય વાસણ ઉપલબ્ધ છે, પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે વાસણ ગમે તે હોય, તે સ્વચ્છ હોવું જેાઈએ. ખાટા શાક અથવા કઢી બનાવવા માટે એલ્યુમિનિયમનાં વાસણનો ઉપયોગ યોગ્ય નથી. રસોઈ બનાવવા માટે લોખંડની કઢાઈ કે તવાનો પ્રયોગ સારો રહે છે.
  • આજકાલ નોનસ્ટિક વાસણનું ચલણ ખૂબ વધી ગયું છે. તેમાં ખાદ્ય વસ્તુ બળતી અને ચોંટતી નથી, સાથે ઓછા તેલમાં રસોઈ બની જાય છે. પરંતુ ધ્યાન રાખો કે આવાં વાસણોનું કાળું પડ નીકળી જતાં તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દેવો જેાઈએ. જે એવું કરવામાં ન આવે તો આ કાળો પદાર્થ ખાવામાં મિક્સ થઈ જાય છે, જે શરીર માટે જેાખમી સાબિત થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં રિપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના અધ્યક્ષ ડો. ટ્રેસી બુડરક જણાવે છે કે નોનસ્ટિક વાસણમાં બનાવેલા ભોજનના કારણે મહિલાઓમાં ટેફલોનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે તેમને પ્રેગ્નન્સીમાં મુશ્કેલી થઈ શકે છે, સાથે થાઈરોઈડ અને કેન્સર જેવી બીમારીઓનું જેાખમ પણ વધી જાય છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે પણ નોનસ્ટિક વાસણોનો ઉપયોગ કરો ત્યારે તેમાં કંઈ જ નાખ્યા વિના સીધી આંચ પર ગરમ ન કરો. વાસણની સપાટી નીકળી રહી હોય તો તેનો બિલકુલ ઉપયોગ ન કરો.
  • કેટલાયના ઘરમાં પ્લેટફોર્મ પર જ રોટલી વણવામાં આવતી હોય છે. તે પણ યોગ્ય નથી. જે એવું જ કરવું હોય તો સૌ પ્રથમ સ્વચ્છ કપડાથી પ્લેટફોર્મને બરાબર સાફ કરી લો. આ જ રીતે કટિંગ બોર્ડનો ઉપયોગ કરીને તેને સાબુથી ધોઈને જ મૂકો. ડાઈનિંગ ટેબલ પર : જ્યારે ટેબલ પર ભોજન કરી રહ્યા છો ત્યારે બધી લાઈટ ચાલું ન કરો. ટેબલ પર આવે તેવી માત્ર એક જ લાઈટનો ઉપયોગ કરો. ક્યારેકક્યારેક કેન્ડલ લાઈટ ડિનર પણ કરો. તેનાથી ઉર્જાની બચત થશે. શ્ર ડિસ્પોઝેબલ પેપર નેપ્કિન્સના બદલે કપડાના નેપ્કિન્સનો ઉપયોગ કરો.

આ પણ જાણો :

  • વાસણ ધોવામાં પાણીનો વ્યય ન કરો, બધાં વાસણને ખંગાળીને જ માંજેા, પછી ધુઓ.
  • પ્લાસ્ટિક પેક્ડ ફળો અને શાકભાજીનો ઉપયોગ ન કરો. ખુલ્લા ફળ અને શાકભાજી જ ખરીદો. ફ્રિજમાં ફળ અને શાકભાજી રાખવા માટે રીયૂઝેબલ બેગ્સનો ઉપયોગ કરો.
  • ચીજવસ્તુ ઓર્ગેનિક જ હોવી જેાઈએ, કારણ કે તેમાં પેસ્ટીસાઈડ્સ અને કેમિકલ્સ નથી હોતાં.
  • ઘરમાં પડેલા બિનઉપયોગી સુતરાઉ ધોતી અથવા દુપટ્ટામાંથી નાની નાની થેલીઓ બનાવી લો અને તેમાં જ શાકભાજી અને ફળ મૂકો. પ્લાસ્ટિક બેગ્સના ઉપયોગથી દૂર રહો. તે પર્યાવરણ માટે ખૂબ જેાખમી છે.
  • બચેલા ભોજન, ફળ તથા શાકભાજીની છાલ વગેરેને કચરાપેટીમાં ફેંકવાને બદલે ઘરના છોડ માટે તેમાંથી ખાતર તૈયાર કરી શકાય. તેમાં નોનવેજ ફૂડ આઈટમ્સને સામેલ ન કરો.

– નિરા કુમાર.

વધુ વાંચવા કિલક કરો....