જયશ્રી નાનીનાની વાતમાં ગુસ્સે થઈ જતી હતી. ઓફિસમાં ગમે તેની સાથે ઝઘડતી રહેતી હતી. આ સ્થિતિના લીધે તે પોતે પણ ખૂબ પરેશાન રહેવા લાગી હતી. વિચારતી કે શું તે કોઈ બીમારીનો શિકાર તો નથી બની ગઈ? તેને સમજાતું નહોતું કે તેનામાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે. તેને એવું લાગતું હતું કે ઘરના બધા લોકો તેનું મગજ બગાડી રહ્યા છે અન બાળકો તેનું કંઈ સાંભળતા નથી. એક દિવસે જયશ્રીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ ત્યારે તેના પતિ તેને એક ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને થોડીક પૂછપરછ કરી અને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી, જયશ્રીને મેનોપોઝની સમસ્યા છે.

મેનોપોઝ મહિલાના જીવનની એક અવસ્થા છે, જેમાં મહિલાને શારીરિક અને માનસિક તકલીફ રહેતી હોય છે. ઘણી વાર તેઓ એટલી બધી તકલીફમાંથી પસાર થાય છે કે તેમના માટે મેનોપોઝ એક સમસ્યા બની જાય છે. હકીકતમાં, મહિલાના શરીરમાં ગર્ભાશયની સાથે ૨ અંડાશય હોય છે. આ અંડાશયમાંથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામક ૨ આંતર્સ્રાવ નીકળે છે. આ હોર્મોન્સથી મહિલાઓનું શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે, પરંતુ મહિલાઓમાં લગભગ ૪૦ ની વયે આ હોર્મોન્સ ધીરેધીરે ઓછા થવા લાગે છે, જેથી તેમનામાં માનસિક તકલીફ શરૂ થઈ જાય છે, તેને મેનોપોઝ કહે છે. ૪૫ થી ૫૦ વચ્ચેની વયમાં જ્યારે આ હોર્મોન્સ ઘટવા લાગે છે ત્યારે મહિલા મેનોપોઝમાં આવી જાય છે. મહિલામાં મેનોપોઝ પૂરી જિંદગી જેાવા મળે છે, જેને પોસ્ટ મેનોપોઝ કહેવામાં આવે છે. પોસ્ટ મેનોપોઝમાં નીચેના લક્ષણો જેાવા મળે છે :
માસિક અનિયમિત આવવું.
શરીરમાં અચાનક ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો.
હૃદયના ધબકારા વધી જવા.
મૂત્રાશયની બીમારી.
યુરિનમાં વારંવાર ઈંફેક્શન થવું.
વારંવાર પેશાબ લાગવો.
પેશાબના સમયે દુખાવો અને બળતરા થવી.
પેશાબ પર કંટ્રોલ ન રહેવો, પેટમાં દુખાવો થવો.
યોનિમાર્ગની પણ ઘણી બધી તકલીફો જેાવા મળે છે.
યોનિમાં ખંજવાળ આવવી.
ઘણી વાર છાલા પણ પડી જાય છે.
સ્નાયુઓ અને જેઈન્ટ્સમાં પીડા થવી.
સ્કિન ડ્રાય અને પાતળી થવી.

માનસિક તકલીફો
ટેન્શન થવું.
જિંદગી નીરસ બની જવી.
યાદશક્તિ ઓછી થવી.
આત્મહત્યા કરવાની ઈચ્છા થવી વગેરે.
કોઈ પણ કારણસર જ્યારે મહિલા ગર્ભાશય કઢાવવાનું ઓપરેશન કરાવે છે તમારે તે મેનોપોઝમાં નથી થતી, પરંતુ ગર્ભાશયની સાથે બંને અંડાશય કાઢી લીધા હોય ત્યારે તેમાંથી આંતર્સ્ત્રાવ બંધ થઈ જાય છે અને મહિલામાં મેનોપોઝની તકલીફો જેાવા મળે છે. મહિલા મેનોપોઝમાં આવે ત્યારે ગર્ભાશય અને અંડાશયની સોનોગ્રાફી તેણે કરાવી લેવી જેાઈએ. મહિલાના સફેદ પાણીની પણ તપાસ કરાવવી પડે છે.

મેનોપોઝમાં થતી તકલીફો
હાડકાંમાં દુખાવો થવો.
સૌથી જેાખમી વાત એ થાય છે હાડકામાં ફ્રેક્ચર થઈ જાય છે.
લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડે છે.

મેનોપોઝમાં કરવામાં આવતી તપાસ
મહિલાઓએ ૩૫ વર્ષની ઉંમર પછી નિયમિત પોતાની સંપૂર્ણ શારીરિક તપાસ કરાવતા રહેવું જેાઈએ.
હાડકાની તપાસ સોનોગ્રાફી, મેમોગ્રાફી અથવા બેક્સાથી કરાવવી જેાઈએ.
રૂટિન બ્લડ તપાસ કરાવતા રહો.
થાઈરોઈડ, શુગર, કોલેસ્ટ્રોલ, લાઈથીલ પ્રોફાઈલની તપાસ પણ નિયમિત કરાવવી જેાઈએ.
એક્સ-રે કરાવવા જેાઈએ.

મેનોપોઝમાં શું કરવું
ટેન્શન ન લેવું જેાઈએ.
નિયમિત કામ કરવું જેાઈએ.
એક્સર્સાઈઝ કરવી જેાઈએ.
ડોક્ટરની સલાહ અનુસાર હર્બલ અને કેલ્શિયમની ગોળી લેવી જેાઈએ.
– ઋતા પટેલ.

વધુ વાંચવા કિલક કરો....