‘યહ શહેર હૈ અમન કા
યહાં કી ફિઝાં હૈ નિરાલી
યહાં તો બડી શાંતિશાંતિ હૈ…’
આ ભલે ને કોઈ ફિલ્મનું ગીત હોય, પરંતુ વાસ્તવમાં શહેરની ભીડભાડ, કોલાહલ અને દોડધામના લીધે આપણને શાંતિ નથી મળી શકતી, તેથી સંગીતાને શહેરમાં ન શાંતિ મળી ન ખુશીઆનંદ.
સંગીતાના લગ્નને હજી ૩ મહિના જ થયા હતા, પરંતુ તેને જેાઈને તો જાણે એવું લાગતું હતું કે તે લાંબા સમયથી બીમાર ન હોય. એક દિવસ જ્યારે સંગીતાએ તેના ખબરઅંતર પૂછ્યા, તો તે ડૂસકાં ભરીભરીને રડવા લાગી. તેણે ખૂબ દુખી મને જણાવ્યું કે નાના કસબામાં બધા હળીમળીને રહેતા હતા, ખૂબ ખુશીઆનંદ મળતા હતા, પરંતુ જ્યારથી મોટા શહેરમાં આવી છું ત્યારથી અહીં ખૂબ કંટાળો અનુભવી રહી છું. હકીકતમાં, જ્યારે પત્ની નાના શહેરમાંથી પોતાના પતિ સાથે લાંબું અંતર કાપીને કોઈ મોટા શહેરમાં આવે છે, ત્યારે થોડા દિવસ સુધી શહેરની ઝાકઝમાળ જેાઈને તે ખૂબ ખુશ રહે છે, પરંતુ જેમજેમ સમય વીતતો ગયો, તેમતેમ તેનો કંટાળો વધતો ગયો, કારણ કે તેના નવાનવા લગ્ન થયા હતા.

આ કિસ્સામાં પ્રશ્ન એ થાય છે કે આખરે નવવધૂમાં આ પ્રકારનો કંટાળો કેમ વધી રહ્યો છે? નવીનવી વધૂ બનેલી યુવતીઓમાં કંટાળો ત્યારે વધી જાય છે, જ્યારે શહેરમાં તેમને એક જ રૂમના જેલ જેવા ફ્લેટમાં રહેવું પડે છે. અહીં મોટા શહેરમાં દૂરદૂર સુધી ન કોઈ સગાંસંબંધી કે પરિચિત હોય છે કે ન કોઈ નજીકના મિત્ર. ઓફિસ જતી વખતે પતિ એમ કહેતા હોય છે કે મોબાઈલ પર વાત કરો, ટીવી જુઓ, સરસ ખાઓપીઓ અને વ્યસ્ત રહો, પરંતુ સ્વસ્થ મન માટે સારું વાતાવરણ અને મનોરંજનનું હોવું પણ જરૂરી હોય છે.

આ હકીકત છે
હકીકત એ છે કે નવવધૂ બન્યા પછી કોઈ પણ છોકરીનો સંબંધ માત્ર પોતાના પતિ સાથે નહીં, પરંતુ ઘરના અન્ય સભ્યો સાથે પણ બંધાય છે. મહાનગરોની જિંદગીમાં આવું થવું મુશ્કેલ હોય છે. હકીકતમાં અહીં કોઈ પાસે એટલો સમય નથી હોતો કે એકબીજાને મળીને હસીબોલીને ખુશીઆનંદમાં થોડો સમય પસાર કરેે. સુખીસંપન્ન સંયુક્ત પરિવારમાં રહીને આવેલી કોઈ પણ નવવધૂને જ્યારે ઘરમાં દિવસભર એકલા રહેવું પડે, ત્યારે સ્વાભાવિક છે કે આ સ્થિતિમાં તેનું ચીડિયાપણું અને કંટાળો વધવાના જ છે. હવે કવિતાને લઈ લો, તેના લગ્ન ૫ મહિના પહેલાં થાય છે અને માત્ર ૧ મહિનામાં તે પતિ સાથે રહેવા માટે દિલ્લી આવી ગઈ હતી. કવિતાનો પતિ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. તે સવારે ઘરેથી નીકળે છે અને રાત્રે લગભગ ૧૦ વાગે પરત ઘરે આવે છે. કવિતા દિવસભર એકલી ઘરે બેસીને પતિની રાહ જેાતી રહે છે. આમ પણ કવિતાના લગ્ન હજી થોડા સમય પહેલાં થયા હતા, તેથી સ્પષ્ટ છે કે આ સ્થિતિમાં કોઈ પણ પત્ની એવું ઈચ્છશે કે તેને પોતાના પતિ સાથે વધારેમાં વધારે સમય મળે, પરંતુ બીજી તરફ પતિની પણ પોતાની મજબૂરી છે. જે તે કામ પર નહીં જાય તો ઘર ખર્ચ કેવી રીતે નીકળશે. આ વાતને પત્ની સમજે તો છે, તેમ છતાં એકલતામાં કોઈ પણ વ્યક્તિ બોર થાય છે. શહેરોમાં ખૂબ ભીડભાડ હોય છે અને ભીડમાં દરેક વ્યક્તિ એમ પણ એકલતાનો અનુભવ કરતી હોય છે. માત્ર પૈસા તથા ભોજનથી માણસ જીવિત નથી રહી શકતો. તેને પારિવારિક વાતાવરણ જેાઈતું હોય છે.

જવાબદાર કોણ
સંયુક્ત પરિવારનું તૂટવું અને એકલ પરિવારનું ચલણ વધવું પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. આમ પણ શહેરમાં લોકો એકબીજા સાથે ઓછા સંબંધ રાખે છે. તેનું કારણ ગમે તે હોય, પરંતુ નવી વહુઓને ઘરમાં એકલા રહીને પોતાનો સમય પસાર કરવો ખૂબ કંટાળા અને એકલતા સાથે ખૂંચે છે. કવિતાએ પણ આ એકલતાના કંટાળાથી બચવા માટે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી શોધી લીધી. હવે તે પતિ સાથે આર્થિક બોજ પણ ઉઠાવી રહી છે. ઘરગૃહસ્થીની દેખરેખ પણ તે રાખી રહી છે. એટલે કે વહેલી સવારે પથારીમાંથી ઊઠવું, ઘરના કામકાજ સવારે જ પતાવી લેવા, પછી પતિ સાથે ઓફિસ જવા નીકળી જવું અને પૂરો દિવસ ઓફિસમાં કામ કરીને ઘરે પરત ફરવું. આ દરરોજની દિનચર્યાથી તે કંટાળી ગઈ હતી. ઉપરથી આ અતિશય વ્યસ્ત દિનચર્યાનો થાક અલગ.
કવિતા જણાવે છે કે ભલે ને શહેરમાં સાસુ, નણંદ અને જેઠાણીનું ટેન્શન ન હોય, પરંતુ તેના કરતા વધારે ટેન્શન તો શહેરોની લાઈફમાં હોય છે. દિલ્લીમાં આવેલા ગૌતમ નગરની રહેવાસી ગૃહિણી કાદંબરી કુશવાહા કહે છે કે પહેલા હું વિચારતી હતી કે મોટા શહેરમાં જઈને ખૂબ મોજમસ્તી કરીશ, પરંતુ અહીં તો બધું વિપરીત થઈ ગયું હતું. સાચું કહું તો દિલ્લીમાં રહેવું મને ગમતું નથી. અહીં કોઈની પાસે સમય નથી.

પડકારજનક લાઈફ
દિલ્લી યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહેલો કૃષ્ણ પટેલ જણાવે છે કે આજની દોડધામભરી જિંદગી તથા પૈસા કમાવાની ચિંતા અને ઈચ્છામાં ઘણી વાર પતિપત્ની એકબીજા માટે ખૂબ ઓછો સમય કાઢી શકે છે. આ સ્થિતિમાં એકલતા કંટાળો અને ચીડિયાપણું વધવું સ્વાભાવિક છે. તેથી પતિપત્ની બંનેએ એકબીજા માટે સારો એવો સમય ફાળવવો જેાઈએ, કારણ કે શહેરની લાઈફ તો ખૂબ વધારે પડકારજનક હોય છે. જે લોકો પછાત જાતિના હોય છે તેમણે ખાસ કરીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે ઘણા બધા લોકો તેમને પોતાના સર્કલમાં સામેલ નથી કરતા. શહેરની દોડધામ અને કમરતોડ મહેનતના લીધે પતિપત્ની વચ્ચેના સેક્સ સંબંધ પર પણ અસર થઈ રહી છે. કેટલીક વાર નાઈટ શિફ્ટમાં કામ કરવાથી પતિ જે દિવસે ઘરે હોય તો પત્ની નથી હોતી અથવા પત્ની જે રાત્રે ઘરે હોય તો પતિ નથી હોતો. આ સ્થિતિમાં પતિપત્ની વચ્ચેના સંબંધ માત્ર નામના રહી જાય છે. જેાકે આ સ્થિતિમાં પત્ની ઈચ્છે તો પોતાની સમજદારી અને વ્યવહારથી પોતાના જીવનને ખુશીઆનંદથી ભરી શકે છે. જેા બંને એકબીજા માટે સમય કાઢવા ઈચ્છે તો નિશ્ચિત રીતે બંને માટે આ સમય ખૂબ કિંમતી હશે.
– ઉગ્રસેન મિશ્રા.

વધુ વાંચવા કિલક કરો....