સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.

સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જેાખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જેાખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જે બ્લીડિંગ ખૂબ ગંભીર હોય. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવાની અનેક રીત છે. એક રીત એ છે કે હૃદયની બીમારીને પેદા કરતા પરિબળો, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસથી સુરક્ષિત રહો. તેના માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવો, સ્વસ્થ આહાર લો, નિયમિત એક્સર્સાઈઝ કરો, ધૂમ્રપાન ન કરો તેમજ દારૂનું સેવન સીમિત પ્રમાણમાં કરો. બીજી રીત એ છે કે જેા ઉપર જણાવેલી બાબતમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....