આઈવીએફ એટલે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન. તેમાં મહિલાના અંડકોશને પુરુષના શુક્રાણુ સાથે શરીરની બહાર એક લેબોરેટરી ડિશમાં ફર્ટિલાઈઝ કરાવવામાં આવે છે. તેની વિપરીત સામાન્ય રીતે ફર્ટિલાઈઝ મહિલાના શરીરમાં ફેલોપિયન ટ્યૂબની અંદર હોય છે. જે ફર્ટિલાઈઝ ઈંડું ગર્ભાશયની દીવાલ પર જેાડાઈ જાય છે અને સતત વિકસિત થતું રહે છે, ત્યારે ૯ મહિના પછી બાળકનો જન્મ થાય છે. આઈવીએફ અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિક (એઆરટી) નું એક રૂપ છે, જે કોઈ મહિલાને ગર્ભવતી થવામાં મદદરૂપ કરે છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે અન્ય ટેક્નિક નિષ્ફળ થાય છે. જ્યારે મહિલા ગર્ભધારણ કરી લે છે, ત્યારે આગામી કેટલાક અઠવાડિયામાં અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, જેથી ભ્રૂણના વિકાસની ખબર પડી શકે. તેના નિષ્ફળ થવાની શંકા તેના સફળ થવાથી વધારે હોય છે, તેથી તમારે માનસિક રીતે તૈયાર રહેવું જેાઈએ. જેા પહેલી વારમાં આ ટેક્નિક સફળ ન થાય, તો ફરીથી કોશિશ કરી શકો છો.

આઈવીએફ ખર્ચાળ ટેક્નિક નથી
આઈવીએફ ટેક્નિકનો સફળતા દર ૪૦ ટકા છે. સફળતા માત્ર ટેક્નિક પર જ નહીં, પરંતુ ત્યાર પછી મહિલાઓની ઉંમર, વંધ્યત્વનું કારણ, બાયલોજિકલ અને હોર્મોનલ કારણો પર પણ નિર્ભર કરે છે. કેટલીક અન્ય પ્રક્રિયા જેમ કે હાર્ટ સર્જરી અથવા જેાઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સરખામણીમાં આઈવીએફ ટેક્નિકમાં ઓછો ખર્ચ આવે છે.

મા બનવામાં સહાયક છે
આઈવીએફ ટેક્નિક મહિલાઓને ગર્ભવતી થવામાં સહાયતા કરે છે. તેનો વંધ્યત્વના અનેક કારણોની સારવાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કરિયરથી ઉપજેલી તાણ અને હોર્મોન્સ અસંતુલનના લીધે સમય પહેલાં મેનોપોઝ પહોંચી ચૂકેલી અને મોટી ઉંમરમાં મા બનવાનો નિર્ણય લેનારી મહિલાઓ પણ સામેલ છે. તે ઉપરાંત આઈવીએફ ટેક્નિક તે મહિલાઓ માટે પણ અસરકારક છે, જેા એંડોમેટ્રિઓસિસ, યૂટરિન ફાઈબ્રોયડ્સ કે ઓવલ્યૂશન ડિસઓર્ડરથી પીડિત છે. પેલ્વિક ઈનફ્લેમેટરી ડિઝિઝ અથવા પહેલા પ્રજનન સમયે થયેલી સર્જરીના લીધે જે મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બંધ થઈ ગઈ છે તે પણ સંતાનપ્રાપ્તિ માટે આ ટેક્નિકનો સહારો લઈ શકે છે. એટલું જ નહીં, શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાથી થતી પુરુષ નપુંસકતાના લીધે સામાન્ય રીતે ગર્ભધારણમાં થતી સમસ્યા અથવા પતિપત્નીમાંથી કોઈ એકથી બાળકમાં જેનેટિક ડિસઓર્ડર પાસ કરવાનું જેાખમ થવાની સ્થિતિમાં પણ આઈવીએફ ટેક્નિકનો સહારો લઈ શકાય છે.

જન્મજાત વિકૃતિ હોવાની શંકા
આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મ લેતા બાળકોમાં જન્મજાત વિકૃતિ હોવાની શંકા સામાન્ય રીતે પ્રેગ્નન્સી દ્વારા જન્મ લેતા બાળકોની સમાન જ છે. આજ સુધી થયેલા કેટલાય સર્વેથી ખબર પડી છે કે આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મજાત વિકૃતિની શંકા વધતી નથી.
અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિકમાં નિતનવી ટેક્નિક વિકસિત કરવામાં આવી રહી છે, જે ન માત્ર તે લોકોની મદદ કરી રહી છે જેા કોઈ કારણવશ સંતાનહીન છે, પરંતુ આનુવંશિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપવામાં પણ સહાયતા કરી છે. એવા કેટલાય દંપતી છે, જે સામાન્ય છે, પરંતુ તે એવા જીન્સના સંવાહક છે, જેા કોઈ આનુવંશિક રોગના કારણ છે જેમ કે થેલેસેમિયા, હનટિંગ્ટન ડિઝિઝ, ડાઉન સિંડ્રોમ, ટર્નર સિંડ્રોમ વગેરે. આ પ્રક્રિયા તે લોકોને પણ સ્વસ્થ બાળક પ્રાપ્ત કરવામાં સહાયતા કરી રહી છે. ભ્રૂણને વિકસિત કર્યા પછી તેમની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ ભ્રૂણ મહિલાના ગર્ભમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જેમાં જેનેટિકલી કોઈ ખરાબ નથી હોતી.
પહેલા આઈવીએફનો સફળતા દર ૨૦ થી ૪૦ ટકા હતો, પરંતુ અનુસંધાનમાં આ વાત સામે આવી છે કે સર્વશ્રેષ્ઠ ભ્રૂણ પસંદ કરવાની જે ટેક્નિક છે તે તેની સફળતા દરને ૭૮ ટકા સુધી વધારે છે.

સંતાનપ્રાપ્તિનો અંતિમ વિકલ્પ
જેા મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બ્લોક થાય છે, તેમાં ઈંડાનું નિષેચન કે ગર્ભાશય સુધી ભ્રૂણનું પહોંચવું મુશ્કેલ થઈ જાય છે. આવી મહિલાઓ માટે આ અંતિમ નથી, પરંતુ સૌપ્રથમ વિકલ્પ છે. મોટી ઉંમરના પુરુષ માટે પણ આઈવીએફ પ્રથમ વિકલ્પ હોઈ શકે છે.

આઈવીએફ ટેક્નિકે સંતાનહીનતાની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને આશાનું એક નવું કિરણ બતાવ્યું છે. કેટલાય વર્ષ પહેલાં સુધી આઈવીએફ ટેક્નિક દ્વારા સંતાનપ્રાપ્તિનો દર ઓછો હતો, પરંતુ અનેક સંશોધનથી તેની સફળતાનો દર વધી ગયો છે.
– ડો. અરવિંદ વૈદ

વધુ વાંચવા કિલક કરો....