તો લગ્નમાં રહેશો ફિટ એન્ડ ફાઈન

અપવાદને બાદ કરતા દરેક યુવક અથવા યુવતીને વર કે વધૂ બનવાની તક માત્ર એક વાર મળતી હોય છે. આ પ્રસંગે મોટાભાગના યુવક વરુણ ધવન અથવા આદિત્ય ધારની જેમ સ્માર્ટ અને યંગ તેમજ યુવતીઓ યામી ગૌતમની જેમ બ્યૂટિફુલ દેખાવા ઈચ્છતી હોય છે. આમ તો લગ્ન પ્રસંગે, લગ્નના આયોજનની સંપૂર્ણ જવાબદારી પરિવારજનો પર હોય છે, જ્યારે વરવધૂની જવાબદારી માત્ર લગ્નસમારંભ સમયે પોતાના ડ્રેસ પસંદ કરવા, મિત્રોને આ સમારંભમાં ભાગ લેવા આમંત્રણ આપવું અને પોતાની ફિટનેસ વિશે વિચારવા પૂરતી જ હોય છે. આ પ્રસંગે મોટાભાગના યુવકયુવતી સુંદર દેખાવા માટે ફિટનેસ મેળવવામાં લાગી જાય છે. ફિટનેસ મેળવવા આ દિવસોમાં તેમણે ખૂબ મહેનત કરવી પડે છે.

સંતુલિત આહાર અને નિયમિત એક્સર્સાઈઝ
સ્વરાજના લગ્ન નક્કી થઈ ગયા હતા, પરંતુ લગ્ન ૨ મહિના પછી થવાના હતા. આ ટૂંકા સમયગાળામાં સ્વરાજ પોતાના શરીરમાં એવો સુધારો ઈચ્છતો હતો કે લોકો તેના સાસરિયાને કહે કે તમે છોકરો ભણેલોગણેલો પસંદ કર્યો છે, સાથે હેન્ડસમ પણ છે.
બીજા લોકો પાસેથી પોતાના વ્યક્તિત્વના વખાણ સાંભળવા માટે સ્વરાજે જિમ જેાઈન કરી લીધું અને ત્યાં ભરપૂર પરસેવો પાડ્યો.
સ્વરાજને પૂછવામાં આવ્યું કે પોતાના શરીરને સુંદર બનાવવાની વાત તેના મનમાં પહેલા કેમ ન આવી અને હવે લગ્ન સમયે ફિટ બોડી કેમ યાદ આવી ગઈ? જવાબમાં તેણે કહ્યું, ‘‘મને મારા મિત્ર ગૌતમના લગ્નની ઘટના યાદ છે. મારા મિત્રના ફેરા સમયે તેની ભાવિ પત્ની પ્રિયાની ઘણી બધી સાહેલીઓ ગણગણી રહી હતી કે પ્રિયાના પરિવારજનોએ છોકરાનું માત્ર પદ અને પરિવાર જેાયો છે. આ છોકરો પ્રિયાનો લાઈફ પાર્ટનર ઓછો અંકલ વધારે લાગી રહ્યો છે. પ્રિયાના પરિવારજનોએ કાશ પ્રિયા માટે યોગ્ય છોકરો જેાયો હોત તો કેટલું સારું રહેતું. આ જેાડી બિલકુલ નથી જામતી.
‘‘તેથી શ્રીમાન મને અને મારી પત્નીને જેા કોઈ એમ કહે કે આ જેાડી બિલકુલ પણ નથી જામતી, આ શબ્દો મારે બિલકુલ નથી સાંભળવા. મને પૂરો વિશ્વાસ છે કે લગ્ન પહેલાં હું એવી ફિઝિકલ ફિટનેસ મેળવી લઈશ કે લોકો પણ એમ કહેશે કે વાહ કેવી સુંદર જેાડી છે. જેટલી સુંદર બેગમ એટલો જ સુંદર બાદશાહ.’’
માત્ર યુવક જ નહીં, લગ્ન પહેલાં આજે યુવતીઓ પણ ફિટ બોડી મેળવવા માટે તનતોડ મહેનત કરતી હોય છે.
સ્મૃતિ વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે. તેને પોતાના કામથી કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવું પડે છે, તેથી તે થોડી ઓવર વેટ થઈ ગઈ છે.
સ્મૃતિ વિચારે છે કે લગ્ન પછી હનીમૂન પર જતી વખતે તેના વેટના લીધે કોઈ તેને તેના પાર્ટનરની દીદી કે આંટી ન સમજી લે, તેથી તે પોતાના લગ્ન પહેલાં નિયમિત જિમ જાય છે. તે વાતથી હવે ખુશ પણ છે કે સંતુલિત આહાર અને નિયમિત એક્સર્સાઈઝથી તે પહેલાંની તુલનામાં વધારે યુવાન અને તાજગીસભર દેખાય છે.

જિમ જેાઈન કરવાની જરૂર કેમ
આ પ્રશ્નના જવાબમાં મધુનું કહેવું છે, ‘‘પ્રત્યેક યુવતીનો બોડી શેપ અલગઅલગ હોય છે. કોઈ યુવતીને પોતાના બ્રેસ્ટ શેપ, કોઈને પોતાની થાઈઝ અને હિપ્સને લઈને પ્રોબ્લેમ હોય છે. આ પ્રોબ્લેમનું સમાધાન માત્ર નિયંત્રિત આહાર, ડાયટિંગ અથવા સ્વયં પોતાની મરજીથી એક્સર્સાઈઝ કરવાથી નથી આવી શકતું. હું જે જિમમાં જાઉં છું ત્યાં લેડી ઈંસ્ટ્રક્ટર તેમજ ડાયેટિશિયન પણ છે. ઈંસ્ટ્રક્ટરની મદદથી એક તરફ પ્રભાવિત ભાગને શેપમાં લાવવામાં મદદ મળે છે, જ્યારે બીજી તરફ ડાયેટિશિયનની મદદથી સંતુલિત તથા પૌષ્ટિક આહાર લેવાની ગાઈડલાઈન મળતી રહે છે.’’
રત્ના પાસે જિમ જવા અને તૈયાર થવાનો સમય નથી, તેથી તેણે પોતાના ઘરે ટ્રેડમિલ મંગાવી લીધું છે. હવે તે ટ્રેડમિલ મશીનના માધ્યમથી પોતાના ઘરે લાંબું અંતર ચાલવાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે.

લગ્ન પહેલાં સાજ-શણગાર કરવાનો લાભ આજે પણ છે
લગ્ન પહેલાં સાજ-શણગારનો લાભ લગ્ન પ્રસંગે મળે છે, પરંતુ ૧૦-૨૦ વર્ષ પછી જ્યારે તમે તમારા લગ્નનો વીડિયો જુઓ છો ત્યારે એક સુખદ અહેસાસ પણ થાય છે. આ સમયે પુરુષો વિચારતા હોય છે કે તે કેટલો સ્માર્ટ હતો તે દિવસોમાં. ત્યારે કેટલા ભરાવદાર વાળ હતા માથા પર, ત્યારે ન તો પેટ બહાર હતું કે ન આંખ પર આજની જેમ મોટા ચશ્માં ચઢાવેલા હતા.
જ્યારે મહિલાઓ વિચારતી હોય છે કે કેવી યુવાન, સુંદર કન્યા હતી હું તે સમયે. જે કોઈ જેાતા તે બસ જેાતા જ રહી જતા. તેથી એક્સર્સાઈઝની ટેવ આપણા જીવનનો અનિવાર્ય ભાગ હોવી જેાઈએ. જેા ટેવ ન હોય તો પણ લગ્નના થોડા સમય પહેલાંથી આ ટેવ પાડવી જેાઈએ અને લગ્ન પછી તેને પોતાના નાના ભાઈને સમજાવતા એક્સર્સાઈઝ કરવા ઉત્સાહિત કરતા રહેવું જેાઈએ, જેથી તેમને પણ પોતાના લગ્ન સમયે પોતાની ફિટનેસ માટે વધારે મહેનત કરવાની જરૂર ન પડે.
– રવિ શોરી નીના.

જીવલેણ સાબિત થતી કોસ્મેટિક સર્જરી

૧૦ મે, ૨૦૨૨ ના રોજ બેંગલુરુમાં ચેતના રાજના એક ક્લિનિકમાં દુખદ મૃત્યુ ત્યારે થયું જ્યારે તે વજન ઘટાડવા માટે લાઈપોસક્શન માટે ગઈ. તે કન્નડ સિરિયલમાં એક્ટિંગ કરતી હતી અને ફેટ રિમૂવ કરાવવા માટે સાહેબગૌડા શેટ્ટીના ક્લિનિકમાં ગઈ હતી.
ડોક્ટરોએ તેની હાલત બગડતા બીજી મોટી હોસ્પિટલમાં જવાની મંજૂરી ન આપી. ફેટ ફ્રી પ્લાસ્ટિક સર્જરી આમ તો ઘણી સેફ છે, પણ દરેક સર્જરીનું પોતાનું જેાખમ હોય છે અને ડોક્ટર સર્જરીથી બચવાની સલાહ આપે છે. તેમ છતાં યુવતીઓ સર્જરી કરાવે છે.
ચેતના પોતાના માતાપિતા અથવા કોઈ નજીકના સંબંધીને જણાવ્યા વિના સર્જરી કરાવવા પહોંચી હતી, જેથી તેના પાતળા થવાનું રહસ્ય લોકો ન જાણી શક્યા. સર્જરી દરમિયાન તેના લંગ્સમાં પાણી ભરાઈ ગયું, જેથી તેનું મૃત્યુ થયું.
ફેટ ફ્રી સર્જરીમાં હિપ્સ, થાઈઝ, આર્મ્સ વગેરે પરથી ફેટ કાઢી નાખવામાં?આવે છે. બદલાતા સમયની સાથે લોકો સ્વયંને સજાવવા લાગ્યા છે. લોકો સેલિબ્રિટી જેવા દેખાવા માંગે છે. તે માટે તેઓ કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થાય છે. કોસ્મેટિક સર્જનનું કહેવું છે કે અનેક વાર લોકો એવી ડિમાન્ડ કરે છે કે જેને પૂરી કરવી અમારા વશની વાત નથી હોતી. જેાકે બહારના દેશોમાં કોસ્મેટિક સર્જરી સામાન્ય છે.

રિસ્ક હોવા છતાં ક્રેઝ
પ્લાસ્ટિક સર્જરી હંમેશાં સફળ થાય એ જરૂરી નથી. આ સર્જરીથી તમને મનપસંદ સુંદરતા મળી જાય તે પણ જરૂરી નથી આ એક રિસ્ક જ છે. કેટલીક વાર મનપસંદ સુંદરતા મળી જાય તો કેટલીક વાર તેના ભયાનક પરિણામ પણ ભોગવવા પડે છે. કેટલીક સેલિબ્રિટીએ તો સર્જરી પછી અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો. કેટલાકની સર્જરી નિષ્ફળ રહી અને તેમના ચહેરા બગડી ગયા તો કેટલાકે ઈંફેક્શનનો સામનો કરવો પડ્યો. કોસ્મેટિક સર્જરી મૃત્યુનું કારણ બની શકે છે, તેમ છતાં લોકોમાં તેનો ક્રેઝ રહ્યો છે. ચહેરા પર સર્જરી ઉપરાંત મહિલાઓમાં બ્રેસ્ટ સર્જરી વધારે લોકપ્રિય છે. નોનસર્જિકલમાં બોટોક્સ સૌથી વધારે પ્રચલિત છે.

સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય
પહેલા ચેતના રાજ જેવા ગ્લેમર વર્લ્ડના ગણતરીના લોકો જ પ્લાસ્ટિક સર્જરી કરાવતા હતા, પરંતુ હવે મનપસંદ ચહેરો મેળવવા માટે સામાન્ય લોકોમાં પણ તે ખૂબ પ્રચલિત થઈ રહી છે. કોસ્મેટિક સર્જન જણાવે છે કે ફેટ ઓછી કરવા માટે લાઈપોસક્શન કરાવનારની સંખ્યા પુરુષ અને મહિલા, બંનેમાં ઝડપથી વધી છે. કોલેજ જતી સામાન્ય છોકરીઓમાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટેશન સર્જરી, લાઈપોસક્શન અને પુરુષોમાં લાર્જ મેલ બ્રેસ્ટ રિડક્શન સર્જરી, રાઈનોપ્લાસ્ટિના કિસ્સા પણ વધ્યા છે.
પરસેવો વધારે થવાની સમસ્યા દૂર કરવા માટે છોકરાછોકરીઓમાં લેસર હેર રિમૂવલ અને બોટોક્સનો ક્રેઝ પણ ખૂબ વધ્યો છે. ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના લોકોમાં આ વધારે પ્રચલિત છે. હવે કોલેજગોઈંગ સ્ટુડન્ટ, પ્રોફેશનલ અને સામાન્ય લોકો વધારે આવે છે, જે પોતાની શારીરિક રચનાથી સંતુષ્ટ નથી હોતા. કોસ્મેટિક સર્જરી કરાવનાર મોટાભાગની મહિલાઓ ૩૫ થી ૫૦ વર્ષની હોય છે.

કોસ્મેટિક સર્જરી હંમેશાં સફળ નથી થતી
એવી કેટલીય હસ્તીઓ છે, જેમણે પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી, પરંતુ તેનું પરિણામ વિપરીત મળ્યું. પોતાની સુંદરતા જાળવી રાખવાના ચક્કરમાં મિસ આર્જેન્ટિના રહી ચૂકેલી સોલેગ મેનનેનોનું મૃત્યુ થયું. સોલેગ જેાડિયા બાળકની મા હતી. પ્રસવ પછી દરેક મહિલાની જેમ તેના શરીરમાં પણ કેટલાક પ્રાકૃતિક બદલાવ આવ્યા. જેથી તે ખુશ નહોતી. એવામાં પહેલાં જેવી કાયા મેળવવામાં તેણે થાઈને શેપમાં લાવવાની સર્જરી કરાવી. તેમાં તેને જે ઈંજેક્શન આપવામાં આવ્યું, તેમાંથી લિક્વિડ તેના ફેફસા અને મગજમાં ગયું. સર્જરી પછી અચાનક થયેલી સમસ્યાના લીધે હોસ્પિટલમાં એડમિટ કરાવવી પડી, જ્યાં ૨ દિવસ પછી તેનું મૃત્યુ થયું.

સર્જરી મોંઘી પડી
હોલીવુડ અભિનેત્રી પેરિસ હિલ્ટને પણ પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેણે રાઈનોપ્લાસ્ટી, લિપ્સ ઈનહેંસમેન્ટ અને બ્રેસ્ટની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેને તેનો નવો લુક કેટલો ગમ્યો એ તો તે જ જાણતી હશે, પરંતુ કેટલાય લોકોને તેનું નાક પહેલાંથી વધારે ખરાબ લાગે છે. લોકોનું કહેવું છે કે પામેલા એંડરસન સુંદર અને આકર્ષક હતી, પરંતુ કોણ જાણે તેને શું સૂઝ્યું જે નાક, ગાલ, હોઠ અને બ્રેસ્ટની સર્જરી કરાવી. હવે તેનું આ ફિગર નિષ્ફળ સર્જરીનું પરિણામ છે.
બોલીવુડ એક્ટ્રેસ કોયના મિત્રા પર પણ પોતાના નાકની સર્જરી કરાવવાની ધૂન સવાર થઈ, પરંતુ તેને આ સર્જરી મોંઘી પડી. અચાનક તેના ગાલ ફૂલી ગયા, જેથી હસવામાં પણ તકલીફ થવા લાગી. ત્યાર પછી ૫ મહિના સુધી ઈંજેક્શન લેવા પડ્યા અને તે દરમિયાન ૨ ફિલ્મથી હાથ ધોવા પડ્યા.

સ્ટાર્સમાં પ્લાસ્ટિક સર્જરીનો ક્રેઝ
કેટલાય નાનામોટા સ્ટાર્સે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. પોપ સિંગર માઈકલ જેક્સન આ બાબતમાં જાણીતા થયા. તેમણે ગોરા રંગ માટે પોતાની સ્કિનની સર્જરી કરાવી હતી. નામની પણ કેટલીય વાર સર્જરી કરાવી હતી. ઘણા સમય સુધી તે ઈંફેક્શનથી પરેશાન રહ્યા. પછી તેમને સ્કિન કેન્સર થઈ ગયું.
અમેરિકન અભિનેત્રી અને સિંગર ગાયિકા બ્રિટની મર્ફી કોસ્મેટિક સર્જરીની દીવાની હતી. બીજી બાજુ એંજલીના જેાલી, પામેલા એંડરસન, પેરિસ હિલ્ટન, વિક્ટોરિયા બેકહેમ જેવા તમામ સ્ટાર્સે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
એવામાં બોલીવુડ અભિનેત્રીઓ પણ પાછળ કેવી રીતે રહેતી. લોકોનું કહેવું છે કે ઐશ્વર્યા રાયની બ્યૂટિ ફેક બ્યૂટિ છે. બીજી બાજુ કરીનાની સુંદરતા નિખારવામાં પણ કોસ્મેટિક સર્જરીની મહત્ત્વની ભૂમિકા રહી છે. કરીનાએ નાક અને ચીકબોંસની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, તો પ્રિયંકા ચોપરાએ પણ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ કરાવી છે, જેથી સ્કિનનો કલર સાફ થયો છે. રાણી મુખર્જીએ પણ પોતાના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
ગ્લેમરસ અભિનેત્રી સુષ્મિતા સેન પહેલી અભિનેત્રી છે, જેણે સ્વીકાર્યું કે તેણે સિલિકોન ઈમ્પ્લાંટ કરાવ્યું છે. શિલ્પા શેટ્ટી, સુષ્મિતા સેન, કરીના, બિપાશા, મલ્લિકા શેરાવત, શ્રુતિ હાસન, રાખી સાવંત, કંગના રાણાવત વગેરે અભિનેત્રી પણ કોસ્મેટિક સર્જરી કરાવી ચૂકી છે.

કોસ્મેટિક સર્જરીના નુકસાન
કોસ્મેટિક સર્જરી દ્વારા સુંદરતા વધારવા માટે સર્જરી અને તબીબી પદ્ધતિનો સહારો લેવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સર્જરીની હાનિકારક અસર નથી થતી, પરંતુ કેટલીક સામાન્ય અસર જેમ કે ઈજા થવી, ડાઘ પડવો વગેરે થઈ શકે છે. તેને હેમાટોમા કહેવાય છે. તેમાં રક્તનળીની બહાર લોહી જામી જાય છે. તે ઉપરાંત સેરોમા જેવો દુષ્પ્રભાવ થઈ શકે છે.
– પ્રતિનિધિ.

ક્યાંક હેલ્થ તો નથી બગાડતી લાઈટિંગ

શું તમારે ઘરમાં આળસ અને થાકની જગ્યાએ ખુશી તેમજ સકારાત્મકતાનો અહેસાસ કરવો છે? શું આપણી રોજબરોજની જિંદગીમાં લાઈટ વધારે મહત્ત્વની છે? શું આપણે આપણા ઘરમાં યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ કરાવવી જેાઈએ? જવાબ જેા હા હોય તો પછી કેમ? આવો, જાણીએ આ બાબતમાં સીઈઓ એન્ડ ફાઉંડિંગ પાર્ટનર, લાઈટ ડોક્ટર પ્રાચી લાડ જેાડે :
ઘરના કોઈ પણ ખૂણામાં જ્યારે તમે ભરપૂર સકારાત્મકતા અને ઊર્જનો અનુભવ કરો છો ત્યારે તમારો મૂડ સારો રહે છે અને તમે સ્વયંને રિફ્રેશ પણ અનુભવો છો. તે સમયે મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આવું કેમ થાય છે? પરંતુ જ્યારે તમે સમજી નથી શકતા ત્યારે તમારા આ અનુભવને સકારાત્મક ઊર્જા સાથે જેાડી દો છો, પરંતુ હવે જ્યારે બીજી વાર તમે આવો અનુભવ કરો તો રૂમના પ્રકાશનું નિરીક્ષણ અચૂક કરો.

સારા અને ખરાબ પ્રકાશની અસર
આપણે બધા જાણીએ છીએ કે અપૂરતી લાઈટમાં જેાવાનો પ્રયત્ન કરવાનો અર્થ છે આંખો પર દબાણ થવું, જ્યારે બીજી તરફ વધારે પડતો પ્રકાશ આંખોેને નુકસાન પહોંચાડીને તમને અંધ બનાવી શકે છે. બંને પરિસ્થિતિ આપણી નજરને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે અને જેા આ પ્રકારની ખામીયુક્ત લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન ઘરમાં લાંબા સમય સુધી જળવાઈ રહે, તો તે આપણી હેલ્થ માટે ક્યારેય ભરપાઈ ન થનારી ખોટનું કારણ બની શકે છે. આ જ કારણસર આપણા ઘર તથા વર્ક એરિયામાં પ્રોપર લાઈટની જરૂર રહે છે.

એક ઘરમાં લાઈટની કેટલી આવશ્યકતા
લાઈટની માત્રાને લેક્સમાં માપવામાં આવે છે અને એક ઘરમાં દરેક રૂમમાં ખાસ લેક્સ સ્તરની જરૂર પડે છે. પછી દિવસ હોય કે રાત બંને સમયે વિભિન્ન સમય સીમામાં આપણે આપણા ઘરે જેા કામકાજ કરીએ છીએ, તેના આધારે ખાસ ખૂણા અથવા ક્ષેત્રમાં યોગ્ય પ્રમાણમાં લાઈટ અરેન્જમેન્ટ કરવાની જરૂર પડે છે.

લાઈટ એરેન્જમેન્ટ શું છે
જ્યારે આપણે લાઈટ એરેન્જમેન્ટ વિશે વાત કરીએ છીએ ત્યારે લાઈટ એરેન્જમેન્ટના વિવિધ વિકલ્પ આપણી સામે હોય છે, જેમ કે લોકો વધારે પ્રકાશિત લાઈટ એરેન્જમેન્ટમાં માને છે, પરંતુ દરેક સમયે તેનાથી યોગ્ય રિઝલ્ટ મળશે જ એવું જરૂરી નથી હોતું, પરંતુ આપણે તેને અનુભવી નથી શકતા કે પછી આસપાસ કરવામાં આવેલી લાઈટ એરેન્જમેન્ટને પૂરતું મહત્ત્વ નથી આપતા, પરંતુ યાદ રાખો કે લાઈટ એરેન્જમેન્ટ આપણી માનસિક સ્થિતિ, સ્વાસ્થ્ય, દષ્ટિ અને આપણા સામાન્ય જીવન પર પણ જબરદસ્ત પ્રભાવ પાડે છે. યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન એ વાતને સુનિશ્ચિત કરે છે કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તેને કરવા માટે તમે કોઈ પણ સમયે પૂરતી લાઈટ એરેન્જમેન્ટ મેળવી શકો.

લાઈટ એરેન્જમેન્ટને ડિઝાઈન કરવી
ઘર માટે લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન કરવી એક કલા છે. લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન માત્ર ઘરના દરેક ખૂણે લાઈટ લગાવવા સંબંધિત નથી, પરંતુ તે શેડો અને લાઈટનો ખેલ છે. ઘરની લાઈટિંગની લેરિંગ સૌથી વધારે અસરકારક હોય છે. પ્રથમ લેયરને એંબિએંટ લાઈટ કહેવામાં આવે છે, જેને સામાન્ય અથવા પ્રકાશને આસપાસ ફેલાવતી લાઈટ પણ કહેવામાં આવે છે. તેને ડાઉનલાઈટ્સ, લીનિયર લાઈટ્સ અને કોવ લાઈટ્સ લગાવીને મેળવી શકાય છે. રસોઈ બનાવતા તેમજ સાફસફાઈ જેવા રોજના કાર્યમાં સામાન્ય ફેલાયેલી પ્રકાશ વ્યવસ્થાની જરૂર પડે છે. તે આપણને ટેબલ ટોપ, દીવાલ, છત અને ફરસ જેવી સપાટ જગ્યા પર પણ વિખેરાઈને પ્રકાશ આપવામાં મદદ કરે છે.
બીજું લેયર એક્સેંટ લાઈટનું હોય છે. તેનો ઉપયોગ કલાકૃતિ, દીવાલની ખાસ રચના જેવી ખાસ વિશેષતાને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવે છે. આ જ રીતે ટાસ્ક લાઈટિંગ એક વધારે ફોકસ્ડ એરેંજમેન્ટ છે, જે વાંચન, લેખન જેવા અનેક કામને સરળ બનાવે છે. આપણામાંથી ઘણા બધા લોકોને પોતાને ગમતી જગ્યાએ વાંચન અથવા લેખનની ટેવ હોય છે. વયસ્કો માટે તે એક સ્ટડી કોર્નર અથવા પથારી હોઈ શકે છે, કારણ કે કેટલાક લોકોને ઊંઘતા પહેલાં વાંચન ગમતું હોય છે. બાળકો માટે તે તેમનું સ્ટડી ડેસ્ક હોઈ શકે છે. આપણી સ્વસ્થ દષ્ટિ માટે યોગ્ય પ્રકારની અને યોગ્ય પ્રમાણમાં લાઈટ એરેન્જમેન્ટની જરૂર પડે છે. વાંચન અથવા લેખન દરમિયાન પોતાની આંખોને તાણથી સુરક્ષિત રાખવા માટે કોઈ પણ વ્યક્તિએ ગ્લેર ફ્રી લાઈટિંગ એરેન્જમેન્ટનો ઉપયોગ કરવો જેાઈએ.

વાર્મ અને કૂલ કલર્સનું સંયોજન
આપણા ઘરમાં વાર્મ અને કૂલ કલર્સની લાઈટિંગનું સંયોજન હોવું જેાઈએ. આપણો આપણા લિવિંગરૂમ અને બેડરૂમમાં વાર્મર કલર ફોન ડેકોરેટિવ લાઈટિંગ ફીચર્સ લગાવીને એક શાંત વાતાવરણ બનાવી શકીએ છીએ. કિચન જેવી જગ્યા માટે કૂલર રંગીન પ્રકાશ વ્યવસ્થાને પસંદ કરવામાં?આવે છે, જ્યારે બાથરૂમમાં આપણે મિક્સ કલર ટોન રાખવો જેાઈએ. જેાકે પથારીમાં ઊંઘતા પહેલાં કૂલર કલરની લાઈટિંગ સ્વિચ ઓન કરવાથી બચવું જેાઈએ. વિભિન્ન અભ્યાસ અનુસાર, કૂલર કલર લાઈટિંગ આપણા મગજમાં મેલાટોનિન હોર્મોન્સના સ્તરને દબાવવામાં મદદ કરે છે, જે આપણને વધારે સક્રિય બનાવે છે, પરંતુ પથારીમાં જતી વખતે તેને સારી ન કહી શકાય. આ દષ્ટિકોણથી જેાઈએ તો સારી લાઈટિંગ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હેલ્થને સુદઢ બનાવી રાખવામાં આપણને મદદરૂપ થાય છે.
– પારૂલ ભટનાગર.

સતત બદલાતી જીવનશૈલી વધતી બીમારીનું પરિબળ

મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા ૪૦ વર્ષના આનંદ પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં જેાબ કરતા હતા. એક દિવસ તે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે થોડો થાક અનુભવવા લાગ્યા. ફ્રેશ થઈને આરામ કરવા માટે પથારી પર જઈને ઊંઘી ગયા. થોડા સમય પછી તેમને છાતીમાં બળતરા થવા લાગી અને શરીર પર ખૂબ પરસેવો થવા લાગ્યો. થોડા સમયમાં આનંદ બેભાન થઈ જતા ઘરના લોકો તરત તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે હાર્ટએટેકના લીધે તેમનું મૃત્યુ થયું છે. નાની ઉંમરમાં હાર્ટએટેકનો આ કિસ્સો એકલા આનંદ સાથે નથી બન્યો. આપણા દેશમાં આ પ્રકારના કિસ્સા અવારનવાર જેાવા મળી રહ્યા છે. ડોક્ટર્સ તે માટે જવાબદાર પરિબળ તરીકે લોકોની બદલાયેલી જીવનશૈલીને માને છે. કેન્દ્ર સરકારે બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પ્રદેશના ૨.૯૮ કરોડ લોકોમાંથી ૬૫ ટકા લોકોના સ્ક્રીનિંગનું લક્ષ્ય નક્કી કર્યું હતું. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે ૧.૬૮ કરોડ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરીને લક્ષ્ય પૂરું કર્યું ત્યારે કેન્દ્ર સરકારે તેને વધારીને ૩.૧૫ કરી દીધું હતું. જેાકે અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. તે પરથી સામે આવ્યું છે કે રાજ્યમાં લગભગ ૮ લાખ, ૫૦ હજાર લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં છે. ૪ લાખ ૬૧ હજાર લોકોને ડાયાબિટીસે જકડી લીધા છે. આ રિપોર્ટ અનુસાર, છિંદવાડા જિલ્લામાં સૌથી વધારે ૬૪,૨૪૬ લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં જેાવા મળ્યા છે. ઈન્દોરમાં સૌથી વધારે ૨૪,૭૫૦ વ્યક્તિમાં ડાયાબિટીસની બીમારી જેાવા મળી છે.

એનએચએમના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. નમિતા નીલકાંતના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ-૨૦૧૮ માં શરૂ થયું હતું. સૌપ્રથમ મધ્ય પ્રદેશના ૬ જિલ્લા પસંદ કરવામાં આવ્યા હતા, પાછળથી ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, બેતૂલ, નીમચ, બડવાની, રતલામ, સાગર, ગુના, પન્ના, છિંદવાડા, નરસિંહપુર અને સિહોર સહિત ૧૭ જિલ્લા પણ સામેલ કરવામાં?આવ્યા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત ૩૦ વર્ષથી વધારે ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું હતું. નાની ઉંમરમાં હાર્ટએટેક જેવા ગંભીર કિસ્સાને જેાતા મધ્યપ્રદેશ સરકારે તેમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને સામેલ કર્યા હતા. તે અંતર્ગત હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર માટે આવતા દર્દીઓ ઉપરાંત ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં દર્દીઓના બ્લડપ્રેશરનું સ્તર ૧૪૦/૯૦ થી ઉપર જેાવા મળ્યું હતું. શહેરોમાં રહેતા વયસ્કોની લગભગ ૫૦ ટકાથી વધારે વસ્તી ડાયાબિટીસની ઝપટમાં જેાવા મળી હતી. જેાકે તેનું કારણ આનુવંશિક છે, તે સિવાય જીવનશૈલી પણ એક મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું છે. જેમ કે કંફર્ટેબલ લાઈફ, અધિક ફાસ્ટફૂડનું સેવન, શરીરમાં કેલરીનું અસંતુલન તેમજ સ્થૂળતાના લીધે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દર્દીએ નિયમિત રીતે સ્ક્રીનિંગ કરાવવું જેાઈએ અને ડાયટનું સંતુલન જાળવી રાખવું જેાઈએ. તે ફળ અને શાકભાજીથી દૂર રહો, જેને ખાવાથી ડાયાબિટીસ લેવલ વધે. નિયમિત એક્સર્સાઈઝની સાથેસાથે ડોક્ટરની સલાહ લો અને તેનું પાલન કરો.

હાર્ટના પેશન્ટ વધી રહ્યા છે
પહેલાંના સમયમાં મોટી ઉંમરના લોકો હૃદય રોગથી પીડિત રહેતા હતા, પરંતુ હવે નાની ઉંમરમાં પણ હાર્ટએટેકનું જેાખમ વધી ગયું છે. ૪૫થી વધારે ઉંમર, હરવાફરવા ન જવું, એક જગ્યાએ બેસીને કલાકો સુધી મોબાઈલ જેાવો, હાઈ કોલેસ્ટ્રોલયુક્ત ભોજન અને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બીમારી પણ હૃદયના સ્વાસ્થ્યને જેાખમમાં મૂકી શકે છે.
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ડી. એસ. ચૌધરી જણાવે છે કે તેલ, ઘી, માખણનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાની સાથે તાજા શાકભાજી, ફળ શક્ય તેટલા વધારે ખાવા જેાઈએ. મટન અને ઈંડામાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, તેથી તેના સેવનથી દૂર રહો.
મોટાભાગે જેાવા મળ્યું છે કે તે લોકો જેમનો ઊઠવાથી લઈને, નહાવા, ખાવા અને ઊંઘવા સુધીનો સમય અનિશ્ચિત રહેતો હોય છે તે હંમેશાં અસ્તવ્યસ્ત રહેવાથી તાણગ્રસ્ત રહેતા હોય છે. પરંતુ જે વ્યક્તિની દિનચર્યા યોગ્ય અને નિયમિત હોય છે, તેમનું જીવન સુખ અને સંતોષથી ભરેલું હોય છે, જ્યારે દિનચર્યા વ્યવસ્થિત ન હોય તો એક તરફ મનમાં અશાંતિ પેદા થાય છે, બીજી તરફ સમગ્ર શારીરિક ક્રિયા પણ ખરાબ થવા લાગે છે અને વ્યક્તિ શારીરિક તથા માનસિક રોગથી પીડિત બની જાય છે. નિયમિત દિનચર્યાથી આપણા કામકાજ ન માત્ર ક્રમબદ્ધ અને સુનિયોજિત બને છે, પરંતુ સમાજમાં બીજા લોકો પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. તેથી જીવનને સ્વસ્થ અને સુખી બનાવવા માટે દરરોજ સવારે સમયસર ઊઠી જવું અને સમયસર ઊંઘી જવું નિયમિત દિનચર્યાનું પહેલું સૂત્ર છે. સવારે ૧-૨ કિલોમીટર ચાલવા જવું અને રાત્રિના ભોજન પછી લગભગ એક હજાર પગલાં ચાલવું તમારા તનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે.

મહિલાની દિનચર્યા
ઘરેલુ મહિલાની દિનચર્યા સામાન્ય રીતે સૌથી વધારે અનિયમિત હોય છે. પોતાના પતિ તથા બાળકોની દિનચર્યાને નિયમિત રાખવાના ચક્કરમાં તેમની પોતાની દિનચર્યા ખરાબ થઈ જાય છે. બાળકોને સ્કૂલે અને પતિને કામ પર મોકલ્યા પછી બપોરે ૨ થી ૩ વાગ્યા સુધીમાં તે પોતાનું ખાવાનું ખાઈ શકે છે. આ રીતે દિનચર્યા અનિયમિત રહેવાથી મહિલાઓનો સ્વભાવ ગુસ્સેલ તેમજ ચીડિયો થઈ જાય છે. નેશનલ હોસ્પિટલ, જબલપુરના ડોક્ટર સુભદા તિવારીનું માનવું છે કે કામની વ્યસ્તતાથી મહિલાઓની દિનચર્યા અસ્તવ્યસ્ત રહે છે, યોગ્ય આહાર ન લેવાથી તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. આ સ્થિતિમાં મહિલાઓમાં અનિંદ્રા, તાણ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી બીમારી સામાન્ય બની ગઈ છે, પરંતુ તમારી જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન લાવીને તેમજ રોજિંદી દિનચર્યાને નિયમિત બનાવીને મહિલાઓ સ્વસ્થ તથા ખુશ રહી શકે છે.
– વેણીશંકર પટેલ ‘વ્રજ’

ગાયનેકોલોજિસ્ટને આ રીતે જણાવો પોતાની સમસ્યા

સફળ ગાયનેકોલોજિસ્ટ એ છે જેના દર્દી તેની સાથે પોતાની પારિવારિક સમસ્યા, જીવનસાથી સાથેની પોતાની યૌન સમસ્યા તેમજ પતિપત્ની વચ્ચેના સંબંધ વગેરે વિષય પર ખૂલીને વાતચીત કરી શકે. સેક્સ્યુઅલ એજ્યુકેશન એન્ડ પેરન્ટહુડ માટે ‘વર્લ્ડ એસોસિયેશન ઓફ હેલ્થ એન્ડ કાઉન્સિલ’ પણ બનાવવામાં આવી છે, કારણ કે યૌન વિજ્ઞાનની સમસ્યા બાબતે દરેક જગ્યાએ, દરેક નર્સિંગહોમમાં એક જ છતની નીચે યૌન અને પ્રજનન બંનેની જાણકારી મળી શકે. સેક્સ્યુઅલ મેડિસિનમાં યૌન સમસ્યાની સાથે બધી અંગત સમસ્યા પર વાતચીત જરૂરી છે. લોકોને સંકોચ વિના પોતાની અંગત સમસ્યા પર વાત કરવાની તક મળવી જેાઈએ, જેથી તેઓ જાણી શકે કે તેમની યૌન સમસ્યા પણ બીજી બીમારી જેવી છે જે શરીર સાથે જેાડાયેલ હોવાથી પીડા આપે છે. ખાસ વાત એ છે કે યૌન સમસ્યાને પ્રાઈવેટ અથવા ગંદી સમજવી ખોટું છે.

તપાસ અને સારવાર
આજકાલ ડિલિવરીમાં નવીનવી શોધો થઈ રહી છે અને તેનાથી ઘણા બધા લાભ થયા છે. બીજા ક્ષેત્રોની જેમ હવે પ્રસૂતિ વિજ્ઞાન અને સ્ત્રીરોગ વિજ્ઞાનમાં પણ ટેક્નોલોજીની પ્રગતિ જેાઈ શકાય છે. ઉત્તમ દવા, નવાનવા મેડિકલ મશીનો તપાસ કરવામાં અને લેબોરેટરી ઈન્વેસ્ટિગેશનમાં મદદરૂપ બની રહ્યા છે. ગર્ભાવસ્થાની નાજુક પરિસ્થિતિ જેમ કે બ્લડ કેન્સર, ડાયાબિટીસ વગેરેમાં ટેક્નોલોજીએ કરેલી પ્રગતિની મદદથી બાળકને બચાવી શકાય છે. ન્યૂ બોર્ન ઈન્ટેન્સિવ કેર યૂનિટ દરેક નર્સિંગહોમમાં હોવા જરૂરી છે. ૮૦૦, ૯૦૦ ગ્રામ વજનવાળા જન્મેલા બાળકોને બચાવવા હવે સંભવ છે. કેટલાક કારણોસર ઘણા બધા દંપતી બાળક પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ હવે નવી મેડિકલ શોધોથી તમને મદદરૂપ બનવાની ઘણી બધી તક ઉપલબ્ધ બની જાય છે. આજે ઘણા બધા પ્રકારની તપાસો અને સારવાર કરી શકાય છે. જેા નવા સાધનોથી પણ તેઓ પ્રેગ્નન્ટ ન બની શકે અથવા ચાન્સ ઓછા દેખાતા હોય તો ડોનર સીમન, ડોનર ઈંડા આપનાર તેમજ સરોગેટ મધર દ્વારા મદદ કરી શકાય છે.

સાચી સલાહ કેમ જરૂરી
કેટલાક દંપતીને ડોક્ટર પણ મદદ નથી કરી શકતા, આ સ્થિતિમાં તેમના મનમાંથી બાળકને દત્તક લેવા સંબંધીની ખોટી ધારણાને દૂર કરીને તેમને બાળક દત્તક લેવાની સલાહ આપવામાં આવે છે. જેાકે આ બાબતે આપણા કાયદા ખૂબ સખત છે, જેથી બાળક દત્તક લેનારને વર્ષો સુધી રાહ જેાવી પડે છે. કેટલાક હવે ગેરકાનૂની રૂપે ખરીદતા હોય છે. આમ કરીને તેઓ માતૃત્ત્વ તથા પિતૃત્વનો સુખદ અહેસાસ પ્રાપ્ત કરતા હોય છે અને બાળકને પણ એક સારું જીવન મળી જાય છે. તાણભરી જિંદગી, પર્યાવરણ, પ્રદૂષણ, કેમિકલ સ્પ્રેથી પકવેલા શાકભાજી, અનાજ, ફળ વગેરે શારીરિક અસંતુલન લાવે છે. હોર્મોન્સની સમસ્યા, અંડકોષના નીકળવાની સમસ્યા, વ્યવસાયિક તાણ, પૈસાની તંગી આ બધા કારણોસર પણ સીમન પ્રભાવિત થાય છે. આ બધાના લીધે વંધ્યત્વનો દર વધી રહ્યો છે. સરોગેટ મધરની જરૂર ત્યારે પડે છે જ્યારે યૂટરસનો યોગ્ય વિકાસ ન થયો હોય. ગર્ભાશયના નિષ્કાસન, મહિલાને તોડી નાખે તેવી બીમારી જેમ કે કેન્સર, હૃદયરોગ વગેરેમાં દંપતીના અંડાણુ અને વીર્યને બીજી મહિલાના ભ્રૂણમાં વિકસિત કરવામાં આવે છે. આ કાર્ય કરનાર મહિલાને ‘સરોગેટ મધર’ કહેવામાં આવે છે. તેની જવાબદારી ગર્ભધારણ કરવાથી લઈને ડિલિવરી સુધીની હોય છે અને ડિલિવરી થયા પછી તેને આ બાળકને દંપતીને આપી દેવું પડે છે. આ રીતે ‘સરોગેટ મધર’ દંપતીના જીનને વિકસિત કરવામાં તેમને મદદ કરે છે. જેાકે એ વાતથી પણ ઈન્કાર ન કરી શકાય કે અમુક હદ સુધી આ વાત પ્રસૂતિના વેપારીકરણનું નેતૃત્ત્વ કરી રહી છે. ભારતમાં આ બાબતે જે નિયમકાયદા બનાવવામાં આવ્યા છે તે જ તેને બ્લેકમાર્કટમાં ધકેલી રહ્યા છે.

સમસ્યા પેદા થવાના ઓછા ચાન્સ
આ વાત મેડિકલ ટૂરિઝમમાં ખૂબ સહાયક છે. વિદેશમાં સરોગેટ મધરની વ્યવસ્થા કરવી ખૂબ મોંઘી પડે છે, તેથી વિદેશીઓ અહીં પણ આવે છે અને ગરીબ લોકો જેઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે તેમાંની મહિલાઓ આવી ‘સરોગેટ મધર’ બનવા માટે તૈયાર થાય છે. જેાકે વિદેશીઓને બાળકને પોતાની સાથે લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આમ તો આ પ્રક્રિયામાં દેશી માતાને પણ બર્થ સર્ટિફિકેટ મુશ્કેલથી મળતું હોય છે. બીજી તરફ સગાંસંબંધી અને મિત્રો પણ કટાક્ષ કરવાથી દૂર નથી રહેતા.
હવે સીમન બેંક ખૂબ સારું કામ કરી રહી છે. આ બેંકોમાં સારા નમૂના ઉપલબ્ધ હોય છે. સીમનદાતાઓના સીમનને આ બેંકોમાં પ્રિઝર્વ કરીને રાખવામાં આવે છે અને તે એવા પુરુષો માટે ઉપયોગી હોય છે જેઓ સીમનની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે. તે કૃત્રિમ ગર્ભધાનમાં પણ સહાયક છે. સીમન બેંક પ્રાપ્ત કરેલ નમૂનાની તપાસ કરે છે, તેથી સમસ્યા પેદા થવાના ચાન્સિસ ખૂબ ઓછા રહે છે. બીજી તરફ આપણા દેશમાં ઓછી જાણકારી હોવા છતાં પરિવાર નિયોજનમાં સારો એવો સુધારો થયો છે. કોંટ્રાસેપ્ટિવ પિલ્સે પોતાના ૫૦ વર્ષ પૂરા કરી લીધા છે. આજે બજારમાં ઓછા હોર્મોન્સ અને ઓછી સાઈડ ઈફેક્ટવાળી દવાઓ ઉપલબ્ધ છે, તેથી તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઓછો છે. હવે સુરક્ષિત રહેવાનો નવો માર્ગ છે. ઈમર્જન્સી કોંટ્રાસેપ્ટિવ સ્ત્રી કોન્ડોમ.

લગ્ન પછીની મુશ્કેલી
સાધારણ બીમારીમાં સ્ત્રીરોગ નિષ્ણાતોને મહિલાઓમાં થતી યૂરિન ઈંફેક્શનની સમસ્યાની સારવાર વધારે પ્રમાણમાં કરવી પડે છે. યૂરિન ઈંફેક્શન થવાની સંભાવના પુરુષો કરતા વધારે મહિલાઓમાં થાય છે. તેથી તેમના માસિકધર્મ, ડિલિવરી અથવા ગર્ભધારણના સમયે ઈંફેક્શન થવાનો ડર રહે છે. મહિલાઓમાં લગ્ન પછી તેમના પહેલા સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ દરમિયાન પણ ઈંફેક્શન થઈ શકે છે. સામાન્ય રીતે ઓછો લિક્વિડ ડાયટ લેવા પર ઈંફેક્શન થઈ શકે છે અને જ્યારે મૂત્રાશયના વિકાસની સારવાર, પથરી (સ્ટોન) વગેરે હોય ત્યારે પણ પરેશાની થઈ શકે છે. ઘણી બધી સ્કૂલો અને કોલેજેામાં શૌચાલયની સારી સુવિધા ન હોવાથી છોકરીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પેશાબને રોકવાથી પણ ઈંફેક્શન થાય છે. વિદેશોમાં ખૂબ ઓછા અંતરે ફૂડ આઉટલેટ્સ જેાવા મળે છે. ત્યાં ખાણીપીણીની અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ હોય છે, પરંતુ આપણા દેશમાં જે લોકો લાંબી યાત્રા પર જતા હોય છે તેમને સુવિધાની અછતના લીધે ખૂબ સારી સમસ્યાનો સામનો કરવો પડે છે. બસ કે પ્રાઈવેટ વાહનોમાં યાત્રા કરવા દરમિયાન ઓછામાં ઓછું ૨ કે ૩ વાર રોકાવું જેાઈએ અને સરકારે પણ હાઈવે પર સારા શૌચાલયની સુવિધા નિશ્ચિત અંતરે ઊભી કરવી જેાઈએ.

વિશેષજ્ઞનું હોવું કેમ જરૂરી
આજકાલ છોકરીઓને ૯ વર્ષની ઉંમરમાં પીરિયડ થવા લાગે છે. આ સમયે તેઓ ઘણી બધી માહિતીને જાણવાનો પ્રયત્ન કરે છે અને તેમની જાણકારીનું સ્તર વધવા લાગે છે. આ ઉત્તેજક પ્રક્રિયા મગજમાં ખૂબ ઝડપથી થવાથી હોર્મોન્સ બનવા લાગે છે. પર્યાવરણીય પ્રદૂષણથી ફેલાતા કેમિકલ શરીરમાં હોર્મોન્સને પ્રભાવિત કરે છે, તેના લીધે છોકરીઓમાં જલદી મેચ્યોરિટી આવી જય છે. નાની ઉંમરમાં પીરિયડને મેનેજ કરવું સમસ્યારૂપ બની જાય છે. માતાપિતા પણ આ વાતથી ચિંતિત રહેતા હોય છે. પીરિયડની શરૂઆત થતા કુદરત શરીરને પ્રજનન માટે તૈયાર કરી દે છે, પરંતુ પીરિયડનો સમય ઓછો થઈ રહ્યો છે અને લગ્નની ઉંમર વધી રહી છે. લગ્ન કર્યા વિનાના અવાંછિત સેક્સ્યુઅલ રિલેશન, અવાંછિત ગર્ભ, ગર્ભપાત તથા લગ્ન પહેલાં ગર્ભધારણ કરી લેવાથી ઘણી બધી સમસ્યા પેદા થાય છે. આ સમસ્યા સ્ત્રીરોગ વિશેષજ્ઞને સ્ત્રીના જીવનમાં જરૂરી બનાવે છે. આ સ્થિતિમાં તેમની સાથે સેક્સ્યુઅલિટી પર ખૂલીને વાતચીત કરવાની ખૂબ આવશ્યકતા રહે છે. પરંપરગત રૂપે ઘરના વડીલો આ વિષય પર છુપાઈને વાત કરતા હોય છે. બાળકો સામે આવી વાત કરવામાં નથી આવતી, જ્યારે બીજી તરફ ફિલ્મો અને મીડિયા દ્વારા તેનો ખુલાસો કરવામાં આવે છે. પછી બાળકો દ્વિધામાં પડી જાય છે કે આખરે બેમાંથી સાચું શું છે? સેક્સની અધૂરી તથા ખોટી જાણકારી બાળકોને ઉત્તેજિત કરતી હોય છે.

ઉપયુક્ત જાણકારીની આવશ્યકતા
જરૂરી છે કે બાળકોને તેમની ઉંમરના હિસાબે ઉપયુક્ત જાણકારી, યૌન શિક્ષણ આપવું જેાઈએ. જે આ માહિતી તેમને તેમના ઘરમાંથી મળવું શરૂ થાય અને આગળ સ્કૂલકોલેજમાં પણ મળે તો તેઓ લગ્ન માટે, માતૃત્વ અને એક સારા નાગરિક બનવા માટે તૈયાર થશે, પરંતુ સમાજમાં એક મોટી ખોટી ધારણા પ્રવર્તે છે કે સેક્સ એજ્યુકેશન તો ઈન્ટરકોર્સનું એજ્યુકેશન છે. બાળકોને થોડા સમજણા થાય કે તરત નાની ઉંમરથી તેમનો માનસિક અને શારીરિક વિકાસ, યૌવન, સ્ત્રીપુરુષના સંબંધ, લિંગ સમાનતા, લિંગ ભેદ, એકબીજા સાથેનો પ્રેમ વગેરેની જાણકારી આપવામાં આવવી જેાઈએ. આ બધું યૌન શિક્ષણનો ભાગ છે. તેથી નાની ઉંમરથી તેમને તેનું શિક્ષણ મળવું જરૂરી છે અને તેના માટે ગાયનેકોલોજિસ્ટ સૌથી વધારે ઉપયોગી આ વિષયે બની શકે છે.
લગ્ન પહેલાંનું કાઉન્સેલિંગ ઈન્ટરકોર્સ અને તેની સાથે જેાડાયેલ સમસ્યાના વિષયમાં ફેલાયેલી ખોટી માન્યતા દૂર કરે છે. કેટલાક કિસ્સામાં સેક્સ સંબંધ વિષયક યોગ્ય જાણકારીના અભાવના લીધે લગ્નનો પ્રથમ દિવસ યુગલ માટે અંતિમ દિવસ બની જાય છે અને ત્યાર પછી થોડા સમયમાં તેમના ડિવોર્સ થઈ જાય છે. આજના આધુનિક જમાનામાં લોકોના ઘણા બધા લોકો સાથે વૈકલ્પિક સંબંધ બનતા રહે છે અને ભલે ને તે કોઈ ને કોઈ રીતે લગ્નવ્યવસ્થાને પ્રભાવિત કરે, પરંતુ તેને બંધ નથી કરી શકાતા. જ્યારે કોઈ પુરુષ અને મહિલા સાથે કામ કરતા હોય અથવા નજીક રહેતા હોય કે પછી સાથે ભણતા હોય ત્યારે તેઓ બંને એકબીજાને વધારે સાથ આપવાનું પસંદ કરશે. કેટલાક લોકો ભાડું બચાવવા માટે એક જ મકાન શેર કરવા લાગે છે. આ સ્થિતિમાં બંનેએ પોતાના સેક્સ સંબંધમાં ઘણી બધી સાવચેતી રાખવી પડે છે અને તેમાં ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહે છે.
– પ્રતિનિધિ.

DNA ટેસ્ટ ખોલે છે અનેક રહસ્ય

૨૦૦૮માં રોહિત એનડી તિવારી વિરુદ્ધ અદાલત પહોંચ્યા હતા. રોહિતે દાવો કર્યો હતો કે તે પૂર્વ કોંગ્રેસ નેતા અને તેની મા ઉજ્જ્વલા શર્માનો દીકરો છે. એનડી તિવારીએ દિલ્લી હાઈકોર્ટમાં આ મામલાને રદબાતલ કરવાની વિનંતી કરી હતી. જેાકે કોર્ટે ૨૦૧૦ માં તિવારીની આ વિનંતીને રદબાતલ કરી દીધી હતી. ૨૩ ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ હાઈકોર્ટે વાસ્તવિકતા જાણવા માટે બંનેને ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો. જેાકે એનડી તિવારીએ તેની વિરુદ્ધ ખૂબ હાથપગ માર્યા અને સુપ્રીમ કોર્ટ પણ ગયા, પરંતુ ત્યાંથી ખાલી હાથ આવવું પડ્યું હતું. ત્યાર પછી તેણે બ્લડ તો આપ્યું, પરંતુ તેના પરિણામને જાહેર ન કરવાની રિક્વેસ્ટ કરી હતી, જે કોર્ટે ન સ્વીકારી અને રોહિતનો દાવો સાચો નીકળ્યો. ડીએનએ ટેસ્ટ પછી રોહિતને દીકરાનો હક મળ્યો, પરંતુ કમનસીબે ૩૯ વર્ષની ઉંમરમાં રોહિતનું હાર્ટએટેક થવાથી મૃત્યુ થયું. તે ઉપરાંત એક વાર છત્તીસગઢના મુસાબનીમાં એક દીકરાને પિતાની ઓળખ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો, કારણ કે પોલીસને એકસાથે ૨ શબ છત્તીસગઢના મુસાબનીમાં મળ્યા હતા. પરિવારજનો તેને ઓળખી નહોતા શકતા. તે જાણવા માટે પોલીસે મેજિસ્ટ્રેટ સામે ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી સંબંધિત શબ પરિવારને સોંપ્યો.

શોધ કરી
ફ્રેડરિક મિશરે ૧૮૬૯ માં ડીએનએની શોધ કરી હતી અને તેમણે તેનું નામ ન્યૂક્લિન રાખ્યું. ત્યાર પછી ૧૮૮૧ માં અલ્બ્રેક્ટ કોસેલે ન્યૂક્લિનને ન્યૂક્લિક એસિડ તરીકે મળ્યું. ત્યારે તેને ડીઓક્સિરાઈબોઝ ન્યૂક્લિન એસિડ નામ આપવામાં આવ્યું હતું અને તેને જ ડીએનએનું ફુલફોર્મ કહેવામાં આવે છે.

સંરચના
ડીએનએ જીવિત કોશિકાઓના ગુણસૂત્રોમાં જેાવા મળતા તંતુ જેવા અણુને ડીઓક્સિરાઈબોન્યૂક્લિક એસિડ અથવા ડીએનએ કહેવાય છે. તેમાં જેનેટિક કોડ નિબદ્ધ રહે છે. ડીએનએ અણુની સંરચના ગોળ સીડી જેવી હોય છે.

ડીએનએ તપાસથી ડરો નહીં
આ બાબતે મુંબઈના અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલની જનરલ ફિઝિશિયન ડો. છાયા વજ કહે છે કે હકીકતમાં કોઈ પણ બીમારીને શોધવા માટે કેટલાય પ્રકારની તપાસ કરવામાં આવે છે. તેમાં ડીએનએ તપાસનું નામ સાંભળીને ભલભલા લોકો ડરી જાય છે. આ એક એવું ટેસ્ટલ છે, જે આપણા જીન્સ વિશે જાણકારી આપે છે. બદલાતા જમાનામાં હત્યા અને બળાત્કાર જેવા અનેક ગુના ઉકેલવા માટે ડીએનએ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મોટાભાગના લોકો તેના વિશે થોડુંઘણું જાણે છે.

ડીએનએ શું છે
ડોક્ટર છાયા કહે છે કે દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય છે. ડીએનએમાં ૪ ઘટક હોય છે. એડેનિન (એ), થાયમિન (ટી), ગ્વાનિન (જી) અને સાઈટોસિન (સી). આ ડીએનએ તપાસ કરવા માટે હોય છે. એક અપરાધી શોધવા અને માતાપિતા પોતાના છે કે નહીં તે જાણવા માટે આ તપાસ કરવી પડે છે, કારણ કે બાળકોનો ડીએનએ તેના માતાપિતાથી બને છે, પરંતુ બાળકો અને તેના માતાપિતાનો ડીએનએ સમાન નથી હોતો, પરંતુ થોડો અંશ મળતો હોય છે. એક ડીએનએ તપાસ દ્વારા પિતૃત્વ પરીક્ષણ કરવામાં આવે છે અને તે લગભગ ૧૦૦ ટકા ચોક્કસ હોય છે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના બાળકનો પિતા છે કે નહીં. ડીએનએ ટેસ્ટમાં ચીક સ્વેબ અથવા બ્લડ ટેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જેા તમને કાનૂની કારણસર પરિણામની જરૂર છે, તો તમારે ચિકિત્સા સેટિંગમાં પરીક્ષણ કરાવવું જેાઈએ. પ્રસવ પહેલાં પિતૃત્વ પરીક્ષણ, ગર્ભાવસ્થા દરમિયાન પિતૃત્વનું નિર્ધારણ કરી શકો છો.

ડીએનએ શું છે
ડીએનએ એક સાયન્ટિફિક ટર્મ છે. તેથી તેને સરળ ભાષામાં સમજાવે છે. વ્યક્તિના શરીરમાં એક ડીએનએ કોડિંગ હોય છે અને આ કોડિંગ જે રીતે થાય છે, શરીર તે પ્રમાણે બને છે અથવા કોડિંગ નક્કી કરે છે કે બાળકની આંખનો રંગ કેવો હશે, તેની સ્કિનનો રંગ કેવો હશે, લંબાઈપહોળાઈ કેવી હશે, મસલ્સ કેટલા મજબૂત હશે, વાળ કેવા હશે, છાતી કેટલા ઈંચની હશે અને બાળક ભવિષ્યમાં કોઈ શારીરિક કે માનસિક બીમારીનો શિકાર થઈ શકે છે કે નહીં વગેરે.

પિતૃત્વનું નિર્ધારણ
પિતૃત્વનું પરીક્ષણ બાળકના જન્મ પછી કરવામાં આવે છે, પરંતુ ગર્ભાવસ્થામાં પણ આ તપાસ કરી શકાય છે. તેની ૩ અલગઅલગ રીત છે :

ગેર-ઈનવેસિવ પ્રીનેટલ પિતૃત્વ પરીક્ષણ (એનઆઈપીપી) : આ પરીક્ષણ પ્રથમ ત્રિમાસિક દરમિયાન ગર્ભવતી મહિલાના રક્તમાં જેાવા મળતા ભ્રૂણના ડીએનએ પરથી કરવામાં આવે છે. તેને તપાસવા માટે પિતાના ચિક સેલના નમૂનાને ભ્રૂણના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે.

કોરિયોનિક વિલસ સેંપલિંગ (સીવીએસ) : આ પ્રક્રિયા માતાની ગર્ભાશય ગ્રીવા અથવા પેટના માધ્યમથી થાય છે. તેની તપાસ માટે માતા અને પિતાનો ડીએનએ મેચ કરવામાં આવે છે. સીવીએસ સામાન્ય રીતે એક મહિલાના છેલ્લા માસિકધર્મના ૧૦ થી ૧૩ અઠવાડિયા વચ્ચે થાય છે. આ પ્રક્રિયામાં ગર્ભપાત અથવા ગર્ભાવસ્થાના નુકસાનનું થોડું રિસ્ક હોય છે.

એમનિયોસેંટેસિસ : એમનિયોસેંટેસિસ દરમિયાન એક્સપર્ટ થોડાક પ્રમાણમાં એમનિયોટિક ફ્લૂઈડ કાઢે છે. આ ટેસ્ટ માટે પ્રેગ્નન્ટ માતાના પેટમાં એક નીડલ નાખવામાં આવે છે. પછી પ્રયોગશાળામાં આ ફ્લૂઈડના સેંપલને માતા અને પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે. એમનિયોસેંટેસિસ ગર્ભધારણના ૧૫ થી ૨૦ અઠવાડિયા વચ્ચે કરવામાં આવે છે. આ ટેસ્ટથી મિસ્કેરેજની શક્યતા વધી જાય છે. સમય ડીએનએ રિપોર્ટ આવવાનો તપાસ કરાવવાના લગભગ ૧ અઠવાડિયા પછી ડીએનએનો રિપોર્ટ આવે છે અને કોઈ બીમારીની તપાસમાં લગભગ ૨ થી ૩ અઠવાડિયાનો સમય લાગે છે.
– સોમા ઘોષ.

બ્રેન બ્લીડથી હાર્ટએટેકનું જેાખમ

સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.

સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જેાખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જેાખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જે બ્લીડિંગ ખૂબ ગંભીર હોય. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવાની અનેક રીત છે. એક રીત એ છે કે હૃદયની બીમારીને પેદા કરતા પરિબળો, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસથી સુરક્ષિત રહો. તેના માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવો, સ્વસ્થ આહાર લો, નિયમિત એક્સર્સાઈઝ કરો, ધૂમ્રપાન ન કરો તેમજ દારૂનું સેવન સીમિત પ્રમાણમાં કરો. બીજી રીત એ છે કે જેા ઉપર જણાવેલી બાબતમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

ઈસ્કેમિક સ્ટ્રોકના લક્ષણ
અચાનક કમજેારીનો અનુભવ થવો, ચહેરો, ખભા અથવા પગ સુન્ન થવા, તેમાં પણ ખાસ તો શરીરના એક ભાગમાં સુન્નપણાનો અનુભવ થવો, અચાનક ભ્રમિત થવું, બોલવા અથવા સમજવામાં મુશ્કેલી, એક અથવા બંને આંખે જેાવામાં સમસ્યા, અચાનક ચાલવામાં પરેશાની, ચક્કર આવવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી, અચાનક માથામાં તીવ્ર દુખાવો.

હાર્ટએટેકના લક્ષણ
છાતીમાં દુખાવો અથવા અસહજતાનો અનુભવો થવો, શરીરના ઉપરના ભાગ, બાવડા, પીઠ, ગરદન, જડબા અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અથવા સારું ન લાગવું, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પરસેવો થવો, ઊલટી આવવી, ચક્કર આવવા અથવા સામાન્ય થાક લાગવો. અહીં એ વાત પર ધ્યાન આપવું જેાઈએ કે જરૂરી નથી કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના દરેક કિસ્સામાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવે. જેાકે તેનાથી બચવા માટે જરૂરી પગલાં લેવા ખૂબ જરૂરી છે. કુલ મળીને સેરેબ્રલ હેમરેજના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ઘણા બધા લોકો માટે ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ જેાખમ ખાસ એ લોકોમાં વધારે રહે છે જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો ઈતિહાસ રહ્યો હોય, પરંતુ બ્રેન બ્લીડિંગથી પીડિત કોઈ પણ વ્યક્તિમાં આવું થઈ શકે છે. તેથી જરૂરી છે કે એ પરિબળોથી સુરક્ષિત રહો, જેનાથી હૃદયની બીમારી થતી હોય. તેની સાથે ઈસ્કેમિક સ્ટ્રોક કે હાર્ટએટેકના લક્ષણ દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો.

એન્ટિપ્લેટલેટ થેરપિ
આ થેરપિમાં દર્દીને એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટ અટકાવે છે. એન્ટિપ્લેટલેટ થેરપિથી તે લોકોમાં ફરીથી સ્ટ્રોક શક્યતા ઓછી થઈ જાય છે જેમને પહેલા સેરેબ્રલ હેમરેજ થયું હોય છે.

એન્ટિકોગ્યુલેશન થેરપિ
આ થેરપિમાં એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટને બનવા અથવા મોટા થતા અટકાવે છે. આ થેરપિની સારવાર બ્લડ ક્લોટ ઘટાડવા, એટ્રિયલ ફાઈબ્રિલેશન માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સેરેબ્રલ હેમરેજની સારવાર માટે પણ આ થેરપિનો ઉપયોગ કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના કેટલાક કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. તેમાં ફાટેલી બ્લડ વેસલનું રિપેરિંગ કરવામાં આવે છે. ઘણી વાર બ્રેન ટ્યૂમરને દૂર કરવા અને બ્લીડિંગના લીધે મગજ પર પડતા દબાણને ઘટાડવા પણ સર્જરી કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના ઠીક થયા પછી રીહેબિલિટેશન પણ જરૂરી છે. મગજને કેટલું નુકસાન પહોંચ્યું છે, તેને ધ્યાનમાં રાખીને દર્દીને ફિઝિકલ થેરપિ, ઓક્યુપેશનલ થેરપિ, સ્પીચ થેરપિ અથવા જરૂર મુજબની બીજી કોઈ થેરપિ આપવામાં આવે છે, જેથી દર્દીના ફંક્શન ફરીથી સામાન્ય થાય અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે.

અહીં એ વાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની સારવાર અને વ્યવસ્થા મુશ્કેલ બને છે. તેને દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવે છે. તેથી દર્દીએ સત્વરે ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ.
ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવા માટે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના જેાખમથી બચવું જેાઈએ. હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, દારૂનું વધારે પડતું સેવન અને લોહી પાતળું કરવાની દવા વગેરે એવા પરિબળ છે, જેથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા વધી જાય છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને અને કેટલીક દવાની મદદથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા ઘટાડી શકાય છે. નિયમિત રીતે શારીરિક એક્સર્સાઈઝથી પણ સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતામાં ઘટાડો કરી શકાય છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તેનાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત બીમારીથી બચાવી શકાય છે.
– પ્રતિનિધિ.

બોન હેલ્થ બેદરકારી ભારે પડશે

ભરપૂર ઊર્જા સાથે પોતાના કામ કરવા અને વાસ્તવમાં એક સુંદર ખુશહાલ જિંદગી જીવવા માટે હાડકાનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. હાડકામાં થતી સમસ્યાના લીધે તમારા જીવનની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે અને તમે તમારા પરિવાર અને ઘરના કામકાજને યોગ્ય રીતે મેનેજ નથી કરી શકતા. જેાકે વધતી ઉંમરની સાથે હાડકાનું ઘનત્વ ઘટવા લાગે છે જેનાથી તે કમજેાર પડી જાય છે, પરંતુ આ સ્થિતિનો સામનો કરવા માટે પહેલાંથી તૈયાર રહેવું અને બોન હેલ્થ વિશે જાણકારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. હકીકતમાં, હાડકાં આપણા શરીરમાં ઘણી બધી ભૂમિકા ભજવતા હોય છે. તે આપણને એક નિશ્ચિત સંરચના પ્રદાન કરે છે, અંગોનું રક્ષણ કરે છે અને માંસપેશીઓને સલામત રાખવાની સાથે કેલ્શિયમનો સંગ્રહ કરે છે. જે લોકોના હાડકાં મજબૂત રહે છે તેઓ સ્વસ્થ અને સક્રિય જીવન જીવતા હોય છે. શરીરમાં જૂના હાડકાં તૂટતા રહે છે અને નવા હાડકાં બનતા રહે છે.

આ જ કારણસર આપણું બોન માસ અથવા વેઈટ વધે છે. ૩૦ વર્ષની ઉંમર સુધી વ્યક્તિના જૂના હાડકાં ધીરેધીરે તૂટે છે અને નવા હાડકાં જલદી બને છે. આ ઉંમર પછી નવા હાડકાં બનવાની પ્રક્રિયા ધીમી પડતી જાય છે, જેથી હાડકાં કમજેાર પડતા જાય છે. ખાસ તો મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીનું જેાખમ વધી જાય છે, પરંતુ જેા યોગ્ય જીવનશૈલી, આહાર અને એક્સર્સાઈઝ કરવામાં આવે તો તેનાથી તમારા હાડકાં હંમેશાં મજબૂત રહે છે.

બોન હેલ્થનું ખાસ ધ્યાન રાખો
આવો જાણીએ કે મહિલાઓને પોતાના હાડકાના સ્વાસ્થ્ય વિશે બીજા કરતા ખાસ સાવચેતી રાખવાની જરૂર કેમ છે :
પુરુષોની સરખામણીમાં મહિલાઓના હાડકાં કમજેાર અને નાના હોય છે. તેમના નાના શરીરના લીધે ફ્રેક્ચરનું જેાખમ વધારે રહે છે. પશ્ચિમની મહિલાઓની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં હાડકાની તાકાત ઓછી હોય છે. જે મહિલાઓના હાડકાં નાના અને પાતળા હોય છે, તેમનામાં ઓસ્ટિયોપોરોસિસ સંબંધિત ફ્રેક્ચરનું જેાખમ પણ વધારે રહે છે. તેથી સ્પષ્ટ છે કે પોતાની શારીરિક સંરચનાના લીધે પણ ભારતીય મહિલાઓએ પોતાના હાડકાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મહિલાઓમાં મેનોપોઝ તેમના હાડકાં જલદી અને ઝડપથી કમજેાર પાડી શકે છે : મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનના લીધે માસિકધર્મ થાય છે. આ હોર્મોન હાડકાના વિકાસ અને મજબૂતાઈ માટે ખૂબ જરૂરી હોય છે. સામાન્ય રીતે ૪૫-૫૦ ની ઉંમર સુધીમાં મેનોપોઝની શરૂઆત થઈ જાય છે. જ્યારે આ હોર્મોનનું સ્તર ઘટી જાય છે, ત્યારે મહિલાઓને મેનોપોઝ થઈ જાય છે અને આ ઉંમર પછી મહિલાઓમાં હાડકાની મજબૂતાઈ પણ ઘટવા લાગે છે. તેથી આ કારણસર મહિલાઓએ મેનોપોઝ સમયે પોતાના હાડકાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મહિલાઓનું કમજેાર ડાયટ : પુરુષોની સરખામણીમાં ભારતીય મહિલાઓને કેલ્શિયમયુક્ત ખાદ્યપદાર્થ જેમ કે દૂધ, દહીં વગેરેનું નિયમિત રીતે સેવન કરવાની ટેવ ઓછી હોય છે. તે ઉપરાંત પુરુષોની સરખામણીમાં મહિલાઓ માંસ, માછલી અને ઈંડાનું સેવન કરવાથી દૂર રહેતી હોય છે. જ્યારે આ બધા એવા ખાદ્યપદાર્થ છે જે મજબૂત હાડકાં માટે પોષક પદાર્થ પ્રદાન કરે છે. તેની ઊણપથી મહિલાઓને બોન સંબંધિત પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે રહે છે.

મહિલાઓમાં બોન હેલ્થના સંદર્ભમાં જાણકારીનો અભાવ : અનેક અભ્યાસ પરથી જાણકારી મળે છે કે ભારતીય મહિલાઓમાં હાડકાના સ્વાસ્થ્ય વિશે જાગૃતિનો અભાવ હોય છે. આ અભાવ તેમને આ બાબતે આવશ્યક પગલાં ભરતા અટકાવે છે. તે પોતાના બાળકો અને પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખતી હોય છે, પરંતુ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ જાય છે. આમ કરવાથી તેમના હાડકાં નાની ઉંમરે કમજેાર થવા લાગે છે.

હાડકાં આ રીતે મજબૂત રાખો
એક નિશ્ચિત ઉંમર પછી હાડકાનું કમજેાર થવું સ્વાભાવિક વાત છે, પરંતુ જેા તમારી લાઈફસ્ટાઈલમાં કેટલીક ખોટી આદતો સામેલ હશે તો ઉંમર પહેલાં તમારા હાડકાં કમજેાર પડી શકે છે. ત્યાર પછી હાડકાં કમજેાર થવા પર અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી નીચે જણાવેલી વાતનું ધ્યાન જરૂર રાખો.

કેફીન અને કાર્બોનેટેડ પેયપદાર્થથી અંતર જરૂરી : ચા, કોફી અથવા કાર્બોનેટેડ પેયપદાર્થ જેમ કે સોફ્ટ ડ્રિંક, શેમ્પેઈન વગેરે હાડકામાંથી કેલ્શિયમને ખેંચી શકે છે. હાર્વર્ડમાં થયેલા એક રિસર્ચ અનુસાર ૧૬ થી ૨૦ વર્ષની ઉંમરની મહિલાઓમાં સોફ્ટ ડ્રિંકના વધારે સેવનથી હાડકાને નુકસાન પહોંચવાની વાત સામે આવી હતી. સોફ્ટ ડ્રિંકમાં ફોસ્ફેટ વધારે હોય છે, જે શરીરમાં કેલ્શિયમને ઘટાડવાનું કામ કરે છે.

જરૂર કરતા વધારે પ્રોટીન લેવું : જરૂર કરતા વધારે પ્રોટીન લેવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. વધારે પ્રમાણમાં પ્રોટીન લેવાથી શરીરમાં એસિડિટી થઈ શકે છે, જેથી પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી શકે છે. મોટાભાગના લોકોને દિવસમાં ૦.૧૨ કિ.ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. તેનાથી વધારે પ્રમાણમાં પ્રોટીન લેવું તમારા હાડકાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એસિડિટીની દવાઓ મુશ્કેલી વધારી શકે છે : ઘણા લોકો શરીરમાં ગેસ અનુભવતા અથવા વધારે તીખું ભોજન ખાધા પછી સાવચેતીવશ એસિડિટીની દવાનું સેવન કરતા હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનીજપદાર્થના અવશોષણ માટે પેટમાં એસિડનું હોવું જરૂરી છે. જેા તમે આ એસિડને બનતું અટકાવવાની કોઈ દવા લઈ રહ્યા છો તો તેનાથી તમારામાં ઓસ્ટિયોપોરોસિસનું જેાખમ વધી જાય છે. જે તમે કોર્ટિકોસ્ટેરોઈડ દવાનું સેવન લાંબા સમયથી કરી રહ્યા છો તો તેનાથી પણ ઓસ્ટિયોપોરોસિસનું જેાખમ વધી જાય છે.

કોફીથી દૂર રહો : ૧ કપ કોફી પીવાથી પેશાબ દ્વારા ૧૫૦ મિલીગ્રામ કેલ્શિયમ શરીરમાંથી બહાર નીકળી જાય છે. કોફીમાં બીજા પણ હાનિકારક કેમિકલ હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં અડચણ પેદા કરી શકે છે. તેમ છતાં તમે જેા કોફી પીવા ઈચ્છો તો કોફીના પ્રત્યેક કપના બદલામાં ૧૫૦ મિલીગ્રામથી વધારે કેલ્શિયમ લેવાની ટેવ પણ પાડો.

સપ્લિમેન્ટ લો : તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપ હોય તો તેનાથી તમારા હાડકાં કમજેાર પડવા લાગે છે. આ સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર ખાદ્યસામગ્રીનું સેવન કરવું ખૂબ જરૂરી બની જાય છે. વિટામિન-ડી કેલ્શિયમના અવશોષણ અને તેને હાડકાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જ્યારે તમે સૂર્યપ્રકાશ નથી લઈ શકતા તો તેની જગ્યાએ વિટામિન-ડીના સપ્લિમેન્ટ પણ લઈ શકો છો. તમારો દૈનિક આહાર તમારી કેલ્શિયમની જરૂરિયાતને પૂરી નથી કરી શકતો, તેથી કેલ્શિયમ સપ્લિમેન્ટ અને વિટામિન-ડી સપ્લિમેન્ટ લેવાના વિકલ્પ પસંદ કરો.

તાણ : સ્ટ્રેસથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે. જેા લાંબા સમય સુધી આ સ્તર વધેલું રહે તો હાડકાને નુકસાન પહોંચી શકે છે. તેથી બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી શકે છે. તેથી તાણથી દૂર રહેવા માટે મેડિટેશન કરો અને પૂરતી ઊંઘ લો.

એક્સર્સાઈઝ : શારીરિક નિષ્ક્રિયતા વધવાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અને તેના લીધે સંધિવા જેવી બીમારીનું જેાખમ વધી જાય છે. મહિલાઓ માટે પોસ્ટ મેનોપોઝલ અવસ્થા પછી ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ એક્સર્સાઈઝ કરતા રહેવું જરૂરી છે. એક્સર્સાઈઝ દરમિયાન જ્યારે માંસપેશીઓ હાડકાની વિપરીત ખેંચાય છે ત્યારે તેનાથી હાડકામાં ઉત્તેજના પેદા થાય છે. ચાલવાથી, સાઈકલિંગ કરવાથી, સીડીઓ ચઢવાથી અને વેટ લિફ્ટિંગથી હાડકાંના ઘનત્વમાં વધારો થાય છે. તેથી દિવસમાં ૧૫ થી ૩૦ મિનિટની એક્સર્સાઈઝ પણ ખૂબ જરૂરી રહે છે.
– ગરિમા પંકજ.

૫ સુપર હેલ્ધિ ઓઈલ હાર્ટ રાખે ફિટ

જ્યારે પણ આપણે કુકિંગ ઓઈલ ખરીદવા જઈએ છીએ ત્યારે જેાઈએ છીએ કે તેની કિંમત કેટલી છે. જેા ઓઈલની કિંમત ઓછી હોય છે આપણે તે જ ખરીદીએ છીએ. એ જાણ્યા વિના કે તે આપણી હેલ્થ માટે સારું છે કે નહીં. જ્યારે ઓઈલનો સીધો સંબંધ આપણી હેલ્થ અને હાર્ટ સાથે જેાડાયેલો છે. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે કુકિંગ ઓઈલની પસંદગી સાવચેતીથી કરો, જેથી તમારું ભોજન સ્વાદિષ્ટ બનવાની સાથેસાથે તમારા હાર્ટની હેલ્થ પણ સારી રહે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર વર્ષે ૧૨ લાખની આસપાસ યંગસ્ટર્સના હાર્ટએટેકના લીધે મૃત્યુ થઈ રહ્યા છે, જે ચિંતાજનક આંકડા છે. તેથી સમય રહેતા સતર્ક થવાની જરૂર છે. તો આવો જાણીએ, કયું કુકિંગ ઓઈલ આપણી હેલ્થ માટે સારું છે :

સેચ્યુરેટેડ-અનસેચ્યેુરેટેડ ઓઈલ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ મુજબ, જેા આપણે આપણા હાર્ટને હેલ્ધિ રાખવું છે તો આપણે અનસેચ્યુરેટેડ ઓઈલ અથવા ગુડ ફેટ, જેને પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટમાં કહેવામાં આવે છે, તેનું સેવન કરી શકો છો. તે રૂમ ટેંપરેચર પર લિક્વિડ હોય છે. ઓમેગા ૩ ફેટી એસિડ, જે અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, તે આપણી હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ ફેટ હાર્ટએટેક અને સ્ટ્રોકનું જેાખમ ઘટાડે છે, સાથે આ શરીરમાં ટ્રિગ્લીસેરિડેસ લેવલને પણ ઘટાડે છે. તે ઉપરાંત શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. તેની સાથે તે આપણા બ્લેડપ્રેશર લેવલને કંટ્રોલ કરવા અને આપણી આર્ટરીજને હાર્ડ થવા નથી દેતું. બીજી બાજુ સેચ્યુરેટેડ ફેટ, જેને બેડ ફેટ પણ કહેવાય છે. આપણે તેને ખાવાથી પરેજ કરવી જેાઈએ અને ઓછા પ્રમાણમાં ખાવું જેાઈએ, કારણ કે તે આપણા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. આ ફેટ રૂમ ટેંપરેચર પર સોલિડ હોય છે. તમારે આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ્સથી દૂર રહેવું જેાઈએ, કારણ કે તે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર, સ્થૂળતા વગેરેને વધારવાનું કામ કરે છે.

ઈન્ફોર્મેટિવ ફેક્ટ
જેા તમારા શરીરને રોજ ૨૦૦૦ કેલરીની જરૂર હોય તો તમારે તેની ૨૦-૨૫ કેલરી ફેટમાંથી લેવી જેાઈએ અને પ્રયાસ કરવો જેઈએ કે આ ફેટ અનસેચ્યુરેટેડ ફેટ હોય અને જેા સેચ્યુરેટેડ ફેટ લઈ રહ્યા છો તો તેની લિમિટ નક્કી કરો એટલે માત્ર ૫-૬ ટકા જ લો.

હાર્ટ માટે કયું ઓઈલ હેલ્ધિ છે
ઓલિવ ઓઈલ : નિષ્ણાત અને ન્યૂટ્રિશનિસ્ટની સલાહ અનુસાર ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય જ છે પરંતુ હાર્ટ હેલ્થ માટે તેને વધારે લાભદાયક માનવામાં આવે છે. હાર્ટને હેલ્ધિ બનાવવા માટે તમે કુકિંગમાં આ ઓઈલનો નિશ્ચિંતપણે ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલ પોલીફેનોલ્સ નામક કંપાઉન્ડથી ભરપૂર હોય છે, જે હૃદયરોગના જેાખમને ઘટાડે છે. તે સિવાય ઓલિવ ઓઈલના તેલમાં હેલ્ધિ ફેટ હોય છે. હકીકતમાં આ ઓઈલ મોનોઅનસેચ્યુરેટેડ હોય છે અને ઓલિવ ઓઈલમાં ઓલિક એસ્ડિ નામનું મુખ્ય ફેટી એસિડ હોય છે, જે શરીરમાં સોજેા, કેન્સર અને હાર્ટની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. સાથે તેમાં મોટી સંખ્યામાં પાવરફુલ એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે તમારા બ્લડ કોલેસ્ટ્રોલને ઓક્સિડેશનથી બચાવીને હાર્ટની બીમારી સામે રક્ષણ આપે છે. દુનિયામાં સ્ટ્રોકથી મૃત્યુ થવું બીજું મોટું કારણ છે. એક રિસર્ચમાં લગભગ દોઢ લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં જેાવા મળ્યું કે જે લોકોએ સતત ઓલિવ ઓઈલનું સેવન કર્યું, તેમાં સ્ટ્રોકનું જેાખમ ઓછું જેાવા મળ્યું. ઓલિવ ઓઈલ બ્લડપ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથેસાથે બ્લડ વેસલ્સના ફંકશનને ઈમ્પ્રૂવ કરીને તમારા હાર્ટને પણ હેલ્ધિ બનાવવાનું કામ કરે છે. તેમાં એન્ટિકેન્સર પ્રોપર્ટી કેન્સરના જેાખમને પણ ટાળવામાં મદદ કરે છે. તેથી કુકિંગમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક છે.

કેનોલા ઓઈલ : જેા તમે હાર્ટ અથવા કોલેસ્ટ્રોલની બીમારીથી ગ્રસ્ત છે કે પછી સ્વયંને તેનાથી બચાવવા માંગો છો તો કેનોલા ઓઈલ તમારા માટે સૌથી સેફ અને હેલ્ધિ ઓપ્શન છે, કારણ કે તેમાં ગુડ ફેટની સાથેસાથે વિટામિન એ અને વિટામિન કેની ખૂબીઓ અને આ કોલેસ્ટ્રોલ પણ ફ્રી છે. તેમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ હોવાની સાથેસાથે તેમાં મોટા પ્રમાણમાં ઓમેગા ૩ ફેટી એસિડ અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે તમારા બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ સોજાને કંટ્રોલ કરીને તમારા હાર્ટનું ખાસ ધ્યાન રાખવાનું કામ કરે છે. કેટલાય હેલ્થ ઓર્ગેનાઈઝેશને કેનોલા ઓઈલને હાર્ટ સ્માર્ટ ઓઈલ જણાવ્યું છે, કારણ કે તેમાં ૦્રુ ટ્રાન્સ ફેટ હોવાની સાથેસાથે હાઈ લેવલ ઓફ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમને હાર્ટ અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીથી દૂર રાખવાનું કામ કરે છે.

સરસવનું તેલ : સરસવના તેલનો ઉપયોગ મોટાભાગે લોકો કરે જ છે. જેા તમે સરસવના તેલનો ઉપયોગ નથી કરતા, તો હાર્ટ હેલ્થને સુદઢ રાખવા માટે સરસવના તેલમાં જમવાનું બનાવવાની શરૂઆત કરો. સરસવનું તેલ હાર્ટ હેલ્થને જાળવી રાખે છે. તેની સાથે સાંધા અને શરીરનાં અન્ય ભાગ માટે પણ લાભપ્રદ હોય છે. હકીકતમાં સરસવના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી હોય છે જે હાર્ટ માટે લાભદાયક હોય છે.

રાઈસ બ્રાન ઓઈલ : રાઈસ બ્રાન ઓઈલ હાર્ટ હેલ્થ માટે ખૂબ લાભદાયક છે. તમારા હાર્ટને હેલ્ધિ રાખવા માટે તમે રાઈસ બ્રાન કુકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. રાઈસ બ્રાન ઓઈલમાં પણ મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચુરેટેડ ફેટી એસિડનું બેલેન્સ યોગ્ય હોય છે. આ સ્થિતિમાં તે હાર્ટને હેલ્ધિ રાખે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને પણ સંતુલિત કરે છે.

સૂરજમુખીનું તેલ : સૂરજમુખીનું તેલ હાર્ટને હેલ્ધિ રાખવામાં લાભપ્રદ હોય છે. તમારા હાર્ટને હેલ્ધિ રાખવા માટે તમે સૂરજમુખી કુકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. સૂરજમુખીનું તેલ હૃદયરોગના જેાખમને ઓછું કરવામાં મદદ કરી શકે છે. તેની સાથે તેમાં વિટામિન ઈ હોય છે, જે હૃદયને સ્વસ્થ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એવોકાડો ઓઈલ : તેમાં વધારે પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે એટલે તેમાં હેલ્ધિ ફેટ્સની સાથેસાથે એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જેનો સીધો સંબંધ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવાની સાથેસાથે ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારવાનું કામ કરે છે. એવોકાડો ઓઈલમાં હાર્ટની હેલ્થનું ધ્યાન રાખનાર ઓલિક એસિડ હોય છે. કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય રહેવાથી હાર્ટ સારી રીતે કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે છે. સાથે આ ઓઈલની ખાસિયત એ છે કે તેમાં વધારે પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે પોષણ તત્ત્વોના અવશોષણમાં મદદ કરે છે, સાથે તેમાં પોલીફિનોલિસ નામના એન્ટિઓક્સિડેન્ટ ફ્રી રેડિકલ્સથી શરીરને સુરક્ષા પ્રદાન કરવામાં પણ સહાયતા થાય છે. આ ઓઈલ ન માત્ર હાર્ટ માટે, પરંતુ તમારી ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે.

સનફ્લાવર ઓઈલ : અનેક સ્ટડીમાં જેાવા મળ્યું છે કે સનફ્લાવર ઓઈલમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હાર્ટ માટે સારું માનવામાં આવે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ નથી હોતી. જેનાથી તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આ સેચ્યુરેટેડ ફેટની સરખામણીમાં તરત શરીરને ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે સાથે તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ ઈમ્યૂન સિસ્ટમને મજબૂતી પ્રદાન કરે છે, જેથી બેક્ટેરિયા અને વાયરસ સરળતાથી શરીરમાં પ્રવેશ નથી કરી શકતા. તેમાં રહેલા પ્રોટીન ટિશ્યૂની રિપેર કરવા અને બનાવવામાં સહાયક થાય છે.

સીસમ ઓઈલ : સીસમ ઓઈલ એન્ટિઓક્સિડેન્ટથી લોડેડ થવાની સાથેસાથે તેમાં વિટામિન ઈ, ફીટોસ્ટેરોલ્સ થવા, સેસમોલ અને સેસમિનોલ તત્ત્વ હોય છે, જે તમારા શરીરમાં ફ્રીરેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તેમાં સંતુલિત પ્રમાણમાં ઓમેગા ૩, ઓમેગા ૬ અને ઓમેગા ૯ ફેટી એસિડ હોય છે. તે હાર્ટ ડિસીસને વધારતા અટકાવવાનું કામ કરે છે. સ્ટડી અનુસાર, સીસમ ઓઈલ હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જેથી હાર્ટ સંબંધિત બીમારીનું જેખમ ઓછું થઈ જાય છે. તેમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેથી આ ઓઈલને હાર્ટ માટે સારું માનવામાં આવે છે. સાથે તે મેગ્નેશિયમનો સારો સ્રોત હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રતિ કરવાનું કામ કરે છે.
– પારૂલ ભટનાગર.

ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય

દુનિયાભરમાં ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકાની વચ્ચે પરિણીત કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ભારતમાં ૩૦ મિલિયન ઈંફર્ટાઈલ કપલમાંથી લગભગ ૩ મિલિયન કપલ દર વર્ષે ઈનફર્ટિલિટીનો ઈલાજ કરાવી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં આ આંકડા વધારે છે. ત્યાં દર ૬ માંથી ૧ કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને તેના ઈલાજને લઈને જાગૃત છે, પરંતુ દર સમસ્યાનો ઈલાજ શક્ય છે. તેથી નિરાશ થયેલા કપલ પણ પેરન્ટ બની શકે છે.

ઈનફર્ટિલિટી શું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે, ઈનફર્ટિલિટી રીપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જેાડાયેલી બીમારી છે. ઈનફર્ટિલિટી શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે કપલ કોઈ પ્રોટેક્શન વિના ઉપયોગ માટે એક વર્ષથી વધારે સમય પ્લાન કરી રહ્યા હોય, તેમ છતાં કંસીવ કરવામાં સમસ્યા આવી રહી હોય. ઈનફર્ટિલિટીનું કારણ માત્ર મહિલાઓ જ નથી, પરંતુ પુરુષ પણ હોય છે. ઘણી વાર મહિલાઓમાં તેનું કારણ ફેલોપિયન ટ્યૂબનું બ્લોક થવું, ઈંડા ન બનવા, ઈંડાની ક્વોલિટી ખરાબ હોવી, પ્રેગ્નન્સી હોર્મોન્સનું સંતુલન બગડવું, પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ વગેરેના લીધે થાય છે, જેથી મા બનવામાં સમસ્યા આવે છે. બીજી તરફ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા, તેની ક્વોલિટી સારી ન હોવી અને તેમની મોટેલિટી એટલે કે તે એક્ટિવલી કેટલું કામ કરે છે. સારી ન હોય ત્યારે પણ પાર્ટનરને કંસીવ કરવામાં સમસ્યા થાય છે, પરંતુ સમસ્યા થવાની નહીં, પરંતુ ઈનફર્ટિલિટીની ટ્રીટમેન્ટથી તમારી સમસ્યાનું સમાધાન થશે.

તેનો ઈલાજ શું છે
પીરિયડને નિયમિત કરવું : ભલે વાત સામાન્ય રીતની કે પછી કોઈ ટ્રીટમેન્ટની, ડોક્ટર સૌપ્રથમ તમારા પીરિયડને નિયમિત કરવાની કોશિશ કરે છે, જેથી તમારા હોર્મોન્સ સામાન્ય થઈ શકે અને તમને કંસીવ કરવામાં કોઈ સમસ્યા ન આવે. સાથે તમારા ઓવ્યુલેશન પીરિયડને ટ્રેક કરવામાં સરળતા હોય. એવામાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ અને દવાઓ દ્વારા તેને સામાન્ય કરવાની કોશિશ કરવામાં આવે છે.

હોર્મોન્સના સંતુલનને ઠીક કરવું : કંસીવ કરવા માટે જરૂરી હોર્મોન્સ જેમ કે એફએસએચ, જે ઓવરીમાં ઈંડાને મોટું થવામાં મદદ કરે છે, જેથી એસ્ટ્રોજનનું ઉત્પાદન વધી જાય છે અને પછી જેા શરીરમાં એલએચ હોર્મોન્સની વૃદ્ધિનો સંકેત આપે છે. જેથી સફળતાપૂર્વક ઓવ્યુલેશન થવાની સાથેસાથે કંસીવ કરવામાં સરળતા રહે છે. એવામાં ભલે તમે આઈયૂઆઈ એટલે ઈંટ્રાયૂટરિન ઈનસેમિનેશન કરાવો કે પછી ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન, દવાઓ અને ઈંફેક્શન દ્વારા તેને ઠીક કરી શકાય છે. તેમાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

ઈંડાને પરિપક્વ બનાવવામાં મદદ : કેટલાક મામલામાં જેાવામાં આવે છે કે ઈંડાં બને તો છે, પરંતુ મેચ્યોર થઈને તૂટતા નથી, જેથી કંસીવ થવામાં સમસ્યા થાય છે. એવામાં દવાઓ દ્વારા હેલ્ધિ ઓવ્યુલેશન કરાવવાની કોશિશ કરવામાં આવે છે, જેથી તમારી ટ્રીટમેન્ટ સફળ થતાં તમે પેરન્ટ બનવાનું સપનું પૂરું કરી શકો.

બ્લોક ટ્યૂબને ખોલવી : જેા તમારી બંને ટ્યૂબ બ્લોક છે કે પછી કોઈ એક, તો ડોક્ટર લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી દ્વારા તેને ઓપન કરે છે. સાથે તમને સિસ્ટની સમસ્યા છે, જેા કંસીવ કરવામાં અડચણ બને છે, તો ડોક્ટર સર્જરીથી તેને રિમૂવ કરે છે, જેથી કંસીવ કરવામાં સરળતા રહે.

ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન : ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશનમાં મહિલાના ઈંડા અને પુરુષના સ્પર્મને લઈને લેબોરેટરીમાં ફર્ટિલાઈઝ કરીને મહિલાના યૂટરસમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પૂરી તપાસ, દવાઓ અને ઈંફેક્શનનો સહારો લેવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ન થાય અને પહેલા જ પ્રયાસમાં સફળતા મળી શકે, પરંતુ તે માટે અનુભવી ડોક્ટર અને દવાઓનું હોવું જરૂરી હોય છે.
આ તમામ વસ્તુ સિવાય તમારે તમારી લાઈફસ્ટાઈલ પણ બદલવાની જરૂર છે.
– પારુલ ભટનાગર

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો