મારા પપ્પાની ઉંમર ૬૨ વર્ષ છે. તેમની એક કિડની ૭૦ ટકા કામ કરી રહી છે અને બીજી લગભગ ૨૦ ટકા. હું જાણવા ઈચ્છુ છું કે શું તેમના માટે ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર સારવાર છે?
ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર ત્યારે પડે છે જ્યારે કિડની ફેલ્યોર થઈ ચૂકી હોય. કિડની ફેલ્યોર શબ્દાવલીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે બંને કિડની કામ કરવું બંધ કરે છે. જેા એક કિડની યોગ્ય રીતે કામ કરી રહી હોય તો પણ સામાન્ય જીવન જીવી શકાય છે. જેમને કિડની સંબંધિત બીમારી હોય, તેઓ એક્સર્સાઈઝ, ડાયટ અને દવાઓથી તેને નિયંત્રિત કરીને કિડની ફેલ્યોરનું જેાખમ ઓછું કરી શકાય છે અને સામાન્ય જિંદગી જીવી શકાય છે. તેથી ખૂબ જરૂરી છે કે તમારા પપ્પાની એક કિડની ઠીક રીતે કામ કરી રહી છે અને તેને સ્વસ્થ રાખવા માટે બધા જરૂરી ઉપાય કરો, જેથી તેમને ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે.

હું એક સેલ્સગર્લ છું. ડ્યૂટિના લીધે મારે ઘણા બધા કલાકો સુધી ઊભા રહેવું પડે છે. પગમાં દુખાવાના લીધે ઘણું ખરું હું પેન કિલર્સ લઈ લઉં છું. મેં સાંભળ્યું છે કે પેન કિલર્સ કિડનીને નુકસાન પહોંચાડે છે. શું આ વાત સાચી છે?
એ વાત સાચી છે કે કઈ સમજ્યાવિચાર્યા વિના પેન કિલર્સનો ઉપયોગ કિડની સંબંધિત બીમારીનું કારણ બની શકે છે. અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશન અનુસાર સતત પેન કિલરનો હાઈડોઝ લેવો પૂરા વિશ્વમાં એક્યૂટ કિડની ફેલ્યોરનું સૌથી મોટું કારણ છે. બ્રૂફેન નામની પેન કિલરને ૧૦-૧૫ દિવસ પણ લઈ લો તો કિડની ખરાબ થઈ શકે છે. તેથી પીડાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એનાલજેસિક્સો (પેન કિલર) નું સેવન ડોક્ટરની સલાહ વિના ન કરો. પગના દુખાવાને દૂર કરવા માટે પેન કિલર્સના બદલે ઘરેલુ નુસખા અજમાવો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....