‘‘જે જાળા છે મગજમાં તેને સાફ તો થવા દો, ખોલી દો બધી બારીઓને તાજી હવાને આવવા તો દો, ફૂલ પ્રગતિના ખિલશે ત્યારે બાગમાં, માનસિકતા જે વાસી છે તેને જડમૂળથી જવા તો દો.’’
પ્રગતિ હોવા છતાં જળવાઈ રહેલી તથાકથિત માનસિકતા વિશે ઉપરોક્ત લાઈન યોગ્ય લાગે છે. ઓછું ભણેલાગણેલા લોકો ઘણું ખરું ધર્મના વેપારીના જલદી અને વધારે શિકાર બનતા હોય છે, પરંતુ ઘણી વાર આ ઢોંગીઓની વાતથી નથી બચી શકતા. પરિણામે આજે પણ જાતજાતની ચિત્રવિચિત્ર હરકતો ધર્મના નામે દેશના મોટાભાગના ભાગમાં થતી રહે છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મનગમતા સમયે ડિલિવરી કરાવનારાનું જાણે પૂર આવી ગયું છે. ખૂબ સારા લોકો બાળકોનું નસીબ બદલીને તેમને ઉત્તમ બનાવવાની મંશાથી તેમના જન્મમાં પોતાની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. સામાન્ય રીતે લગભગ ૩૯ અઠવાડિયા માતાના ગર્ભમાં રહ્યા પછી કુદરતી રીતે બાળકનો જન્મ થાય છે. તે પહેલા બાળકનો સંપૂર્ણ વિકાસ નથી થઈ શકતો, પરંતુ ઘણા બધા લોકો શુભઅશુભ, નસીબબદનસીબ વગેરે અંધશ્રદ્ધામાં ફસાઈને આ સનાતન સત્યની અવગણના કરવા લાગ્યા છે.

મુહૂર્તથી શું લાભ
જન્મનું શુભ મુહૂર્ત કઢાવીને તે હિસાબે ઓપરેશન કરાવવું અને બાળકના જન્મના સમયમાં ફેરફાર કરવો તે જેાખમ અને નુકસાનને સામેથી આમંત્રણ આપવા સમાન હોય છે. હકીકતમાં સામાન્ય ડિલિવરીની સરખામણીમાં સિઝેરિયનથી ચીરફાડ કરીને બાળકનો જન્મ કરાવવામાં બેગણા લોહીનું નુકસાન થાય છે. તેમ છતાં ઘણા બધા લોકો બાળકના નસીબને વધારે રાજામહારાજા જેવું બનાવવા માટે મુહૂર્તના હિસાબે તેનો જન્મ કરાવતા હોય છે.
ખોટા પ્રચારના શિકાર બનીને ઘણા બધા લોકો બાળકના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ જાણવા માટે જ્યોતિષપૂજારીની પાસે જાય છે. તેમને દાનદક્ષિણા આપીને બાળકના જન્મના શુભ મુહૂર્તનો ગ્રહયોગ કઢાવતા હોય છે. પછી કુદરતની વિરુદ્ધ જઈને જણાવેલ સમયે ડોક્ટર પાસે સિઝેરિયન ડિલિવરી કરાવતા હોય છે, પરંતુ જે એનેસ્થેસિયા અથવા કોઈ બીજા કારણસર બાળક અથવા માને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો આવા મુહૂર્તથી ભલા શો લાભ?

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....