આપણે બધા સતત દોડી રહ્યા છીએ, મુસાફરી કરી રહ્યા છીએ, આપણી રોજબરોજની જિંદગીમાં ખૂબ વ્યસ્ત છીએ અને ખૂબ મુશ્કેલીથી આપણને નવરાશનો સમય મળી શકે છે. આ દોડધામભરી જિંદગીમાં આપણે આપણા રોજબરોજના કામને પતાવવા દરમિયાન ભોજન, ૮ કલાકની પૂરતી ઊંઘ અને નિયમિત ફિટનેસ રિજીમને એટલું મહત્ત્વ નથી આપતા. આ બધાને સૌથી ઓછી પ્રાથમિકતા આપીએ છીએ અને આખરે આપણા સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરી બેસીએ છીએ. આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે આપણું હૃદય, જે ૨૪ કલાક કાર્યરત હોય છે, કારણ કે આપણે જિંદગીને સંપૂર્ણ રીતે જીવી શકીએ, પરંતુ આજે જીવનમાં સતત તાણ વધી રહી છે અને સ્વાસ્થ્ય બીજા ક્રમની પ્રાથમિકતા બની રહ્યું છે. આ સ્થિતિમાં આપણા હૃદયની તંદુરસ્તી પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવતું. વર્ષ ૨૦૧૫ ના એક અભ્યાસ અનુસાર, હૃદય સંબંધિત બીમારીના લીધે ભારતમાં ૨.૧ મિલિયનથી વધારે મૃત્યુ થયા છે. દેશમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (સીવીડી) માં વૃદ્ધિ થઈ રહી છે. જે ખૂબ ગંભીર વાત કહી શકાય. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગમાં વધારો થવાનું કારણ સતત વધી રહેલી વસ્તી, લોકોની વધતી ઉંમર અને સૌથી મહત્ત્વનું કારણ જીવનશૈલીમાં થઈ રહેલા બદલાવના લીધે વધતી સંવેદનશીલતા છે. આ એ વાતનું પ્રમાણ છે કે ઉંમરની સાથે આપણી જીવનશૈલી પણ આપણા હૃદયના સ્વાસ્થ્યને નિર્ધારિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણી જીવનશૈલી માત્ર આપણા દ્વારા કરવામાં આવતા રોજબરોજના કામ અને તાણને મેનેજ કરવાથી પ્રભાવિત નથી થતી, પણ આપણે જે ખોરાક લઈએ છીએ અથવા તો રાત્રે કેટલી ઊંઘ લઈએ છીએ, તેની પણ અસર થાય છે. આપણી આ બધી બાબતોથી સુનિશ્ચિત થાય છે કે આપણું શરીર પૂરો દિવસ સારામાં સારી રીતે કામ કરી રહ્યું છે. હકીકતમાં, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જેા વયજૂથને હૃદય સંબંધિત બીમારી થવાનું જેાખમ સૌથી વધારે છે તે છે ૩૦ વર્ષ. જેાકે આ આંકડા પણ ખૂબ ભયજનક છે. હવે હૃદયરોગ માટેની ઉંમર વિષયે કોઈ સ્પષ્ટ માપદંડ નથી રહ્યા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....