જાણ થઈ કે રાજીવને કેન્સર છે. પછી તો જેાતજેાતામાં જ માત્ર ૮ મહિનામાં તેનું મૃત્યુ થઈ ગયું. આમ અચાનક ગૃહસ્થી પર તૂટી પડેલા પહાડને એકલી શર્મિલા કેવી રીતે ઉઠાવતી? જેાકે તેના બંને ભાઈઓએ તેને સંભાળવામાં કોઈ કસર નહોતી રાખી. ભાઈના એક મિત્રએ શર્મિલાને નાનકડી બાળકી સાથે તેને અપનાવી લીધી હતી. શર્મિલાના મમ્મી તેના જીવનને સંભાળી લેવાનો શ્રેય તેના ભાઈઓને આપતી, ‘‘જેા હું એકલી હોત તો મારું અને શર્મિલાનું જીવન વિતાવવા મજબૂર થઈ જાત, પરંતુ તેના ભાઈઓએ તેનું જીવન સંભાળી દીધું.’’ જરા વિચારો, જે શર્મિલાને કોઈ ભાઈબહેન ન હોત અને માત્ર માતાપિતા જ હોત, તો શું તે ખુશીઆંનદમાં પોતાનું બાકીનું જીવન પસાર કરી શકી હોત? ના. એક દુખ રહેતું, એક ખાલીપો રહેતો. માત્ર ભૌતિક સુવિધાથી જીવન સંપૂર્ણ નથી થતું, તેને સંપૂર્ણ બનાવે છે સંબંધ.

ખાલી પિયરની પીડા : સાવિત્રી જૈન રોજની જેમ સાંજે પાર્કમાં બેઠી હતી. એટલામાં રમા પણ ત્યાં ફરવા આવી પહોંચી. વોટ્સએપ પર આવેલો એક જેાક્સ બધાને સંભળાવતા તે મજાક કરવા લાગી, ‘‘ક્યારે જઈ રહ્યા છો બધા. પિયરમાં?’’ બધા ખડખડાટ હસવા લાગ્યા, પરંતુ સાવિત્રી ઉદાસ થતા બોલી, ‘‘કેવું પિયર? જ્યાં સુધી માતાપિતા હતા, ત્યાં સુધી પિયર પણ હતું. જેા કોઈ ભાઈ હોત તો પણ સરનામું રહેત પિયરનું.’’ ખરેખર, એક માત્ર સંતાનનું પિયર પણ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તેના માતાપિતા આ દુનિયામાં હયાત હોય છે. તેમના ગયા પછી બીજું કોઈ ઘર જ નથી રહેતું પિયરના નામે.

ભાઈભાભી સાથે ઝઘડા : સાવિત્રી તમને એ વાતનો અફસોસ છે કે તમારી પાસે ભાઈભાભી નથી અને મને જુઓ મેં અર્થહીન વાતોમાં આવીને ભાઈભાભી સાથે ઝઘડો કરી લીધો. પિયર હોવા છતાં મેં સ્વયં તેના દરવાજા બંધ કરી દીધા, ‘‘શ્રેયાએ પણ પોતાનું દુખ વહેંચતા કહ્યું. સારું જ તો છે. જે ઝઘડા થતા હોય તો સંબંધ બોજારૂપ બને છે અને આપણે તેને માત્ર નિભાવીએ છીઐ. જ્યાં બે વાસણ હોય, ત્યાં તેનું ટકરાવું સ્વાભાવિક છે, પરંતુ આ વાાતની કેટલી અસર સંબંધ પર થવા દેવી જેાઈએ, તે વાતનો નિર્ણય તો તમે જાતે જ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાર્તાઓ વાંચવા ક્લિક કરો...