બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. એક્ટ્રેસ સુસ્મિતાએ થોડા સમય પહેલાં પોતાના બોયફ્રેન્ડ રોહમન શૌલ સાથે બ્રેકઅપ કરી લીધું. સુષ્મિતાએ પોતાના બ્રેકઅપ પછી પહેલી પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે શાંતિ સૌથી વધારે સુંદર છે. હું તમને બધાને પ્રેમ કરું છું. તેની સાથે સુસ્મિતાએ સ્માઈલીનું ઈમોજી શેર કરતા લખ્યું કે સંબંધ ખૂબ પહેલા પૂરો થઈ ગયો હતો, પણ અમારી મિત્રતા જળવાઈ રહી. રિપોર્ટ્સ અનુસાર, કપલની વચ્ચે બધું સારું ચાલી રહ્યું નહોતું, તેથી બંનેનું બ્રેકઅપ થયું.સુષ્મિ તા અને રોહમન લગભગ ૩ વર્ષથી રિલેશનશિપમાં હતા. રોહમને ત્યાં સુધી કહ્યું હતું કે તે સુષ્મિતા અને તેની દીકરીને પોતાનો પરિવાર માને છે. તો પછી એવું તે શું થયું કે બંને અલગ થઈ ગયા? જે પણ હોય, પરંતુ સુષ્મિતા સેનના બ્રેકઅપના સમાચારથી તેના ફેન્સ જરૂર ઓછા થઈ ગયા છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેમ આટલા ગાઢ પ્રેમ અને વિશ્વાસ પછી પણ કપલ એકબીજાથી અલગ થઈ જાય છે? કેટલાકની દલીલ છે કે અમે એકબીજા માટે સર્જાયા નહોતા, તો કેટલાકનું એ કહેવું હોય છે કે મેં તેને સમજવામાં ભૂલ કરી. પ્રેમ જેટલો સુખદ હોય છે, બ્રેકઅપ તેટલો જ દુખદ હોય છે. ૨ પ્રેમ કરનાર એકબીજા સાથેના સંબંધમાં એટલા જેાડાઈ ગયા હોય છે કે તેમનું એકબીજાથી અલગ થવું મુશ્કેલ થઈ જાય છે.

ઘણી વાર પ્રેમને લગ્નના મુકામ સુધી લઈ જવો હોય તો ધર્મ, જેન્ડર અને ઉંમર અંતરાયરૂપ બનતા હોય છે, જેથી ૨ પ્રેમ કરનાર અડધા રસ્તે અલગ થઈ જાય છે, પરંતુ સમયની સાથે બદલાવ જરૂર આવે છે. લોકો હવે આ બધી વસ્તુમાં નથી માનતા, પરંતુ ઘણી વાર કંઈક એવું થાય છે કે પ્રેમ લગ્ન સુધી નથી પહોંચી શકતો અને બ્રેકઅપ થઈ જાય છે. તેમની રિલેશનશિપ મુશ્કેલીથી માત્ર થોડા જ વર્ષ ટકી શકે છે અને ત્યાર પછી બંનેના રસ્તા અલગ થઈ જાય છે. આવા સંબંધ પર એક્સપર્ટ્સનું કહેવું છે કે ૭૦ ટકા અપરિણીત કપલનું બ્રેકઅપ પહેલા વર્ષે જ થઈ જાય છે. બીજું એ પણ જેાવા મળ્યું છે કે રિલેશનશિપના ૫ વર્ષ પસાર થયા પછી બ્રેકઅપની શક્યતા માત્ર ૨૦ ટકા સુધી રહે છે. એક રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકોનું બ્રેકઅપ શુક્રવારના દિવસે થાય છે. એક ઈંગ્લિશ વેબસાઈટ એ લોકો પર રિસર્ચ કર્યું હતું અને તેમાં જેવા મળ્યું કે શુક્રવારના રોજ પાર્ટનર એકબીજા સાથે વધારે ઝઘડતા હતા. સાથે આ દિવસે સંબંધ તૂટવાનું જેાખમ વધારે હોય છે. રિપોર્ટ અનુસાર શુક્રવારના દિવસે ૭૫ ટકા લોકોનું બ્રેકઅપ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે પહેલા ૧-૨ વર્ષમાં એવું તે શું થાય છે કે ૨ પ્રેમ કરનાર અલગ થઈ જાય છે?

પાર્ટનરની હકીકત સામે આવવી
રિલેશનશિપ એક્સપર્ટ નીલ સ્ટ્રોસ જણાવે છે કે કોઈ પણ રિલેશનશિપનું પહેલું વર્ષ પડકારોથી ભરેલું હોય છે. શરૂઆતમાં બધા સપનાની દુનિયામાં ખોવાયેલા હોય છે એટલે કે તેઓ વાસ્તવિકતાથી દૂર હોય છે. પાર્ટનરમાં તમે જે જુઓ છો અને જે તમે જેાવા ઈચ્છો છો તે બંને અલગ હોઈ શકે છે. થોડા મહિના પછી તમે વાસ્તવિકતાની નજીક આવવા લાગો છો ત્યારે તસવીર સ્પષ્ટ થવા લાગે છે. તમારા પાર્ટનરની આદતો, વ્યવહાર, ચાલચલગત, રહેણીકરણી, તેની વાત કરવાની રીત વગેરે બધું દેખાવા લાગે છે. જે વાસ્તવમાં તે વ્યક્તિમાં હોય છે ત્યાર પછી શરૂ થાય છે વાદવિવાદ. જેા તેને પાર કરી દેવામાં આવે તો સંબંધ આગળ વધી જાય છે. નહીં તો અધવચ્ચે તૂટી જાય છે.

બ્રેકની સીઝન
એક સ્ટડીમાં જેાવા મળ્યું છે કે વેલેન્ટાઈન ડેની આસપાસ સૌથી વધારે બ્રેકઅપ થાય છે, કારણ કે આ દિવસે પ્રેમી એકબીજા પાસેથી સૌથી વધારે આશા રાખે છે કે તેઓ તેના માટે શું ખાસ કરવાના છે, કેવી ગિફ્ટ મળશે અને જ્યારે આશા તૂટી જાય છે ત્યારે વાત બ્રેકઅપ સુધી પહોંચી જાય છે. જ્યારે બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે, જે પોતાના બ્રેકઅપનો પ્લાન બનાવતા હોય છે, ખાસ તો વેલેન્ટાઈલ ડે માટે. જે લોકો પ્રેમમાં સ્વયંને છેતરાયેલા અનુભવતા હોય છે, તેઓ બદલો લેવાની ઈચ્છાથી વેલેન્ટાઈન ડે પર બ્રેકઅપ કરતા હોય છે.

પ્રેમ અંધ હોય છે
વૈજ્ઞાનિક એ વાતને સમર્થન આપી ચૂક્યા છે કે પ્રેમ ખરેખર આંધળો હોય છે. તેમને જેાવા મળ્યું હતું કે પ્રેમીની ભાવના મગજના એ ભાગને દબાવી દેતી હોય છે જેમાં ગંભીર વિચાર નિયંત્રિત કરવામાં આવે છે. તેથી જ્યારે આપણે પોતાને કોઈ વ્યક્તિની નજીક અનુભવીએ ત્યારે આપણું મગજ નક્કી કરે છે કે તે વ્યક્તિના ચારિત્ર્ય અથવા વ્યક્તિત્વનું ઊંડાણપૂર્વક આકલન કરવું એટલું જરૂરી નથી રહેતું, પરંતુ એક સમય એવો આવે છે, જ્યારે વ્યક્તિ આકલન કરવા લાગે છે.

બ્રેકઅપનું કારણ
લાઈફ કોચ કેલી રોજર્સે પોતાના રિસર્ચમાં નોંધ્યું છે કે મહિલાઓ પોતાના સંબંધમાં જે આપે છે, તેના બદલામાં ભાવનાત્મક લાભ મેળવવા ઈચ્છે છે. એક રિલેશનશિપમાં ૬ મહિના કમિટેડ રહ્યા પછી મહિલાઓ એમ સમજતી હોય છે કે તેમણે આ સંબંધમાં પોતાનો પ્રેમ, એટેન્શન, પૈસા અને સમય આપ્યા છે તો તેના બદલામાં તેમને પણ કંઈક મળવું જેાઈએ. આ સ્થિતિમાં વધારે એક્સપેક્ટેશન પણ ક્યારેક-ક્યારેક બ્રેકઅપનું કારણ બની જાય છે.

જ્યારે વચ્ચે પૈસા આવી જાય
તમારા પાર્ટનર પૈસા બાબતે કેટલા દિલદાર છે કે કંજૂસ. તે વાતની તમને થોડા સમય પછી જાણ થાય છે. પાર્ટનર સાથે ૨-૪ વાર ડેટ્સ પર જવાથી અને બર્થ-ડે સેલિબ્રેટ કર્યા પછી તમે જાણી શકો છો કે પૈસાના કિસ્સામાં તમારો પાર્ટનર કેટલો દિલદાર છે. જેા તે તમારી આશા પર ખરો ન ઊતરે તો પછી બ્રેકઅપની સ્થિતિ આવી જાય છે. થોડા વર્ષ કોઈની પણ સાથે રિલેશનશિપમાં રહ્યા પછી આર્થિક વિસંગતતા વચ્ચે આવી જાય છે. સંબંધમાં એક વાર પૈસા વચ્ચે આવી જાય તો પછી વિશ્વાસ અને સુરક્ષા જેવા પ્રશ્નો ઉપસ્થિત થવા લાગે છે. જેાકે નાનાનાના ખર્ચની કોઈ વાત નથી, પરંતુ જ્યારે મોટા ખર્ચાની વાત આવે છે અથવા તમે સાથે ટ્રિપ પર જઈ રહ્યા છો ત્યારે પ્રેમ કરતા પૈસાનું મહત્ત્વ વધી જાય છે.

કમિટમેન્ટ ન મળે તો
એક્સપર્ટનું કહેવું છે કે મોટાભાગના લોકો ૧ વર્ષની રિલેશનશિપ પછી પોતાના સંબંધ વિશે બધાને જણાવે છે. ૧ વર્ષ પછી કેટલાક લોકોને પાક્કું કમિટમેન્ટ જેાઈએ છે, પરંતુ પાર્ટનર કોઈને રિલેશનશિપ વિશે જણાવવા નથી ઈચ્છતો અથવા લગ્ન કરવા વિશે વાત ન કરતો હોય, તો કમિટમેન્ટ ઈચ્છનાર પાર્ટનર સંબંધને પૂરો કરી દેતો હોય છે. જેાકે મહદ્અંશે છોકરીઓ આ પ્રકારનું કમિટમેન્ટ છોકરા પાસેથી ઈચ્છે છે, કારણ કે તે પોતાના સંબંધને સિક્યોર કરવા ઈચ્છે છે, પણ છોકરાઓ કોઈ ને કોઈ કારણ જણાવીને એવું કરવાથી મોટાભાગે દૂર ભાગતા હોય છે.

જ્યારે સંબંધની ઉંમરની જાણ હોય
કેટલાક લોકો જાણતા હોય છે કે તેમનો સંબંધ વધારે આગળ સુધી જવાનો નથી. તેમને પોતાના સંબંધને કેટલા સમય માટે રાખવાનો છે કે નથી રાખવાનો તે વાત તેઓ જાણતા હોય છે. તેથી બ્રેકઅપ થવાનું તેમને કોઈ દુખ નથી હોતું. પ્રેમને તેઓ માત્ર ટાઈમ પાસ અથવા મિત્રોને બતાવવા માટે રાખે છે. કેટલાય લોકોએ જેાયું હશે કે કોઈ નવા શહેરમાં ભણવા અથવા નોકરી કરવા ગયેલાએ ત્યાંના રોકાણ દરમિયાન પાર્ટનર શોધી લેવા હોય છે અને ત્યાર પછી બ્રેકઅપ પણ કરી લીધું હોય છે.

નાની ઉંમરનો પ્રેમ
કોઈ પણ અફેરની શરૂઆત ખૂબ સારી હોય છે. અફેર સમયે માણસ પોતાના મગજથી નહીં, પરંતુ દિલથી વિચારતો હોય છે, પરંતુ એક દિવસ જ્યારે તેને સમજાય છે કે આ પ્રેમબેમના ચક્કરમાં પડીને તે માત્ર પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે, કારણ કે તેને પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવાનું છે, ત્યારે તેઓ બ્રેકઅપ કરી લેતા હોય છે. આ મહદ્અંશે નાની ઉંમરના લોકોમાં થાય છે, જ્યાં તેમને વડીલો સમજાવતા હોય છે કે આ સમય ભવિષ્ય બનાવવાનો છે, ન કે પ્રેમબેમના ચક્કરમાં પડવાનો.

જ્યારે વ્યક્તિ બદલાવા લાગે
રિલેશનશિપની શરૂઆતમાં તમે પણ એવું કરો છો, જેમ કે તમારો પાર્ટનર કરે છે. માત્ર એવું બતાવવા માટે કે તમે તેનામાં રસ લઈ રહ્યા છો. જેમ કે વીકેન્ડમાં ફરવા જવું, ફિલ્મો જેાવા જવું, ડિનર પર જવું, પાર્ટી કરવી વગેરે, પરંતુ થોડા સમય પછી જ્યારે તમને જાણ થાય છે કે તમારા પાર્ટનરને વીડિયો ગેમ રમવી પસંદ છે અથવા ટીવી જેાવું, તો પછી રિલેશનશિપ આગળ વધવાના બદલે પાછળ સરકવા લાગે છે અને ત્યાર પછી આ રિલેશનશિપનો અંત બ્રેકઅપ રૂપે આવે છે.
– મિની સિંહ.

વધુ વાંચવા કિલક કરો....