અમૃતા પ્રીતમ એવા પહેલા સાહિત્યકાર છે, જેમના સાહિત્ય વધારે તેમની સાથે જેાડાયેલા પ્રેમપ્રસંગોને વાંચવામાં આવે છે. આજનો યુવાવર્ગ એ વાત જાણીને આશ્ચર્ય અનુભવી શકે છે કે ઘોષિતરૂપે લિવિંગ ટૂ ગેધરનું ચલણ વાસ્તવમાં અમૃતા પ્રીતમે શરૂ કર્યું હતું, જેઓ પોતાના એક પ્રેમી ઈમરોઝ સાથે ૪૦ વર્ષ સુધી એક છતની નીચે રહ્યા.
પરંતુ તેઓ પોતાના જમાનાના પોતાના જેટલા પ્રખ્યાત ગઝલકાર સાહિર લુધિયાનવીને પણ પ્રેમ કરતા હતા અને તે પહેલા તેઓ પોતાના પરિણીત કારોબારી પતિ પ્રીતમ સિંહને પણ પ્રેમ કરતા હતા, તેથી તેમણે પોતાનું તખલ્લુસ એટલે કે ઉપનામ પ્રીતમ ક્યારેય દૂર કર્યું નહીં, નહીં તો લગ્ન પહેલાં તેમનું નામ અમૃતા કૌર હતું. પ્રીતમ સિંહથી તેમને ૨ બાળકો થયા હતા, પરંતુ ડિવોર્સ પછી લોકો ઈમરોઝ જેઓ વ્યવસાયે એક ચિત્રકાર હતા તેમને તેમના પતિ સમજવા લાગ્યા હતા. તેમના જીવનમાં પ્રીતમનો રોલ ડિવોર્સની સાથે પૂરો થઈ ગયો હતો.
જેાકે અહીં કહેવાનો અર્થ એ નથી કે અમૃતા પ્રીતમ નામની સાહિત્યકાર જેમને પોતાની રચના માટે અનેક નાનામોટા પુરસ્કાર અને સન્માન દેશવિદેશમાંથી મળ્યા. તેમણે પ્રેમ અને વ્યભિચાર વચ્ચેના ફરકને નાબૂદ કરી દીધો હતો, પરંતુ હકીકત એ છે કે તેમણે પ્રેમના સાચા માપદંડ તે સમયગાળામાં સમજાવ્યા હતા. જ્યારે કોઈ ડિવોર્સી અથવા પરિણીત કે પછી કુંવારી મહિલાના પ્રેમ કરવાને પાપ અને કોઈ કુંવારીનું પ્રેમમાં પડવું ચારિત્ર્યહીનતા, અપરાધ, મૂર્ખતા, બહેકી જવું કે પછી ભૂલ સમજવામાં આવતું હતું.
આજના યુવા લગભગ અમૃતા, ઈમરોઝ અને સાહિર જેવો પ્રેમ કરી રહ્યા છે, જેમાં ઘર અને સમાજના ચંચુપાતને કોઈ સ્પેસ ન હોય અને પ્રેમમાં બંધાયેલા રહેવાના વચનો વિધિ એટલે કે પ્રતિબંધ પણ ન હોય. વર્ષ ૨૦૧૯ માં અમૃતા પ્રીતમની જન્મ શતાબ્દી પર ગૂગલ પર સૌથી વધારે તેમના પ્રસંગોને સર્ચ કરવામાં આવ્યા હતા. તેમાં જેાકે યુવાનોની સંખ્યા સૌથી વધારે હતી, જેને જેાતા કહી શકાય કે તેમનામાંથી મોટાભાગના આ ટ્રાયેંગ્યુલરમાં પોતાની કોઈ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા હતા.

ખૂબ મોટો પડકાર
હવે ન અમૃતા છે, ન સાહિર છે કે ન પ્રીતમ કે ઈમરોઝ છે, પરંતુ તેમના પ્રેમના કિસ્સા ઉદાહરણરૂપ અને બોધપાઠરૂપ બની રહ્યા છે, તો તેની ખાસિયત એ છે કે કોઈ ક્યારેય કોઈના માટે પઝેસિવ થયું કે ન તેમાંથી કોઈએ જરૂર કરતા વધારે ત્યાગ કર્યો હતો. આ ચારેય પાત્રોએ જે કંઈ પણ સ્થિતિ હતી, તેને સહજરૂપે સ્વીકારી લીધી હતી જે જેાઈને લાગે છે કે સાચો પ્રેમ કરવાની પહેલી શરત છે ખૂબ વિશાળ દિલ અને ઉદારતા જેમાં તમે પોતાની પત્નીના એક્સ પ્રેમી અથવા પતિનો સહજતાથી સ્વીકાર કરી લો.
એક ભારતીય પતિ માટે આ સિચ્યુએશન ખૂબ મોટી ચેલેન્જ સમાન હોય છે કે તે પોતાની પત્નીના પૂર્વ પતિ અથવા પ્રેમીનો સામનો થતા કેવી રીતે રિએક્ટ કરે. બધા ઈમરોઝ કે સાહિર લુધિયાનવી ન હોઈ શકે ને, જેા કબીરદાસના દોહા પ્રેમ ગલી અતિ સાંકરી જ મેં દો ન સમાય… વાળી માન્યતા તોડી નાખે. બધા પ્રીતમ પણ ન હોઈ શકે જેા જાણતાસમજતા હતા કે પત્ની બીજા કોઈને પ્રેમ કરવા લાગી છે, તેથી સગવડ જેાઈને તેને ડિવોર્સ આપી દે.

રસપ્રદ વાત
જેાકે એક રસપ્રદ વાત દેશભરમાં તાજેતરનાં દિવસોમાં એ સામે આવવાની છે કે કેટલાક પતિએ સમાજની કે દુનિયાની ચિંતા કર્યા વિના પોતપોતાની પત્નીના લગ્ન તેમના પ્રેમી સાથે કરાવીને એક નવું ઉદાહરણ સ્થાપિત કરી દીધું અન્યથા રોજરોજ એવા સમાચાર આવવા સામાન્ય છે જેમાં પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી દીધી, કારણ કે તે પત્નીના બીજા કોઈની સાથેના અફેરને સહન કરી શકતો નહોતો અથવા પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી.
આ બધા ઉદાહરણમાં સમજદાર કોણ? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે એ પતિ જેમણે પોતાની પત્નીનો હાથ તેના પ્રેમીના હાથમાં સોંપીને પોતાની શાંતિની ઊંઘ અને શાંતિભરી જિંદગીની વ્યવસ્થા કરી લીધી. તે શંકા અને બદલાની આગમાં સળગતા ન રહ્યા કે ન હોશ અથવા નશામાં પત્નીને ચારિત્ર્યહીન કહી. તેની સાથે ન મારપીટ કરી કે ન તેની સાથે હિંસા કરી જે ઘણી બધી પરેશાની અને ઝઘડાનું કારણ બનતી હતી તેમજ તેનાથી કોઈને કંઈ નથી મળતું.

ત્રીજા’ ના ચક્કરમાં બરબાદી
પત્નીના પૂર્વ પતિ અથવા પ્રેમીનો સામનો થતા શું કરવું આ પ્રશ્ન કોઈ પણ પતિને અસહજ કરી દેનાર હોય છે. સભ્ય આધુનિક બની રહેલા સમાજનો આ એ યુગ છે જેમાં આ ત્રીજાને લઈને અવારનવાર ખુશીઆનંદથી ભરેલા ઘર ઊજડી રહ્યા છે. અત્યાર સુધી પ્રેમ કરવાને માત્ર પુરુષનો અધિકાર માનવામાં આવતો હતો, પરંતુ હવે ઊલટી ગંગા વહેવા લાગી છે, જે પોતાની સાથે બરબાદીનું તોફાન લઈને આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેનું નુકસાન મોટાભાગે પતિએ ભોગવવું પડે છે. હવે આવી દુર્ઘટના રોજબરોજની વાત બની ગઈ છે જેમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી.
ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના મહાજન નામના કસબામાં નહેર પાસે ૨૨ વર્ષના આમિરની લાશ મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા આમિરની પત્ની સુલતાના અને તેના પ્રેમી સમીરે કરી હતી. જેાકે ૧૯ વર્ષ સુલતાનાની ૧૬ માર્ચના રોજ ધરપકડ કરી લેવામાં આવી છે.
આમિર અને તેના પરિવારજનોને સુલતાનાના પ્રેમની જાણ લગ્ન સમયથી હતી, પરંતુ ઈજ્જત જવાના ડરથી તેઓ મૌન રહ્યા હતા. પતિપત્ની વચ્ચે આ વાતને લઈને ઝઘડા પણ થતા રહેતા હતા. આખરે કંટાળીને એક દિવસ સમીરે સુલતાનાને કહી દીધું કે જ્યાં સુધી તારો પતિ જીવિત છે, ત્યાં સુધી આપણે એક નહીં થઈ શકીએ. પછી બંનેએ મળીને આમિરની હત્યા કરી નાખી. જેાકે હવે તેઓ જેલમાં બંધ છે એટલે કે એક થઈ શક્યા નહીં.

ભયજનક પરિણામ
દિલ્લીના બેગમપુર વિસ્તારના ૩૫ વર્ષના કરોડપતિ ડેરી કારોબારી પ્રદીપની લાશ ૨૧ ફેબ્રુઆરીના રોજ મળી હતી. પછી પોલીસ તપાસમાં જાણ થઈ કે આ ષડ્યંત્ર તેની પત્ની સીમા અને તેના પ્રેમી ગૌરવે રચ્યું હતું, જેા સીમા અને પ્રદીપના લગ્ન પહેલાંથી એકબીજાને પ્રેમ કરતા હતા અને પ્રેમ પણ એટલો કરતા હતા કે ગૌરવે ઉત્તર પ્રદેશથી દિલ્લી આવીને પ્રદીપના મકાનમાં એક રૂમ ભાડે લઈ લીધો હતો. પછી એક થવા માટે પ્રદીપને રસ્તામાંથી દૂર કરવા માટે તેમણે પ્લાનિંગ કરીને ભાડુતી હત્યારાને ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા.

વિવાદ થાય છે
એટલે કે પત્નીના ‘બીજા’ ને લઈને ઝઘડા હવે ઊંચી સોસાયટીમાં પણ સામાન્ય થઈ ગયા છે. આવો જ એક રસપ્રદ કિસ્સો ભોપાલના પોશ વિસ્તાર કટારા હિલ્સ આવેલ છે. પત્ની સંગીતા અને તેના સોફ્ટવેર એન્જિનિયર પ્રેમી આશિષ પાંડેએ પતિ ધનરાજ મીણાની તેમના ફ્લેટમાં લાકડીથી મારીમારીને હત્યા કરી નાખી અને બીજા દિવસે લાશને ઠેકાણે પાડવા માટે આખો દિવસ પૂરા શહેરમાં ફરતા રહ્યા, પરંતુ કોઈ એકાંત જગ્યા કે તક ન મળી ત્યારે બંને કટારા હિલ્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કારની ડિક્કી ખોલીને ધનરાજની લાશ પોલીસને જાતે સોંપી દીધી.
આ કેસમાં સંગીતાએ ખૂબ નિર્દોષતાથી સ્વીકાર કરી લીધો કે તેના પ્રેમીના સહયોગથી પતિની હત્યા કરી દીધી છે. પ્રેમી આશિષને લઈને ધનરાજ અને સંગીતામાં અવારનવાર વિવાદ થતા રહેતા હતા.
આવા ૯૦ ટકા કિસ્સામાં મારો જ પતિ ગયો હતો, તેથી સ્પષ્ટ છે તેનું કારણ પતિ દ્વારા પત્નીના પ્રેમીનો સ્વીકાર ન થવો હોય છે. જેકે સ્વીકારની આશા પણ રાખી શકાય નહીં ને. જેાકે સ્વયં મહિલાઓ પણ આ વાતને સારી રીતે જાણતીસમજતી હોય છે કે પતિ તેમના લગ્ન પહેલાંના પતિ અથવા પ્રેમીને મુક્તમને નથી સ્વિકારી શકતો, કારણ કે લગ્નની પહેલી રાત્રે સૌપ્રથમ પ્રશ્ન એ થાય છે કે જેા, તારું આ પહેલા કોઈ અફેર રહ્યું હોય તો આજે જ જણાવી દે.
પરંતુ હવે સંપૂર્ણપણે આવું નથી રહ્યું. બેંગલુરુમાં એક સોફ્ટવેર કંપનીમાં જેાબ કરી રહેલા ભોપાલના આર્યમાનનું કહેવું છે કે મોટાભાગના યુવાનો જાણતા હોય છે કે લગભગ બધી છોકરીઓ લગ્ન પહેલાં પ્રેમ કરતી હોય છે, કારણ કે આજકાલ આઝાદી અને પ્રેમની તક તેમને પણ સમાન મળી રહી છે.

બદલાતો દષ્ટિકોણ
આજકાલ છોકરીઓ પણ પોતાના અફેરને છુપાવતી નથી, જે ભવિષ્ય માટે સારી વાત છે. આર્યમાન પોતાના બે મિત્રોના ઉદાહરણ આપતા જણાવે છે કે તેમને પોતાની પત્નીના અફેર વિશે જાણ હતી. તેમાંનો એક કાયદેસર પત્નીના પહેલા પ્રેમીને મળ્યો પણ હતો અને તેને પોતાના ઘરે ડિનર માટે ઈન્વાઈટ કર્યો હતો. તો શું આ નવા યુગમાં પતિએ આ મુદ્દે રોક્કળ કરવી, ચિડાવું, ઝઘડા કરવાનું છોડી દીધું છે અને તેમને પત્નીની છેતરપિંડી સામે કોઈ ફરિયાદ રહી નથી? શું ભારતીય સમાજ અંગ્રેજી સમાજ જેવો બની ગયો છે?
આ પ્રશ્ન પર આર્યમાનના મુંબઈમાં રહેતા એક મોટી મલ્ટિનેશનલ બેંકમાં કામ કરી રહેલા મિત્ર સારાંશ (નામ બદલ્યું છે) જણાવે છે કે ના એવું નથી, પત્નીનું અફેર પૂરી દુનિયામાં ક્યાંય સહજતાથી સ્વીકારવામાં નથી આવતું. મેં મારી પત્નીના પ્રેમીને ડિનર પર આમંત્રિત એટલે કર્યો હતો કે બંનેને એ સમજાઈ જાય કે હવે તેમની વચ્ચે માત્ર સામાન્ય મિત્રતા રહી છે અને પત્ની નેહા (નામ બદલ્યું છે) પણ મારી પર પૂરો વિશ્વાસ કરી શકે, કારણ કે તેણે લગ્ન પહેલાં મને બધું સાચેસાચું જણાવ્યું હતું, પરંતુ હા, જેા અચાનક આ બધું થયું હોત તો જરૂર મને ટેન્શન થયું હોત.

જ્યારે રહસ્ય પરથી પડદો દૂર થાય છે
પરંતુ સામાન્ય રીતે બધા યુવાનો આટલા સમજદાર પણ નથી હોતા. ભોપાલની ૨૮ વર્ષની વર્તિકા (નામ બદલ્યું છે) ને તેના પતિએ ૩ વર્ષ પહેલાં લગ્નના માત્ર ૪ મહિના પછી છોડી દીધી હતી, કારણ કે લગ્ન પછી એક દિવસ તેનો પ્રેમી ઘરે આવી ગયો હતો. તે સમયે બંને પુણેમાં નોકરી કરતા ભાડાના એક ફ્લેટમાં રહેતા હતા.
પતિને પહેલા ખચકાટ થયો અને સામાન્ય થવાની કોશિશ અથવા એમ કહીએ કે હકીકતનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ રહ્યો હતો કે પ્રેમીએ પોતાની અને વર્તિકાની નૈનીતાલની ટ્રિપનો ઉલ્લેખ કરી દીધો. પછી આ ટ્રિપની કેટલીક અંતરંગ પળો વિશે હજી કંઈક કહી જ રહ્યો હતો કે પતિએ પોતાની પરનો કાબૂ ગુમાવી દીધો અને ખૂબ બીભત્સ અપશબ્દો બોલતા તેને ઘરમાંથી કાઢી મૂક્યો. જતાંજતાં ગુસ્સામાં પ્રેમીએ કહી દીધું કે હું અહીં એક સારી મિત્રતા અને રિલેશનની આશા લઈને આવ્યો હતો, પરંતુ તમે અસંસ્કારી માણસ નીકળ્યા, જેા વર્તિકા જેવી સુંદર અને પ્રતિભાશાળી છોકરીના પતિ બની ગયા છો. હવે જિંદગીભર મારું એઠું ચાટીને મને યાદ કરતા રહેજેા.
તેના ગયા પછી પતિએ વર્તિકાની તુલના વેશ્યા સાથે કરી દીધી. આ દશ્ય માનસિકતા અને વ્યવહારિકતાના દષ્ટિકોણથી બિલકુલ ઝૂંપડપટ્ટીના અભણ લોકો જેવું હતું, પરંતુ અહીં ફરક માત્ર એટલો હતો કે પાત્રોએ સ્વચ્છ સુઘડ કપડાં પહેર્યા હતા. તેઓ અંગ્રેજી સ્કૂલમાં ભણ્યા હતા, સારી નોકરી કરી રહ્યા હતા અને સભ્ય તથા આધુનિક સમાજનો ભાગ ગણાતા હતા. પતિ જણાવે છે કે તેના પ્રેમીના ગયા પછી તો મારી ઘરગૃહસ્થી વસતા પહેલાં જ ઊજડી ગઈ.
આ ઘટના પર વર્તિકા જણાવે છે કે પતિએ ફરી એક વાર મને કેરેક્ટરલેસ કહીને ઘરમાંથી કાઢી મૂકી, તે રાત મેં એક હોટલમાં પસાર કરી હતી અને બીજા દિવસની ફ્લાઈટથી ભોપાલ આવીને મમ્મીપપ્પાને વાત જણાવી હતી, પરંતુ દુખ ત્યારે વધ્યું જ્યારે મમ્મીપપ્પા બંનેએ મને ખોટી ઠેરવી. જેાકે તેમણે ચિંતા ન કરવાની સલાહ આપી કે ક્યારેક-ક્યારેક આવું પણ થાય અને તેઓ તેના પતિ સાથે આ મદ્દે વાત કરીને તેને સમજાવી લેશે.

શું કરશો જ્યારે કોઈ સમાધાન ન નીકળે
પરંતુ વર્તિકાના કેસમાં હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. બંનેના ડિવોર્સનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. પતિએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે કંઈ જ થઈ શકે તેમ નથી. હું કોઈ બીજાના એઠાને ચાટીને મારા સ્વાભિમાન સાથે જીવી શકું તેમ નથી. તમે અને તમારી છોકરીએ મને દગો કર્યો છે.
જેા તેણે પહેલા જ કહી દીધું હોત કે તે લગ્ન પહેલાં બીજા કોઈની સાથે નૈનીતાલની એક હોટલમાં ૨ રાત વિતાવી ચૂકી છે તો મેં કદાચ એડજસ્ટ કરી લીધું હોત, પરંતુ તેના એક્સે મારું ખૂબ મોટું અપમાન કર્યું છે, મારી મર્દાનગીને લલકારી છે. હું આત્મહત્યા નથી કરી રહ્યો તે જ પૂરતું છે. હવે ડિવોર્સ પછી તમે તેના પ્રેમી સાથે તેના લગ્ન કરાવી દેશો તો બધા ખુશ અને સુખી રહી શકીશું.

આકસ્મિક ઘટના
આ કિસ્સામાં સૌથી મોટી ભૂલ વર્તિકાના પ્રેમીની છે. તેના હેતુ અને દાનત પર પણ શંકા કરી શકાય તેમ છે. ત્યાર પછી વર્તિકાની પણ ભૂલ છે કે તેણે પોતાના પતિને અલ્ટ્રામોડર્ન સમજવાની ભૂલ કરી અને પ્રેમીને ઘરે બોલાવ્યો અને તે પણ લગ્નના તરત પછી જ્યારે પતિપત્ની બંને એકબીજાને બરાબર સમજી શક્યા નહોતા.
જેાકે અહીં વર્તિકાના પતિએ એ જ રિએક્ટ કર્યું, જે કોઈ પણ પતિએ કર્યું હોત, પરંતુ તેણે વિશાળ દિલથી નિર્ણય ન લીધો. જેા બારીકાઈથી જેાઈએ તો તેના ગુસ્સાનું કારણ પત્નીના એક્સની એ વાતો વધારે હતી, જેા તે સમયે કરવી બિનજરૂરી હતી. જેા તેમની વચ્ચે સામાન્ય વાતચીત થઈ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.
સ્વયં વર્તિકાએ પણ સ્વીકાર્યું છે કે તે સાંજે જે પણ થયું તે અપ્રત્યાશિત હતું અને ઘટના આકસ્મિક બનવાથી પોતાના પ્રેમીને તે કંઈ બોલી શકી નહોતી. જેાકે આ કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેણે પતિને લગ્ન પહેલાં બધું જણાવી દેવાની જરૂર હતી. બીજી એક વાત એ છે કે તેના પતિએ તેને પ્રોસ્ટીટ્યૂટ કહેવાની અને ઘરમાંથી કાઢી મૂકવાના નિર્ણય પર થોડો વિચાર કરવાની જરૂર હતી. કોઈને પણ આ રીતે પોતાની પત્નીને શું કોઈ પણ મહિલાનું અપમાન કરવાનો હક નથી. આવા મૂર્ખ સાથે કોઈ પણ છોકરી પૂરી જિંદગી પસાર કરી શકે નહીં. વર્તિકા જણાવે છે કે મેં બીજી છોકરીની જેમ પ્રેમ કર્યો હતો, કોઈ ગુનો કર્યો નહોતો.

હકીકત જણાવવી મોંઘી પડે છે
ઠીક આવી જ પરિસ્થિતિનો દોઢ વર્ષ પહેલાં કાનપુરના યુવાન પિંટુઐ સામનો કરવો પડ્યો હતો, જ્યારે લગ્નના થોડા જ દિવસ પછી લગ્નનો નશો ઊતરતા તેને લાગ્યું કે પોતાની પત્ની કોમલ મોબાઈલ ફોન પર બીજા કોઈની સાથે થોડી વધારે વાતો કરતી રહે છે. તેણે આ બાબતે તેને પૂછ્યું ત્યારે શરૂઆતમાં થોડી આનાકાની કર્યા પછી કોમલે સાચેસાચું જણાવી દીધું કે તેણે આ લગ્ન પોતાના ઘરના લોકોના દબાણવશ કર્યા છે. નહીં તો તે સ્કૂલના દિવસોથી પંકજ નામના એક છોકરાને પ્રેમ કરે છે અને તેને ભૂલી શકે તેમ નથી. આ ખુલાસો સાંભળીને પિંટુને જેારદાર ઝાટકો લાગ્યો, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી લીધી અને તેના પ્રેમીને તે મળ્યો.
આ કેસમાં પિંટુએ પોતાની પર કોઈ અસર થવા ન દીધી કે ન પત્ની તથા સાસરીના લોકો પર દગો કરવાના કોઈ આરોપ મૂક્યા. વર્તિકાના પતિની જેમ પત્નીના ચારિત્ર્ય પર ન તો ખરુંખોટું સંભળાવ્યું, પરંતુ કોમલ અને પંકજના સાચા પ્રેમથી તે ખુશ થઈ ગયો. જેાકે પહેલા તેણે પતિની ફરજ નિભાવતા કોમલને સમજવી, પરંતુ જ્યારે કોમલે તેની સમક્ષ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું ત્યારે તે પીગળી ગયો અને પોતાની પત્નીના લગ્ન તેણે તેના પ્રેમી સાથે કરાવી દીધા.
તેના માટે તેણે સૌપ્રથમ કાયદેસર કોમલને ડિવોર્સ આપ્યા અને પોતાની હાજરીમાં પત્નીના ૭ ફેરા તેના પ્રેમી સાથે ફરાવી દીધા. કોઈ અડચણ કે અઘટિત ઘટના ન બને તે માટે તેણે પોલીસની પણ મદદ લીધી હતી. પછી તેના આ ત્યાગ અને સમજદારીની ચર્ચા પૂરા દેશમાં થઈ અને તેના આ પગલાંની અસર પણ થઈ. ત્યાર પછી એવા સમાચાર પણ આવવા લાગ્યા, જેમાં પતિએ પોતાની પત્નીના પ્રેમીનો સહજતાથી સ્વીકાર કરી લીધો.

જુનવાણી માનસિકતા
જેાકે એ વાત પણ સાચી છે કે અમૃતા, ઈમરોઝ અને સાહિર જેવા પ્રસિદ્ધ કલાકારો પોતાનો એક અલગ સમાજ બનાવી લેતા હોય છે, જેમાં સ્વતંત્રતા અને સ્વછંદતામાં કોઈ ખાસ ફરક નથી રહેતો, પરંતુ સામાન્ય રીતે પોતાના બનાવેલા કાયદાકાનૂનની જાળમાં ફસાઈને તરફડતો રહે છે. આ જુનવાણી માનસિકતા છે કે કોઈ પતિ પોતાની પત્નીના પ્રેમીને લઈને ગુસ્સામાં આવી જાય છે અને તેનો સામનો સામાન્ય રીતે સહજ દેખાવાની કોશિશ કરતા કરે છે, પરંતુ પાછળથી તેની મર્દાનગી હિંસા અને શારીરિક તથા માનસિક અત્યાચાર રૂપે પત્ની પર ઊતરતી હોય છે.
અહીંથી જ એક ક્રાઈમ સ્ટોરીની સ્ક્રિપ્ટનો પણ જન્મ થાય છે. પતિ જે રીતે પોતાની પત્નીને પોતાની દાસી અને સંપત્તિ માનીને પરેશાન અને હેરાન કરે છે, બરાબર તે જ રીતે એટલી પ્રબળતાથી પત્ની પણ પોતાના પ્રેમીની વધારે નજીક પહોંચી જાય છે અને ત્યાર પછી એક દિવસ છાપામાં સમાચાર એવા શીર્ષક સાથે આવેલ હોય છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી.
કાનપુરના રહેવાસી પિંટુએ પણ આવું બધું કર્યું હોત તો શક્ય છે કે તેના હાલ પણ ભોપાલના ધનરાજ અથવા દિલ્લીના પ્રદીપ જેવા થયા હોત, તેથી પત્નીના પ્રેમીનો સામનો કરતા પહેલાં ખૂબ સમજદારી દાખવવી જેાઈએ. કોઈ પણ પ્રકારની હિંસા અથવા પત્નીને અવારનવાર હેરાન કરીને સજા આપવી તેમજ પોતે પણ રોજરોજ મરતા રહેવું આ સમસ્યાનું કાયમી સમાધાન નથી.
– ભારત ભૂષણ.

વધુ વાંચવા કિલક કરો....