નીલમના પતિના અચાનક થયેલા મૃત્યુથી તે બંને નાના બાળકો સાથે એકલી પડી ગઈ. ઘરના દીકરાના મૃત્યુ પછી સાસરીના લોકો થોડા દિવસ સારી રીતે રહ્યા, પરંતુ ત્યાર પછી સાસુ અને નીલમ વચ્ચે રોજ કોઈ ને કોઈ વાતને લઈને બોલચાલી થવા લાગી. તે સમયે તેની નણંદ પણ મા સાથે મળીને નીલમને ખરુંખોટું સંષ્ઠળાવી દેતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને નીલમે પતિની કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કર્યો અને તેને નોકરી મળી પણ ગઈ, પરંતુ તેના સાસુના મહેણાટોણા બંધ ન થયા. તેમનું કહેવું હતું કે ભલે ને તું નોકરી કરતી હોય, ઘરના કામકાજ નથી કરતી. મારા માટે તારા બાળકોની દેખરેખ રાખવી અને રસોઈ બનાવવી શક્ય નથી.
ત્યારે નીલમે રસોઈ બનાવવા અને ઘરના બધા કામ માટે એક કામવાળી રાખી લીધી, પરંતુ આમ કરવા છતાં તેના સાસુને સંતોષ ન થયો, કારણ કે તેમના કહેવા મુજબ કામવાળી સારું ખાવાનું બનાવતી નહોતી. સમસ્યા એ દિવસે શરૂ થઈ જ્યારે સાસુ અને નણંદે નીલમને તેના પિયર જવાનું કહી દીધું. નીલમનું કહેવું હતું કે તેની માના ઘરથી તેની ઓફિસ ખૂબ દૂર છે. તે જેાતા ત્યાં જઈને રહેવું શક્ય નથી અને આ ઘર તેનું જ છે ને.
નીલમનો જવાબ સાંભળીને તેના સાસુએ તરત કહ્યું કે ‘‘ના, આ ઘરની માલિકીમાં તારું નામ નથી અને ઘર ખરીદવા તો તારા સસરાએ પૈસા આપ્યા હતા. આ ઘર મારા દીકરા અને તેના પિતાએ ખરીદ્યું હતું. તેથી તારું નામ નથી.’’ આ સમયે નીલમે પણ તરત કહ્યું, ‘‘હું તમારા દીકરાની પત્ની છું અને આ ઘર પર મારો કાયદેસર હક છે.’’
સાસુ બોલ્યા, ‘‘ઠીક છે, કાયદાથી લડી લે, કારણ કે પહેલા તેં સસરાના મૃત્યુ પછી મને અને મારી દીકરીને તારી પાસે નથી રાખ્યા. હું વિવશતાવશ અલગ રહી. હવે તું પણ તે જ જગ્યાએ છે, જ્યાં હું થોડા વર્ષ પહેલાંથી છું.’’ સાંભળીને નીલમને લાગ્યું કે તે હવે આ ઘરમાં નહીં રહી શકે અને શાંતિ માટે આ ઘર છોડવું જ પડશે.
નીલમે પિતાને ફોન કરીને પૂરી હકીકત જણાવી અને પિયરમાં બાળકોને લઈને રહેવા માટે જતી રહી. ત્યાં પણ થોડાક દિવસ ઠીક રહ્યું, પરંતુ ભાઈભાભીના આવતા જ ક્યારેક ખાવા બાબતે તો ક્યારેક બાળકો બાબતે બોલચાલ થવા લાગી. એક દિવસે નીલમે તેની સાહેલીને પોતાની સ્થિતિ જણાવી, ત્યારે સાહેલીએ તેને ભાડાનું મકાન લઈને અલગ રહેવાની સલાહ આપી. આ સમયે નીલમને વિચાર આવ્યો કે બાળકોને એકલા મૂકીને તે નોકરી પર કેવી રીતે જશે? આ પ્રશ્ન પર તેની સાહેલીએ તેને બાળકોને ડે-કેરમાં મૂકવાની સલાહ આપી.
નીલમે પણ આ સલાહ પ્રમાણે જ કર્યું અને થોડા સમય માટે એક નોકરાણી રાખી લીધી. આ સ્થિતિમાં નીલમ જેટલું કમાતી હતી, તેટલું તેના માટે પૂરતું નહોતું, તેથી તેણે રાત્રિના સમયમાં થોડું ડેટા જનરેટિંગનું કામ શરૂ કરી દીધું, કારણ કે તે હવે કાયદાની ઝંઝટમાં પડવા માગતી નહોતી ને પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા લાગી.
આ વાત પરથી જણાય છે કે જે છોકરીના લગ્ન થઈ ગયા પછી કોઈ એકને કોઈ કારણસર સૂટકેસ લઈને બહાર નીકળવું પડે તો તે વ્યક્તિ ખાલી વ્યક્તિ બહાર નીકળતી હોય છે. છોકરી માટે રહેવાની જગ્યા ન તો પિયરમાં હોય છે કે ન સાસરીમાં. આ સ્થિતિ મોટાભાગની મહિલાઓ સાથે થાય છે, પરંતુ ઘણા પુરુષોએ પણ આ સ્થિતિનો સામનો કરવો પડે છે. જે ઘર પત્નીના નામે હોય, કારણ કે આજકાલ મોટાભાગના યુવાનો પોતાના નામે ઘર ખરીદવાના બદલે પત્નીના નામે ખરીદે છે. આમ કરવાથી સરકારી સ્ટેમ્પ ડ્યૂટિ ઓછી લાગે છે, ટેક્સ ઓછો ભરવો પડે છે અને લોનનો વ્યાજદર પણ ઓછો ચૂકવવો પડે છે. આમ ઘણા બધા લાભ થાય છે.
જેા પતિપત્ની બંને કામ કરતા હોય તો બંનેને ટેક્સમાં અલગઅલગ લાભ મળે છે. ઉપરાંત ઘણા બધા શહેરમાં સ્ટેમ્પ ડ્યૂટિ ઓછી ભરવી પડે છે, ઉદાહરણ તરીકે દિલ્લી, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે શહેરમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર ૧ થી ૨ ટકાની છૂટ મળે છે, પરંતુ બંને વચ્ચે વધારે ઝઘડા થતા મકાનને પોતાના નામે કરાવવામાં પતિને સમસ્યા થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....