પતિપત્નીના શારીરિક સંબંધ દાંપત્યજીવનમાં પ્રેમસંબંધનો એક મજબૂત સ્તંભ માનવામાં આવે છે, જ્યારે બીજી તરફ લગ્નેતર સંબંધમાં મહિલા અથવા પુરુષના શારીરિક સંબંધ અનેક પ્રકારની સમસ્યા અને અપરાધનું કારણ બનતા હોય છે. વર્ષ ૨૦૧૧નો એનઆરઆઈ નિરંજની પિલ્લેનો તેના પતિ સુમીત હાંડા દ્વારા હત્યાનો કેસ જૂનો થઈ ગયો છે. પોતાની પત્નીને પથારી પર કહેવાતા પુરુષ મિત્ર સાથે વાસનાત્મક શારીરિક સંબંધની સ્થિતિમાં જેવી સુમીત માટે આઘાત સમાન હતું, સાથે સહનશક્તિની બહાર હતું. ઈર્ષા, ક્રોધ અને દગાના અહેસાસે તેના હાથે પોતાની પત્નીની હત્યા કરાવી દીધી. નોઈડાના રહેવાસી મિશ્રાને પોતાની પત્ની પર શંકા હતી કે તેના પરપુરુષ સાથે સંબંધ છે. જેાકે મિશ્રાએ પુષ્ટિ કરવી જરૂરી ન સમજી અને આ શંકાના આધારે તેણે પોતાની પત્નીની હત્યા કરી દીધી. આ જ રીતે એક માના લગ્નેતર શારીરિક સંબંધની જાણ તેના ૨૦ વર્ષના દીકરાને થઈ. પછી જ્યારે આ સંબંધનો તેણે વિરોધ કર્યો, ત્યારે માએ પોતાના આ સંબંધને જાળવી રાખવા સગા દીકરાની સોપારી આપીને તેની હત્યા કરાવી દીધી. અહીં લગ્નેતર સંબંધની વાસના પર માની મમતા ભોગ બની ગઈ.

સમસ્યાથી પેદા થયો અસંતોષ
આ સંબંધો સાથે જેાડાયેલા આ પ્રકારના અનેક અપરાધ વિશે અવારનવાર સાંભળવા મળે છે. હત્યા સિવાય આવા સંબંધોના લીધે ડિવોર્સ અને સેપરેશનના કેસ પણ થતા હોય છે, જેની કોઈ જ ગણતરી થતી નથી. અનેક પરિવાર એવા પણ છે જે સામાજિક પ્રતિભા અથવા બાળકોના લીધે મહોરું લગાવીને જીવી રહ્યા હોય છે, પરંતુ આ સમસ્યામાંથી પેદા થયેલો અસંતોષ તેમને મનોમન કોરી ખાતો હોય છે. જેા આપણે આપણા વર્તુળમાં અવલોકન કરીએ તો ઘણા બધા દંપતીમાં આ સમસ્યા જેાવા મળે છે. ભાવનાનો પતિ ભમરો છે. કોણ જાણે તેનામાં વાસનાની એટલી ભૂખ છે કે પછી એટલો અસંતોષ કે તેના એક નહીં અનેક છોકરીઓ સાથે અનૈતિક સંબંધ છે. એક જ સમયે તે ૧ કરતા વધારે છોકરીઓ સાથે સંબંધ બનાવવા પણ ઉત્સુક રહે છે. જેાકે આ વાતનો ભાવનાએ વિરોધ પણ ખૂબ કર્યો અને સહન પણ ખૂબ કર્યું. આખરે એ જ થયું જેનો અંદેશો ખૂબ પહેલાંથી દેખાઈ રહ્યો હતો. મનની શાંતિ માટે અને પોતાના બાળકોને સ્વસ્થ વાતાવરણ આપવા ભાવના પતિથી અલગ થઈ ગઈ. સૂરજની પત્નીએ અનિચ્છાએ પણ સૂરજના બીજી મહિલા સાથેના સંબંધ સ્વીકારી લીધા. સૂરજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે બીજી મહિલા સાથેના સંબંધને તો ચાલુ જ રાખશે. પત્ની ઈચ્છે તો સાથે રહી શકે અને ઈચ્છે તો અલગ પણ થઈ શકે છે. જેાકે તે કોઈ પણ હાલતમાં સૂરજથી અલગ થવા ઈચ્છતી નહોતી. જરા વિચારો તેણે આ વિવશ સ્વીકૃતિથી કેટલી પીડા સહન કરી હશે?

પરિવાર વિખેરાઈ જાય છે
ભાવના અને સૂરજ સિવાય પણ અનેક આ પ્રકારના ઉદાહરણ જેાવા મળી જાય છે. જેા આ બધાનું વર્ણન કરવામાં આવે તો ગ્રંથના ગ્રંથ લખવા પડે. જેાકે અહીં પ્રશ્ન એ પેદા થાય છે કે જ્યારે લગ્ન રૂપે શારીરિક સંબંધને સામાજિક માન્યતા પ્રાપ્ત થઈ જાય છે તો પછી ક્યારેક પુરુષ તો ક્યારેક મહિલા કેમ લગ્ન બહાર છુપાઈને સંતુષ્ટિ અથવા તૃપ્તિ શોધવા લાગે છે? બધા જાણે છે કે આવા લગ્નેતર સંબંધને કોઈ સામાજિક માન્યતા નથી મળતી અને તે જાહેર થતા સુખી પરિવારના બધા સુખસન્માન નષ્ટ થઈ જાય છે. મધુર દાંપત્ય સંબંધમાં કડવાશ આવી જાય છે. આ વાતની જાણ હોવા છતાં અવારનવાર આ પ્રકારના સંબંધ બનતા રહે છે. આવા સંબંધના લીધે કેટલાય પરિવાર વેરવિખેર થઈ જાય છે, અનેક સમસ્યા પેદા થતી હોય છે અને ઘણા બધા અપરાધ પણ જન્મ લે છે. વિચાર કરીએ તો અનેક કારણ એવા હોય છે, જેના લીધે લગ્નેતર સંબંધ બનતા હોય છે. તેમાંથી ઘણા કારણ એવા હોય છે જેને ખૂબ ખોખલા કહી શકાય. જેમ કે નિરંકુશતા, વિલાસિતા, અહમ્ વગેરે. આ બધા એવા કારણ છે જેને કોઈ પણ પ્રકારની કસોટી પર ચકાસો, તો તેને નૈતિકતાનું અધ:પતન કહેવાશે.

સન્માન ગુમાવવાનો ભય
આ શ્રેણીના પુરુષ અથવા મહિલાને સમાજ ચારિત્ર્યહીન કહેતો હોય છે. આવા લોકોને ન સમાજમાં સન્માનયોગ્ય માનવામાં આવે છે કે ન પરિવારમાં. આ શ્રેણીના મોટાભાગના લોકો નિર્લજ્જ હોય છે. આ લોકો બધું ખુલ્લેઆમ કરતા હોય છે અથવા જે પોતાના સંબંધને છુપાવવામાં સક્ષમ હોય છે, તેમને સંબંધ જાહેર થવાનો કોઈ ભય નથી હોતો. નિરંકુશતા અને વિલાસિતા તેમની પ્રાથમિકતા હોય છે. પછી ભલે ને તેના માટે ગમે તેટલા અપમાન જ કેમ ન સહન કરવા પડે. આ સંબંધો પાછળ સંસ્કારહીનતા, શિક્ષણનો અભાવ, નૈતિકતાનો અભાવ, ખોટું વાતાવરણ, ખોટા મિત્રો કે આસપાસના લોકો તેમજ ખોટા દષ્ટિકોણ જેવા કારણ તેમના પાયામાં હોય છે. આ સિવાય પણ બીજા કેટલાક કારણ હોય છે, જેને આ ખોખલા કારણોથી અલગ રાખીને જેાઈ શકાય છે, જેમ કે અસંતોષ, અલગાવ, વિવશતા, બ્લેકમેલિંગ, ભાવનાત્મક લગાવ, આકર્ષણ, અસંયમ વગેરે.

શારીરિક સંતુષ્ટિની ઈચ્છા
વૈવાહિક જીવનમાં પતિપત્નીના એકબીજા સાથેના શારીરિક સંબંધ લગ્નજીવનનું ખૂબ જરૂરી અંગ હોય છે. આ સંબંધની પતિ અને પત્ની બંનેને જરૂર હોય છે, પરંતુ ક્યારેક પતિ પત્નીથી અથવા પત્ની પતિથી અથવા બંને આ અંગત સંબંધમાં અસંતુષ્ટ રહેતા હોય છે. પછી સમય જતા આ અસંતુષ્ટિ જ બીજા સાથીમાં શારીરિક સંબંધ પ્રત્યેની ઈચ્છાના અભાવમાંથી પેદા થાય છે અને કોઈ એક સાથીમાં અત્યાધિક એટલે કે સામાન્ય કરતા ખૂબ વધારે શારીરિક ભૂખથી પણ. પછી નૈતિકતાની દષ્ટિએ અનિચ્છાએ પણ બંને અથવા કોઈ એક સાથી શારીરિક ભૂખની સંતુષ્ટિ માટે લગ્નેતર સંબંધ બનાવી લે છે. કેટલાક સંબંધમાં ભાવનાત્મક અલગાવ પણ લગ્નેતર સંબંધનું કારણ બની જાય છે. ઘણી વાર પરિવારજનોના દબાણથી અથવા કોઈ પ્રકારની લાલચના લીધે એક વાર લગ્ન થઈ જાય છે, પરંતુ પતિપત્નીમાં ભાવનાત્મક સ્તરે પ્રેમ સંબંધ નથી બની શકતા. તેનું કારણ હોય છે બંને વચ્ચે બૌદ્ધિક સ્તરની ભિન્નતા, પરસ્પર સમજણનો અભાવ, દષ્ટિકોણનો અભાવ અથવા આર્થિક સ્તર અને લાઈફસ્ટાઈલમાં વધારે અંતર વગેરેમાંથી ગમે તે હોઈ શકે છે. આ જ રીતે એકબીજા પ્રત્યેનો અલગાવ અને અરુચિ પણ મોટાભાગે તેમની દિશા બદલી નાખે છે.

ભાવનાત્મક અથવા શારીરિક આકર્ષણ
ભાવનાત્મક અલગાવની જેમ ભાવનાત્મક લગાવ પણ મોટાભાગે લગ્નેતર સંબંધનું કારણ બની જાય છે. લગ્ન પહેલાંના પ્રેમીપ્રેમિકાના બીજે ક્યાંક લગ્ન થયા પછી પણ એકબીજાને ભૂલી નથી શકતા ત્યારે જાણેઅજાણે તેમનો ભાવનાત્મક લગાવ તેમને એકબીજની નજીક લઈ આવતો હોય છે. પછી આ નિકટતા ધીરેધીરે તેમને એટલી નજીક લાવી દે છે કે તેઓ સામાજિક સીમા ભૂલીને એકબીજામાં ખોવાઈ જાય છે. ઘણી વાર પતિનું પરસ્ત્રી પર અથવા અથવા પત્નીનું પરપુરુષ પર મુગ્ધ અને આકર્ષિત થવું પણ લગ્નેતર સંબંધને સ્થાપિત કરે છે. એકતરફી આકર્ષણ પણ ક્યારેક-ક્યારેક સામેની વ્યક્તિને એક ચુંબકની જેમ આકર્ષિત કરી લે છે અને જેા આ આકર્ષણ બંને તરફથી હોય તો પરિણામ મોટાભાગે આવા સંબંધમાં પરિવર્તિત થઈ જાય છે. હવે આકર્ષણનું કારણ શારીરિક સૌંદર્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ, વાકચાતુર્ય, આર્થિક સ્તર અથવા ઉચ્ચ પદ વગેરે ગમે તે હોઈ શકે છે.

આ બધા કારણ ઉપરાંત પણ લગ્નેતર સંબંધના બીજા અનેક કારણ હોય છે, જેમ કે બોસે પ્રમોશનની લાલચ આપીને અથવા રિપોર્ટ બગાડવાની ધમકી આપીને કોઈને વિવશ કર્યા હોય, તો ક્યારેક પોતાની મરજીથી લૂંટાયા હોય. કોઈ કોઈએ આર્થિક વિવશતાથી પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ આ અનૈતિક કાર્ય કરવા વિવશ થવું પડે છે. ક્યારેક-ક્યારેક પરિસ્થિતિ બે પ્રેમી અથવા બે લોકોને એવી સ્થિતિમાં મૂકી દે છે કે તેમને અનિચ્છાએ પણ એકાંતમાં એકબીજાની સાથે એકસાથે સમય પસાર કરવો પડે છે. આ સ્થિતિમાં એકાંત વાતાવરણ મળતા કેટલાક લોકો પોતાની પર નિયંત્રણ નથી રાખી શકતા અને તેમની વચ્ચે લગ્નેતર સંબંધ બંધાઈ જાય છે. લગ્નેતર સંબંધ બનાવતી વખતે એ વાતનું જરૂર ધ્યાન રાખો કે બીજે સંબંધ બાંધી લીધા પછી પણ પતિ અથવા પત્ની સાથેના સંબંધ તોડવા એટલા સરળ નથી હોતા. ફેબ્રુઆરી, ૨૦૨૨ માં કેરળ હાઈકોર્ટે એક કેસમાં ડિવોર્સ ગ્રાન્ટ કર્યા હતા, કારણ કે પતિની મનાઈ છતાં તેની પત્ની પોતાના પ્રેમીને ફોન કરતી હતી, પરંતુ આ વિવાદ શરૂ થયો હતો વર્ષ ૨૦૧૨ માં. આ કિસ્સામાં ૧૦ વર્ષ પછી ડિવોર્સ મંજૂર કરવામાં આવ્યા હતા. જેાકે પત્નીએ હેરેસમેન્ટનો કેસ વર્ષ ૨૦૧૨ માં દાખલ કર્યો હતો.
જેાકે કારણ અને પરિસ્થિતિ ગમે તે હોય, આવા સંબંધ બનવાના અને તેના જાહેર થવાના પરિણામ વિનાશકારી હોય છે. પરિવારોનું તૂટવું, સામાજિક પ્રતિભા ખરડાવી, બાળકોની નજરમાં માતાપિતાની ઈજ્જત ન રહેવી, બાળકો માટે સમાજમાં અપમાનજનક પરિસ્થિતિ પેદા થવી, લગ્નેતર સંબંધથી જન્મેલા બાળકોની મુશ્કેલી, સંપત્તિ માટેના ઝઘડા, અલગાવ, તાણ, વાદવિવાદ, ડિવોર્સ, સેપરેશન, હત્યા વગેરે ઘણી બધી સમસ્યા ડગલે ને પગલે કાંટા બનીને ખૂંચવા લાગે છે. તેમાં પણ સૌથી વધારે સહન કરવું પડે છે તો વિખેરાઈ ગયેલા અથવા તાણગ્રસ્ત પરિવારના બાળકોએ.

પરિણામ વિશાનકારી હોય છે
જેકે આજના યુગમાં સામાજિક માન્યતા ખૂબ બદલાઈ ગઈ છે, તેમ છતાં જ્યારે ઉત્સાહનો તાવ ઊતરે છે ત્યારે વ્યક્તિ ભલે ને પુરુષ હોય કે મહિલા સ્વયંને એકલા પડી ગયેલા અનુભવવા લાગે છે. આમ પણ ૨ નાવમાં સવાર વ્યકિત ડૂબે જ છે. લિવ ઈન રિલેશનશિપમાં કોઈ ખાતરી કે વચન નથી હોતા, તેમ છતાં દગો દુખી કરતો હોય છે, જેાકે સુરક્ષા અને વિશ્વાસનું બીજું નામ લગ્ન છે. તેથી લગ્નને પૂરી ઈમાનદારીથી નિભાવવાનું વચન આપીને આ બંધનમાં બંધાવ. મુક્ત સામાજિક વાતાવરણનો અર્થ લગ્નેતર સંબંધ નથી, તેથી સંબંધને જેાડતા પહેલાં ખૂલીને પોતાના ભાવિ સાથી સાથે ચર્ચા કરી લો અને એકબીજાથી પોતાની આશા તથા કમજેારી ન છુપાવો અને બંને સાથીએ એકબીજાને સારી રીતે પારખી લેવા જેાઈએ કે બંને એકબીજા માટે યોગ્ય છે કે નહીં. આ રીતે સમસ્યાનો અંત ભલે ને શક્ય ન હોય, પરંતુ સમસ્યામાં ઘટાડો ચોક્કસપણે શક્ય છે.
– રીટા ગ્રોવર.

વધુ વાંચવા કિલક કરો....