મોનસૂનનો વરસાદ બધાને ગમે છે, પણ સતત વરસાદના લીધે હવામાં હ્યૂમિડિટીનું પ્રમાણ વધવાથી કપડાં, ઘર અને આસપાસમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તેનાથી અનેક પ્રકારની સ્કિન સંબંધિત એલર્જી થવાનું જેાખમ રહે છે. તેથી આ મોસમમાં સ્કિનનું વધારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
આ વિશે મુંબઈની ધ એસ્થેટિક ક્લિનિકના કંસલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્મેટો સર્જન ડો. રિંકી કપૂર જણાવે છે કે હવામાં હ્યૂમિડિટી હોવાથી સ્કિન ઈંફેક્શંસ અને અન્ય પ્રકારની સમસ્યાને સમય રહેતા ઠીક કરવી જરૂરી છે, નહીં તો તે મોટી બીમારીનું રૂપ લઈ શકે છે.
કારણ શું હોય છે
વરસાદનું પાણી હવામાં પ્રદૂષકો જેમ કે ધૂળના કણ, રાસાયણિક ધુમાડો વગેરે સાથે ભળી જાય છે, જેથી સ્કિનની સમસ્યા અને ખંજવાળ આવે છે. વરસાદથી ફંગસ પણ વધે છે અને તે સમયે કીડાનું પ્રજનન થાય છે, જેથી સ્કિનની સમસ્યા વધે છે. હવામાં પરાગ અને પાલતુ પ્રાણીની રુવાંટી પણ સ્કિનની સમસ્યા વધારે છે. મોનસૂનમાં વધારે ભેજના લીધે સ્કિન ઓઈલી થઈ જાય છે, જેથી સ્કિન પર ખંજવાળ આવે છે. ભેજયુક્ત મોસમમાં સ્કિનની એલર્જીનો સમય રહેતા ઈલાજ કરાવવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે. જેાકે એલર્જી અનેક પ્રકારની હોય છે, પણ વરસાદની કેટલીક ખાસ એલર્જી નીચે પ્રમાણે છે :
ફંગલ ઈંફેક્શન
મોનસૂનમાં ફંગલ ઈંફેક્શનનું જેાખમ વધારે રહે છે, જેમાં સ્કિન પર ક્રેક્સ, ખંજવાળ, સ્કિન લાલ થવી વગેરે થાય છે, કારણ કે આ મોસમમાં વધારે પરસેવો આવે છે.
ભીના કપડાં અને જૂતાથી એલર્જી
ભીના કપડાં, જૂતા અને મોજા શરીર પર ઘસાય છે અને ખાસ સ્કિનના પડ અને કમર પર ખંજવાળનું કારણ બને છે. જૂતામાં બોંડિંગ એજેંટ, ગુંદર, ચોંટનાર, ઉપચાર એજેંટ વગેરે જેવા રસાયણ રહેલા હોય છે. તેથી પગને એલર્જી થવાનું જેાખમ રહે છે. ત્યાં સુધી કે સિંથેટિક કપડામાં પણ કેમિકલ હોય છે, જે ભીનું થતા સ્કિનની એલર્જીનું કારણ બને છે.
બચાવ જરૂરી
ડો. રિંકી જણાવે છે કે વધારે સમય સુધી કોઈ પણ એલર્જીને ઈગ્નોર ન કરો અને જરૂરિયાત અનુસાર ડોક્ટરની સલાહ લો. કેટલાક ઉપાય નીચે મુજબ છે :
સ્કિનને નિયમિત રીતે સ્વચ્છ રાખો.
ટાઈટ કપડાં અને રબરની વસ્તુ પહેરવાથી પરેજ કરો.
વધારે સમય સુધી વરસાદમાં ન પલળો.
મોનસૂનમાં સાથે રેનકોટ અને છત્રી રાખો.
ગંદા પાણી અથવા એલર્જી પેદા કરતા એજન્ટો જેમ કે પ્રાણીના ફર, ધૂળ, ગંદકી અને પરાગરજથી દૂર રહો.
સ્કિનની સારી કાળજી લેવી જેમ કે સ્કિનને ખંજવાળવી નહીં, તેનાથી એલર્જી થઈ શકે છે.
સ્કિનના પડને ડ્રાય અને ઈંફેક્શનમુક્ત રાખવા માટે મેડિકેટેડ સાબુ, એન્ટિફંગલ અને જીવાણુરોધક પાઉડરનો ઉપયોગ કરો.
બહાર નીકળતા પહેલાં રોજ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
ઘરમાં ચાદર, ટુવાલ, તકિયા વગેરેને સ્વચ્છ અને ડ્રાય રાખો.
ફૂગથી એલર્જી
ફૂગનો સ્કિન સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંપર્કમાં આવતા એલર્જિક રાઈનાઈટિસ અને એલર્જિક અસ્થમાનું કારણ બને છે.
સ્કિન એલર્જીનો ઈલાજ
ફંગલ ઈંફેક્શન જ્યારે અનટ્રીટેડ હોય છે, ત્યારે દાદમાં પ્રગટ થઈ શકે છે. દાદ પરસેવાથી થયેલ ભેજના લીધે થાય છે અને ઈંફેક્શનલ હોય છે. તે ટુવાલ, મેકઅપ, વાસણો, જાહેર શૌચાલય વગેરેના પ્રયોગ કે કોંટેક્ટથી વધે છે. એટલું જ નહીં, નખના માધ્યમથી પણ ફેલાય છે. તેથી આ મોસમમાં ભીના ન રહો. વરસાદમાં ભીંજાયા પછી તરત સ્વચ્છ પાણીથી નહાઈ લો. ટુવાલ, કાંસકો અને સાબુનો ઉપયોગ બીજાને ન કરવા દો. નહાવાના પાણીમાં એન્ટિસેપ્ટિક સોલ્યૂશન કે એન્ટિસેપ્ટિક સાબુનો ઉપયોગ કરો, એન્ટિસેપ્ટિક સાબુ કે સોલ્યૂશન ન હોય તો લીમડો ઉકાળીને તે પાણીથી નહાઓ. વધારે ટાઈટ, ભીના કપડાં અને ભીના જૂતા ન પહેરો. કપડાને એક વાર પહેર્યા પછી ધોઈ લો. નહાયા પછી એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરો.
વધારે સમય પાણીમાં રહેવાથી પગમાં ખંજવાળ આવે છે. કેટલીય વાર તેમાં ફોલ્લાં પડી શકે છે, તેથી વરસાદમાં બહારથી આવીને પગને હળવા ગરમ પાણી અને એન્ટિસેપ્ટિક સાબુથી ધોઈને સારી રીતે ટુવાલથી સૂકવો. તેથી આરામ મળે છે. એક્ઝિમાના લીધે સ્કિન પર ચકામા અને એલર્જી થઈ શકે છે. આ ડર્મેટાઈટિસના સોજાના લીધે પણ થાય છે. તેથી તેના માટે હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્કિન પર ખંજવાળ આવવી સ્કિનની એલર્જી છે, જે પાણીના માધ્યમથી ફેલાય છે. તે સ્કિન પર નાના દાણા તરીકે થાય છે. સમય રહેતા તેનો ઈલાજ ન કરાવતા તેની સમસ્યા વધી શકે છે.
– સોમા ઘોષ.





