કેટલીક મહિલાઓ સ્કિન અને વાળની સમસ્યાને જીવનશૈલી અથવા જેનેટિક ફેક્ટર્સ સાથે જેાડે છે. સામાન્ય રીતે તે વાળના નુકસાનને નજરઅંદાજ કરે છે. તેમને લાગે છે કે તાણ અને વાળની દેખરેખ માટે સમય ન ફાળવવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે, પરંતુ તેમને એ વાતની જાણ નથી હોતી કે શરીરમાં ન્યૂટ્રિશન લેવલ પર સ્કિન અને વાળનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. ન્યૂટ્રિશન અને આદર્શ વિટામિન લેવલ, આ બંને સ્કિનને સ્વસ્થ, મુલાયમ, વાળને ભરાવદાર અને મજબૂત બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ડાયટ અને પાચન ખરાબ થવાથી પોષણમાં ઊણપ પેદા થાય છે. તેનાથી સ્કિન સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે અને સ્કિનની હેલ્થ પર અસર થઈ શકે છે. ઘણી વાર આહારમાં કોઈ ઊણપ નથી હોતી, પરંતુ ફૂડ સેન્સિટિવિટી અથવા એલર્જી સ્કિન રોગનું કારણ બને છે. અભ્યાસ પરથી એ તારણ?આવ્યું છે કે એન્ટિઓક્સિડેન્ટની ફોટો પ્રોટેક્ટિવ ક્ષમતાનો સ્કિનની રોગપ્રતિકારક પ્રણાલી પર સૂક્ષ્મ પોષણ તત્ત્વોની પૂર્તિના પ્રભાવ સાથે સહસંબંધ હોય છે. આવો જાણીએ કે વિટામિનની ઊણપ સ્કિન અને વાળને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે :

સ્કિનની દેખરેખમાં પોષણની ભૂમિકા
વિટામિન એ, બી-૩ અને બી-૧૨ નું મહત્ત્વ : સંપૂર્ણ માનવશરીર તેમાં પણ ખાસ સ્કિનના પોષણમાં વિટામિન-એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન-એની ઊણપથી સ્વેટ ડક્ટ્સમાં અવરોધ, ઓઈલ ગ્લેંડ્સમાં ઊણપ અને ફ્રાઈનોડર્મા, જેરોસિસ અને સ્કિન પર કરચલી વગેરે સમસ્યા પેદા થઈ શકે છે. સામાન્ય રીતે કુપોષિત લોકો ખાસ તો બાળકોમાં આ સમસ્યા જેાવા મળે છે. વિટામિન-એ ની ઊણપના લીધે કોણી, ઘૂંટણ, નિતંબ પર ખરબચડી કાળી સ્કિન જેાવા મળે છે.
વિટામિન બી-૩ ની ઊણપના લીધે ગરદન જેવા સામાન્ય રીતે ખુલ્લા રહેતા ભાગ પર ફોટો સેન્સિટિવિટી અને રેશિસ જેવા સનબર્ન થાય છે. આ રીતે તેનાથી હાથ અને પગમાં તિરાડ પડી શકે છે જેને પેલેગ્રસ ગ્લોવ્સ અને બૂટ્સ કહેવામાં આવે છે. ઘણી વાર તેનાથી સ્કિન છોલાઈ શકે છે. કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે, પરંતુ કેટલાક ગંભીર કિસ્સામાં તે ઘાતક સાબિત થઈ શકે છે.
વિટામિન બી-૧૨ ની ઊણપ સામાન્ય રીતે એ લોકોમાં જેાવા મળે છે, જેમના ખોરાકમાં મકાઈ દરરોજ હોય છે, દારૂ પીતા હોય અથવા જેા દવા લેતા હોય છે. તેનાથી સ્કિન પર હાઈપિગમેન્ટેશન, સ્કિનમાં સોજેા અને ઈંફેક્શન તેમજ ડાર્ક સર્કલ્સ વગેરે સમસ્યા થઈ શકે છે.
દૂધ, પનીર, દહીં, ઈંડાં, કેળા, સ્ટ્રોબેરી, ટૂના માછલી, ચિકન વગેરેમાં વિટામિન બી-૧૨ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી આ તમામ પદાર્થનું સેવન કરવું જેાઈએ. ઉપરાંત શરીરમાં વિટામિન બી-૧૨ નું સ્તર વધારવા માટે ડોક્ટરની સલાહ લેવી જેાઈએ.

વિટામિન-સીનું મહત્ત્વ
કોલોજન બનવા માટે વિટામિન-સી જરૂરી છે, સ્કિનનું ટાઈટનિંગ અને સ્કિન યુવા દર્શાવવા માટે વિટામિન-સી ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રોટીન છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે વિટામિન-સીના રોજ સેવનથી સ્કિન પરની કરચલીમાં સુધારો થઈ શકે છે અને સ્કિનના કુલ ટેક્સ્ચરમાં સુધારો થઈ શકે છે. વિટામિન-સી એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે હેલ્ધિ સ્કિન માટે લાભદાયી હોય છે.
વિટામિન-સીની ઊણપથી સ્કિન ડ્રાય અને નિસ્તેજ થઈ શકે છે અને તેેની ઘા ભરવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. વિટામિન-સીની ઊણપથી સ્કર્વી થઈ શકે છે. સ્કર્વીના લક્ષણોમાં રક્તસ્રાવના લીધે સ્કિન પર દેખાતા ગોળ ધબ્બા, રક્તસ્રાવના લીધે સ્કિન પરનો રંગ ફિક્કો પડવો અને સ્વાન નેક હેર સામેલ છે.

ઝિંકનું મહત્ત્વ
ઝિંકની ઊણપથી સ્કિનમાં ચીરા, સૂકી સ્કિન અને રેશિસ થઈ શકે છે. ઝિંકની ઊણપથી ખીલ અને સ્કિનમાં ઈંફેક્શન થઈ શકે છે તેમજ સ્કિનના ઘાને ભરવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. કેટલાક કેસમાં ખીલ અને નિતંબની આસપાસ લાલ પોપડીવાળા પેચીસ દેખાઈ શકે છે. લોકલ એપ્લિકેશન અને ક્રીમ મોઈશ્ચરાઈઝરથી ઝિંકની ઊણપની સારવાર કરી શકાતી નથી, પરંતુ તેની સારવારમાં દવાઓ અને હેલ્ધિ ખોરાક દ્વારા ઝિંક ઈન્ટેક સામેલ છે. શરીરમાં ઝિંકનું લેવલ કેટલું છે તેના આધારે ડોક્ટર ઝિંક સપ્લિમેન્ટની સલાહ આપી શકે છે.

આયર્નનું મહત્ત્વ
શરીરમાં આયર્નની ઊણપના લીધે નિસ્તેજ, ડ્રાય સ્કિન, ડાર્ક સર્કલ્સ, નખનું તૂટવું વગેરે સમસ્યા થઈ શકે છે. કેટલાક કેસમાં તેની ઊણપથી જીભ પર સોજેા, એંગ્યુલર ચેલાઈટિસ થઈ શકે છે અને ખોતરતા સ્કિન લાલ, પોપડીવાળી થઈ શકે છે. આયર્નની ઊણપથી થતા રેશિસના લીધે સ્કિનની નીચે લાલ અથવા જંાબલી રંગના ધબ્બા થઈ શકે છે.
બાયોટિન પાણીમાં ઓગળી જાય તેવું વિટામિન-બી છે જે ફેટ અને કાર્બોહાઈડ્રેટના ચયાપચય માટેની જરૂરી પ્રક્રિયા માટે કોએંઝાઈમ તરીકે કામ કરે છે. બાયોટિનની ઊણપ સામાન્ય સમસ્યા નથી. બાયોટિનની ઊણપથી સ્કિનમાં પેદા થતા લક્ષણોમાં પેચી રેડ રેશ સામાન્ય રીતે મોં પાસે, સેબોરહાઈક ડર્મેટાઈટિસ અને ફંગલ સ્કિન તથા નખમાં ઈંફેક્શન સામેલ છે.

વાળની સંભાળમાં પોષણની ભૂમિકા
આયર્ન અને વિટામિન બી-૧૨નું મહત્ત્વ : વાળનું સમય પહેલાં ગ્રે થવું અથવા કેનિટી એક આનુવંશિક પ્રવૃત્તિ છે. આયર્ન, વિટામિન-ડી, ફોલેટ, વિટામિન બી-૧૨ અને સેલેનિયમ એવા વિટામિન અને મિનરલ્સ છે, જેની ઊણપના લીધે બાળપણ અથવા શરૂઆતની વયસ્કતા દરમિયાન વાળના ગ્રે અથવા સફેદ થવાની સમસ્યા થઈ શકે છે. આ સૂક્ષ્મપોષક તત્ત્વોની ઊણપને પૂરી કરવાથી વાળ સમય પહેલાં ગ્રે થવાની સમસ્યામાં સુધારો થઈ શકે છે.
વિટામિન બી-૧૨ ની ઊણપથી વાળ ખરવા લાગે છે તેમજ ડ્રાય તથા નિસ્તેજ થઈ જાય છે. વિટામિન બી-૧૨ માનવ શરીરમાં લાલ રક્તવાહિનીના બનવા માટે ખૂબ જરૂરી છે, જે શરીરના વિભિન્ન ભાગમાં ઓક્સિજન પહોંચાડે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં વિટામિન બી-૧૨ ની ઊણપ સર્જય છે, ત્યારે વાળના રોમછિદ્રને નવા વાળ ઉગાડવા માટે પૂરતો ઓક્સિજન નથી મળતો, પરિણામે વાળના રોમછિદ્રો કુશળતાપૂર્વક કામ નથી કરી શકતા અને વાળ ખરવા લાગે છે.

આયર્નની ઊણપની વાળ પર અસર
વિટામિન બી-૧૨ ની ઊણપની જેમ સ્વસ્થ વાળ માટે આયર્નનું સેવન પણ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. આયર્ન એક મહત્ત્વપૂર્ણ મિનરલ છે જે માનવશરીર અને લાલ રક્તવાહિનીના સમુચિત કાર્યમાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં આયર્નની ઊણપ સર્જાય છે, ત્યારે શરીરની લાલ રક્તવાહિની વાળના રોમછિદ્રો સુધી ઓક્સિજન નથી પહોંચાડી શકતી. લાલ રક્તવાહિનીમાં હીમોગ્લોબિન નામના પ્રોટીન હોય છે, જે લોહીને ચેતાતંત્ર, કોશિકા અને અન્ય મહત્ત્વપૂર્ણ અંગો સહિત શરીરના વિભિન્ન ભાગમાં લઈ જાય છે. હીમોગ્લોબિન એ કોશિકાનું રિપેરિંગ કરે છે, જે વાળના ઉત્તમ વિકાસમાં યોગદાન આપે છે. આયર્નની ઊણપથી વાળનું વધારે ખરવું, વાળની બરાબર વૃદ્ધિ ન થવી વગેરે સમસ્યા પેદા થાય છે. તેનાથી મહિલા અને પુરુષમાં ટાલ જલદી પડે છે. શરીરમાં આયર્નનું સ્વસ્થ લેવલ જાળવી રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, બ્રોકલી, મોટી દ્રાક્ષ, કાજુ અને વિવિધ દાળનું સેવન નિયમિત રીતે કરો. તમારા આયર્ન લેવલને જાણવા અને શરીરમાં આયર્નનું લેવલ વધારવાના શક્ય વિકલ્પો વિશે જાણવા માટે ડોક્ટર સાથે વાત કરો.

ઝિંકની ઊણપની વાળ પર અસર
અભ્યાસ પરથી સાબિત થયું છે કે ઝિંકની ઊણપથી વાળના રોમછિદ્રોની પ્રોટીન સંરચના પ્રભાવિત થઈ શકે છે, જે વાળની મજબૂતાઈને જાળવવા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. ઝિંક હોર્મોનલ સંતુલનને જાળવી રાખે છે. હોર્મોનલ અસંતુલન વાળ ખરવાનું એક પ્રાથમિક કારણ છે.

વિટામિન-સીની ઊણપ અને વાળ
વિટામિન-સીની ઊણપથી વાળ તૂટી જાય છે અને સૂકા થઈ જાય છે. શરીરમાં જ્યારે વિટામિન-સીની હાજરી હોય છે, ત્યારે આયર્નને એબ્સોર્બ કરી શકાય છે. તેથી જે કોઈના શરીરમાં વિટામિન-સીની ઊણપ હોય તો તેનાથી શરીરમાં આયર્નનું સ્તર પ્રભાવિત થાય છે, પરિણામે વાળ ખરવા લાગે છે. તેથી આહારમાં વિટામિન, આયર્ન અને ઝિંકની ઊણપથી એક્યૂટ ટેલોજેન એફ્લુવિયમ અને વાળનું સમય પહેલાં સફેદ થવું છે. વાળને ધોવા દરમિયાન, ઓળવા કે વાળમાં આંગળીઓ ફેરવો ત્યારે વધારે પ્રમાણમાં વાળનું ખરવું ટેલોજેન એફ્લુવિયમનો સંકેત છે. તેથી ચમકતી સ્કિન અને ભરાવદાર વાળ માટે તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન સામેલ કરો.
– ડો. રૈના નાહર.

વધુ વાંચવા કિલક કરો....