ઓછી કેલરી અને વધારે ફાઈબર ધરાવતું ડ્રાયફ્રૂટ પ્રૂંસ એટલે કે સૂકું જરદાળુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વચ્ચે સારું એવું ટ્રેન્ડમાં છે. તેમાં રહેલા પોલીફિનોલ નામના એન્ટિઓક્સિડેન્ટ અને પોટેશિયમ બંને હાડકાં મજબૂત બનાવે છે. ખરાબ જીવનશૈલીમાં આપણે સામાન્ય ભૂખ લાગવા પર પણ કંઈ ને કંઈ ખાઈ લઈએ છીએ. જ્યારે આમ કરવાના બદલે દિવસમાં એકવાર ૫-૬ પ્રૂંસ એટલે કે જરદાળુ ખાઈ લઈએ તો શરીરને યોગ્ય પોષણ મળી શકે છે.
આંતરડાને તંદુરસ્ત બનાવો : જરદાળુમાં સોલ્યૂબલ ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે, જેનાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે. તેના સેવનથી આંતરડા સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
ઓસ્ટિયોપોરોસિસમાં લાભદાયક : ઘણા બધા અભ્યાસમાં જેાવા મળ્યું છે કે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી પીડિત લોકોમાં જરદાળુ ખૂબ લાભદાયક રહ્યા છે. તેના સંતુલિત સેવનથી બોન ડેન્સિટીમાં સુધારો થવાની શક્યતા વધી જાય છે, ખાસ કરીને જેા કોઈ મહિલાને મેનોપોઝ પછી આ સમસ્યા થઈ હોય તો તેણે ડોક્ટરની સલાહ લઈને જરદાળુનું સેવન કરવું જેાઈએ.
એનીમિયાથી બચાવ કરો : જરદાળુ આયર્નની સાથેસાથે પોટેશિયમ, વિટામિન-કે, વિટામિન-બી, ઝિંક તેમજ મેગ્નેશિયમનું પણ ઉત્તમ સ્રોત છે. તેના નિયમિત સેવનથી તમારા શરીર માટે જરૂરી મિનરલ્સની જરૂરિયાત મહદ્ અંશે પૂરી થાય છે.
ડાયાબિટીસના નિયંત્રણમાં સહાયક : કારણ કે જરદાળુમાં સોલ્યૂબલ ફાઈબર જેાવા મળે છે, તેથી તે ડાયજેશન પ્રોસેસને ધીમી કરવામાં સહાયક બને છે અને જ્યારે પાચનક્રિયા ધીમી પડે તો ડાયાબિટીસની સમસ્યાથી પીડિત લોકોના બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.
માંસપેશીની ઈજાથી બચાવે : જરદાળુમાં બોરોન નામના ખનીજ જેાવા મળે છે, જે માંસપેશીઓ માટે ખૂબ જરૂરી હોય છે. જેા તમને માંસપેશીઓ સંબંધિત સમસ્યા દર બીજા દિવસે થઈ હોય તો તે સંકેત છે કે તમારા શરીરમાં બોરોનની ઊણપ છે.





