જ્યારે ગર્ભનિરોધક વિના ૧ વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ સ્વાભાવિક રીતે કોઈ પરિણીત યુગલ ગર્ભધારણ કરવામાં સફળ નથી થતું ત્યારે તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકા યુગલ વંધ્યત્વથી પીડિત છે. આ સ્થિતિ અનેક કારણસર થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી, થાઈરોઈડ, સ્થૂળતા, હોર્મોનલ સમસ્યા અને પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ પીસીઓએસ.
તે ઉપરાંત અયોગ્ય લાઈફસ્ટાઈલની ટેવો જેમ કે તમાકુ, દારૂ, અયોગ્ય ભોજનનું સેવન અને શારીરિક મહેનત વિનાનું જીવન જીવવાના પરિણામસ્વરૂપ આ સ્થિતિ ઊભી થાય છે. અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે વંધ્યત્વના કુલ કેસમાંથી એક તૃતીયાંશ કેસમાં મહિલા સાથી, એક તૃતીયાંશ કેસમાં પુરુષ સાથી અને બાકીના કેસમાં બંને સાથી સમસ્યા માટે જવાબદાર જેાવા મળે છે. તેથી એ વાત સમજવી જરૂરી છે કે વંધ્યત્વ માત્ર મહિલા સંબંધિત મુદ્દો નથી, જેવું સમાજ આજે પણ વિચારે છે.
મોટાભાગે જેાવા મળે છે કે પુરુષસાથીમાં પણ અનેક સમસ્યા જેમ કે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે નપુંસકતા અને એજેસ્પર્મિયા એટલે કે શુક્રાણુની ગેરહાજરી હોય છે, જેનાથી વંધ્યત્વની સમસ્યા થાય છે. કેટલાક યુગલ સમસ્યાના મૂળમાં પહોંચ્યા વિના બાળક પેદા કરવાનો પ્રયાસ કરે છે. તેમાંથી કેટલાક તો બાળકોનો સંપર્ક કરતા હોય છે અને બાબાઓ સમસ્યાના ઉકેલ માટે ઝાડફૂંકનો સહારો લે છે.
સર્વોત્તમ સમાધાનનો વિકલ્પ
વંધ્યત્વ એક મેડિકલ સમસ્યા છે અને તેને દૂર કરવા માટે મેડિકલ સારવારની જરૂર પડે છે. વિશ્વમાં ૨૫ જુલાઈ, ૧૯૭૮ ના રોજ પહેલી ‘ટેસ્ટ ટ્યૂબ બેબી’, ‘લુઈસ બ્રાઉન’ જન્મી હતી. લુઈસનો જન્મ ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે આઈવીએફ પ્રક્રિયાથી થયો હતો. ‘ઈનવિટ્રો’ શબ્દનો અર્થ છે ‘કોઈના શરીરની બહાર’ છે અને ફર્ટિલાઈઝેશન અથવા નિષેચન એક એવી પ્રક્રિયા છે જ્યાં મહિલાનું ઈંડું અને પુરુષના શુક્રાણુને જીવન બનાવવા માટે એકસાથે ફ્યૂઝ કરવામાં આવે છે. આ રીતે ઈંડું અને શુક્રાણુ શરીરની બહાર મહિલાના ગર્ભાશયના બદલે એક લેબમાં મળે છે અને તેને પાછળથી ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.
અહીંથી અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એટલે કે એઆરટીનો જન્મ થયો. આઈવીએફ, એઆરટીની અનેક વિધિમાંથી માત્ર એક પ્રક્રિયા છે. છેલ્લા ૪૪ વર્ષમાં દુનિયા ટેક્નિકલ રીતે ખૂબ પ્રગતિ કરી ચૂકી છે જેનાથી બીજા પણ ઘણા બધા એઆરટી વિકલ્પ ઉપલબ્ધ થયા છે, જેમાં ઈંટ્રાસાઈટોપ્લાઝમિક સ્પર્મ ઈંજેક્શન (આઈસીએસઆઈ) અને ઈંટ્રાયુટરાઈન ઈનસેમિનેશન (આઈયૂઆઈ) સામેલ છે.
આવો આ મેડિકલ સારવારને સમજીએ, જેથી પરિણીત લોકો પોતાની વંધ્યત્વની સમસ્યાના સર્વોત્તમ સારવારના વિકલ્પને પસંદ કરી શકે.
જ્યારે કોઈ દંપતી ૧ વર્ષથી વધારે સમયથી સ્વાભાવિક રીતે બાળક પેદા કરવામાં અસમર્થ રહે તો સૌપ્રથમ તેમણે કોઈ સારા ફર્ટિલિટી વિશેષજ્ઞની સલાહ લેવી જેાઈએ. જેાકે અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે કેટલાક યુગલો પોતાની મરજીથી પાછળથી ગર્ભધારણ કરવા ઈચ્છતા હોય છે, તેથી ૧ વર્ષનો સમયગાળો બધા યુગલોને લાગુ નથી પડતો. કાઉન્સેલિંગ દરમિયાન દંપતી સાથે તેમના મેડિકલ ઈતિહાસ બાબતે ચર્ચા કરવામાં આવે છે. અહીં એ વાત જાણવી જરૂરી છે કે વંધ્યત્વની સારવાર ૧૦૦ ટકા સફળતાની ગેરન્ટી નથી આપતી, તેથી યુગલોએ આ પ્રક્રિયાના કોઈ પણ જેાખમ અને દુષ્પ્રભાવને પહેલાંથી જાણી લેવા જેાઈએ.