શું તમારે ઘરમાં આળસ અને થાકની જગ્યાએ ખુશી તેમજ સકારાત્મકતાનો અહેસાસ કરવો છે? શું આપણી રોજબરોજની જિંદગીમાં લાઈટ વધારે મહત્ત્વની છે? શું આપણે આપણા ઘરમાં યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ કરાવવી જેાઈએ? જવાબ જેા હા હોય તો પછી કેમ? આવો, જાણીએ આ બાબતમાં સીઈઓ એન્ડ ફાઉંડિંગ પાર્ટનર, લાઈટ ડોક્ટર પ્રાચી લાડ જેાડે :
ઘરના કોઈ પણ ખૂણામાં જ્યારે તમે ભરપૂર સકારાત્મકતા અને ઊર્જનો અનુભવ કરો છો ત્યારે તમારો મૂડ સારો રહે છે અને તમે સ્વયંને રિફ્રેશ પણ અનુભવો છો. તે સમયે મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આવું કેમ થાય છે? પરંતુ જ્યારે તમે સમજી નથી શકતા ત્યારે તમારા આ અનુભવને સકારાત્મક ઊર્જા સાથે જેાડી દો છો, પરંતુ હવે જ્યારે બીજી વાર તમે આવો અનુભવ કરો તો રૂમના પ્રકાશનું નિરીક્ષણ અચૂક કરો.

સારા અને ખરાબ પ્રકાશની અસર
આપણે બધા જાણીએ છીએ કે અપૂરતી લાઈટમાં જેાવાનો પ્રયત્ન કરવાનો અર્થ છે આંખો પર દબાણ થવું, જ્યારે બીજી તરફ વધારે પડતો પ્રકાશ આંખોેને નુકસાન પહોંચાડીને તમને અંધ બનાવી શકે છે. બંને પરિસ્થિતિ આપણી નજરને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે અને જેા આ પ્રકારની ખામીયુક્ત લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન ઘરમાં લાંબા સમય સુધી જળવાઈ રહે, તો તે આપણી હેલ્થ માટે ક્યારેય ભરપાઈ ન થનારી ખોટનું કારણ બની શકે છે. આ જ કારણસર આપણા ઘર તથા વર્ક એરિયામાં પ્રોપર લાઈટની જરૂર રહે છે.

એક ઘરમાં લાઈટની કેટલી આવશ્યકતા
લાઈટની માત્રાને લેક્સમાં માપવામાં આવે છે અને એક ઘરમાં દરેક રૂમમાં ખાસ લેક્સ સ્તરની જરૂર પડે છે. પછી દિવસ હોય કે રાત બંને સમયે વિભિન્ન સમય સીમામાં આપણે આપણા ઘરે જેા કામકાજ કરીએ છીએ, તેના આધારે ખાસ ખૂણા અથવા ક્ષેત્રમાં યોગ્ય પ્રમાણમાં લાઈટ અરેન્જમેન્ટ કરવાની જરૂર પડે છે.

લાઈટ એરેન્જમેન્ટ શું છે
જ્યારે આપણે લાઈટ એરેન્જમેન્ટ વિશે વાત કરીએ છીએ ત્યારે લાઈટ એરેન્જમેન્ટના વિવિધ વિકલ્પ આપણી સામે હોય છે, જેમ કે લોકો વધારે પ્રકાશિત લાઈટ એરેન્જમેન્ટમાં માને છે, પરંતુ દરેક સમયે તેનાથી યોગ્ય રિઝલ્ટ મળશે જ એવું જરૂરી નથી હોતું, પરંતુ આપણે તેને અનુભવી નથી શકતા કે પછી આસપાસ કરવામાં આવેલી લાઈટ એરેન્જમેન્ટને પૂરતું મહત્ત્વ નથી આપતા, પરંતુ યાદ રાખો કે લાઈટ એરેન્જમેન્ટ આપણી માનસિક સ્થિતિ, સ્વાસ્થ્ય, દષ્ટિ અને આપણા સામાન્ય જીવન પર પણ જબરદસ્ત પ્રભાવ પાડે છે. યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન એ વાતને સુનિશ્ચિત કરે છે કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તેને કરવા માટે તમે કોઈ પણ સમયે પૂરતી લાઈટ એરેન્જમેન્ટ મેળવી શકો.

લાઈટ એરેન્જમેન્ટને ડિઝાઈન કરવી
ઘર માટે લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન કરવી એક કલા છે. લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન માત્ર ઘરના દરેક ખૂણે લાઈટ લગાવવા સંબંધિત નથી, પરંતુ તે શેડો અને લાઈટનો ખેલ છે. ઘરની લાઈટિંગની લેરિંગ સૌથી વધારે અસરકારક હોય છે. પ્રથમ લેયરને એંબિએંટ લાઈટ કહેવામાં આવે છે, જેને સામાન્ય અથવા પ્રકાશને આસપાસ ફેલાવતી લાઈટ પણ કહેવામાં આવે છે. તેને ડાઉનલાઈટ્સ, લીનિયર લાઈટ્સ અને કોવ લાઈટ્સ લગાવીને મેળવી શકાય છે. રસોઈ બનાવતા તેમજ સાફસફાઈ જેવા રોજના કાર્યમાં સામાન્ય ફેલાયેલી પ્રકાશ વ્યવસ્થાની જરૂર પડે છે. તે આપણને ટેબલ ટોપ, દીવાલ, છત અને ફરસ જેવી સપાટ જગ્યા પર પણ વિખેરાઈને પ્રકાશ આપવામાં મદદ કરે છે.
બીજું લેયર એક્સેંટ લાઈટનું હોય છે. તેનો ઉપયોગ કલાકૃતિ, દીવાલની ખાસ રચના જેવી ખાસ વિશેષતાને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવે છે. આ જ રીતે ટાસ્ક લાઈટિંગ એક વધારે ફોકસ્ડ એરેંજમેન્ટ છે, જે વાંચન, લેખન જેવા અનેક કામને સરળ બનાવે છે. આપણામાંથી ઘણા બધા લોકોને પોતાને ગમતી જગ્યાએ વાંચન અથવા લેખનની ટેવ હોય છે. વયસ્કો માટે તે એક સ્ટડી કોર્નર અથવા પથારી હોઈ શકે છે, કારણ કે કેટલાક લોકોને ઊંઘતા પહેલાં વાંચન ગમતું હોય છે. બાળકો માટે તે તેમનું સ્ટડી ડેસ્ક હોઈ શકે છે. આપણી સ્વસ્થ દષ્ટિ માટે યોગ્ય પ્રકારની અને યોગ્ય પ્રમાણમાં લાઈટ એરેન્જમેન્ટની જરૂર પડે છે. વાંચન અથવા લેખન દરમિયાન પોતાની આંખોને તાણથી સુરક્ષિત રાખવા માટે કોઈ પણ વ્યક્તિએ ગ્લેર ફ્રી લાઈટિંગ એરેન્જમેન્ટનો ઉપયોગ કરવો જેાઈએ.

વાર્મ અને કૂલ કલર્સનું સંયોજન
આપણા ઘરમાં વાર્મ અને કૂલ કલર્સની લાઈટિંગનું સંયોજન હોવું જેાઈએ. આપણો આપણા લિવિંગરૂમ અને બેડરૂમમાં વાર્મર કલર ફોન ડેકોરેટિવ લાઈટિંગ ફીચર્સ લગાવીને એક શાંત વાતાવરણ બનાવી શકીએ છીએ. કિચન જેવી જગ્યા માટે કૂલર રંગીન પ્રકાશ વ્યવસ્થાને પસંદ કરવામાં?આવે છે, જ્યારે બાથરૂમમાં આપણે મિક્સ કલર ટોન રાખવો જેાઈએ. જેાકે પથારીમાં ઊંઘતા પહેલાં કૂલર કલરની લાઈટિંગ સ્વિચ ઓન કરવાથી બચવું જેાઈએ. વિભિન્ન અભ્યાસ અનુસાર, કૂલર કલર લાઈટિંગ આપણા મગજમાં મેલાટોનિન હોર્મોન્સના સ્તરને દબાવવામાં મદદ કરે છે, જે આપણને વધારે સક્રિય બનાવે છે, પરંતુ પથારીમાં જતી વખતે તેને સારી ન કહી શકાય. આ દષ્ટિકોણથી જેાઈએ તો સારી લાઈટિંગ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હેલ્થને સુદઢ બનાવી રાખવામાં આપણને મદદરૂપ થાય છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....