મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા ૪૦ વર્ષના આનંદ પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં જેાબ કરતા હતા. એક દિવસ તે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે થોડો થાક અનુભવવા લાગ્યા. ફ્રેશ થઈને આરામ કરવા માટે પથારી પર જઈને ઊંઘી ગયા. થોડા સમય પછી તેમને છાતીમાં બળતરા થવા લાગી અને શરીર પર ખૂબ પરસેવો થવા લાગ્યો. થોડા સમયમાં આનંદ બેભાન થઈ જતા ઘરના લોકો તરત તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે હાર્ટએટેકના લીધે તેમનું મૃત્યુ થયું છે. નાની ઉંમરમાં હાર્ટએટેકનો આ કિસ્સો એકલા આનંદ સાથે નથી બન્યો. આપણા દેશમાં આ પ્રકારના કિસ્સા અવારનવાર જેાવા મળી રહ્યા છે. ડોક્ટર્સ તે માટે જવાબદાર પરિબળ તરીકે લોકોની બદલાયેલી જીવનશૈલીને માને છે. કેન્દ્ર સરકારે બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પ્રદેશના ૨.૯૮ કરોડ લોકોમાંથી ૬૫ ટકા લોકોના સ્ક્રીનિંગનું લક્ષ્ય નક્કી કર્યું હતું. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે ૧.૬૮ કરોડ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરીને લક્ષ્ય પૂરું કર્યું ત્યારે કેન્દ્ર સરકારે તેને વધારીને ૩.૧૫ કરી દીધું હતું. જેાકે અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. તે પરથી સામે આવ્યું છે કે રાજ્યમાં લગભગ ૮ લાખ, ૫૦ હજાર લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં છે. ૪ લાખ ૬૧ હજાર લોકોને ડાયાબિટીસે જકડી લીધા છે. આ રિપોર્ટ અનુસાર, છિંદવાડા જિલ્લામાં સૌથી વધારે ૬૪,૨૪૬ લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં જેાવા મળ્યા છે. ઈન્દોરમાં સૌથી વધારે ૨૪,૭૫૦ વ્યક્તિમાં ડાયાબિટીસની બીમારી જેાવા મળી છે.

એનએચએમના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. નમિતા નીલકાંતના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ-૨૦૧૮ માં શરૂ થયું હતું. સૌપ્રથમ મધ્ય પ્રદેશના ૬ જિલ્લા પસંદ કરવામાં આવ્યા હતા, પાછળથી ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, બેતૂલ, નીમચ, બડવાની, રતલામ, સાગર, ગુના, પન્ના, છિંદવાડા, નરસિંહપુર અને સિહોર સહિત ૧૭ જિલ્લા પણ સામેલ કરવામાં?આવ્યા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત ૩૦ વર્ષથી વધારે ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું હતું. નાની ઉંમરમાં હાર્ટએટેક જેવા ગંભીર કિસ્સાને જેાતા મધ્યપ્રદેશ સરકારે તેમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને સામેલ કર્યા હતા. તે અંતર્ગત હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર માટે આવતા દર્દીઓ ઉપરાંત ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં દર્દીઓના બ્લડપ્રેશરનું સ્તર ૧૪૦/૯૦ થી ઉપર જેાવા મળ્યું હતું. શહેરોમાં રહેતા વયસ્કોની લગભગ ૫૦ ટકાથી વધારે વસ્તી ડાયાબિટીસની ઝપટમાં જેાવા મળી હતી. જેાકે તેનું કારણ આનુવંશિક છે, તે સિવાય જીવનશૈલી પણ એક મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું છે. જેમ કે કંફર્ટેબલ લાઈફ, અધિક ફાસ્ટફૂડનું સેવન, શરીરમાં કેલરીનું અસંતુલન તેમજ સ્થૂળતાના લીધે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દર્દીએ નિયમિત રીતે સ્ક્રીનિંગ કરાવવું જેાઈએ અને ડાયટનું સંતુલન જાળવી રાખવું જેાઈએ. તે ફળ અને શાકભાજીથી દૂર રહો, જેને ખાવાથી ડાયાબિટીસ લેવલ વધે. નિયમિત એક્સર્સાઈઝની સાથેસાથે ડોક્ટરની સલાહ લો અને તેનું પાલન કરો.

હાર્ટના પેશન્ટ વધી રહ્યા છે
પહેલાંના સમયમાં મોટી ઉંમરના લોકો હૃદય રોગથી પીડિત રહેતા હતા, પરંતુ હવે નાની ઉંમરમાં પણ હાર્ટએટેકનું જેાખમ વધી ગયું છે. ૪૫થી વધારે ઉંમર, હરવાફરવા ન જવું, એક જગ્યાએ બેસીને કલાકો સુધી મોબાઈલ જેાવો, હાઈ કોલેસ્ટ્રોલયુક્ત ભોજન અને ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બીમારી પણ હૃદયના સ્વાસ્થ્યને જેાખમમાં મૂકી શકે છે.
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ડી. એસ. ચૌધરી જણાવે છે કે તેલ, ઘી, માખણનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાની સાથે તાજા શાકભાજી, ફળ શક્ય તેટલા વધારે ખાવા જેાઈએ. મટન અને ઈંડામાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, તેથી તેના સેવનથી દૂર રહો.
મોટાભાગે જેાવા મળ્યું છે કે તે લોકો જેમનો ઊઠવાથી લઈને, નહાવા, ખાવા અને ઊંઘવા સુધીનો સમય અનિશ્ચિત રહેતો હોય છે તે હંમેશાં અસ્તવ્યસ્ત રહેવાથી તાણગ્રસ્ત રહેતા હોય છે. પરંતુ જે વ્યક્તિની દિનચર્યા યોગ્ય અને નિયમિત હોય છે, તેમનું જીવન સુખ અને સંતોષથી ભરેલું હોય છે, જ્યારે દિનચર્યા વ્યવસ્થિત ન હોય તો એક તરફ મનમાં અશાંતિ પેદા થાય છે, બીજી તરફ સમગ્ર શારીરિક ક્રિયા પણ ખરાબ થવા લાગે છે અને વ્યક્તિ શારીરિક તથા માનસિક રોગથી પીડિત બની જાય છે. નિયમિત દિનચર્યાથી આપણા કામકાજ ન માત્ર ક્રમબદ્ધ અને સુનિયોજિત બને છે, પરંતુ સમાજમાં બીજા લોકો પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. તેથી જીવનને સ્વસ્થ અને સુખી બનાવવા માટે દરરોજ સવારે સમયસર ઊઠી જવું અને સમયસર ઊંઘી જવું નિયમિત દિનચર્યાનું પહેલું સૂત્ર છે. સવારે ૧-૨ કિલોમીટર ચાલવા જવું અને રાત્રિના ભોજન પછી લગભગ એક હજાર પગલાં ચાલવું તમારા તનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે.

મહિલાની દિનચર્યા
ઘરેલુ મહિલાની દિનચર્યા સામાન્ય રીતે સૌથી વધારે અનિયમિત હોય છે. પોતાના પતિ તથા બાળકોની દિનચર્યાને નિયમિત રાખવાના ચક્કરમાં તેમની પોતાની દિનચર્યા ખરાબ થઈ જાય છે. બાળકોને સ્કૂલે અને પતિને કામ પર મોકલ્યા પછી બપોરે ૨ થી ૩ વાગ્યા સુધીમાં તે પોતાનું ખાવાનું ખાઈ શકે છે. આ રીતે દિનચર્યા અનિયમિત રહેવાથી મહિલાઓનો સ્વભાવ ગુસ્સેલ તેમજ ચીડિયો થઈ જાય છે. નેશનલ હોસ્પિટલ, જબલપુરના ડોક્ટર સુભદા તિવારીનું માનવું છે કે કામની વ્યસ્તતાથી મહિલાઓની દિનચર્યા અસ્તવ્યસ્ત રહે છે, યોગ્ય આહાર ન લેવાથી તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. આ સ્થિતિમાં મહિલાઓમાં અનિંદ્રા, તાણ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી બીમારી સામાન્ય બની ગઈ છે, પરંતુ તમારી જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન લાવીને તેમજ રોજિંદી દિનચર્યાને નિયમિત બનાવીને મહિલાઓ સ્વસ્થ તથા ખુશ રહી શકે છે.
– વેણીશંકર પટેલ ‘વ્રજ’

વધુ વાંચવા કિલક કરો....