થોડા સમય પહેલાં સરકારે નવા સંસદ ભવનના નિર્માણનો આદેશ બહાર પાડ્યો હતો અને તેની પર ઝડપથી કામ પણ થઈ રહ્યું છે. એક વાર તમે રાજપથ ફરી આવો, બધું વેરવિખેર પડેલું દેખાશે. ઠેરઠેર નો એન્ટ્રીના બોર્ડ લગાવેલા છે. રસ્તા દૂરદૂર સુધી ખોદી નાખવામાં આવ્યા છે અને ઠેરઠેર કાટમાળના ઢગલા છે. ગાડીઓએ ફરીફરીને જવું પડી રહ્યું છે. જનતા પરેશાન થઈ રહી છે અને આ વાત ૨-૪ દિવસની નથી, પરંતુ મહિનાઓ સુધી આ જ સ્થિતિ રહેવાની છે. આવી જ અથવા એમ કહો કે તેનાથી પણ ખરાબ સ્થિતિ ત્યારે થશે જ્યારે કોઈ વિસ્તારમાં નવી મેટ્રો લાઈન અથવા ફ્લાયઓવર વગેરેનું નિર્માણકાર્ય શરૂ થાય છે. ચારે બાજુ કાટમાળના ઢગલા, લોખંડનો ભંગાર અને ક્રેન જેવી મોટીમોટી ગાડી આડીઅવળી પડેલી રસ્તા પર દેખાતી હોય છે. માટી અને પાણીના લીધે રસ્તા પર ચારે બાજુ કીચડ થાય છે અને આ કારણસ્ર્ લોકોને રસ્તા પર આવ-જા કરવી મુશ્કેલ છે. ટ્રાફિક જામ અને ગાડીના કર્કશ અવાજથી જિંદગી દોજખ થઈ જાય છે.

આ સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે આ પ્રકારના નિર્માણકાર્યમાં જ્યારે મનગમતા પૈસા કમાવવામાં આવી રહ્યા છે તો પણ બધું વ્યવસ્થિત કેમ નથી? જનતાને તકલીફ કેમ સહેવી પડી રહી છે? પરંતુ જેા થોડું ધ્યાન રાખવામાં આવે અને પૂર્વ યોજના તથા વ્યવસ્થાની સાથે કામ કરવામાં આવે તો જનતાની તકલીફોને ખૂબ સહજતાથી ઘટાડી શકાય છે. હકીકતમાં આ ભારતીય મનોવૃત્તિ છે. દેશ હોય, સમાજ હોય કે પછી નાનકડું ઘર, દરેક પ્રકારના લોકોને અસ્તવ્યસ્ત રહેવાની ટેવ પડી ગઈ છે. ઘરમાં દરેક સભ્યને પોતાનો સામાન આમતેમ ફેંકવાની ટેવ હોય છે. પતિ હોય કે બાળકો સ્કૂલ અથવા ઓફિસથી ઘરે આવતા પોતાની બેગ ટેબલ, બેડ કે સોફા પર ફેંકી દેતા હોય છે અને મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. બાળકો પણ પોતાનું એક જૂતું એક રૂમમાં તો બીજું બીજા રૂમમાં ઉતારીને અને મોજને ક્યાંક દૂર ફેંકતા પલંગ પર જઈને લંબાવે છે. બહારથી આવીને પોતાના કપડાં પણ બાથરૂમમાં કે પથારીમાં ફેંકીને પોતાની દુનિયામાં મશગૂલ થઈ જાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....