સ્પર્મ કાઉન્ટ પર ભારે પડતો સ્ક્રીન ટાઈમિંગ

કેટલાય લોકો ૨૪ કલાક મોબાઈલમાં ચોંટેલા રહે છે, તેમની આ ટેવ તેમને ભારે પડી શકે છે, કારણ કે તાજેતરમાં અમેરિકન જનરલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં ૨૦ કલાકથી વધારે ટીવી અથવા મોબાઈલ ફોન જેાવાથી પુરુષોના સ્પર્મ પ્રોડક્શનમાં ૩૫ ટકા ઘટાડો જેાવા મળ્યો છે. રિપોર્ટ મુજબ ૧ દિવસમાં ૫ કલાકથી વધારે ટીવી જેાનારા લોકોના શરીરમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો જેાવા મળ્યો. તેની વિપરીત કમ્પ્યૂટર પર રોજિંદા ઓફિસ કામ કરતા લોકોના શરીરમાં એવી કોઈ કમી નથી દેખાતી. એવા લોકોના ન સ્પર્મ કાઉન્ટરમાં કોઈ કમી દેખાઈ અને ન તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ કમી આવી. તેનું એક કારણ છે કે એવા લોકો, જે વધારે ટીવી જુએ છે, વધારે એક્સર્સાઈઝ નથી કરતા અને હેલ્ધિ ભોજન નથી લેતા, તો આ ટેવ ફર્ટિલિટી પર અસર કરે છે.

ઈનફર્ટિલિટીનું મોટું કારણ
ટીવી અથવા મોબાઈલ પર ફિલ્મ જેાનારાનું મગજ એક રીતે કામ કરવાનું બંધ કરી દે છે. જંક ફૂડના વધારે સેવન અને આળસુ લાઈફસ્ટાઈલના લીધે આજકાલ કેટલાય લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે અને આ ઈનફર્ટિલિટીનું એક મોટું કારણ બની રહ્યું છે. સ્થૂળતાના લીધે પુરુષો અને મહિલાઓ બંનેની કામેચ્છા ઓછી થઈ રહી છે. સ્થૂળતા ન માત્ર યૌન સંબંધ બનાવવાની ઈચ્છામાં કમી લાવે છે, પરંતુ તેના લીધે સેક્સ દરમિયાન જલદી સ્ખલન થવાની સમસ્યા થાય છે. તેથી સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પ્રભાવિત થાય છે, કારણ કે લિંગમાં પૂરતી ઉત્તેજના નથી થતી, સાથે મહિલા સ્થૂળતાથી પીડિત છે, તો તે સ્થિતિમાં સારી રીતે સમાગમ નથી થતું. કેન, પેકેટ બંધ ફૂડ અને હાઈ ફેટયુક્ત વસ્તુ ઝડપથી અને વધારે પ્રમાણમાં એસિડિટી પેદા કરે છે, જેથી શરીરના પીએચ લેવલમાં પરિવર્તન આવે છે. આળસુ લાઈફસ્ટાઈલ સાથે કેમિકલ એડિટિવ્સ અને એસિડિક નેચરવાળી ખાણીપીણી અથવા સ્પર્મ સેલ્સના આકાર અને તેની ગતિશીલતાને નુકસાન પહોંચાડે છે કે પછી તેના લીધે સ્પર્મ ડેડ થઈ જાય છે.

શારીરિક અક્ષમતા
‘બ્રિટિશ જનરલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’ માં પ્રકાશિત રિપોર્ટ હેઠળ લેબ એનાલિસિસ માટે ૧૮ થી ૨૨ વર્ષની ઉંમરના ૨૦૦ સ્ટુડન્ટ્સના સ્પર્મ સેમ્પલ કલેક્ટ કર્યા. તેમના વિશ્લેષણથી ખબર પડી કે સુસ્ત લાઈફસ્ટાઈલ અને સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાનો એકબીજા સાથે સીધો સંબંધ છે. વધારે ટીવી જેાનારનો સરેરાશ સ્પર્મ કાઉન્ટ ૩૭ એમએન માઈક્રોન પ્રતિ એમએલ હતો, જ્યારે તે સ્ટુડન્ટ્સનો સ્પર્મ કાઉન્ટ ૨ એમએન માઈક્રોન પ્રતિ એમએલ હતો, જેઓ ટીવી ઓછું જુએ છે. સુસ્ત લાઈફસ્ટાઈલ અને ટીવી જેાનારના આદિ લોકોના સ્પર્મ કાઉન્ટમાં સામાન્યની સરખામણીમાં ૩૮ ટકા સુધી ઘટાડો થયો. આ રિપોર્ટથી સાબિત થયું છે કે વધારે ટીવી જેાનારના હૃદયમાં વધારે આવેગના લીધે ફેફસામાં બ્લડનો જીવલેણ ક્લોથ થવા અને તેના લીધે હાર્ટએટેકથી મૃત્યુ થવાની શક્યતા ૪૫ ટકા વધી જાય છે અને ટીવી અથવા મોબાઈલ સ્ક્રીન સામે દર ૧ કલાક અને વિતાવવાની સાથે આ શક્યતા વધી જાય છે.

દરેક વસ્તુની એક મર્યાદા
કેટલાક રિપોર્ટમાં જણાવ્યું છે કે દર અઠવાડિયે સરેરાશ ૧૮ કલાકની એક્સર્સાઈઝ કરવાથી સ્પર્મ ક્વોલિટી વધારી શકો છો, પરંતુ વધારે એક્સર્સાઈઝ કરવાથી સ્પર્મ ક્વોલિટી પર અસર થાય છે. જેાવા મળ્યું છે કે શારીરિક રીતે સક્રિય રહેતા એવા લોકો જે અઠવાડિયામાં ૧૫ કલાક મોડરેટ એક્સર્સાઈઝ કરે છે અથવા કોઈ રમત રમે છે તેમનો સ્પર્મ કાઉન્ટ શારીરિક રીતે ઓછા સક્રિય રહેતા લોકોની સરખામણીમાં ૩-૪ ગણા સુધી વધારે રહે છે. ટીવી અથવા મોબાઈલ સામે કલાકો એકીટશે નજર રાખવાનો સીધો સંબંધ શરીરમાં ગરમી વધારવાથી થાય છે. સ્પર્મ સેલ્સ ઠંડા વાતાવરણમાં વધારે સારી રીતે ઊછરે છે, જ્યારે શરીરના વધારે ગરમ રહેવાથી તે વધારે સારી રીતે નથી ઊછરી શકતા.

જરૂરિયાતથી વધારે એક્સર્સાઈઝ કરવી અને સતત ટીવી જેાવું, બંને શરીરમાં ફ્રીરેડિકલ્સના ઉત્પાદન અને ઉત્સર્જનને પ્રોત્સાહન આપે છે, જેથી સ્પર્મ સેલ્સ મરી જાય છે, જેની પ્રજનનક્ષમતા પર સીધી અસર થાય છે.
– ગૃહશોભા ટીમ.

હનીમાં છુપાયું હેલ્થનું રહસ્ય

વિંટર સીઝન જ્યાં હરવાફરવા માટે સારી મોસમ મનાય છે, બીજી બાજુ આ મોસમમાં હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બદલાતી મોસમ ન માત્ર તમને શરદીખાંસી અને તાવની ઝપટમાં જકડી શકે છે, પણ કેટલીય વાર તેના લીધે જીવ જેાખમમાં મુકાઈ જાય છે. આ સંજેગોમાં વિંટરમાં હેલ્થનું ધ્યાન રાખવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂર છે, જેથી તમારું શરીર અંદર અને બહાર બંને જગ્યાથી ફિટ રહી શકે. તેના માટે જરૂરી છે કે તમે તમારી ખાણીપીણીમાં કે પછી રૂટિનમાં હની સામેલ કરો, કારણ કે તેમાં કેટલાય ગુણ, જે તમને વિંટરમાં અંદરથી વાર્મ રાખવાની સાથે તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે. તો આવો જાણીએ, આ ખાસ કેમ છે :

હની જ કેમ
આ એક નેચરલ સ્વીટ પદાર્થ છે, જે મધમાખી દ્વારા ફૂલોના રસ કે છોડના સ્રાવ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે તેનું સારી રીતે નિરીક્ષણ કરવામાં?આવે છે તો જેાવા મળે છે કે આ મધ કોઈ પણ બહારના તત્ત્વો જેમ કે મોલ્ડ, ગંદકી, મેલ, મધમાખીના ટુકડા વગેરેથી પૂરી રીતે મુક્ત હોવું જેાઈએ. આ વાતનું નિરીક્ષણમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેનો રંગ લાઈટ ટૂ ડાર્ક બ્રાઉન થાય છે. તેથી વિંટરમાં હની પર ભરોસો કરી શકાય.

હેલ્થ બેનિફિટ કેટલા છે
ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરે : આપણી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ હોય છે, તેથી આપણે બીમારી સામે લડવામાં સક્ષમ બની શકીએ છીએ. હની એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા હોય છે, જેથી તે તમને મોસમી બીમારીથી બચાવવાનું કામ કરે છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેથી એક્સપર્ટ પણ રોજ ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે, જેથી ઈમ્યૂનિટી બૂસ્ટ થવાની સાથેસાથે તમારા શરીરને પૂરો દિવસ કામ કરવાની એનર્જી મળી શકે.

નેચરલ પ્રોબાયોટિક : હની નેચરલ પ્રોબાયોટિકનું કામ કરે છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને પોષણ આપવાનું કામ કરે છે, જે તમારા હેલ્ધિ પાચનતંત્ર માટે જરૂરી માનવામાં આવે છે, કારણ કે તે એક લેક્સેટિવ છે, જે પાચનમાં મદદ કરવાની સાથે પ્રતિરક્ષા પ્રણાલીને સુદઢ બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી તે આંતરડામાં ફંગસથી પેદા થતા માઈક્રોટોક્સિનની ઝેરી અસર ઘટાડે છે. તો થયું ને નેચરલ પ્રોબાયોટિક.

વજન ઘટાડવામાં મદદરૂપ : તમે પણ હેલ્થ કોન્સિયસ છો અને વજન ઓછું કરી રહ્યા છો કે પછી કરવાનું વિચારી રહ્યા છો તો તમે મોર્નિંગ અને નાઈટ રૂટિનમાં મધ સામેલ કરો, કારણ કે એક તો ન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોવાથી તમારા શરીરની જરૂરિયાત પૂરી કરવાનું કામ કરે છે અને બીજું તેમાં નેચરલ શુગર હોવાથી તે તમારા કેલરી કાઉન્ટને કંટ્રોલમાં રાખે છે. તેથી રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં હનીનું સેવન કરો અને રાતે ઊંઘતી વખતે, જેથી તે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને તમારા વજનને ઝડપથી ઘટાડી શકે. રિસર્ચમાં જેાવા મળ્યું છે કે જે લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે, તેમનું વજન ઝડપથી વધે છે, તેથી તમે વેટ વોચર છો તો તમારા રૂટિનમાં હની સામેલ કરો.

સ્લીપ ક્વોલિટી ઈમ્પ્રૂવ કરો : હની મગજને મેલાટોનિન રિલીઝ કરવામાં મદદ કરે છે. આ તે હોર્મોન્સ છે, જેનો ઉપયોગ તમારું શરીર ઊંઘ દરમિયાન પોતાને રિલીઝ કરવા કરે છે. શું તમે જાણો છો કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ સક્રિય હોય છે અને તે સમયે તેને ઊર્જાની જરૂર હોય છે. ત્યારે તમારું મગજ સ્લીપ એનર્જી માટે લિવરમાં ગ્લાઈકોઝન ભંડારનો ઉપયોગ કરે છે. એવામાં ઊંઘતા પહેલાં હનીના સેવનથી સુનિશ્ચિત થાય છે કે તમારી પાસે સારી ઊંઘ માટે ગ્લાઈકોઝનનો ભંડાર છે, જે તમને ક્વોલિટી સ્લીપ આપવામાં મદદ કરે છે.

જખમ ઝડપથી ભરાય : હનીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડેન્ટ્સ પ્રોપર્ટી હોય છે, જે જખમને ઝડપથી ભરવાનું કામ કરે છે. જ્યારે સ્કિન પર કોઈ જખમ થાય છે, ત્યારે બેક્ટેરિયા તેની અંદર જઈને સ્કિનમાં ઈંફેક્શન કરી શકે છે, જ્યારે મધ તે બેક્ટેરિયાને શોધીને મારવાનું કામ કરે છે.

ડેન્ડ્રફ દૂર કરે : હની નેચરલ રીતે ડેન્ડ્રફ દૂર કરવાનું કામ કરે છે, કારણ કે તેમાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, જે ડેન્ડ્રફને કંટ્રોલ કરીને સ્કેલ્પ હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે, સાથે તે સ્કેલ્પથી ડેન્ડ્રફ અને ગંદકીને રિમૂવ કરે છે, જે હેર ફોલિકલ્સ જમવાનું કારણ બને છે તે ન માત્ર ડ્રાય હેરને સિલ્કી બનાવે છે, પરંતુ હેરને સોફ્ટ અને સ્મૂધ બનાવવાનું કામ કરે છે.

નેચરલ રીતે ડેન્ડ્રફ દૂર કરવાની શક્તિ
સ્કિન સોફ્ટ બનાવે : તેમાં મોઈશ્ચરાઈઝિંગ અને નરિશિંગ પ્રોપર્ટી હોવાથી તે નેચરલી મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તેના માટે તમે હનીના કેટલાક ટીપાને સીધા ફેસ પર અપ્લાય કરી શકો છો કે પછી તેના માસ્કને પણ. તે સ્કિન પર મેજિક ઈફેક્ટ આપવાનું કામ કરે છે, તો પછી હનીથી સ્વયંને હેલ્ધિ રાખો.
– પારૂલ ભટનાગર.

હેપી પ્રેગ્નન્સીના સિંપલ સિક્રેટ્સ

મા બનવાનો અહેસાસ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે, પરંતુ ૯ મહિનાની ગર્ભાવસ્થાનો આ સમય મુશ્કેલ અને નાજુક હોય છે. થોડીક બેદરકારીથી પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન આવી શકે છે. બાળકના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. પ્રથમ અને ત્રીજેા મહિનો નાજુક હોય છે. તેથી આ સમયે માએ પોતાનું ખૂબ ધ્યાન રાખવું જેાઈએ. તમારા ડાયટ, લાઈફસ્ટાઈલ, એક્સર્સાઈઝની સાથેસાથે મેન્ટલ હેલ્થને લઈને પણ સંપૂર્ણ સાવચેતી રાખવી જેાઈએ, જેથી તે સ્વસ્થ બાળકને જન્મ આપી શકે.

હેલ્ધિ પ્રેગ્નન્સી માટે ધ્યાન રાખો :
યોગ્ય અને પૌષ્ટિક ખાણીપીણી
ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના ખાણીપીણીમાં બેદરકારી ન રાખો. તમે જે પણ ખાશો તે તમારા બાળકને પણ અસર કરશે. પ્રેગ્નન્સી દરમિયાન નહીં, પરંતુ કંસીવ કરતા પહેલાં અને ડિલિવરી પછી પણ મહિલાઓએ ડાયટનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. પ્રેગ્નન્સીમાં પૌષ્ટિક આહાર લેવાથી જન્મ સમયે બાળકનું વજન યોગ્ય રહે છે. સંતુલિત આહારથી બાળકનો જન્મજાત વિકારોથી બચાવ થાય છે. ઘણી વાર પ્રેગ્નન્સી પહેલાં મહિનામાં કેટલીક મહિલાઓને ઊલટી, ભૂખ ન લાગવી, થાક જેવી સમસ્યા થાય છે, જેથી તેમને ખાવામાં તકલીફ થાય છે, પણ આ સમયે પોતાના ડાયટમાં ફાઈબરયુક્ત શાક, ફળો, નટ્સ, દૂધ વગેરે જરૂર લો.

પ્રેગ્નન્સીના ૯ મહિનામાં બાળકના શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીનની જરૂર હોય છે જેને બોઈલ ઈંડા, માછલી, બીન્સ જેમ કે રાજમા, લોબિયા, મગ, મેવા, સોયા અને દાળ વગેરેમાંથી પૂરું કરી શકાય છે. ઈંડાં પૌષ્ટિક હોય છે. તેમાં પ્રોટીન, બાયોટિન, કોલેસ્ટ્રોલ, વિટામિન ડી, એન્ટિ ઓક્સિડેન્ટ વગેરે ભરપૂર હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ પોતાના આહારમાં લીલા શાકભાજી જેમ કે પાલક, કોબીજ અને બ્રોકલીને સામેલ કરવી જેાઈએ. તે ઉપરાંત બીન્સ અને સરગવો પણ ખાવા જેાઈએ. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, તેની પ્રેગ્નન્ટ મહિલાઓને જરૂર હોય છે.

યોગ્ય અને સંયુક્ત ખાણીપીણી
ફાઈબરયુક્ત વસ્તુનું સેવન કરો. પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતની સમસ્યા વધે છે. તેથી પાચનક્રિયાનું ઠીક હોવું જરૂરી છે. પ્રયત્ન કરો કે તમારા ફૂડ્સમાં વધારેમાં વધારે ફાઈબર લો. તેનાથી કબજિયાત થવાનું જેાખમ નથી રહેતું. તમે જે પણ ખાઓ છો તેમાં ૧/૩ થી થોડો વધારે ભાગ કાર્બોહાઈડ્રેટ્સનો હોવો જેાઈએ. સફેદના બદલે સંપૂર્ણ અનાજની વેરાઈટી પસંદ કરો, જેથી તમને પૂરતું ફાઈબર મળી શકે. રોજ દૂધ અને ડેરી ઉત્પાદનનું સેવન કરો જેમ કે દૂધ, દહીં, ચીઝ, છાશ અને પનીર લો. જેા તમને દૂધ પચતું નથી તો કેલ્શિયમયુક્ત અન્ય વિકલ્પ જેમ કે છોલે, રાજમા, ઓટ્સ, બદામ, સોયા દૂધ, સોયા પનીર વગેરે પસંદ કરી શકો છો.

ધ્યાન રાખો
અઠવાડિયામાં ૨ દિવસ માછલીનું સેવન કરો. માછલીમાં પ્રોટીન, વિટામિન ડી, ખનીજ, ઓમેગા-૩ ફેટી એસિડ વગેરે હોય છે, જે તમારા બાળકના તંત્રિકાતંત્રના વિકાસ માટે જરૂરી હોય છે. જેા તમે શાકાહારી છો તો ડ્રાયફ્રૂટ્સ, બીજ, સોયા ઉત્પાદન અને લીલા શાક લો. તમારે ગર્ભાવસ્થામાં ૨ લોકો માટે ખાવાની જરૂર નથી. ભારતમાં મોટાભાગના ડોક્ટર બીજા અને ત્રીજા મહિનામાં ૩૦૦થી વધારે કેલરીના સેવનની સલાહ આપે છે. પ્રેગ્નન્સી દરમિયાન ચા, કોફીનું વધારે સેવન ન કરો. કોફીમાં રહેલું કેફીન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સારું છે કે તમે લીંબુવાળી ચા, હર્બલ ટી અથવા કેફીન રહિત ડ્રિંક્સનું સેવન કરો. દિવસ દરમિયાન નાના-નાના બ્રેકમાં હેલ્ધિ સ્નેક્સનું કરો. તેના માટે તમે રોસ્ટેડ બદામ, કાજુ, મખાણા, ચણા વગેરે ખાઓ. પ્રેગ્નન્સી દરમિયાન કેટલીક વસ્તુના સેવનથી દૂર રહો. જેમ કે કાચું અને અધપાકેલું માંસ, કાચું ઈંડું, પપૈયું વગેરે. તમે બોઈલ ઈંડું ખાઈ શકો છો, પણ ધ્યાન રાખો કે પીળો ભાગ સારી રીતે બોઈલ થયો હોય.

આયર્ન
શરીરમાં હીમોગ્લોબિન બનાવવા માટે આયર્નની જરૂર પડે છે. હીમોગ્લોબિન લાલ રક્ત કોશિકામાં જેાવા મળતું પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો તથા કોશિકામાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આયર્નથી ભરપૂર ભોજન ખાઓ. તમારા ભોજનમાં આયર્નથી ભરપૂર ફૂડ્સ જેમ કે દાડમ, બીટ વગેરે સામેલ કરો. ફોલિક એસિડનું સેવન પણ પ્રેગ્નન્સીના દિવસોમાં જરૂરી હોય છે. સીડીસી (સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન) મુજબ ગર્ભાવસ્થાની યોજના બનાવી રહેલી મહિલાઓએ ઓછામાં ઓછા ૧ મહિના પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન રોજ ૪૦૦ મિલીગ્રામ ફોલિક એસિડનું સેવન કરવું જેાઈએ. ફોલિક એસિડ વિટામિન બીનું એક રૂપ છે, જે બાળકના મગજ અને કરોડરજ્જુ સંબંધિત જન્મદોષથી બચાવ કરે છે. તેને તમે લીલા શાક, દાળ, ફોર્ટિફાઈડ અનાજના સેવનથી મેળવી શકો છો. પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિનામાં તમારે ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર છે, કારણ કે તે ભ્રૂણને હેલ્ધિ રાખવામાં મદદ કરે છે.

સ્વયંને હાઈડ્રેટેડ રાખો
સ્વયંને હાઈડ્રેટેડ રાખો. નાળિયેર પાણી, ફળોનો તૈયાર જ્યૂસ અને શેક પણ પી શકો છો, ડાયટમાં તે ફળો સામેલ કરો, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. કાકડી, દૂધી, તરબૂચ વગેરે ખાઓ. પૂરા દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી અને ૧ થી ૨ ગ્લાસ જ્યૂસ પીઓ. આ રીતે શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળે છે. પાણી તમારા યૂરિનરી ટ્રેકના ઈંફેક્શનને અટકાવવામાં મદદ કરે છે, તેનું જેાખમ ગર્ભવતી મહિલામાં વધારે હોય છે.

શારીરિક રીતે એક્ટિવ રહો
રોજ રાતે ડિનર કર્યા પછી ૧૫ થી ૩૦ મિનિટ ટહેલો. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુયોગ્ય રહેશે. તેનાથી ડિલિવરી વખતે વધારે સમસ્યા નથી થતી. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ ૩૦ મિનિટ માટે બ્રિક્સ વોક કરો. તેનાથી શરીરને ગર્ભાવસ્થા અને પ્રસવ દરમિયાન થતા પરિવર્તનનો સામનો કરવામાં મદદ મળે છે. તમે ફિઝિકલી અને ઈમોશનલી ફિટ અનુભવશો. બ્રીધિંગ એક્સર્સાઈઝથી પણ લાભ થશે, પરંતુ ભારે વજનવાળી અને મુશ્કેલ એક્સર્સાઈઝ કરવાથી દૂર રહો.

ટેન્શનથી દૂર રહો
કોઈ વાતને લઈને ટેન્શનમાં ન રહો. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. સ્ટ્રેસના લીધે કંસીવ કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે. ત્યાં સુધી કે પ્રીમેચ્યોર લેબર પણ થઈ શકે છે. તેથી પ્રેગ્નન્ટ મહિલાઓને ખુશ રહેવાની સલાહ આપવામાં આવે છે.

આરામ
શરીરને પૂરતો આરામ આપો. આ તેમના શરીરમાં સ્રાવિત થતા ગર્ભાવસ્થા હોર્મોન્સના ઉચ્ચ સ્તરના લીધે થાય છે. પછી આ થાક રાતે વારંવાર પેશાબ માટે ઊઠવા કે પછી વધતા પેટના લીધે આરામથી ન ઊંઘવાના લીધે થઈ શકે છે. પડખું ફેરવીને ઊંઘવાની ટેવ પાડો. ત્રીજા પહોરમાં પડખું ફેરવીને ઊંઘવાથી બાળક સુધી રક્તનો પ્રવાહ સુચારુ રહે છે. પડખું ફેરવીને ઊંઘવાથી મૃત શિશુના જન્મનું જેાખમ પીઠના બળે ઊંઘવાની સરખામણીમાં ઓછું હોય છે. સતત ડોક્ટરના સંપર્કમાં રહો. કોઈ સમસ્યા દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
– ગરિમા પંકજ.

૧૧ ન્યૂ યર હેલ્થ ટિપ્સ

કોવિડ-૧૯ પછી દરેક વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં કોવિડના નવા વેરિઅન્ટે દેખા દીધી છે, ને ફરીથી દરેક વ્યક્તિ હેલ્થને લઈને સભાન થઈ ગઈ છે. આજે કોઈ પણ વ્યક્તિ ૧૦ વર્ષ પહેલાંથી કોઈ પ્રકારનું પ્લાનિંગ નથી કરી રહી, કારણ કે જીવન અનપ્રેડિક્ટેબલ છે, જ્યાં પૈસા અને શક્તિ હોવા છતાં લોકો પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે. એવામાં દરેક ઉંમરના લોકો આજે સ્વાસ્થ્ય અને તેની કાળજીને લઈને જાગૃત થઈ રહ્યા છે. આ વિશે મુંબઈના કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના કંસલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રવીણ કહાલે જણાવે છે કે કોવિડના લીધે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને આ સારી વાત છે, પરંતુ કેટલીક વાત દરેક વ્યક્તિને ન્યૂ યર પર સમજવાની જરૂર છે, જે નીચે મુજબ છે :
તમારું વજન કંટ્રોલમાં રાખો. ધ્યાન રાખો કે તમારું વજન યોગ્ય છે કે નહીં. તેના માટે તમારે વધારે કેલરીથી બચવું પડશે અને નિયમિત એક્સર્સાઈઝ કરવી જેાઈએ. લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવા જેવો સરળ ઉપાય તમે રોજ કરી શકો છો. બેસી રહેવું તમારા માટે એટલું જ નુકસાનકારક છે જેટલું પેસિવ સ્મોકિંગ છે. સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી હૃદયની બીમારીનું જેાખમ રહે છે. જ્યારે તમે બેસી રહો છો ત્યારે તમારા શરીરને એટલું જ નુકસાન પહોંચે છે જેટલું લાકડાના ધુમાડામાં રહેવાથી થાય છે. તેથી એક્સર્સાઈઝ ન કરવી અથવા બેસી રહેવાને પેસિવ સ્મોકિંગ માનવામાં આવે છે.
પેક્ડ ફૂડ્સ ઓછું ખાઓ કે બંધ કરો અને સ્વસ્થ આહાર પસંદ કરો. રોજિંદા આહારમાં શાક સામેલ કરો. મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું કરો.
આહાર પર નિયંત્રણ રાખવાની સાથે એક્સર્સાઈઝ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. એક્સર્સાઈઝ વધારે કરવાથી કેટલીય વાર સમસ્યા ઊભી થાય છે. કેટલીય વાર લોકો બોડી બનાવવા માટે સ્ટેરોઈડ્સ અને આ પ્રકારની અન્ય દવાઓ લે છે, જેથી હૃદયની બીમારીનું જેાખમ રહે છે.
બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર રાખો. તેમને રમવા, એક્સર્સાઈઝ કરવા માટે પ્રોત્સાહિત કરો. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો. તેનાથી બાળકોમાં સહનશીલતા વધે છે અને હૃદયની બીમારીનું જેાખમ ઓછું રહે છે.
જીવનશૈલીમાં આ મહત્ત્વના પરિવર્તન લાવવાની સાથે ગાઢ નિદ્રા લેવી ખૂબ જરૂરી છે. તેની સાથે ઊંઘની ગુણવત્તા પણ મહત્ત્વની છે. ઊંઘતા પહેલાં મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રહો, કારણ કે આ તમારા સર્કેડિયન રિધમને જેડે છે અથવા પરેશાન કરે છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઊંઘ મહત્ત્વની છે. બપોરના સમયે થોડો આરામ કરી શકો છો, પરંતુ દિવસે લાંબા સમય સુધી ઊંઘવાથી નિશ્ચિત રીતે તમારું હૃદય સંબંધિત જેાખમ વધશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે તમારું હૃદય સ્વસ્થ રાખી શકો છો.
જુદી-જુદી ઉંમરના લોકો માટે એક્સર્સાઈઝ પણ અલગઅલગ પ્રકારની હોય છે. જે લોકોને સાંધાનો દુખાવો અથવા અન્ય સમસ્યા હોય છે, તેઓ જેાગિંગ અને ટ્રેડમિલના બદલે સ્વિમિંગ અને સાઈકલ ચલાવવા જેવી સ્થિર એક્સર્સાઈઝ કરી શકે છે. આ પ્રકારના સાધનો જિમ ઘરમાં પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
બિલકુલ જરૂરી નથી કે હાઈ સ્પીડવાળી એક્સર્સાઈઝ કરો. મધ્યમ તીવ્રતાવાળી એક્સર્સાઈઝ નિયમિત અને સતત કરીને તાણને દૂર કરી શકો છો. ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેક એક્સર્સાઈઝ કરવાથી નુકસાન થઈ શકે છે.
વિટામિન ડી, વિટામિન બી-૧૨ જેવા પોષક તત્ત્વોની ઊણપની તપાસ કરાવતા રહો અને શરીરમાં આયર્નની કમી ન થવા દો. યુવા મહિલાઓ સાથે વયસ્ક મહિલાઓમાં પણ વિટામિન, આયર્નની કમી સામાન્ય સમસ્યા છે. હૃદયની હેલ્થને સારી રાખવા માટે પોષણના દષ્ટિકોણથી આ મહત્ત્વનું પાસું છે.
કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અથવા કોલેસ્ટ્રોલ ન હોય તો પણ સ્થૂળતા અને વધારે વજન હોવાથી હૃદયની બીમારીનું જેાખમ ૨૫ ટકા વધે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા એક જીવલેણ કોમ્બિનેશન છે, કારણ કે સ્થૂળતાના લીધે ડાયાબિટીસની શક્યતા વધે છે અને એક વાર જેા દર્દીને હાઈ શુગર થઈ જાય છે, તો હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.
ધૂમ્રપાન હાર્ટએટેક થવાનું મુખ્ય કારણ છે. સિગારેટના ધુમાડામાં જે કેમિકલ્સ હોય છે તેમાંથી શરીરમાં બ્લડ ઘટ્ટ થાય છે, વાહિકાઓ અને શિરાઓ, ધમનીમાં ક્લોટ થવા લાગે છે.
સારી હેલ્થ માટે મહત્ત્વપૂર્ણ છે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ અને મીઠું, ખાંડનું પ્રમાણ ઓછું રાખો. ઉંમર વધતા કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્કને ઓછું કરવા માટે બાળપણથી કેટલીક વાતનું ધ્યાન રાખવું જેાઈએ. મીઠું અને ખાંડ આ બે વસ્તુ તમારા શરીરને નહીં, પરંતુ જીભને ખુશ રાખવાનું કામ કરે છે. તમારે વિચારવું જેાઈએ કે ન્યૂ યરમાં તમે માત્ર જીભને ખુશ રાખવા માંગો છો કે પૂરા શરીરને?
– સોમા ઘોષ.

બ્રેન બ્લીડથી હાર્ટએટેકનું જેાખમ

સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.

સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જેાખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જેાખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જે બ્લીડિંગ ખૂબ ગંભીર હોય. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવાની અનેક રીત છે. એક રીત એ છે કે હૃદયની બીમારીને પેદા કરતા પરિબળો, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસથી સુરક્ષિત રહો. તેના માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવો, સ્વસ્થ આહાર લો, નિયમિત એક્સર્સાઈઝ કરો, ધૂમ્રપાન ન કરો તેમજ દારૂનું સેવન સીમિત પ્રમાણમાં કરો. બીજી રીત એ છે કે જેા ઉપર જણાવેલી બાબતમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

ઈસ્કેમિક સ્ટ્રોકના લક્ષણ
અચાનક કમજેારીનો અનુભવ થવો, ચહેરો, ખભા અથવા પગ સુન્ન થવા, તેમાં પણ ખાસ તો શરીરના એક ભાગમાં સુન્નપણાનો અનુભવ થવો, અચાનક ભ્રમિત થવું, બોલવા અથવા સમજવામાં મુશ્કેલી, એક અથવા બંને આંખે જેાવામાં સમસ્યા, અચાનક ચાલવામાં પરેશાની, ચક્કર આવવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી, અચાનક માથામાં તીવ્ર દુખાવો.

હાર્ટએટેકના લક્ષણ
છાતીમાં દુખાવો અથવા અસહજતાનો અનુભવો થવો, શરીરના ઉપરના ભાગ, બાવડા, પીઠ, ગરદન, જડબા અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અથવા સારું ન લાગવું, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પરસેવો થવો, ઊલટી આવવી, ચક્કર આવવા અથવા સામાન્ય થાક લાગવો. અહીં એ વાત પર ધ્યાન આપવું જેાઈએ કે જરૂરી નથી કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના દરેક કિસ્સામાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવે. જેાકે તેનાથી બચવા માટે જરૂરી પગલાં લેવા ખૂબ જરૂરી છે. કુલ મળીને સેરેબ્રલ હેમરેજના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ઘણા બધા લોકો માટે ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ જેાખમ ખાસ એ લોકોમાં વધારે રહે છે જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો ઈતિહાસ રહ્યો હોય, પરંતુ બ્રેન બ્લીડિંગથી પીડિત કોઈ પણ વ્યક્તિમાં આવું થઈ શકે છે. તેથી જરૂરી છે કે એ પરિબળોથી સુરક્ષિત રહો, જેનાથી હૃદયની બીમારી થતી હોય. તેની સાથે ઈસ્કેમિક સ્ટ્રોક કે હાર્ટએટેકના લક્ષણ દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો.

એન્ટિપ્લેટલેટ થેરપિ
આ થેરપિમાં દર્દીને એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટ અટકાવે છે. એન્ટિપ્લેટલેટ થેરપિથી તે લોકોમાં ફરીથી સ્ટ્રોક શક્યતા ઓછી થઈ જાય છે જેમને પહેલા સેરેબ્રલ હેમરેજ થયું હોય છે.

એન્ટિકોગ્યુલેશન થેરપિ
આ થેરપિમાં એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટને બનવા અથવા મોટા થતા અટકાવે છે. આ થેરપિની સારવાર બ્લડ ક્લોટ ઘટાડવા, એટ્રિયલ ફાઈબ્રિલેશન માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સેરેબ્રલ હેમરેજની સારવાર માટે પણ આ થેરપિનો ઉપયોગ કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના કેટલાક કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. તેમાં ફાટેલી બ્લડ વેસલનું રિપેરિંગ કરવામાં આવે છે. ઘણી વાર બ્રેન ટ્યૂમરને દૂર કરવા અને બ્લીડિંગના લીધે મગજ પર પડતા દબાણને ઘટાડવા પણ સર્જરી કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના ઠીક થયા પછી રીહેબિલિટેશન પણ જરૂરી છે. મગજને કેટલું નુકસાન પહોંચ્યું છે, તેને ધ્યાનમાં રાખીને દર્દીને ફિઝિકલ થેરપિ, ઓક્યુપેશનલ થેરપિ, સ્પીચ થેરપિ અથવા જરૂર મુજબની બીજી કોઈ થેરપિ આપવામાં આવે છે, જેથી દર્દીના ફંક્શન ફરીથી સામાન્ય થાય અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે.

અહીં એ વાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની સારવાર અને વ્યવસ્થા મુશ્કેલ બને છે. તેને દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવે છે. તેથી દર્દીએ સત્વરે ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ.
ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવા માટે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના જેાખમથી બચવું જેાઈએ. હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, દારૂનું વધારે પડતું સેવન અને લોહી પાતળું કરવાની દવા વગેરે એવા પરિબળ છે, જેથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા વધી જાય છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને અને કેટલીક દવાની મદદથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા ઘટાડી શકાય છે. નિયમિત રીતે શારીરિક એક્સર્સાઈઝથી પણ સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતામાં ઘટાડો કરી શકાય છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તેનાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત બીમારીથી બચાવી શકાય છે.
– પ્રતિનિધિ.

બોન હેલ્થ બેદરકારી ભારે પડશે

ભરપૂર ઊર્જા સાથે પોતાના કામ કરવા અને વાસ્તવમાં એક સુંદર ખુશહાલ જિંદગી જીવવા માટે હાડકાનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. હાડકામાં થતી સમસ્યાના લીધે તમારા જીવનની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે અને તમે તમારા પરિવાર અને ઘરના કામકાજને યોગ્ય રીતે મેનેજ નથી કરી શકતા. જેાકે વધતી ઉંમરની સાથે હાડકાનું ઘનત્વ ઘટવા લાગે છે જેનાથી તે કમજેાર પડી જાય છે, પરંતુ આ સ્થિતિનો સામનો કરવા માટે પહેલાંથી તૈયાર રહેવું અને બોન હેલ્થ વિશે જાણકારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. હકીકતમાં, હાડકાં આપણા શરીરમાં ઘણી બધી ભૂમિકા ભજવતા હોય છે. તે આપણને એક નિશ્ચિત સંરચના પ્રદાન કરે છે, અંગોનું રક્ષણ કરે છે અને માંસપેશીઓને સલામત રાખવાની સાથે કેલ્શિયમનો સંગ્રહ કરે છે. જે લોકોના હાડકાં મજબૂત રહે છે તેઓ સ્વસ્થ અને સક્રિય જીવન જીવતા હોય છે. શરીરમાં જૂના હાડકાં તૂટતા રહે છે અને નવા હાડકાં બનતા રહે છે.

આ જ કારણસર આપણું બોન માસ અથવા વેઈટ વધે છે. ૩૦ વર્ષની ઉંમર સુધી વ્યક્તિના જૂના હાડકાં ધીરેધીરે તૂટે છે અને નવા હાડકાં જલદી બને છે. આ ઉંમર પછી નવા હાડકાં બનવાની પ્રક્રિયા ધીમી પડતી જાય છે, જેથી હાડકાં કમજેાર પડતા જાય છે. ખાસ તો મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીનું જેાખમ વધી જાય છે, પરંતુ જેા યોગ્ય જીવનશૈલી, આહાર અને એક્સર્સાઈઝ કરવામાં આવે તો તેનાથી તમારા હાડકાં હંમેશાં મજબૂત રહે છે.

બોન હેલ્થનું ખાસ ધ્યાન રાખો
આવો જાણીએ કે મહિલાઓને પોતાના હાડકાના સ્વાસ્થ્ય વિશે બીજા કરતા ખાસ સાવચેતી રાખવાની જરૂર કેમ છે :
પુરુષોની સરખામણીમાં મહિલાઓના હાડકાં કમજેાર અને નાના હોય છે. તેમના નાના શરીરના લીધે ફ્રેક્ચરનું જેાખમ વધારે રહે છે. પશ્ચિમની મહિલાઓની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં હાડકાની તાકાત ઓછી હોય છે. જે મહિલાઓના હાડકાં નાના અને પાતળા હોય છે, તેમનામાં ઓસ્ટિયોપોરોસિસ સંબંધિત ફ્રેક્ચરનું જેાખમ પણ વધારે રહે છે. તેથી સ્પષ્ટ છે કે પોતાની શારીરિક સંરચનાના લીધે પણ ભારતીય મહિલાઓએ પોતાના હાડકાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મહિલાઓમાં મેનોપોઝ તેમના હાડકાં જલદી અને ઝડપથી કમજેાર પાડી શકે છે : મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનના લીધે માસિકધર્મ થાય છે. આ હોર્મોન હાડકાના વિકાસ અને મજબૂતાઈ માટે ખૂબ જરૂરી હોય છે. સામાન્ય રીતે ૪૫-૫૦ ની ઉંમર સુધીમાં મેનોપોઝની શરૂઆત થઈ જાય છે. જ્યારે આ હોર્મોનનું સ્તર ઘટી જાય છે, ત્યારે મહિલાઓને મેનોપોઝ થઈ જાય છે અને આ ઉંમર પછી મહિલાઓમાં હાડકાની મજબૂતાઈ પણ ઘટવા લાગે છે. તેથી આ કારણસર મહિલાઓએ મેનોપોઝ સમયે પોતાના હાડકાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મહિલાઓનું કમજેાર ડાયટ : પુરુષોની સરખામણીમાં ભારતીય મહિલાઓને કેલ્શિયમયુક્ત ખાદ્યપદાર્થ જેમ કે દૂધ, દહીં વગેરેનું નિયમિત રીતે સેવન કરવાની ટેવ ઓછી હોય છે. તે ઉપરાંત પુરુષોની સરખામણીમાં મહિલાઓ માંસ, માછલી અને ઈંડાનું સેવન કરવાથી દૂર રહેતી હોય છે. જ્યારે આ બધા એવા ખાદ્યપદાર્થ છે જે મજબૂત હાડકાં માટે પોષક પદાર્થ પ્રદાન કરે છે. તેની ઊણપથી મહિલાઓને બોન સંબંધિત પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે રહે છે.

મહિલાઓમાં બોન હેલ્થના સંદર્ભમાં જાણકારીનો અભાવ : અનેક અભ્યાસ પરથી જાણકારી મળે છે કે ભારતીય મહિલાઓમાં હાડકાના સ્વાસ્થ્ય વિશે જાગૃતિનો અભાવ હોય છે. આ અભાવ તેમને આ બાબતે આવશ્યક પગલાં ભરતા અટકાવે છે. તે પોતાના બાળકો અને પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખતી હોય છે, પરંતુ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ જાય છે. આમ કરવાથી તેમના હાડકાં નાની ઉંમરે કમજેાર થવા લાગે છે.

હાડકાં આ રીતે મજબૂત રાખો
એક નિશ્ચિત ઉંમર પછી હાડકાનું કમજેાર થવું સ્વાભાવિક વાત છે, પરંતુ જેા તમારી લાઈફસ્ટાઈલમાં કેટલીક ખોટી આદતો સામેલ હશે તો ઉંમર પહેલાં તમારા હાડકાં કમજેાર પડી શકે છે. ત્યાર પછી હાડકાં કમજેાર થવા પર અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી નીચે જણાવેલી વાતનું ધ્યાન જરૂર રાખો.

કેફીન અને કાર્બોનેટેડ પેયપદાર્થથી અંતર જરૂરી : ચા, કોફી અથવા કાર્બોનેટેડ પેયપદાર્થ જેમ કે સોફ્ટ ડ્રિંક, શેમ્પેઈન વગેરે હાડકામાંથી કેલ્શિયમને ખેંચી શકે છે. હાર્વર્ડમાં થયેલા એક રિસર્ચ અનુસાર ૧૬ થી ૨૦ વર્ષની ઉંમરની મહિલાઓમાં સોફ્ટ ડ્રિંકના વધારે સેવનથી હાડકાને નુકસાન પહોંચવાની વાત સામે આવી હતી. સોફ્ટ ડ્રિંકમાં ફોસ્ફેટ વધારે હોય છે, જે શરીરમાં કેલ્શિયમને ઘટાડવાનું કામ કરે છે.

જરૂર કરતા વધારે પ્રોટીન લેવું : જરૂર કરતા વધારે પ્રોટીન લેવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. વધારે પ્રમાણમાં પ્રોટીન લેવાથી શરીરમાં એસિડિટી થઈ શકે છે, જેથી પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી શકે છે. મોટાભાગના લોકોને દિવસમાં ૦.૧૨ કિ.ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. તેનાથી વધારે પ્રમાણમાં પ્રોટીન લેવું તમારા હાડકાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એસિડિટીની દવાઓ મુશ્કેલી વધારી શકે છે : ઘણા લોકો શરીરમાં ગેસ અનુભવતા અથવા વધારે તીખું ભોજન ખાધા પછી સાવચેતીવશ એસિડિટીની દવાનું સેવન કરતા હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનીજપદાર્થના અવશોષણ માટે પેટમાં એસિડનું હોવું જરૂરી છે. જેા તમે આ એસિડને બનતું અટકાવવાની કોઈ દવા લઈ રહ્યા છો તો તેનાથી તમારામાં ઓસ્ટિયોપોરોસિસનું જેાખમ વધી જાય છે. જે તમે કોર્ટિકોસ્ટેરોઈડ દવાનું સેવન લાંબા સમયથી કરી રહ્યા છો તો તેનાથી પણ ઓસ્ટિયોપોરોસિસનું જેાખમ વધી જાય છે.

કોફીથી દૂર રહો : ૧ કપ કોફી પીવાથી પેશાબ દ્વારા ૧૫૦ મિલીગ્રામ કેલ્શિયમ શરીરમાંથી બહાર નીકળી જાય છે. કોફીમાં બીજા પણ હાનિકારક કેમિકલ હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં અડચણ પેદા કરી શકે છે. તેમ છતાં તમે જેા કોફી પીવા ઈચ્છો તો કોફીના પ્રત્યેક કપના બદલામાં ૧૫૦ મિલીગ્રામથી વધારે કેલ્શિયમ લેવાની ટેવ પણ પાડો.

સપ્લિમેન્ટ લો : તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપ હોય તો તેનાથી તમારા હાડકાં કમજેાર પડવા લાગે છે. આ સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર ખાદ્યસામગ્રીનું સેવન કરવું ખૂબ જરૂરી બની જાય છે. વિટામિન-ડી કેલ્શિયમના અવશોષણ અને તેને હાડકાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જ્યારે તમે સૂર્યપ્રકાશ નથી લઈ શકતા તો તેની જગ્યાએ વિટામિન-ડીના સપ્લિમેન્ટ પણ લઈ શકો છો. તમારો દૈનિક આહાર તમારી કેલ્શિયમની જરૂરિયાતને પૂરી નથી કરી શકતો, તેથી કેલ્શિયમ સપ્લિમેન્ટ અને વિટામિન-ડી સપ્લિમેન્ટ લેવાના વિકલ્પ પસંદ કરો.

તાણ : સ્ટ્રેસથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે. જેા લાંબા સમય સુધી આ સ્તર વધેલું રહે તો હાડકાને નુકસાન પહોંચી શકે છે. તેથી બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી શકે છે. તેથી તાણથી દૂર રહેવા માટે મેડિટેશન કરો અને પૂરતી ઊંઘ લો.

એક્સર્સાઈઝ : શારીરિક નિષ્ક્રિયતા વધવાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અને તેના લીધે સંધિવા જેવી બીમારીનું જેાખમ વધી જાય છે. મહિલાઓ માટે પોસ્ટ મેનોપોઝલ અવસ્થા પછી ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ એક્સર્સાઈઝ કરતા રહેવું જરૂરી છે. એક્સર્સાઈઝ દરમિયાન જ્યારે માંસપેશીઓ હાડકાની વિપરીત ખેંચાય છે ત્યારે તેનાથી હાડકામાં ઉત્તેજના પેદા થાય છે. ચાલવાથી, સાઈકલિંગ કરવાથી, સીડીઓ ચઢવાથી અને વેટ લિફ્ટિંગથી હાડકાંના ઘનત્વમાં વધારો થાય છે. તેથી દિવસમાં ૧૫ થી ૩૦ મિનિટની એક્સર્સાઈઝ પણ ખૂબ જરૂરી રહે છે.
– ગરિમા પંકજ.

૫ સુપર હેલ્ધિ ઓઈલ હાર્ટ રાખે ફિટ

જ્યારે પણ આપણે કુકિંગ ઓઈલ ખરીદવા જઈએ છીએ ત્યારે જેાઈએ છીએ કે તેની કિંમત કેટલી છે. જેા ઓઈલની કિંમત ઓછી હોય છે આપણે તે જ ખરીદીએ છીએ. એ જાણ્યા વિના કે તે આપણી હેલ્થ માટે સારું છે કે નહીં. જ્યારે ઓઈલનો સીધો સંબંધ આપણી હેલ્થ અને હાર્ટ સાથે જેાડાયેલો છે. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે કુકિંગ ઓઈલની પસંદગી સાવચેતીથી કરો, જેથી તમારું ભોજન સ્વાદિષ્ટ બનવાની સાથેસાથે તમારા હાર્ટની હેલ્થ પણ સારી રહે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર વર્ષે ૧૨ લાખની આસપાસ યંગસ્ટર્સના હાર્ટએટેકના લીધે મૃત્યુ થઈ રહ્યા છે, જે ચિંતાજનક આંકડા છે. તેથી સમય રહેતા સતર્ક થવાની જરૂર છે. તો આવો જાણીએ, કયું કુકિંગ ઓઈલ આપણી હેલ્થ માટે સારું છે :

સેચ્યુરેટેડ-અનસેચ્યેુરેટેડ ઓઈલ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ મુજબ, જેા આપણે આપણા હાર્ટને હેલ્ધિ રાખવું છે તો આપણે અનસેચ્યુરેટેડ ઓઈલ અથવા ગુડ ફેટ, જેને પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટમાં કહેવામાં આવે છે, તેનું સેવન કરી શકો છો. તે રૂમ ટેંપરેચર પર લિક્વિડ હોય છે. ઓમેગા ૩ ફેટી એસિડ, જે અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, તે આપણી હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ ફેટ હાર્ટએટેક અને સ્ટ્રોકનું જેાખમ ઘટાડે છે, સાથે આ શરીરમાં ટ્રિગ્લીસેરિડેસ લેવલને પણ ઘટાડે છે. તે ઉપરાંત શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. તેની સાથે તે આપણા બ્લેડપ્રેશર લેવલને કંટ્રોલ કરવા અને આપણી આર્ટરીજને હાર્ડ થવા નથી દેતું. બીજી બાજુ સેચ્યુરેટેડ ફેટ, જેને બેડ ફેટ પણ કહેવાય છે. આપણે તેને ખાવાથી પરેજ કરવી જેાઈએ અને ઓછા પ્રમાણમાં ખાવું જેાઈએ, કારણ કે તે આપણા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. આ ફેટ રૂમ ટેંપરેચર પર સોલિડ હોય છે. તમારે આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ્સથી દૂર રહેવું જેાઈએ, કારણ કે તે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર, સ્થૂળતા વગેરેને વધારવાનું કામ કરે છે.

ઈન્ફોર્મેટિવ ફેક્ટ
જેા તમારા શરીરને રોજ ૨૦૦૦ કેલરીની જરૂર હોય તો તમારે તેની ૨૦-૨૫ કેલરી ફેટમાંથી લેવી જેાઈએ અને પ્રયાસ કરવો જેઈએ કે આ ફેટ અનસેચ્યુરેટેડ ફેટ હોય અને જેા સેચ્યુરેટેડ ફેટ લઈ રહ્યા છો તો તેની લિમિટ નક્કી કરો એટલે માત્ર ૫-૬ ટકા જ લો.

હાર્ટ માટે કયું ઓઈલ હેલ્ધિ છે
ઓલિવ ઓઈલ : નિષ્ણાત અને ન્યૂટ્રિશનિસ્ટની સલાહ અનુસાર ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય જ છે પરંતુ હાર્ટ હેલ્થ માટે તેને વધારે લાભદાયક માનવામાં આવે છે. હાર્ટને હેલ્ધિ બનાવવા માટે તમે કુકિંગમાં આ ઓઈલનો નિશ્ચિંતપણે ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલ પોલીફેનોલ્સ નામક કંપાઉન્ડથી ભરપૂર હોય છે, જે હૃદયરોગના જેાખમને ઘટાડે છે. તે સિવાય ઓલિવ ઓઈલના તેલમાં હેલ્ધિ ફેટ હોય છે. હકીકતમાં આ ઓઈલ મોનોઅનસેચ્યુરેટેડ હોય છે અને ઓલિવ ઓઈલમાં ઓલિક એસ્ડિ નામનું મુખ્ય ફેટી એસિડ હોય છે, જે શરીરમાં સોજેા, કેન્સર અને હાર્ટની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. સાથે તેમાં મોટી સંખ્યામાં પાવરફુલ એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે તમારા બ્લડ કોલેસ્ટ્રોલને ઓક્સિડેશનથી બચાવીને હાર્ટની બીમારી સામે રક્ષણ આપે છે. દુનિયામાં સ્ટ્રોકથી મૃત્યુ થવું બીજું મોટું કારણ છે. એક રિસર્ચમાં લગભગ દોઢ લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં જેાવા મળ્યું કે જે લોકોએ સતત ઓલિવ ઓઈલનું સેવન કર્યું, તેમાં સ્ટ્રોકનું જેાખમ ઓછું જેાવા મળ્યું. ઓલિવ ઓઈલ બ્લડપ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથેસાથે બ્લડ વેસલ્સના ફંકશનને ઈમ્પ્રૂવ કરીને તમારા હાર્ટને પણ હેલ્ધિ બનાવવાનું કામ કરે છે. તેમાં એન્ટિકેન્સર પ્રોપર્ટી કેન્સરના જેાખમને પણ ટાળવામાં મદદ કરે છે. તેથી કુકિંગમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક છે.

કેનોલા ઓઈલ : જેા તમે હાર્ટ અથવા કોલેસ્ટ્રોલની બીમારીથી ગ્રસ્ત છે કે પછી સ્વયંને તેનાથી બચાવવા માંગો છો તો કેનોલા ઓઈલ તમારા માટે સૌથી સેફ અને હેલ્ધિ ઓપ્શન છે, કારણ કે તેમાં ગુડ ફેટની સાથેસાથે વિટામિન એ અને વિટામિન કેની ખૂબીઓ અને આ કોલેસ્ટ્રોલ પણ ફ્રી છે. તેમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ હોવાની સાથેસાથે તેમાં મોટા પ્રમાણમાં ઓમેગા ૩ ફેટી એસિડ અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે તમારા બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ સોજાને કંટ્રોલ કરીને તમારા હાર્ટનું ખાસ ધ્યાન રાખવાનું કામ કરે છે. કેટલાય હેલ્થ ઓર્ગેનાઈઝેશને કેનોલા ઓઈલને હાર્ટ સ્માર્ટ ઓઈલ જણાવ્યું છે, કારણ કે તેમાં ૦્રુ ટ્રાન્સ ફેટ હોવાની સાથેસાથે હાઈ લેવલ ઓફ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમને હાર્ટ અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીથી દૂર રાખવાનું કામ કરે છે.

સરસવનું તેલ : સરસવના તેલનો ઉપયોગ મોટાભાગે લોકો કરે જ છે. જેા તમે સરસવના તેલનો ઉપયોગ નથી કરતા, તો હાર્ટ હેલ્થને સુદઢ રાખવા માટે સરસવના તેલમાં જમવાનું બનાવવાની શરૂઆત કરો. સરસવનું તેલ હાર્ટ હેલ્થને જાળવી રાખે છે. તેની સાથે સાંધા અને શરીરનાં અન્ય ભાગ માટે પણ લાભપ્રદ હોય છે. હકીકતમાં સરસવના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી હોય છે જે હાર્ટ માટે લાભદાયક હોય છે.

રાઈસ બ્રાન ઓઈલ : રાઈસ બ્રાન ઓઈલ હાર્ટ હેલ્થ માટે ખૂબ લાભદાયક છે. તમારા હાર્ટને હેલ્ધિ રાખવા માટે તમે રાઈસ બ્રાન કુકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. રાઈસ બ્રાન ઓઈલમાં પણ મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચુરેટેડ ફેટી એસિડનું બેલેન્સ યોગ્ય હોય છે. આ સ્થિતિમાં તે હાર્ટને હેલ્ધિ રાખે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને પણ સંતુલિત કરે છે.

સૂરજમુખીનું તેલ : સૂરજમુખીનું તેલ હાર્ટને હેલ્ધિ રાખવામાં લાભપ્રદ હોય છે. તમારા હાર્ટને હેલ્ધિ રાખવા માટે તમે સૂરજમુખી કુકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. સૂરજમુખીનું તેલ હૃદયરોગના જેાખમને ઓછું કરવામાં મદદ કરી શકે છે. તેની સાથે તેમાં વિટામિન ઈ હોય છે, જે હૃદયને સ્વસ્થ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એવોકાડો ઓઈલ : તેમાં વધારે પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે એટલે તેમાં હેલ્ધિ ફેટ્સની સાથેસાથે એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જેનો સીધો સંબંધ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવાની સાથેસાથે ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારવાનું કામ કરે છે. એવોકાડો ઓઈલમાં હાર્ટની હેલ્થનું ધ્યાન રાખનાર ઓલિક એસિડ હોય છે. કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય રહેવાથી હાર્ટ સારી રીતે કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે છે. સાથે આ ઓઈલની ખાસિયત એ છે કે તેમાં વધારે પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે પોષણ તત્ત્વોના અવશોષણમાં મદદ કરે છે, સાથે તેમાં પોલીફિનોલિસ નામના એન્ટિઓક્સિડેન્ટ ફ્રી રેડિકલ્સથી શરીરને સુરક્ષા પ્રદાન કરવામાં પણ સહાયતા થાય છે. આ ઓઈલ ન માત્ર હાર્ટ માટે, પરંતુ તમારી ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે.

સનફ્લાવર ઓઈલ : અનેક સ્ટડીમાં જેાવા મળ્યું છે કે સનફ્લાવર ઓઈલમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હાર્ટ માટે સારું માનવામાં આવે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ નથી હોતી. જેનાથી તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આ સેચ્યુરેટેડ ફેટની સરખામણીમાં તરત શરીરને ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે સાથે તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ ઈમ્યૂન સિસ્ટમને મજબૂતી પ્રદાન કરે છે, જેથી બેક્ટેરિયા અને વાયરસ સરળતાથી શરીરમાં પ્રવેશ નથી કરી શકતા. તેમાં રહેલા પ્રોટીન ટિશ્યૂની રિપેર કરવા અને બનાવવામાં સહાયક થાય છે.

સીસમ ઓઈલ : સીસમ ઓઈલ એન્ટિઓક્સિડેન્ટથી લોડેડ થવાની સાથેસાથે તેમાં વિટામિન ઈ, ફીટોસ્ટેરોલ્સ થવા, સેસમોલ અને સેસમિનોલ તત્ત્વ હોય છે, જે તમારા શરીરમાં ફ્રીરેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તેમાં સંતુલિત પ્રમાણમાં ઓમેગા ૩, ઓમેગા ૬ અને ઓમેગા ૯ ફેટી એસિડ હોય છે. તે હાર્ટ ડિસીસને વધારતા અટકાવવાનું કામ કરે છે. સ્ટડી અનુસાર, સીસમ ઓઈલ હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જેથી હાર્ટ સંબંધિત બીમારીનું જેખમ ઓછું થઈ જાય છે. તેમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેથી આ ઓઈલને હાર્ટ માટે સારું માનવામાં આવે છે. સાથે તે મેગ્નેશિયમનો સારો સ્રોત હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રતિ કરવાનું કામ કરે છે.
– પારૂલ ભટનાગર.

ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય

દુનિયાભરમાં ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકાની વચ્ચે પરિણીત કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ભારતમાં ૩૦ મિલિયન ઈંફર્ટાઈલ કપલમાંથી લગભગ ૩ મિલિયન કપલ દર વર્ષે ઈનફર્ટિલિટીનો ઈલાજ કરાવી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં આ આંકડા વધારે છે. ત્યાં દર ૬ માંથી ૧ કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને તેના ઈલાજને લઈને જાગૃત છે, પરંતુ દર સમસ્યાનો ઈલાજ શક્ય છે. તેથી નિરાશ થયેલા કપલ પણ પેરન્ટ બની શકે છે.

ઈનફર્ટિલિટી શું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે, ઈનફર્ટિલિટી રીપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જેાડાયેલી બીમારી છે. ઈનફર્ટિલિટી શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે કપલ કોઈ પ્રોટેક્શન વિના ઉપયોગ માટે એક વર્ષથી વધારે સમય પ્લાન કરી રહ્યા હોય, તેમ છતાં કંસીવ કરવામાં સમસ્યા આવી રહી હોય. ઈનફર્ટિલિટીનું કારણ માત્ર મહિલાઓ જ નથી, પરંતુ પુરુષ પણ હોય છે. ઘણી વાર મહિલાઓમાં તેનું કારણ ફેલોપિયન ટ્યૂબનું બ્લોક થવું, ઈંડા ન બનવા, ઈંડાની ક્વોલિટી ખરાબ હોવી, પ્રેગ્નન્સી હોર્મોન્સનું સંતુલન બગડવું, પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ વગેરેના લીધે થાય છે, જેથી મા બનવામાં સમસ્યા આવે છે. બીજી તરફ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા, તેની ક્વોલિટી સારી ન હોવી અને તેમની મોટેલિટી એટલે કે તે એક્ટિવલી કેટલું કામ કરે છે. સારી ન હોય ત્યારે પણ પાર્ટનરને કંસીવ કરવામાં સમસ્યા થાય છે, પરંતુ સમસ્યા થવાની નહીં, પરંતુ ઈનફર્ટિલિટીની ટ્રીટમેન્ટથી તમારી સમસ્યાનું સમાધાન થશે.

તેનો ઈલાજ શું છે
પીરિયડને નિયમિત કરવું : ભલે વાત સામાન્ય રીતની કે પછી કોઈ ટ્રીટમેન્ટની, ડોક્ટર સૌપ્રથમ તમારા પીરિયડને નિયમિત કરવાની કોશિશ કરે છે, જેથી તમારા હોર્મોન્સ સામાન્ય થઈ શકે અને તમને કંસીવ કરવામાં કોઈ સમસ્યા ન આવે. સાથે તમારા ઓવ્યુલેશન પીરિયડને ટ્રેક કરવામાં સરળતા હોય. એવામાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ અને દવાઓ દ્વારા તેને સામાન્ય કરવાની કોશિશ કરવામાં આવે છે.

હોર્મોન્સના સંતુલનને ઠીક કરવું : કંસીવ કરવા માટે જરૂરી હોર્મોન્સ જેમ કે એફએસએચ, જે ઓવરીમાં ઈંડાને મોટું થવામાં મદદ કરે છે, જેથી એસ્ટ્રોજનનું ઉત્પાદન વધી જાય છે અને પછી જેા શરીરમાં એલએચ હોર્મોન્સની વૃદ્ધિનો સંકેત આપે છે. જેથી સફળતાપૂર્વક ઓવ્યુલેશન થવાની સાથેસાથે કંસીવ કરવામાં સરળતા રહે છે. એવામાં ભલે તમે આઈયૂઆઈ એટલે ઈંટ્રાયૂટરિન ઈનસેમિનેશન કરાવો કે પછી ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન, દવાઓ અને ઈંફેક્શન દ્વારા તેને ઠીક કરી શકાય છે. તેમાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

ઈંડાને પરિપક્વ બનાવવામાં મદદ : કેટલાક મામલામાં જેાવામાં આવે છે કે ઈંડાં બને તો છે, પરંતુ મેચ્યોર થઈને તૂટતા નથી, જેથી કંસીવ થવામાં સમસ્યા થાય છે. એવામાં દવાઓ દ્વારા હેલ્ધિ ઓવ્યુલેશન કરાવવાની કોશિશ કરવામાં આવે છે, જેથી તમારી ટ્રીટમેન્ટ સફળ થતાં તમે પેરન્ટ બનવાનું સપનું પૂરું કરી શકો.

બ્લોક ટ્યૂબને ખોલવી : જેા તમારી બંને ટ્યૂબ બ્લોક છે કે પછી કોઈ એક, તો ડોક્ટર લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી દ્વારા તેને ઓપન કરે છે. સાથે તમને સિસ્ટની સમસ્યા છે, જેા કંસીવ કરવામાં અડચણ બને છે, તો ડોક્ટર સર્જરીથી તેને રિમૂવ કરે છે, જેથી કંસીવ કરવામાં સરળતા રહે.

ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન : ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશનમાં મહિલાના ઈંડા અને પુરુષના સ્પર્મને લઈને લેબોરેટરીમાં ફર્ટિલાઈઝ કરીને મહિલાના યૂટરસમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પૂરી તપાસ, દવાઓ અને ઈંફેક્શનનો સહારો લેવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ન થાય અને પહેલા જ પ્રયાસમાં સફળતા મળી શકે, પરંતુ તે માટે અનુભવી ડોક્ટર અને દવાઓનું હોવું જરૂરી હોય છે.
આ તમામ વસ્તુ સિવાય તમારે તમારી લાઈફસ્ટાઈલ પણ બદલવાની જરૂર છે.
– પારુલ ભટનાગર

આઈવીએફ આ પણ જાણો

આઈવીએફ એટલે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન. તેમાં મહિલાના અંડકોશને પુરુષના શુક્રાણુ સાથે શરીરની બહાર એક લેબોરેટરી ડિશમાં ફર્ટિલાઈઝ કરાવવામાં આવે છે. તેની વિપરીત સામાન્ય રીતે ફર્ટિલાઈઝ મહિલાના શરીરમાં ફેલોપિયન ટ્યૂબની અંદર હોય છે. જે ફર્ટિલાઈઝ ઈંડું ગર્ભાશયની દીવાલ પર જેાડાઈ જાય છે અને સતત વિકસિત થતું રહે છે, ત્યારે ૯ મહિના પછી બાળકનો જન્મ થાય છે. આઈવીએફ અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિક (એઆરટી) નું એક રૂપ છે, જે કોઈ મહિલાને ગર્ભવતી થવામાં મદદરૂપ કરે છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે અન્ય ટેક્નિક નિષ્ફળ થાય છે. જ્યારે મહિલા ગર્ભધારણ કરી લે છે, ત્યારે આગામી કેટલાક અઠવાડિયામાં અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, જેથી ભ્રૂણના વિકાસની ખબર પડી શકે. તેના નિષ્ફળ થવાની શંકા તેના સફળ થવાથી વધારે હોય છે, તેથી તમારે માનસિક રીતે તૈયાર રહેવું જેાઈએ. જેા પહેલી વારમાં આ ટેક્નિક સફળ ન થાય, તો ફરીથી કોશિશ કરી શકો છો.

આઈવીએફ ખર્ચાળ ટેક્નિક નથી
આઈવીએફ ટેક્નિકનો સફળતા દર ૪૦ ટકા છે. સફળતા માત્ર ટેક્નિક પર જ નહીં, પરંતુ ત્યાર પછી મહિલાઓની ઉંમર, વંધ્યત્વનું કારણ, બાયલોજિકલ અને હોર્મોનલ કારણો પર પણ નિર્ભર કરે છે. કેટલીક અન્ય પ્રક્રિયા જેમ કે હાર્ટ સર્જરી અથવા જેાઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સરખામણીમાં આઈવીએફ ટેક્નિકમાં ઓછો ખર્ચ આવે છે.

મા બનવામાં સહાયક છે
આઈવીએફ ટેક્નિક મહિલાઓને ગર્ભવતી થવામાં સહાયતા કરે છે. તેનો વંધ્યત્વના અનેક કારણોની સારવાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કરિયરથી ઉપજેલી તાણ અને હોર્મોન્સ અસંતુલનના લીધે સમય પહેલાં મેનોપોઝ પહોંચી ચૂકેલી અને મોટી ઉંમરમાં મા બનવાનો નિર્ણય લેનારી મહિલાઓ પણ સામેલ છે. તે ઉપરાંત આઈવીએફ ટેક્નિક તે મહિલાઓ માટે પણ અસરકારક છે, જેા એંડોમેટ્રિઓસિસ, યૂટરિન ફાઈબ્રોયડ્સ કે ઓવલ્યૂશન ડિસઓર્ડરથી પીડિત છે. પેલ્વિક ઈનફ્લેમેટરી ડિઝિઝ અથવા પહેલા પ્રજનન સમયે થયેલી સર્જરીના લીધે જે મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બંધ થઈ ગઈ છે તે પણ સંતાનપ્રાપ્તિ માટે આ ટેક્નિકનો સહારો લઈ શકે છે. એટલું જ નહીં, શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાથી થતી પુરુષ નપુંસકતાના લીધે સામાન્ય રીતે ગર્ભધારણમાં થતી સમસ્યા અથવા પતિપત્નીમાંથી કોઈ એકથી બાળકમાં જેનેટિક ડિસઓર્ડર પાસ કરવાનું જેાખમ થવાની સ્થિતિમાં પણ આઈવીએફ ટેક્નિકનો સહારો લઈ શકાય છે.

જન્મજાત વિકૃતિ હોવાની શંકા
આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મ લેતા બાળકોમાં જન્મજાત વિકૃતિ હોવાની શંકા સામાન્ય રીતે પ્રેગ્નન્સી દ્વારા જન્મ લેતા બાળકોની સમાન જ છે. આજ સુધી થયેલા કેટલાય સર્વેથી ખબર પડી છે કે આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મજાત વિકૃતિની શંકા વધતી નથી.
અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિકમાં નિતનવી ટેક્નિક વિકસિત કરવામાં આવી રહી છે, જે ન માત્ર તે લોકોની મદદ કરી રહી છે જેા કોઈ કારણવશ સંતાનહીન છે, પરંતુ આનુવંશિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપવામાં પણ સહાયતા કરી છે. એવા કેટલાય દંપતી છે, જે સામાન્ય છે, પરંતુ તે એવા જીન્સના સંવાહક છે, જેા કોઈ આનુવંશિક રોગના કારણ છે જેમ કે થેલેસેમિયા, હનટિંગ્ટન ડિઝિઝ, ડાઉન સિંડ્રોમ, ટર્નર સિંડ્રોમ વગેરે. આ પ્રક્રિયા તે લોકોને પણ સ્વસ્થ બાળક પ્રાપ્ત કરવામાં સહાયતા કરી રહી છે. ભ્રૂણને વિકસિત કર્યા પછી તેમની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ ભ્રૂણ મહિલાના ગર્ભમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જેમાં જેનેટિકલી કોઈ ખરાબ નથી હોતી.
પહેલા આઈવીએફનો સફળતા દર ૨૦ થી ૪૦ ટકા હતો, પરંતુ અનુસંધાનમાં આ વાત સામે આવી છે કે સર્વશ્રેષ્ઠ ભ્રૂણ પસંદ કરવાની જે ટેક્નિક છે તે તેની સફળતા દરને ૭૮ ટકા સુધી વધારે છે.

સંતાનપ્રાપ્તિનો અંતિમ વિકલ્પ
જેા મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બ્લોક થાય છે, તેમાં ઈંડાનું નિષેચન કે ગર્ભાશય સુધી ભ્રૂણનું પહોંચવું મુશ્કેલ થઈ જાય છે. આવી મહિલાઓ માટે આ અંતિમ નથી, પરંતુ સૌપ્રથમ વિકલ્પ છે. મોટી ઉંમરના પુરુષ માટે પણ આઈવીએફ પ્રથમ વિકલ્પ હોઈ શકે છે.

આઈવીએફ ટેક્નિકે સંતાનહીનતાની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને આશાનું એક નવું કિરણ બતાવ્યું છે. કેટલાય વર્ષ પહેલાં સુધી આઈવીએફ ટેક્નિક દ્વારા સંતાનપ્રાપ્તિનો દર ઓછો હતો, પરંતુ અનેક સંશોધનથી તેની સફળતાનો દર વધી ગયો છે.
– ડો. અરવિંદ વૈદ

પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ

મા બનવું એક ઘણો ખૂબસૂરત અહેસાસ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો ન માત્ર મુશ્કેલ, પરંતુ અસંભવ લાગે છે. કોઈ પણ મહિલા મા તે દિવસે નથી બનતી જ્યારે તે બાળકને જન્મ આપે છે, પરંતુ તેનો સંબંધ નાનકડા જીવ સાથે ત્યારે બની જાય છે જ્યારે તેને જાણ થાય છે કે પોતે પ્રેગ્નન્ટ છે. ગર્ભાવસ્થાદરમિયાન બધી મહિલાઓના અનુભવ અલગઅલગ રહેતા હોય છે, પરંતુ આજે આપણે સામાન્ય સમસ્યાની વાત કરીશું, જેને જાણવી ખૂબ જરૂરી છે. આમ તો ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ શરૂઆતના ૩ મહિના પોતાના પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. પહેલા ટ્રાઈમેસ્ટરમાં બાળકના શરીરના અંગ બનવા શરૂ થાય છે, આ સ્થિતિમાં તમારે તમારા શરીરમાં થતા બદલાવ પર નજર રાખવી જેાઈએ અને જેા કઈ ઠીક ન લાગે તો ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરો.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ સારા હોર્મોનલ અને શારીરિક બદલાવમાંથી પસાર થવું પડે છે, પરંતુ તમે કેવી રીતે આ બધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો, તે વિશે અહીં જણાવી રહ્યા છે ગાયનેકોલોજિસ્ટ ડો. વિનિતા પાઠક :

શરીર પર સોજેા
શરીર પર સોજેા આવવો પણ ગર્ભાવસ્થાનું એક સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં મહિલાનું શરીર લગભગ ૫૦ ટકા વધારે લોહીનું નિર્માણ કરે છે. ગર્ભમાં ઊછરી રહેલા બાળકને પણ માના શરીરમાંથી પોષણ મળતું હોય છે, જેથી માનું શરીર વધારે પ્રમાણમાં લોહી અને ફ્લૂઈડનું નિર્માણ કરે છે. આ દરમિયાન શરીર પર સોજેા આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જેા સોજેા ખૂબ વધારે હોય તો તે ચિંતાજનક હોઈ શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને ઓએડેમા કહે છે. આ દરમિયાન હાથ, પગ અને ફેસ પર સૌથી વધારે સોજેા દેખાય છે. સોજાને ઓછો કરવા માટે નવશેકા પાણીમાં મીઠું નાખીને પગને થોડો સમય ડુબાડેલા રાખો. રાત્રે પગની નીચે તકિયો મૂકવાથી પણ સોજામાં રાહત મળશે.

ગર્ભાવસ્થાની કબજિયાત ન કરી દે મસા
ગર્ભાવસ્થામાં યોગ્ય આહાર ન લેવાથી કેટલીક મહિલાઓને કબજિયાતની સમસ્યા થાય છે, જેથી આગલ જતા મસાની તકલીફ થવાનું જેાખમ વધી જાય છે. નિયમિત આહાર લેવાથી આ સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમારે પોતાના આહારમાં સફરજન, કેળા, નાસપતી, શક્કરિયા, ગાજર, સંતરા, કોળું જેવા ફળ અને શાકભાજીને સામેલ કરવા જેાઈએ.

મસાલેદાર ભોજનથી બિલકુલ દૂર રહો અને શક્ય તેટલું વધારે પાણી પીઓ.
ગેસ, અપચો અને પેટના દુખાવાન સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન ગેસ, અપચો અને પેટના દુખાવાની સમસ્યા પણ સામાન્ય રીતે મહિલાઓમાં જેાવા મલતી હોય છે. તેનાથી બચવા માટે સૌપ્રથમ પોતાના આહારમાંથી તળેલી વસ્તુને દૂર કરો. મસાલેદાર ખાવાથી પણ બચો અને એક જ વારમાં વધારે ભોજન ન કરો. ગેસ અને અપચાની સમસ્યાની સારવાર માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીઓ.

યૂરિન ઈંફેક્શન બને છે પરેશાનીનું કારણ
ગર્ભાવસ્થામાં યૂરિન ઈંફેક્શન થતા જરૂરી છે કે તમારે શક્ય તેટલું વધારે પાણી પીવું જેાઈએ, જેથી પેશાબ દ્વારા તમારા શરીરમાંથી બધા પ્રકારના હાનિકારક તત્ત્વો બહાર નીકળી જાય. તદુપરાંત વિટામિન સીથી ભરપૂર હોય તેવા ફળ અને શાકભાજી ખાઓ. દહીં અથવા છાશ પણ યૂરિન ઈંફેક્શનમાં ખૂબ લાભદાયી રહે છે.

સ્વસ્થ પ્રેગ્નન્સી માટે તૈયાર કરો ડાયટ ચાર્ટ
શરૂઆતના ૩ મહિનામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ વધારે ખાવી જેઈએ. પોતાના ભોજનમાં દાળ, પનીર, ઈંડા, દૂધ, નોનવેજ, સોયાબીન, દહીં, પાલક, ગોળ, દાડમ, ચણા, પૌંઆ, મમરા વગેરેને સામેલ કરો. ફળ અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ ખૂબ ખાઓ. બાળક ફ્લૂઈડમાં રહેતું હોય છે, તેથી શરીરમાં પાણીની ઊણપ બિલકુલ ન થવી જેાઈએ. દર ૨ કલાકમાં નિયમિત પ્રમાણમાં કઈ ને કઈ જરૂર ખાતા રહો.

ઓમેગાયુક્ત આહાર લો
બાળકના મગજ, તંત્રિકા પ્રણાલી અને આંખના વિકાસ માટે ઓમેગા -૩ ફેટી એસિડનું સેવન પણ વધારો. બાળકના મગજના વિકાસ માટે ઓમેગા ૩ અને ઓમેગા ૬ ખૂબ જરૂરી છે. ફિશ, કોડ લિવર ઓઈલ, ડ્રાયફ્રૂટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સરસવના તેલમાંથી તે સારા પ્રમાણમાં મળી જાય છે. આયર્ન અને ફોલિક એસિડની ગોળી ખાવી પણ શરૂ કરી દો. તેનાથી શરીરમાં લોહીની ઊણપ થતી નથી.
પ્રેગ્નન્સી દરમિયાન ખેંચ, હાઈપો-થાઈરાઈડ અને થેલેસેમિયા માટે પણ તપાસ કરાવવામાં આવે છે, જેા પેરન્ટ્સમાંથી કોઈ એકમાં પણ થેલેસેમિયાના લક્ષણ હોય તો બાળકની પણ તેનાથી પીડિત થવાની આશંકા ૨૫ ટકા વધી જાય છે. તપાસમાં બાળક ઈંફેક્ટેડ જેાવા મળે, તો ડોક્ટરની સલાહ લઈને એબોર્શન કરાવવું ઉત્તમ રહે છે.
– સોનિયા રાણા.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો