ટેક્નોલોજી સ્વાસ્થ્યથી વધારે જરૂરી નથી

સામાન્ય રીતે જેાવા મળે છે કે ગામડાની મહિલાઓની સરખામણીમાં શહેરની મહિલાઓ વધારે સુંદર વ્યવસ્થિત અને જેવી ગમે તેવી હોય છે. તેમની સ્કિન સ્વસ્થ અને ચમકદાર હોય છે. જેાકે તેનું કારણ છે શહેરોમાં મળતી બ્યૂટિપાર્લરની સુવિધા અને કોસ્મેટિક્સનો ઉપયોગ, જે ગામડાની મહિલાઓને ઉપલબ્ધ નથી હોતો, પરંતુ શહેરી મહિલાઓની શારીરિક તાકાત અને ઈમ્યૂનિટી ગામડાની મહિલાઓની સરખામણીમાં ખૂબ ઓછી હોય છે.

ગામડાની મહિલાઓને બીમારી પણ શહેરી મહિલાઓની સરખામણીમાં ખૂબ ઓછી થાય છે. જેાકે મોટી બીમારીઓ પ્રસૂતિ અથવા માસિક સાથે જેાડાયેલી હોય છે. જ્યારે સામાન્ય બીમારી જેમ કે શરદીખાંસી ઘરેલુ દવાઓ જેમ કે ઉકાળા વગેરેના પ્રયોગથી ઠીક થઈ જાય છે. જ્યારે શહેરની મહિલાઓને તાણ, બ્લડપ્રેશર, શ્વાસ સંબંધિત બીમારી, હૃદયરોગ, આર્થ્રાઈટિસ, સ્કિન પ્રોબ્લેમ, વાળ ખરવા, ચિંતા જેવી ઘણી બધી તકલીફ ખૂબ નાની ઉંમરથી શરૂ થાય છે, જે તેમના રોજબરોજના જીવનને બરબાદ કરી દે છે.
રાધિકા એક મધ્યમ વર્ગીય પરિવારની વહુ છે. તેની ઉંમર ૨૯ વર્ષ છે અને તેના લગ્નને ૪ વર્ષ થયા છે. તેનો એક ૪ વર્ષનો દીકરો પણ છે. તે એક ખાતાપીતા સુખી પરિવારની છે. જરૂરિયાતની લગભગ તમામ વસ્તુ તેના ઘરમાં છે. કામવાળી બાઈ પણ છે. તેમ છતાં છેલ્લા ૨ મહિનાથી રાધિકાને પોતાના ફ્લોરની સીડી ચઢતા હાંફ ચઢવા લાગે છે. છત પર જાય છે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે અને ગળું સૂકાવા લાગે છે. પછી તેણે પોતાનું વજન માપ્યું તો તે પહેલા કરતા ૧૦ કિ.ગ્રામ વધી ગયું હતું. આ જેાઈને રાધિકાને ચિંતા થવા લાગી. શ્વાસ ચઢવા વજન વધવાના લીધે હોય છે. તેણે નક્કી કરી લીધું કે ગમે તે ભોગે વજન ઘટાડવું પડશે અને કામવાળીને રજા આપી દીધી. વિચાર્યું કે હવે ઘરના ઝાડુપોતા, વાસણ જાતે જ કરશે. આ બધા કામ કરવાથી તેનું વધી ગયેલું વજન ઓછું થશે અને રોજ સારી એવી એક્સર્સાઈઝ પણ થશે.

મશીનોના સહારે જિંદગી
રાધિકા રોજ સવારે વહેલી ઊઠીને ઝાડુપોતા શરૂ કરી દે છે, પરંતુ આ કામ તેના માટે સરળ નહોતું. ઘરમાં ઝાડુ લગાવવામાં તેને ૧૫ મિનિટનો સમય લાગતો અને આ ૧૫ મિનિટ સુધી વાંકા વળીને કામ કરવાથી તેને કમરનો દુખાવો થવા લાગ્યો. કામવાળી જે રીતે શાંતિથી બેઠાંબેઠાં પોતું કરતી હતી, તે રીતે રાધિકા બેસી શકતી નહોતી. પછી તેણે ઊભાઊભા પોતું કરવાનું શરૂ કરી દીધું. અડધા કલાકના કામ પછી તે થાકીને પથારીમાં પડી ગઈ. પહેલા દિવસે નાસ્તો અને લંચ તેના સાસુઐ બનાવવા પડ્યા. રાધિકા આશ્ચર્યચકિત હતી કે તેનાધી વધારે ઉંમરની રામવતી કેવી રીતે આરામથી પૂરા ઘરમાં કચરાપોતાં, વાસણ સાફ કરે છે. એટલું જ નહીં, તે તેના ઘરમાં જ નહીં, પણ દિવસભરમાં ૮-૧૦ ઘરમાં આ કામ કરવા જાય છે. તેણે તો ક્યારેય દુખાવાની ફરિયાદ નથી કરી. રાધિકાએ ૫ દિવસ ગમે તે કરીને કામ કર્યું, પરંતુ છઠ્ઠા દિવસે રામવતીને પાછી કામ પર બોલાવી લીધી.

સિમરનની મજબૂરી
સિમરનનું પિયર પંજબના એક ગામડામાં છે. તેના લગ્ન નાની ઉંમરમાં દિલ્લીમાં રહેતા જસવિરસિંહ સાથે થયા હતા. જસવિરના ઘરે આવીને સિમરનને એ બધું મળ્યું જેની તેણે કલ્પના પણ નહોતી કરી. આધુનિક સજાવટ વાળો ફ્લેટ જેમાં કિચનમાં લોટ બાંધવાના અને રોટલી બનાવવાના મશીન સાથે મિક્સરજ્યૂસર, રાઈસ કૂકર, ડિશવોશર, ટોસ્ટર, માઈક્રોવેવ, અત્યાધુનિક ગેસ ચૂલા લગભગ બધું હતું. બાથરૂમમાં ગીઝર અને વોશિંગ મશીન પણ હતા. વળી, જવાઆવવા માટે કાર પણ ઊભી હતી. જ્યારે સિમરનના પિયરમાં તેની મા આજે પણ લાકડાનો ચૂલો ફૂંકે છે અને ખાંડણીમાં મસાલા પીસે છે. એક મોટા ટબમાં પૂરા ઘરના કપડાં પલાળીને હાથથી ઘસીઘસીને ધુએ છે. પૂરા ઘરની સાફસફાઈ પણ કરે છે. ભરબપોરે પોતાના પતિ સાથે ખેતરમાં વાવણી કરવા અને કપાવા જાય છે. નજીકના જંગલમાંથી લાકડા અને પોતાના ખેતરોમાંથી અનાજની બોરી પણ પોતાના માથે મૂકીને લાવે છે. ઘરની પાછળની ખુલ્લી જગ્યામાં ઉગાડેલા શાકભાજીની દેખરેખ પણ તેઓ કરે છે.

ઘણી વાર રાત્રે ખેતરમાં પાણી સિંચવાની જવાબદારી પણ તેમના માથે હોય છે. ઘરમાં ખાંડણીમાં ધાન નાખીને કૂટવા અને ચોખાને અલગ કરવાનું કામ રોજ તેઓ કરે છે. ઘરની પાળેલી ગાયોભેંસોને ચારોપાણી આપવા, તેમને નવડાવવા અને દૂધ કાઢવાના કામ પણ તેમના માથે છે. એટલે કે પૂરો દિવસ તેઓ ભરપૂર શારીરિક શ્રમ કરે છે અને તેનું પરિણામ એ છે કે તેમનું શરીર શક્તિશાળી અને ઊર્જાથી ભરેલું છે. બીમારી તેમની નજીક ફરકતી સુધ્ધાં નથી. આજે ૫૫ વર્ષની ઉંમરમાં તેમની સ્ફૂર્તિ કોઈ ૨૫ વર્ષની યુવાન છોકરી જેવી છે. પરંતુ તેમની ૨૫ વર્ષની દીકરી સિમરન ભર યુવાનીમાં વૃદ્ધત્વની બીમારીથી ઘેરાઈ ગઈ છે. સાસરીમાં ઉપલબ્ધ જાતજાતના આધુનિક ગેજેટ્સે તેને આળસુ બનાવી દીધી છે. લગ્નના માત્ર ૮ વર્ષમાં તેને સ્થૂળતા, ઘૂંટણનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર અને સ્પોંડિલાઈટિસ જેવી બીમારીએ ઘેરી લીધી છે. સિમરનની આ બીમારી વાસ્તવમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગની ભેટ છે, જેમણે તેને અને તેના જેવી છોકરીઓને શારીરિક રીતે કમજેાર અને આળસુ બનાવી દીધી છે. તેની સાથે કેટલાય રોગની શિકાર પણ બનાવી છે.

આરામદાયક જિંદગીની સાઈડ ઈફેક્ટ
સિમરન પિયરમાં ઓછું જાય છે, જાય છે તો ૨-૩ દિવસમાં પાછી આવી જાય છે, કારણ કે ત્યાં બધા કામ હાથથી કરવા પડે છે. આધુનિક મશીનથી ટેવાઈ ગયેલી સિમરનથી મહેનત નથી થતી. પિયરમાં શૌચાલય પણ ઈન્ડિયન સ્ટાઈલનું અને ઘરની બહાર છે જ્યાં ડોલથી પાણી ભરીને લઈ જવું પડે છે, જ્યારે સાસરીમાં વેસ્ટર્ન સ્ટાઈલ કમોડની સુવિધા છે. તેની તેને ૮ વર્ષથી ટેવ પડી ગઈ છે. હવે તે નીચે બેસી નથી શકતી. તેના ઘૂંટણમાં દુખાવો થાય છે. હકીકતમાં, સાસરીના આરામદાયક જીવન અને આધુનિક મશીનોએ સિમરનને બીમાર, આળસુ બનાવી દીધી છે. ટેક્નોલોજીના વિસ્તારે મહિલાઓની જિંદગીને સરળ તો બનાવ્યું છે, પરંતુ શારીરિક રીતે કમજેાર અને બીમાર વધારે કરી દીધા છે. છોકરા તો કોલેજ, ઓફિસ, જિમ, રમતગમત વગેરે દ્વારા શારીરિક રીતે ફિટ અને ઊર્જાવાન રહે છે, પરંતુ મહિલાઓ ખાસ તો ગૃહિણીઓ માટે જે શારીરિક શ્રમ જેમ કે ઘરઘંટી, પથ્થર પર મસાલો પીસવો, લોટ બાંધવો, કૂવામાંથી પાણી ખેંચવું, ખેતરમાં કામ કરવું વગેરે પહેલાં થતા હતા અને જે તેમને તંદુરસ્ત બનાવતા હતા, આધુનિક મશીનોએ તેમના તે મહેનતવાળા કામ છીનવી લીધા છે. પરિણામે, તેમના શરીરના મસલ્સ નાની ઉંમરમાં કમજેાર થવા લાગે છે. સામાન્ય રીતે મહિલાઓ જિમ વગેરે નથી જતી, જ્યાં શારીરિક એક્સર્સાઈઝ થાય. શહેરની મહિલાઓ આધુનિક મશીનોની મદદથી ઓછા સમયમાં ઘરના કામ પૂરા કરીને આખો દિવસ ટીવી સીરિયલ જેાતી રહે છે અથવા મોબાઈલ ફોનમાં ચોંટી રહે છે. કામ વિના આ આરામદાયક જિંદગી તેમનું સ્વાસ્થ્ય બગાડે છે.

ટેક્નોલોજીના ગુલામ
ટેક્નોલોજીએ કામને સુગમ તો બનાવ્યું જ છે. કામનો સમય ઘટાડી દીધો છે, પરંતુ તેણે મનુષ્યના શરીરને કમજેાર કરી દીધું છે. કમ્પ્યૂટરના કી-બોર્ડ પર ઝડપથી આંગળીઓ ચલાવતા લોકો હવે કલમ પકડીને ૨ પેજની ચિઠ્ઠી બરાબર રીતે લખી નથી શકતા. કાગળ પર કલમ ચલાવતા હાથ ધ્રૂજે છે. કલમ પર આંગળીઓની પકડ નથી બનતી. કાર અને બાઈક ચલાવનારે જેા કોઈ ટૂર પગપાળા અથવા સાઈકલ ચલાવીને જવું પડે તો ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. ટેક્નોલોજીના ગુલામ બનીને આપણે માનસિક રીતે કમજેાર થઈ રહ્યા છીએ. પરચૂરણની દુકાન પર સામાન ખરીદ્યા પછી આપણે મોબાઈલફોન પર કેલ્ક્યુલેટર ખોલીને હિસાબ કરવા બેસીએ છીએ, જ્યારે આપણાથી એક પેઢી પહેલાંના લોકો અને બાળપણમાં આપણે પણ હિસાબ મિનિટોમાં મનોમન કરી લેતા હતા.

નવીન સંશોધકોએ આપણને લાભ પહોંચાડ્યો છે. આ ટેક્નિક જ છે જેણે માનવજીવનને ખૂબ સહજ, સરળ અને રોચક બનાવી દીધું છે, પરંતુ કોઈ પણ ટેક્નિક સાથે તેના સાચા અને ખોટા બંને પક્ષ જેાડાયેલા હોય છે. એવામાં આપણે નક્કી કરવું પડશે કે કોઈ ટેક્નિકનો ઉપયોગ આપણે જીવનમાં ક્યાં સુધી કરીશું. આપણે આ વાતને નજરઅંદાજ નથી કરી શકતા કે ટેક્નિકના વધારે ઉપયોગ કરવાથી આજે ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર પડકારો આપણી સામે ઊભા કરી દીધા છે, જે માનવ જીવન માટે જ નહીં, સંપૂર્ણ ધરતી, પર્યાવરણ અને જીવજંતુઓ માટે પણ જેાખમી સાબિત થઈ રહી છે.
– નસીમ અંસારી કોચર.

સ્પર્મ કાઉન્ટ પર ભારે પડતો સ્ક્રીન ટાઈમિંગ

કેટલાય લોકો ૨૪ કલાક મોબાઈલમાં ચોંટેલા રહે છે, તેમની આ ટેવ તેમને ભારે પડી શકે છે, કારણ કે તાજેતરમાં અમેરિકન જનરલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં ૨૦ કલાકથી વધારે ટીવી અથવા મોબાઈલ ફોન જેાવાથી પુરુષોના સ્પર્મ પ્રોડક્શનમાં ૩૫ ટકા ઘટાડો જેાવા મળ્યો છે. રિપોર્ટ મુજબ ૧ દિવસમાં ૫ કલાકથી વધારે ટીવી જેાનારા લોકોના શરીરમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો જેાવા મળ્યો. તેની વિપરીત કમ્પ્યૂટર પર રોજિંદા ઓફિસ કામ કરતા લોકોના શરીરમાં એવી કોઈ કમી નથી દેખાતી. એવા લોકોના ન સ્પર્મ કાઉન્ટરમાં કોઈ કમી દેખાઈ અને ન તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ કમી આવી. તેનું એક કારણ છે કે એવા લોકો, જે વધારે ટીવી જુએ છે, વધારે એક્સર્સાઈઝ નથી કરતા અને હેલ્ધિ ભોજન નથી લેતા, તો આ ટેવ ફર્ટિલિટી પર અસર કરે છે.

ઈનફર્ટિલિટીનું મોટું કારણ
ટીવી અથવા મોબાઈલ પર ફિલ્મ જેાનારાનું મગજ એક રીતે કામ કરવાનું બંધ કરી દે છે. જંક ફૂડના વધારે સેવન અને આળસુ લાઈફસ્ટાઈલના લીધે આજકાલ કેટલાય લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે અને આ ઈનફર્ટિલિટીનું એક મોટું કારણ બની રહ્યું છે. સ્થૂળતાના લીધે પુરુષો અને મહિલાઓ બંનેની કામેચ્છા ઓછી થઈ રહી છે. સ્થૂળતા ન માત્ર યૌન સંબંધ બનાવવાની ઈચ્છામાં કમી લાવે છે, પરંતુ તેના લીધે સેક્સ દરમિયાન જલદી સ્ખલન થવાની સમસ્યા થાય છે. તેથી સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પ્રભાવિત થાય છે, કારણ કે લિંગમાં પૂરતી ઉત્તેજના નથી થતી, સાથે મહિલા સ્થૂળતાથી પીડિત છે, તો તે સ્થિતિમાં સારી રીતે સમાગમ નથી થતું. કેન, પેકેટ બંધ ફૂડ અને હાઈ ફેટયુક્ત વસ્તુ ઝડપથી અને વધારે પ્રમાણમાં એસિડિટી પેદા કરે છે, જેથી શરીરના પીએચ લેવલમાં પરિવર્તન આવે છે. આળસુ લાઈફસ્ટાઈલ સાથે કેમિકલ એડિટિવ્સ અને એસિડિક નેચરવાળી ખાણીપીણી અથવા સ્પર્મ સેલ્સના આકાર અને તેની ગતિશીલતાને નુકસાન પહોંચાડે છે કે પછી તેના લીધે સ્પર્મ ડેડ થઈ જાય છે.

શારીરિક અક્ષમતા
‘બ્રિટિશ જનરલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’ માં પ્રકાશિત રિપોર્ટ હેઠળ લેબ એનાલિસિસ માટે ૧૮ થી ૨૨ વર્ષની ઉંમરના ૨૦૦ સ્ટુડન્ટ્સના સ્પર્મ સેમ્પલ કલેક્ટ કર્યા. તેમના વિશ્લેષણથી ખબર પડી કે સુસ્ત લાઈફસ્ટાઈલ અને સ્પર્મ કાઉન્ટમાં ઘટાડાનો એકબીજા સાથે સીધો સંબંધ છે. વધારે ટીવી જેાનારનો સરેરાશ સ્પર્મ કાઉન્ટ ૩૭ એમએન માઈક્રોન પ્રતિ એમએલ હતો, જ્યારે તે સ્ટુડન્ટ્સનો સ્પર્મ કાઉન્ટ ૨ એમએન માઈક્રોન પ્રતિ એમએલ હતો, જેઓ ટીવી ઓછું જુએ છે. સુસ્ત લાઈફસ્ટાઈલ અને ટીવી જેાનારના આદિ લોકોના સ્પર્મ કાઉન્ટમાં સામાન્યની સરખામણીમાં ૩૮ ટકા સુધી ઘટાડો થયો. આ રિપોર્ટથી સાબિત થયું છે કે વધારે ટીવી જેાનારના હૃદયમાં વધારે આવેગના લીધે ફેફસામાં બ્લડનો જીવલેણ ક્લોથ થવા અને તેના લીધે હાર્ટએટેકથી મૃત્યુ થવાની શક્યતા ૪૫ ટકા વધી જાય છે અને ટીવી અથવા મોબાઈલ સ્ક્રીન સામે દર ૧ કલાક અને વિતાવવાની સાથે આ શક્યતા વધી જાય છે.

દરેક વસ્તુની એક મર્યાદા
કેટલાક રિપોર્ટમાં જણાવ્યું છે કે દર અઠવાડિયે સરેરાશ ૧૮ કલાકની એક્સર્સાઈઝ કરવાથી સ્પર્મ ક્વોલિટી વધારી શકો છો, પરંતુ વધારે એક્સર્સાઈઝ કરવાથી સ્પર્મ ક્વોલિટી પર અસર થાય છે. જેાવા મળ્યું છે કે શારીરિક રીતે સક્રિય રહેતા એવા લોકો જે અઠવાડિયામાં ૧૫ કલાક મોડરેટ એક્સર્સાઈઝ કરે છે અથવા કોઈ રમત રમે છે તેમનો સ્પર્મ કાઉન્ટ શારીરિક રીતે ઓછા સક્રિય રહેતા લોકોની સરખામણીમાં ૩-૪ ગણા સુધી વધારે રહે છે. ટીવી અથવા મોબાઈલ સામે કલાકો એકીટશે નજર રાખવાનો સીધો સંબંધ શરીરમાં ગરમી વધારવાથી થાય છે. સ્પર્મ સેલ્સ ઠંડા વાતાવરણમાં વધારે સારી રીતે ઊછરે છે, જ્યારે શરીરના વધારે ગરમ રહેવાથી તે વધારે સારી રીતે નથી ઊછરી શકતા.

જરૂરિયાતથી વધારે એક્સર્સાઈઝ કરવી અને સતત ટીવી જેાવું, બંને શરીરમાં ફ્રીરેડિકલ્સના ઉત્પાદન અને ઉત્સર્જનને પ્રોત્સાહન આપે છે, જેથી સ્પર્મ સેલ્સ મરી જાય છે, જેની પ્રજનનક્ષમતા પર સીધી અસર થાય છે.
– ગૃહશોભા ટીમ.

ઠંડીમાં રાખો હેલ્ધિ હાર્ટ

ઠંડીની ઋતુ એટલે સારું ખાવાનું અને અનેક તહેવાર, તેથી ભારતમાં લોકો આખું વર્ષ શિયાળાની રાહ જેાતા હોય છે. ગરમાગરમ સ્નેક્સ અને મીઠાઈની મજા લેવાની આ ઋતુ બધાને ગમે છે. ઠંડી પોતાની સાથે વર્ષના અનેક મોટા તહેવાર, મોજમસ્તી, મિત્રો અને પરિવારજનો સાથે ઉજવાતા ઉત્સવ લઈને આવે છે. આ જ ઋતુ છે, જેમાં આપણા દિલની સંવેદના વધે છે. ઠંડીની ઋતુમાં ઉષ્ણતામાનમાં થતો ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર કરે છે, તેમાં પણ ખાસ તો હૃદય પર. તેનાથી હાર્ટએટેક, હાર્ટ ફેલ્યોર, ફ્લૂ વગેરેનું જેાખમ વધે છે. હૃદય અને સર્ક્યુલેટરી સિસ્ટમ પર ઠંડીની ઋતુની અસર થઈ શકે.

આ સિવાય ઠંડીમાં લોકોની સક્રિયતા ઓછી હોય છે. આરામ કરવા માટે અને શરીરને ગરમ રાખવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પછી તેની એ અસર થાય છે કે શરીરને જેટલી કસરતની જરૂર હોય છે તેટલી આ ઋતુમાં નથી મળતી. ઉષ્ણતામાનમાં પરિવર્તનનાં લીધે શરીરમાં ફિઝિયોલોજિકલ બદલાવ આવે છે, તેથી ઠંડીમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જેાખમ બાયોલોજિકલ હોય છે. સિપેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેથી રક્તવાહિની સંકોચાઈ જાય છે અને હૃદયને લોહીની આપૂર્તિ ઘટી જાય છે, જેનાથી બ્લડપ્રેશર વધે છે અને હાર્ટએટેક તથા સ્ટ્રોકનું જેાખમ વધે છે. ઠંડીમાં કોરોનરી ધમની સંકોચાઈ જાય છે, જેનાથી કોરોનરી હૃદયરોગના લીધે છાતીમાં દુખાવો વધી શકે છે. એક તરફ શરીરના ઉષ્ણતામાનને સ્થિર રાખવા હૃદયે વધારાની મહેનત કરવી પડે છે જ્યારે બીજી તરફ ઠંડી હવા હૃદયની આ મહેનતને વધારે મુશ્કેલ બનાવે છે, કારણ કે ઠંડી હવાના લીધે શરીરની ગરમી ઝડપથી ઓછી થવા લાગે છે. જે તમારા શરીરનું ઉષ્ણતામાન ૯૫ ડિગ્રીથી નીચે જાય તો હાઈપોથર્મિયા હૃદયની માંસપેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.

ભારતમાં ઠંડીની મોસમ એટલે અનેક તહેવારની મોસમ, રજા, ઉત્સવો, વિભિન્ન ભોજન અને ઓછી ઊંઘ લેવી. જેાકે આ બધાથી હૃદય પર વધારે દબાણ આવે છે. રજાઓ અને તહેવાર ઈમોશનલ રિસ્પોન્સિસને પણ વધારી શકે છે. જેા તેને નિયંત્રિત કરવામાં ન આવે તો હૃદયની તાણ વધી શકે છે. ઠંડીની મોસમમાં ભાવનાત્મક તાણ, જેને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે તે સ્ટ્રેસ હોર્મોન લેવલ વધારી શકે છે અને તેનાથી હાર્ટએટેક અથવા સ્ટ્રોકનું જેાખમ વધી શકે છે. ઠંડીના દિવસોમાં શરીરમાં ગરમીનું પ્રમાણ જાળવી રાખવા માટે લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે. જેા આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઘટી ન જાય ત માટે ભલે ને તમે ઘરમાં રહો, પરંતુ ઘરમાં રહીને કોઈ ને કોઈ એક્ટિવિટી અચૂક કરો. ઠંડીમાં શરદી, ગળામાં ખારાશ અને ખાંસી જેવી સામાન્ય બીમારી થાય છે, પરંતુ જેા તમારું હૃદય પહેલાંથી અન્ય કોઈ કારણસર તાણમાં હોય તો તમારા માટે આ બીમારી ભયજનક સાબિત થઈ શકે છે.

જેાખમ
પહેલાંથી જ હૃદયરોગ હોય તેમના માટે ઠંડીની મોસમ જેાખમી પુરવાર થાય છે. તેઓ આ ઋતુની શરૂઆત એક પડકાર સાથે કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ નથી કે શું થશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું થવાની શક્યતા છે? કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ માટે ઠંડીની મોસમમાં ગરમ રહેવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે ડિલેડ મેટાબોલિક રિએક્શનથી શરીરમાં ગરમાવો રહેવો મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિમાં હૃદય પર લોહીને પંપ કરવા વધારાનું દબાણ થાય છે. તેની સાથે હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, અન્ય બીમારીનો પારિવારિક ઈતિહાસ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, દારૂનું વધારે પડતું સેવન જેવા કારક ઠંડીની ઋતુમાં હાર્ટએટેકની શક્યતા વધારી શકે છે. જેાકે ઠંડીની ઋતુનો હૃદયની સ્થિતિ પર પ્રભાવ કેટલાક કારકના લીધે ઓછો કે વધારે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જેાઈએ તો ધૂમ્રપાન અને દારૂ જેવા જેાખમી પરિબળના લીધે ઠંડીમાં વ્યસની લોકોને હાર્ટએટેક આવે છે, કારણ કે વાસોકંસ્ટ્રિક્શન પર તેની સીધી અસર થાય છે અને તેના લીધે બ્લડપ્રેશર વધે છે. પહેલાંથી કોઈ બીમારી હોય અથવા શરીર રિકવરી સ્ટેજમાં હોય ત્યારે શરીર જેટલું મજબૂત અને શક્તિશાળી હોવું જેાઈએ એટલું હોતું નથી. પરિણામે તે વ્યક્તિને ઈંફેક્શન થવાનું જેાખમ સૌથી વધારે રહે છે. કેટલીક બીમારી હૃદય પર દબાણ વધારે છે.

ઠંડીની ઋતુમાં હૃદયની સ્વસ્થતા માટે કેટલાક ઉપાય અજમાવીને શરીરમાં ગરમાવો રાખવો ખૂબ જરૂરી છે. ગરમ અથવા એકથી વધારે કપડાં પહેરો, જેથી તમારું શરીર ગરમ રહે અને શરીરમાંથી ગરમીને બહાર જતા અટકાવી શકાય. આ જ રીતે તમે તમારા હૃદયને અતિરિક્ત કામ કરવાથી બચાવી શકો છો. જેા તમે ક્યાંક બહાર જવાનું વિચારો છો તો બહારની ઠંડી અને કામકાજ પ્રમાણે યોગ્ય ગરમ કપડાં અચૂક પહેરો. જેા તમે એકથી વધુ કપડાં પહેરો, ત્યારે તમારી એક્ટિવિટી વધે તો તમે ઉપરના વધારાના કપડાં દૂર કરી શકો છો. શરીરને ગરમ રાખવાનું છે, ઓવરહીટ નથી કરવાનું. જેા પરસેવો થાય તો ઉપરના ૧-૨ કપડાં કાઢીને શરીરને ઠંડું કરી શકો છો. ઠંડીની આ ઋતુમાં શારીરિક રીતે સક્રિય રહો. ઘરની બહાર જઈને જ કસરત કરવી જરૂરી નથી. ઉષ્ણતામાન જે વધારે ઠંડું હોય તો સવારે જલદી ઘરની બહાર જઈને એક્સર્સાઈઝ ન કરો. જેા બહાર નીકળી શકાય તેમ હોય તો પણ સ્ટ્રેચિસ અથવા દોડવા જેવી હળવી એક્સર્સાઈઝ કરો. લાઈટ એરોબિક્સ, યોગા, ઈનડોર વર્કઆઉટ્સ, ડાન્સ અથવા મેડિટેશન જેવી પ્રવૃત્તિને તમે ઘર રહીને કરી શકો છો.

નિયમિત કસરત કરો
નિયમિત કસરત કરવાથી શરીર ગરમ રહે છે, તેથી તમને ફિટ રહેવામાં મદદ મળે છે. કસરત કરતી વખતે ટાર્ગેટ હાર્ટ રેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. હૃદયને સ્વસ્થ રાખવા દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ અને અઠવાડિયામાં ૫ દિવસ એરોબિક એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. ઠંડીની ઋતુમાં કંફર્ટ ફૂડ ખાવા મન લલચાય એ સ્વાભાવિક વાત છે, પરંતુ ખાવા બાબતે સંતુલન જાળવવું સૌથી વધારે જરૂરી છે. ઠંડીમાં બનતી વિવિધ પ્રકારની વાનગીનો સ્વાદ જરૂર ચાખવો જેાઈએ, પરંતુ જે શરીરને સ્વસ્થ રાખવું હોય તો ન્યૂટ્રિએન્ટ્સ જરૂરી છે. ફળ અને શાકભાજીમાં જેવા મળતા વિટામિન અને મિનરલ શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત બનાવે છે. તળેલા, ફેટી, મીઠું અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ભોજનથી દૂર રહો, કારણ કે તેનાથી હૃદયની બીમારીનું જેાખમ વધી શકે છે. ઠંડીમાં હાઈ કોલેસ્ટ્રોલવાળું ભોજન કરાય છે, જેનાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થઈ શકે છે, તેથી સંતુલિત આહાર લેવો જરૂરી છે.

કાળજી લો
ટૂંકો દિવસ અને લાંબી રાતમાં વધારે સમય ઘરે પસાર કરવાથી તમે ઉદાસ અથવા અશાંતિનો અનુભવ કરી શકો છો. સૂર્યનો પૂરતો પ્રકાશ ન મળવાથી ઘણા લોકોને પૂરતું વિટામિન ડી નથી મળતું અને તેનાથી ડિપ્રેશન વધી શકે છે. યોગ અને મેડિટેશન સાથે સક્રિય રહેવું, મિત્રો અને પરિવારના સંપર્કમાં રહેવું એટલું જરૂરી થઈ જાય છે, જેનાથી તમે ફિલ ગુડ અનુભવી શકો છો. તાણ ખૂબ વધવાથી શરીરની રોગપ્રતિકારક પ્રણાલીના કાર્યમાં અડચણ આવી શકે છે. તેમાં ખાસ ઠંડીની મોસમમાં તાણ અંકુશમાં રાખવી ખૂબ જરૂરી છે. સ્ટ્રેસ હોર્મોન બ્લડપ્રેશર વધારીને રોગપ્રતિકારક શક્તિ કમજેાર પાડી શકે છે. બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કિડની અને સ્વાસ્થ્યની બીજી સમસ્યા પર પણ નજર રાખો.
આ સ્થિતિ પર ધ્યાન નહીં રાખો તો હૃદયના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે. ખૂબ વધારે થકવી નાખનાર કામ ન કરો. જેા તમે પહેલાંથી હાર્ટ સંબંધિત બીમારીના દર્દી છો તો કોઈ પણ વજનદાર અને વધારે શ્રમના કામ ન કરો. કામ કરતી વખતે વચ્ચેવચ્ચે નાનકડો બ્રેક જરૂર લો. અચાનક કોલ્ડ સ્ટ્રોક્સ ટાળવા હૃદયનાં દર્દીએ મહદ્અંશે ઘરમાં રહેવું જેાઈએ. વધારે પ્રમાણમાં દારૂ પીવો, સ્મોકિંગ કે તમાકુના સેવનથી દૂર રહેવું, કારણ કે તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે.

પૂરતો આરામ જરૂરી
સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પૂરતો આરામ કરવો ખૂબ જરૂરી છે. હૃદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સ્ટ્રોક જેવી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા અપૂરતી ઊંઘના લીધે પેદા થાય છે. કોઈ પણ વયસ્ક વ્યક્તિ માટે દરરોજ રાત્રે ૭ થી ૯ કલાકની ઊંઘ જરૂરી છે. તમારું નાઈટ રૂટિન નિયમિત હશે તો તમે સારી ઊંઘ લઈ શકશો. નાઈટ રૂટિનને સેટ કરવા માટે તમારે તમારી લાઈફમાં કેટલાક નાના એડજસ્ટમેન્ટ કરવા પડશે, જેનાથી તમે શાંત, ગાઢ નિદ્રાની આદત પાડી શકશો.

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો
કાર્ડિયાક સમસ્યાના લક્ષણોને સમજવા ઠંડીની મોસમમાં વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. ઘણી વાર છાતીમાં ખૂબ વધારે બળતરા, પરેશાની, ખૂબ વધારે પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબા, ખભા તથા હાથમાં લાંબા સમય સુધી દુખાવો રહેવો વગેરે હાર્ટએટેક વોર્નિંગ ઈન્ડિકેટર છે. જેાકે પુરુષ અને મહિલાઓમાં આ લક્ષણ અલગઅલગ હોઈ શકે છે. પુરુષોને ક્યારેક-ક્યારેક બેચેની અથવા ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં અસામાન્ય લક્ષણ પેદા થવાની સમસ્યા ખૂબ વધારે રહે છે, જેથી તેઓ ક્યારેક ચેતવણીને નજરઅંદાજ કરે છે. ઠંડીની મોસમ શરીર અને મન બંને માટે ખૂબ મુશ્કેલભરી બની શકે છે. હવે ઠંડીનાં દિવસોમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ઠંડું ઉષ્ણતામાન હૃદય માટે થોડું મુશ્કેલ જરૂર બની શકે છે, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે ઠંડીની પણ મજા માણી શકો છો. તેથી કોઈ પણ લક્ષણને નજરઅંદાજ ન કરો, પરંતુ તરત ડોક્ટરનો સંપર્ક કરો. કાર્ડિયાક લક્ષણોને સમજવામાં અને તેની સારવારમાં થોડું પણ મોડું, ન માત્ર સમસ્યાને વધારે મુશ્કેલ બનાવશે, પરંતુ તે જીવલેણ બની શકે છે.
– ડો. નિલેશ ગૌતમ.

હનીમાં છુપાયું હેલ્થનું રહસ્ય

વિંટર સીઝન જ્યાં હરવાફરવા માટે સારી મોસમ મનાય છે, બીજી બાજુ આ મોસમમાં હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બદલાતી મોસમ ન માત્ર તમને શરદીખાંસી અને તાવની ઝપટમાં જકડી શકે છે, પણ કેટલીય વાર તેના લીધે જીવ જેાખમમાં મુકાઈ જાય છે. આ સંજેગોમાં વિંટરમાં હેલ્થનું ધ્યાન રાખવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂર છે, જેથી તમારું શરીર અંદર અને બહાર બંને જગ્યાથી ફિટ રહી શકે. તેના માટે જરૂરી છે કે તમે તમારી ખાણીપીણીમાં કે પછી રૂટિનમાં હની સામેલ કરો, કારણ કે તેમાં કેટલાય ગુણ, જે તમને વિંટરમાં અંદરથી વાર્મ રાખવાની સાથે તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે. તો આવો જાણીએ, આ ખાસ કેમ છે :

હની જ કેમ
આ એક નેચરલ સ્વીટ પદાર્થ છે, જે મધમાખી દ્વારા ફૂલોના રસ કે છોડના સ્રાવ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે તેનું સારી રીતે નિરીક્ષણ કરવામાં?આવે છે તો જેાવા મળે છે કે આ મધ કોઈ પણ બહારના તત્ત્વો જેમ કે મોલ્ડ, ગંદકી, મેલ, મધમાખીના ટુકડા વગેરેથી પૂરી રીતે મુક્ત હોવું જેાઈએ. આ વાતનું નિરીક્ષણમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેનો રંગ લાઈટ ટૂ ડાર્ક બ્રાઉન થાય છે. તેથી વિંટરમાં હની પર ભરોસો કરી શકાય.

હેલ્થ બેનિફિટ કેટલા છે
ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરે : આપણી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ હોય છે, તેથી આપણે બીમારી સામે લડવામાં સક્ષમ બની શકીએ છીએ. હની એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા હોય છે, જેથી તે તમને મોસમી બીમારીથી બચાવવાનું કામ કરે છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેથી એક્સપર્ટ પણ રોજ ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે, જેથી ઈમ્યૂનિટી બૂસ્ટ થવાની સાથેસાથે તમારા શરીરને પૂરો દિવસ કામ કરવાની એનર્જી મળી શકે.

નેચરલ પ્રોબાયોટિક : હની નેચરલ પ્રોબાયોટિકનું કામ કરે છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને પોષણ આપવાનું કામ કરે છે, જે તમારા હેલ્ધિ પાચનતંત્ર માટે જરૂરી માનવામાં આવે છે, કારણ કે તે એક લેક્સેટિવ છે, જે પાચનમાં મદદ કરવાની સાથે પ્રતિરક્ષા પ્રણાલીને સુદઢ બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી તે આંતરડામાં ફંગસથી પેદા થતા માઈક્રોટોક્સિનની ઝેરી અસર ઘટાડે છે. તો થયું ને નેચરલ પ્રોબાયોટિક.

વજન ઘટાડવામાં મદદરૂપ : તમે પણ હેલ્થ કોન્સિયસ છો અને વજન ઓછું કરી રહ્યા છો કે પછી કરવાનું વિચારી રહ્યા છો તો તમે મોર્નિંગ અને નાઈટ રૂટિનમાં મધ સામેલ કરો, કારણ કે એક તો ન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોવાથી તમારા શરીરની જરૂરિયાત પૂરી કરવાનું કામ કરે છે અને બીજું તેમાં નેચરલ શુગર હોવાથી તે તમારા કેલરી કાઉન્ટને કંટ્રોલમાં રાખે છે. તેથી રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં હનીનું સેવન કરો અને રાતે ઊંઘતી વખતે, જેથી તે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને તમારા વજનને ઝડપથી ઘટાડી શકે. રિસર્ચમાં જેાવા મળ્યું છે કે જે લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે, તેમનું વજન ઝડપથી વધે છે, તેથી તમે વેટ વોચર છો તો તમારા રૂટિનમાં હની સામેલ કરો.

સ્લીપ ક્વોલિટી ઈમ્પ્રૂવ કરો : હની મગજને મેલાટોનિન રિલીઝ કરવામાં મદદ કરે છે. આ તે હોર્મોન્સ છે, જેનો ઉપયોગ તમારું શરીર ઊંઘ દરમિયાન પોતાને રિલીઝ કરવા કરે છે. શું તમે જાણો છો કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ સક્રિય હોય છે અને તે સમયે તેને ઊર્જાની જરૂર હોય છે. ત્યારે તમારું મગજ સ્લીપ એનર્જી માટે લિવરમાં ગ્લાઈકોઝન ભંડારનો ઉપયોગ કરે છે. એવામાં ઊંઘતા પહેલાં હનીના સેવનથી સુનિશ્ચિત થાય છે કે તમારી પાસે સારી ઊંઘ માટે ગ્લાઈકોઝનનો ભંડાર છે, જે તમને ક્વોલિટી સ્લીપ આપવામાં મદદ કરે છે.

જખમ ઝડપથી ભરાય : હનીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડેન્ટ્સ પ્રોપર્ટી હોય છે, જે જખમને ઝડપથી ભરવાનું કામ કરે છે. જ્યારે સ્કિન પર કોઈ જખમ થાય છે, ત્યારે બેક્ટેરિયા તેની અંદર જઈને સ્કિનમાં ઈંફેક્શન કરી શકે છે, જ્યારે મધ તે બેક્ટેરિયાને શોધીને મારવાનું કામ કરે છે.

ડેન્ડ્રફ દૂર કરે : હની નેચરલ રીતે ડેન્ડ્રફ દૂર કરવાનું કામ કરે છે, કારણ કે તેમાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, જે ડેન્ડ્રફને કંટ્રોલ કરીને સ્કેલ્પ હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે, સાથે તે સ્કેલ્પથી ડેન્ડ્રફ અને ગંદકીને રિમૂવ કરે છે, જે હેર ફોલિકલ્સ જમવાનું કારણ બને છે તે ન માત્ર ડ્રાય હેરને સિલ્કી બનાવે છે, પરંતુ હેરને સોફ્ટ અને સ્મૂધ બનાવવાનું કામ કરે છે.

નેચરલ રીતે ડેન્ડ્રફ દૂર કરવાની શક્તિ
સ્કિન સોફ્ટ બનાવે : તેમાં મોઈશ્ચરાઈઝિંગ અને નરિશિંગ પ્રોપર્ટી હોવાથી તે નેચરલી મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તેના માટે તમે હનીના કેટલાક ટીપાને સીધા ફેસ પર અપ્લાય કરી શકો છો કે પછી તેના માસ્કને પણ. તે સ્કિન પર મેજિક ઈફેક્ટ આપવાનું કામ કરે છે, તો પછી હનીથી સ્વયંને હેલ્ધિ રાખો.
– પારૂલ ભટનાગર.

હૃદયમાં પણ થાય છે શોર્ટ સર્કિટ

હૃદયમાં જેારથી ધબકારા થવા લાગે તો સમજી જાઓ તમારા હૃદયમાં કરંટનો ઓવરફ્લો થઈ રહ્યો છે એટલે શોર્ટ સર્કિટ. હા, આપણા હૃદયમાં પણ શોર્ટ સર્કિટ થાય છે. અમે હૃદય સંબંધિત એવી બીમારી વિશે જણાવીશું, જેને મેડિકલ ટર્મમાં પીએસવીટી અથવા પેરોસાઈમલ સુપરવેંટ્રિક્યૂલર ટેકીકાર્ડિયો કહેવાય છે. સામાન્ય વ્યક્તિના હૃદયના ધબકારા ૭૨-૧૦૦ પ્રતિ મિનિટ હોય છે, પરંતુ જ્યારે હૃદયમાં શોર્ટ સર્કિટ થાય છે ત્યારે પીડિતના ધબકારા ૧૮૦-૨૫૦ પ્રતિ મિનિટ સુધી પહોંચી જાય છે. જ્યારે હૃદયમાં કરંટ ઓવરફ્લો થાય છે ત્યારે ધબકારા ૩ ગણા વધી જાય છે. તે હૃદયમાં ગરબડ થવાથી થાય છે. આપણા હૃદયમાં ૪ ચેમ્બર હોય છે અને હૃદયમાં કેટલીય નસ હોય છે. તેમાં કેટલીક નસ એવી પણ હોય છે, જેની ઉપર કવરિંગ નથી થતું. જ્યારે આવી ૨ નસ પરસ્પર મળે છે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે.

લક્ષણ
ધબકારા વધવા.
શરીર પીળું અને ઠંડું પડવું.
શ્વાસ વધવા અને બેભાન થવું.
અસામાન્ય બ્લડપ્રેશરની સમસ્યા થવી.

સારવાર
ઈલેક્ટ્રો ફિઝિયોલોજિકલ સ્ટડી દ્વારા શોર્ટ સર્કિટવાળા પોઈન્ટ પકડવામાં આવે છે. જેના માટે પગના રસ્તેથી ૩ તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી હૃદયની અંદર થયેલ શોર્ટ સર્કિટ શોધી શકાય છે. ખબર પડતા ચોથો તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે અને હૃદયમાં શોટ સર્કિટવાળી આ નસ પર લગભગ ૩૫૦ કિલોહર્ટ્સના તરંગ છોડીને તેને ફ્યૂઝ કરી દેવામાં આવે છે.

પરંતુ કેટલીય વાર તે નસ જે પરસ્પર મળીને કરંટનો ઓવરફ્લો કરે છે જેા તે હૃદયની દીવાલને બિલકુલ સ્પર્શી રહી હોય છે તો તેને ફ્યૂઝ કરવાનું રિસ્ક હોય છે. આ સ્થિતિમાં દર્દીને પેસમેકર લગાવવાની જરૂર પડી શકે છે. આ સ્થિતિની જાણ ઈલેક્ટ્રો ફિઝિયોલોજી સ્ટડી કરતી વખતે થઈ જાય છે. હૃદયમાં કાણું, માનસિક તાણ, ચા, આલ્કોહોલ અને કોફીનું વધારે સેવન, જંક ફૂડનું વધારે સેવન, ખાંસીશરદી સહિત તમામ રોગની દવા ધબકારાને અનિયમિત કરે છે.

બેદરકારીથી બચો
આ સમસ્યા વારંવાર થઈ રહી છે તો તેનાથી હૃદયની માંસપેશીઓ કમજેાર થાય છે અને હૃદય ફેલાવા લાગે છે, જેથી કરંટ નવા રસ્તે ફ્લો થઈને ધબકારા વધારે છે. આ સંજેાગોમાં જીવ જવાનું જેાખમ રહે છે. હૃદય સંબંધિત આ સમસ્યા મહિલાઓમાં વધારે જેાવા મળે છે.
– ડો. વિવેક ચતુર્વેદી.

હેપી પ્રેગ્નન્સીના સિંપલ સિક્રેટ્સ

મા બનવાનો અહેસાસ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે, પરંતુ ૯ મહિનાની ગર્ભાવસ્થાનો આ સમય મુશ્કેલ અને નાજુક હોય છે. થોડીક બેદરકારીથી પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન આવી શકે છે. બાળકના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. પ્રથમ અને ત્રીજેા મહિનો નાજુક હોય છે. તેથી આ સમયે માએ પોતાનું ખૂબ ધ્યાન રાખવું જેાઈએ. તમારા ડાયટ, લાઈફસ્ટાઈલ, એક્સર્સાઈઝની સાથેસાથે મેન્ટલ હેલ્થને લઈને પણ સંપૂર્ણ સાવચેતી રાખવી જેાઈએ, જેથી તે સ્વસ્થ બાળકને જન્મ આપી શકે.

હેલ્ધિ પ્રેગ્નન્સી માટે ધ્યાન રાખો :
યોગ્ય અને પૌષ્ટિક ખાણીપીણી
ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના ખાણીપીણીમાં બેદરકારી ન રાખો. તમે જે પણ ખાશો તે તમારા બાળકને પણ અસર કરશે. પ્રેગ્નન્સી દરમિયાન નહીં, પરંતુ કંસીવ કરતા પહેલાં અને ડિલિવરી પછી પણ મહિલાઓએ ડાયટનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. પ્રેગ્નન્સીમાં પૌષ્ટિક આહાર લેવાથી જન્મ સમયે બાળકનું વજન યોગ્ય રહે છે. સંતુલિત આહારથી બાળકનો જન્મજાત વિકારોથી બચાવ થાય છે. ઘણી વાર પ્રેગ્નન્સી પહેલાં મહિનામાં કેટલીક મહિલાઓને ઊલટી, ભૂખ ન લાગવી, થાક જેવી સમસ્યા થાય છે, જેથી તેમને ખાવામાં તકલીફ થાય છે, પણ આ સમયે પોતાના ડાયટમાં ફાઈબરયુક્ત શાક, ફળો, નટ્સ, દૂધ વગેરે જરૂર લો.

પ્રેગ્નન્સીના ૯ મહિનામાં બાળકના શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીનની જરૂર હોય છે જેને બોઈલ ઈંડા, માછલી, બીન્સ જેમ કે રાજમા, લોબિયા, મગ, મેવા, સોયા અને દાળ વગેરેમાંથી પૂરું કરી શકાય છે. ઈંડાં પૌષ્ટિક હોય છે. તેમાં પ્રોટીન, બાયોટિન, કોલેસ્ટ્રોલ, વિટામિન ડી, એન્ટિ ઓક્સિડેન્ટ વગેરે ભરપૂર હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ પોતાના આહારમાં લીલા શાકભાજી જેમ કે પાલક, કોબીજ અને બ્રોકલીને સામેલ કરવી જેાઈએ. તે ઉપરાંત બીન્સ અને સરગવો પણ ખાવા જેાઈએ. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, તેની પ્રેગ્નન્ટ મહિલાઓને જરૂર હોય છે.

યોગ્ય અને સંયુક્ત ખાણીપીણી
ફાઈબરયુક્ત વસ્તુનું સેવન કરો. પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતની સમસ્યા વધે છે. તેથી પાચનક્રિયાનું ઠીક હોવું જરૂરી છે. પ્રયત્ન કરો કે તમારા ફૂડ્સમાં વધારેમાં વધારે ફાઈબર લો. તેનાથી કબજિયાત થવાનું જેાખમ નથી રહેતું. તમે જે પણ ખાઓ છો તેમાં ૧/૩ થી થોડો વધારે ભાગ કાર્બોહાઈડ્રેટ્સનો હોવો જેાઈએ. સફેદના બદલે સંપૂર્ણ અનાજની વેરાઈટી પસંદ કરો, જેથી તમને પૂરતું ફાઈબર મળી શકે. રોજ દૂધ અને ડેરી ઉત્પાદનનું સેવન કરો જેમ કે દૂધ, દહીં, ચીઝ, છાશ અને પનીર લો. જેા તમને દૂધ પચતું નથી તો કેલ્શિયમયુક્ત અન્ય વિકલ્પ જેમ કે છોલે, રાજમા, ઓટ્સ, બદામ, સોયા દૂધ, સોયા પનીર વગેરે પસંદ કરી શકો છો.

ધ્યાન રાખો
અઠવાડિયામાં ૨ દિવસ માછલીનું સેવન કરો. માછલીમાં પ્રોટીન, વિટામિન ડી, ખનીજ, ઓમેગા-૩ ફેટી એસિડ વગેરે હોય છે, જે તમારા બાળકના તંત્રિકાતંત્રના વિકાસ માટે જરૂરી હોય છે. જેા તમે શાકાહારી છો તો ડ્રાયફ્રૂટ્સ, બીજ, સોયા ઉત્પાદન અને લીલા શાક લો. તમારે ગર્ભાવસ્થામાં ૨ લોકો માટે ખાવાની જરૂર નથી. ભારતમાં મોટાભાગના ડોક્ટર બીજા અને ત્રીજા મહિનામાં ૩૦૦થી વધારે કેલરીના સેવનની સલાહ આપે છે. પ્રેગ્નન્સી દરમિયાન ચા, કોફીનું વધારે સેવન ન કરો. કોફીમાં રહેલું કેફીન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સારું છે કે તમે લીંબુવાળી ચા, હર્બલ ટી અથવા કેફીન રહિત ડ્રિંક્સનું સેવન કરો. દિવસ દરમિયાન નાના-નાના બ્રેકમાં હેલ્ધિ સ્નેક્સનું કરો. તેના માટે તમે રોસ્ટેડ બદામ, કાજુ, મખાણા, ચણા વગેરે ખાઓ. પ્રેગ્નન્સી દરમિયાન કેટલીક વસ્તુના સેવનથી દૂર રહો. જેમ કે કાચું અને અધપાકેલું માંસ, કાચું ઈંડું, પપૈયું વગેરે. તમે બોઈલ ઈંડું ખાઈ શકો છો, પણ ધ્યાન રાખો કે પીળો ભાગ સારી રીતે બોઈલ થયો હોય.

આયર્ન
શરીરમાં હીમોગ્લોબિન બનાવવા માટે આયર્નની જરૂર પડે છે. હીમોગ્લોબિન લાલ રક્ત કોશિકામાં જેાવા મળતું પ્રોટીન છે, જે શરીરના વિભિન્ન અંગો તથા કોશિકામાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આયર્નથી ભરપૂર ભોજન ખાઓ. તમારા ભોજનમાં આયર્નથી ભરપૂર ફૂડ્સ જેમ કે દાડમ, બીટ વગેરે સામેલ કરો. ફોલિક એસિડનું સેવન પણ પ્રેગ્નન્સીના દિવસોમાં જરૂરી હોય છે. સીડીસી (સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન) મુજબ ગર્ભાવસ્થાની યોજના બનાવી રહેલી મહિલાઓએ ઓછામાં ઓછા ૧ મહિના પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન રોજ ૪૦૦ મિલીગ્રામ ફોલિક એસિડનું સેવન કરવું જેાઈએ. ફોલિક એસિડ વિટામિન બીનું એક રૂપ છે, જે બાળકના મગજ અને કરોડરજ્જુ સંબંધિત જન્મદોષથી બચાવ કરે છે. તેને તમે લીલા શાક, દાળ, ફોર્ટિફાઈડ અનાજના સેવનથી મેળવી શકો છો. પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિનામાં તમારે ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર છે, કારણ કે તે ભ્રૂણને હેલ્ધિ રાખવામાં મદદ કરે છે.

સ્વયંને હાઈડ્રેટેડ રાખો
સ્વયંને હાઈડ્રેટેડ રાખો. નાળિયેર પાણી, ફળોનો તૈયાર જ્યૂસ અને શેક પણ પી શકો છો, ડાયટમાં તે ફળો સામેલ કરો, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. કાકડી, દૂધી, તરબૂચ વગેરે ખાઓ. પૂરા દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી અને ૧ થી ૨ ગ્લાસ જ્યૂસ પીઓ. આ રીતે શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળે છે. પાણી તમારા યૂરિનરી ટ્રેકના ઈંફેક્શનને અટકાવવામાં મદદ કરે છે, તેનું જેાખમ ગર્ભવતી મહિલામાં વધારે હોય છે.

શારીરિક રીતે એક્ટિવ રહો
રોજ રાતે ડિનર કર્યા પછી ૧૫ થી ૩૦ મિનિટ ટહેલો. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુયોગ્ય રહેશે. તેનાથી ડિલિવરી વખતે વધારે સમસ્યા નથી થતી. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ ૩૦ મિનિટ માટે બ્રિક્સ વોક કરો. તેનાથી શરીરને ગર્ભાવસ્થા અને પ્રસવ દરમિયાન થતા પરિવર્તનનો સામનો કરવામાં મદદ મળે છે. તમે ફિઝિકલી અને ઈમોશનલી ફિટ અનુભવશો. બ્રીધિંગ એક્સર્સાઈઝથી પણ લાભ થશે, પરંતુ ભારે વજનવાળી અને મુશ્કેલ એક્સર્સાઈઝ કરવાથી દૂર રહો.

ટેન્શનથી દૂર રહો
કોઈ વાતને લઈને ટેન્શનમાં ન રહો. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. સ્ટ્રેસના લીધે કંસીવ કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે. ત્યાં સુધી કે પ્રીમેચ્યોર લેબર પણ થઈ શકે છે. તેથી પ્રેગ્નન્ટ મહિલાઓને ખુશ રહેવાની સલાહ આપવામાં આવે છે.

આરામ
શરીરને પૂરતો આરામ આપો. આ તેમના શરીરમાં સ્રાવિત થતા ગર્ભાવસ્થા હોર્મોન્સના ઉચ્ચ સ્તરના લીધે થાય છે. પછી આ થાક રાતે વારંવાર પેશાબ માટે ઊઠવા કે પછી વધતા પેટના લીધે આરામથી ન ઊંઘવાના લીધે થઈ શકે છે. પડખું ફેરવીને ઊંઘવાની ટેવ પાડો. ત્રીજા પહોરમાં પડખું ફેરવીને ઊંઘવાથી બાળક સુધી રક્તનો પ્રવાહ સુચારુ રહે છે. પડખું ફેરવીને ઊંઘવાથી મૃત શિશુના જન્મનું જેાખમ પીઠના બળે ઊંઘવાની સરખામણીમાં ઓછું હોય છે. સતત ડોક્ટરના સંપર્કમાં રહો. કોઈ સમસ્યા દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
– ગરિમા પંકજ.

૧૧ ન્યૂ યર હેલ્થ ટિપ્સ

કોવિડ-૧૯ પછી દરેક વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં કોવિડના નવા વેરિઅન્ટે દેખા દીધી છે, ને ફરીથી દરેક વ્યક્તિ હેલ્થને લઈને સભાન થઈ ગઈ છે. આજે કોઈ પણ વ્યક્તિ ૧૦ વર્ષ પહેલાંથી કોઈ પ્રકારનું પ્લાનિંગ નથી કરી રહી, કારણ કે જીવન અનપ્રેડિક્ટેબલ છે, જ્યાં પૈસા અને શક્તિ હોવા છતાં લોકો પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે. એવામાં દરેક ઉંમરના લોકો આજે સ્વાસ્થ્ય અને તેની કાળજીને લઈને જાગૃત થઈ રહ્યા છે. આ વિશે મુંબઈના કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના કંસલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રવીણ કહાલે જણાવે છે કે કોવિડના લીધે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને આ સારી વાત છે, પરંતુ કેટલીક વાત દરેક વ્યક્તિને ન્યૂ યર પર સમજવાની જરૂર છે, જે નીચે મુજબ છે :
તમારું વજન કંટ્રોલમાં રાખો. ધ્યાન રાખો કે તમારું વજન યોગ્ય છે કે નહીં. તેના માટે તમારે વધારે કેલરીથી બચવું પડશે અને નિયમિત એક્સર્સાઈઝ કરવી જેાઈએ. લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવા જેવો સરળ ઉપાય તમે રોજ કરી શકો છો. બેસી રહેવું તમારા માટે એટલું જ નુકસાનકારક છે જેટલું પેસિવ સ્મોકિંગ છે. સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી હૃદયની બીમારીનું જેાખમ રહે છે. જ્યારે તમે બેસી રહો છો ત્યારે તમારા શરીરને એટલું જ નુકસાન પહોંચે છે જેટલું લાકડાના ધુમાડામાં રહેવાથી થાય છે. તેથી એક્સર્સાઈઝ ન કરવી અથવા બેસી રહેવાને પેસિવ સ્મોકિંગ માનવામાં આવે છે.
પેક્ડ ફૂડ્સ ઓછું ખાઓ કે બંધ કરો અને સ્વસ્થ આહાર પસંદ કરો. રોજિંદા આહારમાં શાક સામેલ કરો. મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું કરો.
આહાર પર નિયંત્રણ રાખવાની સાથે એક્સર્સાઈઝ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. એક્સર્સાઈઝ વધારે કરવાથી કેટલીય વાર સમસ્યા ઊભી થાય છે. કેટલીય વાર લોકો બોડી બનાવવા માટે સ્ટેરોઈડ્સ અને આ પ્રકારની અન્ય દવાઓ લે છે, જેથી હૃદયની બીમારીનું જેાખમ રહે છે.
બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર રાખો. તેમને રમવા, એક્સર્સાઈઝ કરવા માટે પ્રોત્સાહિત કરો. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો. તેનાથી બાળકોમાં સહનશીલતા વધે છે અને હૃદયની બીમારીનું જેાખમ ઓછું રહે છે.
જીવનશૈલીમાં આ મહત્ત્વના પરિવર્તન લાવવાની સાથે ગાઢ નિદ્રા લેવી ખૂબ જરૂરી છે. તેની સાથે ઊંઘની ગુણવત્તા પણ મહત્ત્વની છે. ઊંઘતા પહેલાં મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રહો, કારણ કે આ તમારા સર્કેડિયન રિધમને જેડે છે અથવા પરેશાન કરે છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઊંઘ મહત્ત્વની છે. બપોરના સમયે થોડો આરામ કરી શકો છો, પરંતુ દિવસે લાંબા સમય સુધી ઊંઘવાથી નિશ્ચિત રીતે તમારું હૃદય સંબંધિત જેાખમ વધશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે તમારું હૃદય સ્વસ્થ રાખી શકો છો.
જુદી-જુદી ઉંમરના લોકો માટે એક્સર્સાઈઝ પણ અલગઅલગ પ્રકારની હોય છે. જે લોકોને સાંધાનો દુખાવો અથવા અન્ય સમસ્યા હોય છે, તેઓ જેાગિંગ અને ટ્રેડમિલના બદલે સ્વિમિંગ અને સાઈકલ ચલાવવા જેવી સ્થિર એક્સર્સાઈઝ કરી શકે છે. આ પ્રકારના સાધનો જિમ ઘરમાં પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
બિલકુલ જરૂરી નથી કે હાઈ સ્પીડવાળી એક્સર્સાઈઝ કરો. મધ્યમ તીવ્રતાવાળી એક્સર્સાઈઝ નિયમિત અને સતત કરીને તાણને દૂર કરી શકો છો. ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેક એક્સર્સાઈઝ કરવાથી નુકસાન થઈ શકે છે.
વિટામિન ડી, વિટામિન બી-૧૨ જેવા પોષક તત્ત્વોની ઊણપની તપાસ કરાવતા રહો અને શરીરમાં આયર્નની કમી ન થવા દો. યુવા મહિલાઓ સાથે વયસ્ક મહિલાઓમાં પણ વિટામિન, આયર્નની કમી સામાન્ય સમસ્યા છે. હૃદયની હેલ્થને સારી રાખવા માટે પોષણના દષ્ટિકોણથી આ મહત્ત્વનું પાસું છે.
કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અથવા કોલેસ્ટ્રોલ ન હોય તો પણ સ્થૂળતા અને વધારે વજન હોવાથી હૃદયની બીમારીનું જેાખમ ૨૫ ટકા વધે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા એક જીવલેણ કોમ્બિનેશન છે, કારણ કે સ્થૂળતાના લીધે ડાયાબિટીસની શક્યતા વધે છે અને એક વાર જેા દર્દીને હાઈ શુગર થઈ જાય છે, તો હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.
ધૂમ્રપાન હાર્ટએટેક થવાનું મુખ્ય કારણ છે. સિગારેટના ધુમાડામાં જે કેમિકલ્સ હોય છે તેમાંથી શરીરમાં બ્લડ ઘટ્ટ થાય છે, વાહિકાઓ અને શિરાઓ, ધમનીમાં ક્લોટ થવા લાગે છે.
સારી હેલ્થ માટે મહત્ત્વપૂર્ણ છે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ અને મીઠું, ખાંડનું પ્રમાણ ઓછું રાખો. ઉંમર વધતા કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્કને ઓછું કરવા માટે બાળપણથી કેટલીક વાતનું ધ્યાન રાખવું જેાઈએ. મીઠું અને ખાંડ આ બે વસ્તુ તમારા શરીરને નહીં, પરંતુ જીભને ખુશ રાખવાનું કામ કરે છે. તમારે વિચારવું જેાઈએ કે ન્યૂ યરમાં તમે માત્ર જીભને ખુશ રાખવા માંગો છો કે પૂરા શરીરને?
– સોમા ઘોષ.

સંબંધને ગાઢ બનાવે હેલ્થ કેર

જેા સ્વાસ્થ્ય સારું હશે તો હસબન્ડવાઈફ ‘લોંગ એન્ડ હેપી લાઈફ જીવી શકશે, પરંતુ સામાન્ય રીતે ઘણી બધી વાર બંને નાનીનાની સ્વાસ્થ્ય સંબંધિત એકબીજાની બેદરકારીને ગણાવવા લાગે છે, પરંતુ આ સ્થિતિમાં આત્મીયતાની વધારે જરૂર હોય છે અને તે હશે તો જ સંબંધ વધારે મજબૂત બને છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પણ પોતાના લોકો પ્રત્યેની સ્વાસ્થ્ય સંબંધિત કેર દર્શાવે છે. તેથી જરૂરી છે કે સ્વાસ્થ્યને શેડ્સનો પિલર બનાવીને સંબંધોને આપો હેલ્થ કેરનો મજબૂત પાયો. તો આવો જાણીએ, આ કેવી રીતે કરશો :

હેલ્થ ચેકઅપની પરંપરા શરૂ કરો
પતિ હોય કે પત્ની પોતાની લાઈફસ્ટાઈલ તથા ઘરપરિવારની જવાબદારીમાં તેઓ એટલા વ્યસ્ત રહેતા હોય છે કે ઈચ્છવા છતાં પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા. બંનેને હેલ્થ સંબંધિત મુશ્કેલી થવા છતાં ક્યારેક સમયનું બહાનું બનાવીને તો ક્યારેક પૈસાની મુશ્કેલીના લીધે પોતાની હેલ્થને નજરઅંદાજ કરતા હોય છે, જેનું પરિણામ તેમણે ઘણી વાર ગંભીર મુશ્કેલીનો સામનો કરીને ભોગવવું પડે છે. આ સ્થિતિમાં જરૂરી છે કે બંને પાર્ટનરે દર વર્ષે ફુલ બોડી ચેકઅપ રૂટિન બનાવવું જેાઈએ, તેનાથી તમને બંનેને પોતાના શરીરની એક્ચ્યુઅલ સિચ્યુએશન વિશે જાણકારી મળશે, સાથે કોઈ ટેસ્ટથી કોઈ હેલ્થ પ્રોબ્લેમની જાણ થાય તો સમયસર તેની સારવાર પણ શક્ય બનશે.
હેલ્થ બાબતે તમે સ્માર્ટ હેલ્થ ચેકઅપના પ્લાનને ઓપ્ટ કરો, જેમાં તમને પેકેજના હિસાબે ટેસ્ટ કરાવવા પર સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે સાથે તેમાંથી ટેસ્ટ સસ્તા પણ હોય છે તેમજ તમે આ હેલ્થ પ્લાનથી દર વર્ષે તમારી અને પાર્ટનરની હેલ્થનું ધ્યાન પણ રાખી શકો છો. જેા તમારી હેલ્થ સારી હશે તો તમે ખુશહાલ જીવન જીવી શકશો, નહીં તો બીમારીથી ઘેરાઈને કે સમય પર તેની સારવાર ન થવાથી ન તો તમે સ્વયંને સંભાળી શકશો કે ન તમારા પરિવારને. તેની સાથે બીમારીને આજે ટાળવાથી કાલે તમે કોઈ મોટી મુસીબતમાં પણ ફસાઈ શકો છો. તેથી ‘બી એલર્ટ ફોર યોર હેલ્થ.’

હેલ્થ ઈંશ્યોરન્સ પ્લાન ગિફ્ટ કરો
ભલે ને એનિવર્સરીનું પહેલું વર્ષ હોય કે પછી ૫ મું વર્ષ, દરેક કપલ માટે હંમેશાં આ દિવસ યાદગાર અને ખાસ હોય છે, કારણ કે આ જ દિવસે બંનેએ જીવનભર માટે એકબીજાનો હાથ પકડ્યો હોય છે. એકબીજા સાથે જીવવામરવાનું વચન આપ્યું હોય છે. આ સ્થિતિમાં કોઈક આ દિવસને ખાસ બનાવવા માટે પોતાના પાર્ટનરની પસંદની સ્પેશિયલ ગિફ્ટ તેને ભેટમાં આપીને તેના ફેસ પર વધારે ખુશી લાવવાની કોશિશ કરે છે. આ બધા પ્લાન વિશેષ રૂપે તમારા પાર્ટનરના ફેસ પર ખુશી લાવવા માટે ખૂબ સારા સાબિત થઈ શકે છે.
સ્પેશિયલ ગિફ્ટ કે બીજા કોઈ ઉપહાર સાથે પાર્ટનરને હેલ્થ કેર ઈંશ્યોરન્સ પ્લાન ગિફ્ટમાં આપીને સાથીને અત્યાર સુધીની બેસ્ટ એનિવર્સરી ગિફ્ટ આપી શકો છો, કારણ કે આ ગિફ્ટથી તમારા વહાલા સાથીનું સમયાંતરે હેલ્થ ચેકઅપ પણ થશે, સાથે તમે તેની હેલ્થ બાબતે નિશ્ચિંત પણ થઈ જશો. મારા પાર્ટનરની હેલ્થ બાબતે હવે કોઈ ચિંતા કરવાની જરૂર રહી નથી. તેમ છતાં જેા ક્યારેક જરૂર પડે તો પણ તેનો હેલ્થ કેર ઈંશ્યોરન્સ પ્લાન હોવાથી તમારા પાર્ટનર પણ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવા આનાકાની નહીં કરે, નહીં તો હંમેશાં ખર્ચનો વિચાર કરીને મોટાભાગના કપલ પાસે આ બાબતે બહાનાનું લિસ્ટ તૈયાર રહે છે.

બ્યૂટિ, ફેસકેર કે સ્પા વિઝિટ કરો
મેરેજ થયા નથી કે આપણે એમ વિચારીને પોતાના ગ્રૂમિંગ પર ધ્યાન નથી આપતા કે હવે લગ્ન થઈ ગયા છે, કોણ જેાવાનું છે. તેથી ન તો પોતાના ફેસકેર પર ધ્યાન આપીએ છીએ, તો શરીરના ગ્રૂમિંગનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. આ સ્થિતિમાં બંને પાર્ટનરે એકબીજાની કેર કરતા ક્યારેક તેને ફેસકેર માટે સલૂન જવાની ગિફ્ટ આપવી જેાઈએ કે ક્યારેક તેને હેર કેર અથવા હેર લુકને અપટૂડેટ કરવા અથવા સ્ટાઈલિશ લુક આપવા માટે સલૂન જવાની ગિફ્ટ આપવી જેાઈએ. આ ગિફ્ટથી તમે અને તમારો પાર્ટનર રિફ્રેશ થશો, સાથે તમારામાં આવેલો બદલાવ તમારામાં કોન્ફિડન્સ લાવવાનું કામ કરશે.

તમારું પોકેટ બેર કરી શકે તેમ ન હોય તો તમે બંને ૨ મહિનામાં એક વાર સ્પા ટ્રીટમેન્ટ પણ લો. સ્થાયી બોડીમાં ગ્રેસ, એટ્રેક્શન આવવાની સાથેસાથે તમારા બંનેમાં એકબીજા પ્રત્યેનો ક્રેઝ જળવાઈ રહેશે, જે તમારી ઉંમરને વધવા નહીં દે, સાથે ટાઈમ ટૂ ટાઈમ બોડી ગ્રૂમિંગ થઈને તમારી આઉટર બ્યૂટિને નિખારીને પાર્ટનર પ્રત્યે તમારી એક્સાઈટમેન્ટ જાળવી રાખવાનું કામ કરે છે. સ્પાથી તમારી હેલ્થ પણ સારી રહે છે, કારણ કે જ્યારે આપણે સ્વયંને ટિપટોપ રાખવા સ્પા વગેરે ટ્રીટમેન્ટનો સહારો લઈએ છીએ ત્યારે તેની અસર હેલ્થ પર થાય જ છે. તમારું બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે, બોડી પેન દૂર થાય છે અને તમારી બોડી વધારે શાઈન કરવા લાગે છે. તેથી ગ્રૂમિંગ દ્વારા બંને પાર્ટનર સ્વયંને નિખારવાની સાથે પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકે છે.

ફિટનેસ ગ્રૂપ, હેલ્થ ક્લબની મેમ્બરશિપ લો
ભલે ને આપણે સોસાયટીમાં રહીએ કે ફ્લેટમાં કે પછી કોઈ બીજી જગ્યાએ, ત્યાં આપણને જેા ફિટનેસ ગ્રૂપ સાથે જેાડાવાની કે હેલ્થ ક્લબની મેમ્બરશિપ લેવાની તક મળતી હોય તો પણ આપણે એમ વિચારીને તેને ઈગ્નોર કરીએ છીએ કે ઓફિસ અને ઘરના આટલા બધા કામ વચ્ચે ભલા કોણ આ બધા માટે સમય ફાળવે, તેથી તેને છોડી દેવું યોગ્ય સમજતા હોય છે, પરંતુ યાદ રાખો કે જેા તમે હેલ્ધિ હશો તો બધા સાથે ખુશીઆનંદમાં જિંદગી જીવી શકશો.
તેથી તમારી અને તમારા પાર્ટનરની હેલ્થનું ધ્યાન રાખતા ફિટનેસ ગ્રૂપ અથવા હેલ્થ ક્લબની મેમ્બરશિપ જરૂર લો. તેનાથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને તમારા પાર્ટનર સાથેના સંબંધ પણ મજબૂત બનશે. જ્યારે પણ તમે ફિટનેસ સાથે જેાડાયેલી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેશો તો તમને હંમેશાં તમારા પાર્ટનરની યાદ આવશે કે આ બધું તેના લીધે શક્ય બન્યું છે, નહીં તો હું ક્યાં આ બધું કરવાની કે કરવાનો હતો. ભલે ને તેનાથી તમારા પોકેટ પર થોડો બોજ પડે, પરંતુ જાણી લો કે પરિવાર તથા પાર્ટનરની ગુડ હેલ્થમાં સમગ્ર પરિવારની ખુશી છુપાયેલી હોય છે.

ડાયટ પ્લાનને શેડ્યૂલ કરો
જે કંઈ મળ્યું તે ખાઈ લીધું, આ માનસિકતાના લીધે ગમે તે વસ્તુ ખાઈને મોટાભાગે આપણે સ્વયંને બીમાર કરી દઈએ છીએ, પરંતુ હવે એ સમય નથી રહ્યો કે તમે તમારી હેલ્થ બાબતે બેદરકાર રહો. તેથી ફિટ રહેવા માટે તમારા ડાયટ પ્લાનનું શેડ્યૂલ નક્કી કરો. શક્ય હોય તો તેના માટે કોઈ સારા ડાયટ પેકેજની પસંદગી કરો અથવા ઘરે જ ડાયટનું શેડ્યૂલ બનાવી લો. આમ કરીને તમે જાતે અથવા તમારા પાર્ટનર કે પછી પરિવારના બીજા કોઈ સભ્યનું ડાયટ સારી રીતે મેનેજ કરી શકશો.
જેા તમે કોઈ ડાયટ કોચની પસંદગી કરી હોય તો તમને સારી એવી હેલ્પ મળશે, નહીં તો તમે વીકલી ડાયટ પ્લાનના હિસાબે પણ ઘરે ડાયટ ચાર્ટ બનાવીને તમારું અને તમારા પરિવારના લોકોનું ખાસ ધ્યાન રાખી શકશો. જેા હેલ્ધિ ખાશો તો તમે પણ બીમારીથી દૂર રહીં શકશો અને હેલ્ધિ ઈટિંગ હેબિટ તમને યુવાન રાખવામાં મદદ કરશે. તેથી સંબંધને મજબૂત બનાવવા અને પ્રિયજનોનો હંમેશાં સાથ મેળવવા માટે પાર્ટનર્સે એકબીજાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.
– પારૂલ ભટનાગર.

પીરિયડ કુરીતિ પર સવાલ

પીરિયડ પ્રજનન ક્રિયાનો એક કુદરતી ભાગ છે, જેમાં ગર્ભાશયમાંથ રક્ત યોનિ માર્ગે બહાર નીકળે છે. આ પ્રક્રિયા યુવતીઓમાં લગભગ ૧૧ વર્ષથી ૧૪ વર્ષની ઉંમરમાં શરૂ થઈ જાય છે. આ કુદરતી પ્રક્રિયા જ તેમને સમાજમાં મહિલાનો દરજ્જેા અપાવે છે. પીરિયડ યુવતીઓ માટે અદ્વિતીય ઘટના છે, જે માન્યતાથી ઘેરાયેલ છે અને સમાજના ઠેકેદારો પીરિયડમાંથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને જીવનના સામાજિક અને સાંસ્કૃતિક પાસામાંથી બહાર કરે છે, જ્યારે આ સમયે જ તેમને દેખરેખની વધારે જરૂર હોય છે. મિશ્ર અને ગ્રીકના દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે દર મહિને મહિલામાં સેક્સ્યુઅલ ડિઝાયરનું તોફાન ઊઠે છે. જ્યારે આ ડિઝાયર પૂરી નથી થતી ત્યારે શરીરમાંથી રક્ત વહે છે તેને પીરિયડ કહેવાય છે. પીરિયડ પહેલાં મહિલાના મૂડમાં અનેક પરિવર્તન આવે છે, સ્વભાવમાં ચીડિયાપણું અને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય છે. આ જરૂરી નથી કે બધી મહિલાઓ સાથે આવું જ થાય. કેટલીક મહિલાઓને સામાન્ય અને કેટલીક મહિલાઓને અસહ્ય પીડા થાય છે, કેટલીક મહિલાઓ કહે છે કે આ સ્થિતિ સેક્સથી વંચિત રહેવાથી થાય છે. તેથી આજે પણ કેટલાક લોકો યુવતીઓને કહે છે કે લગ્ન પછી આ દુખાવો ઠીક થઈ જશે.

અજીબોગરીબ તર્ક
ભારતમાં તેનો ઉલ્લેખ વર્જિત રહ્યો, કારણ કે હિંદુ સંસ્કૃતિ મુજબ તેની પાછળ એક કથા પ્રચલિત છે, જેમાં ઈન્દ્ર દેવતાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ હતી, જેના પાપનો ચોથો ભાગ મહિલાઓને આપવામાં આવ્યો. તેથી મહિલાઓને પીરિયડ થાય છે અને તેમાં તેમને અપવિત્ર સમજવામાં આવે છે, તેથી તેમને કોઈ પણ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની ના હોય છે અને બીજું કારણ એ માનવામાં આવે છે કે હિંદુ દેવીદેવતાઓના મંત્રો સંસ્કૃતમાં છે, તેને વાંચવા માટે એકાગ્રતાની જરૂર હોય છે અને પીરિયડમાં અસહ્ય પીડા થવાથી એકાગ્રતા નથી રહેતી અને મંત્ર સારી રીતે ન વાંચવાથી પાપ લાગવાનો ડર રહે છે. હકીકતમાં આ પાખંડ દર સમયે મહિલાઓને અહેસાસ અપાવવા માટે કરવામાં આવે છે કે તે પાપી છે અને જ્યાં સુધી દાનપુણ્ય ધનથી જ નહીં તનથી પણ નહીં કરે ત્યાં સુધી તેમનો ઉદ્ધાર નહીં થાય. પાખંડીઓએ શારીરિક નેચરલ પ્રક્રિયાનો ઉપયોગ પોતાનો ફાયદો ઉઠાવવા માટે કર્યો છે.

પીરિયડ સંબંધિત લગભગ દરેક જૂની વાત પાયાવિહોણી છે. પીરિયડમાં શહેરી વિસ્તારમાં મંદિર અને મુખ્યત્વે ગામમાં રસોઈઘરમાં જવું પ્રતિબંધિત છે. તેનું મુખ્ય કારણ આપ્યું છે કે પીરિયડ સમયે વિશેષ ગંધ નીકળે છે, જેથી ભોજન બગડવાની શંકા રહે છે, તેથી તેમને અથાણું વગેરે સ્પર્શ કરવાની મનાઈ હોય છે, જ્યારે વૈજ્ઞાનિક પરીક્ષણમાં એવું કંઈ જ મળ્યું નથી. આ સમયે મંદિરોમાં પ્રવેશ અને યૌન સંબંધ બનાવવાની ના હોય છે. મહિલાઓ સ્વયંને અશુદ્ધ અને પ્રદૂષિત હોવાની દષ્ટિથી જુએ છે.

પાયાવિહોણી વાત
સ્વામીનારાયણ સંપ્રદાયે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે મહિલાઓને આ દિવસોમાં આ નિયમોનું પાલન કેમ કરવું જેાઈએ. તેમના મતે મહિલાઓ વધારે શારીરિક પરિશ્રમ કરે છે, જેથી તેમને થાક લાગે છે અને આ દિવસોમાં તેમના સ્વભાવમાં ચીડિયાપણું જેાવા મળે છે, તેમને આરામ મળે તે હેતુથી તેમને અલગ રાખવામાં આવે છે, પણ તેનો મતલબ એ થયો કે તે ઘરના સૌથી ગંદા રૂમમાં રહે. પણ આજના વૈજ્ઞાનિક યુગમાં આ બધી માન્યતા ખોટી માનવામાં આવે છે. પીરિયડ એક શારીરિક પ્રક્રિયા છે, આ જ લોહી શરીરની અંદર હોવાથી જે મહિલા પવિત્ર છે તો તે જ લોહી બહાર આવતા અપવિત્ર કેવી રીતે? આ તો પાયાવિહોણી વાત છે.
પીરિયડ દરમિયાન મહિલાઓની સ્થિતિ ન દર્દી જેવી હોય છે, ન આપણે તેમની પર દયા કરવી જેાઈએ. જે રીતે દરેક વ્યક્તિ રાતે થાકીને ઊંઘવા ઈચ્છે છે. પીરિયડ મહિલાઓની પૂર્ણતાની ઓળખ છે. પીરિયડમાં સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જેાઈએ. જેમ કે ખાણીપીણીનું, આરામ કરવો, મનને ગમતાં કામ કરવા, વાંચન કરવું જેાઈએ.
– પ્રેમ બજાજ.

ફૂડની ફર્ટિલિટી પર અસર

મા બનવું દરેક મહિલા માટે સુંદર અહેસાસ હોય છે, પરંતુ કેટલીય વાર જ્યારે મહિલાઓ મા બનવાની કોશિશ કરે છે, ત્યારે શરીરની તકલીફના લીધે મહિલાઓને મા બનવામાં સમસ્યા થાય છે તેની પાછળ અનેક કારણ હોય છે. જેમ કે તાણ, લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની કમી વગેરે. એવામાં કેટલાય ફૂડ એવા હોય છે, જે મહિલાઓની ફર્ટિલિટીને અસર કરે છે. જે મહિલા મા બનવાનું વિચારી રહી છે, તો મહિલાઓએ કેટલાક ફૂડથી દૂર રહેવું જેાઈએ. આ ફૂડ્સ ન ખાવાથી મહિલાઓની ફર્ટિલિટીમાં સુધારો આવે છે. આવો જાણીએ આ ફૂડ્સ વિશે :

મીટ
તમે મા બનવાનું વિચારી રહ્યા છો, તો પ્રોસેસ્ડ રેડ મીટના સેવન કરવાથી દૂર રહો. આ ફૂડમાં હાઈ કેલરી હોય છે, જે ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. પ્રોસેસ્ડ રેડ મીટ ખાવાથી મહિલામાં સ્થૂળતાની સમસ્યા ઊભી થાય છે. તે ખાવાથી વજન ઝડપથી વધે છે. તેને ખાવાથી લિવરમાં ફેટ બને છે.

કેફીન
કેફીન શરીર માટે હાનિકારક હોય છે. તમે મા બનવાનું વિચારી રહ્યા છો, તો તમેે ચા-કોફી અને કોલ્ડ ડ્રિન્ક્સ પીવાથી દૂર રહો. તેના સેવનથી મહિલાનું એસ્ટ્રોજન લેવલ વધે છે અને પીરિયડ સાઈકલ પણ ગરબડ થાય છે. જે તમને ચા-કોફી પીવાનું મન વધારે થાય, તો પૂરા દિવસમાં એક કપથી વધારે ન પીઓ.

આલ્કોહોલ
આલ્કોહોલ શરીર માટે નુકસાનકારક હોય છે. આલ્કોહોલ પીવાથી મહિલાની ફર્ટિલિટી પર અસર થાય છે. આલ્કોહોલ મહિલાના હોર્મોન્સમાં અસંતુલન પેદા કરે છે, જેથી ફર્ટિલિટી પ્રભાવિત થાય છે. મહિલા જે આલ્કોહોલનું સેવન કરે છે, તો તેની પીરિયડ સાઈકલમાં પણ પરિવર્તન થાય છે.

જંક ફૂડ
જંક ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જંક ફૂડના સેવનથી સ્થૂળતા વધે છે. જંક ફૂડ ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ વધે છે અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. મહિલા જે નિયમિત જંક ફૂડનું સેવન કરે છે, તો તેનાથી તેની ભૂખ ઓછી થાય છે. એવામાં જંક ફૂડના સેવનથી દૂર રહો.

સોડા
સોડા શરીર માટે નુકસાનકારક હોય છે. હાલમાં સોડા માર્કેટમાં વધારે મળે છે. એવામાં તમે મા બનવાનું વિચારી રહ્યા છો, તો સોડાના સેવનથી દૂર રહેવું જેાઈએ. સોડા પીવાથી સ્થૂળતા વધે છે, જેથી ફર્ટિલિટી પ્રભાવિત થાય છે. સોડામાં વધારે પ્રમાણમાં કેલરી હોય છે, જે શરીર માટે નુકસાનકારક હોય છે.
– પ્રતિનિધિ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો