ઝટ પ્રેમ પટ બ્રેકઅપ

કેટલાય સમયથી સેલિબ્રિટી બ્રેકઅપ સમાચારોમાં છવાયેલા છે. પહેલાં સલમાનકેટરિના, ફરહાનઅધુના, બિપાશાજ્હોન અચાનક અલગ થઈ ગયા હવે મલાઈકાઅરબાઝે અલગ થઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. નાના પડદાના જાણીતા અભિનેતા કરણ સિંહ ગ્રોવરના તેની પ્રથમ પત્ની શ્રદ્ધા નિગમ સાથે છૂટાછેડા, પછી જેનિફર સાથે લગ્ન અને પછી છૂટાછેડા, પછી બિપાશા બસુ સાથે લગ્ન. આ સંબંધ કેટલા દિવસ કે હંમેશાં ચાલશે, એ જેાવાનું બાકી છે. આપણને કોઈ સેલિબ્રિટીને જેાઈને વિચાર આવે છે કે વાહ, શું કપલ છે. ખબર પડે છે કે તે કપલનું પણ બ્રેકઅપ થઈ ગયું અને આપણો આધુનિક સંબંધ પર વિશ્વાસ ડગમગવા લાગે છે. રણબીર અને દીપિકાની જેાડી જેાવાલાયક હતી. આજે પણ બંનેના ફેન્સ બંનેને સાથે જેાવા ઈચ્છે છે. રિતિક રોશને જ્યારે સુઝૈન સાથે લગ્ન કર્યા ત્યારે કેટલાય દિલ તૂટી ગયા, પણ હવે તો તે પણ અલગ થઈ ગયા. હોલીવુડના જેાન બ્રેડપિટ અને જેનિફરનો પ્રેમ એક ઉદાહરણરૂપ હતો, પણ એંજેલિના સાથે બ્રેડપિટનો સંબંધ થતા તેમનું બ્રેકઅપ થઈ ગયું. બેન હિંજિસ અને લોરેન બુશનેલ, કેટીપેરી અને ઓલેન્ડો બ્લૂમ, રિચર્ડ પેરી અને જેાન ફોંડા, નિકી મિનાજ અને મીક મિલના બ્રેકઅપે પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ટેલિવિઝનના જાણીતા અદાકારા દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા બંને ‘બનૂં મૈં તેરી દુલહન’ ના સેટ પર મળ્યા હતા. આ સંબંધ ૭ વર્ષ ચાલ્યો, પણ પછી તૂટી ગયો. કરણ પટેલ અને કામ્યા પંજાબીનો સંબંધ પણ ખૂબ સમાચારમાં રહ્યો, પણ સંબંધમાં અચાનક આવેલી તિરાડથી બ્રેકઅપ પણ થઈ ગયું. કરણે ધામધૂમથી અંકિતા ભાર્ગવ સાથે ફરી લગ્ન પણ કરી લીધા.

સામાન્ય લોકોમાં પણ વધતું બ્રેકઅપ : એક તરફ જાણીતા સ્ટાર્સના બ્રેકઅપના સમાચાર રોજ સાંભળવા મળે છે, બીજી તરફ સામાન્ય લોકોના જીવનમાં પણ આ સંબંધ કમજેાર પડતા દેખાય છે. ઝટ પ્રેમ થાય, પણ બ્રેકઅપના સમાચાર આવતા વાર નથી લાગતી. પવઈ નિવાસી જૂહી અને પ્રશાંતનું ૪ વર્ષથી અફેર હતું, બંનેના ફ્રેન્ડ ગ્રૂપમાં આ વાત નક્કી હતી કે બંને જલદી લગ્ન કરશે. જુદીજુદી જ્ઞાતિ હતી, પણ બંનેનો પરિવાર આધુનિક હતો. બંનેનો પરિવાર આ સંબંધ વિશે જાણતો હતો, પણ જ્યારે જૂહીના પરિવારે આ લગ્ન માટે ના પાડી ત્યારે જૂહી પ્રશાંતથી દૂર થઈ ગઈ. આધુનિક, શિક્ષિત જૂહીના નિર્ણયથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જૂહીએ ખૂબ જ સહજતાથી કહ્યું કે ફેમિલીને કોણ ટેન્શન આપે. સાથે રહેવાનું જેટલું લખ્યું હતું રહી લીધું. હવે આગળ જેાઈએ. વાત સાંભળવામાં સામાન્ય છે, પણ હવે સંબંધ ખરેખર કમજેાર પડવા લાગ્યા છે. જૂહીના આ વ્યાવહારિક દષ્ટિકોણથી પ્રશાંત તૂટી ગયો. તે કેટલાય દિવસ સુધી દુખી રહ્યો. જૂહીએ ૬ મહિનામાં માતાપિતાની મરજીથી એક છોકરા સાથે લગ્ન પણ કરી લીધા. જીવનમાં આગળ વધવામાં કોઈ બૂરાઈ નથી, પણ પ્રશ્ન એ છે કે આધુનિક સંબંધ આટલા કમજેાર કેમ છે? સંબંધ નિભાવવો આજકાલ મુશ્કેલ કેમ થઈ રહ્યો છે? શું આપણે પ્રેમ કરવાનું ભૂલી ગયા? કે તેનાથી પણ મોટી બૂરાઈ એ છે કે આપણે એ ભૂલી ગયા કે પ્રેમ છે શું? આજકાલના સંબંધ આટલી જલદી કેમ તૂટી રહ્યા છે, કારણો પર એક નજર :

  • આપણે કદાચ ત્યાગ માટે, સમજૂતી માટે, કોઈ શરત વગર પ્રેમ કરવા માટે તૈયાર જ નથી. આપણે આજકાલ દરેક વસ્તુ સરળતાથી મેળવવી છે. પ્રેમને સારી રીતે ઉછરવા જ નથી દેતા. સમય પહેલાં જ બધું હાંસલ કરી લેવું છે કે બધું છોડી દેવું છે. શ્ર આ તે પ્રેમ છે જ નહીં, જેની તમે શોધમાં છો. લાઈફમાં હવે ઉત્તેજના અને રોમાંચ ઈચ્છો છો. મૂવી અને પાર્ટી માટે એક સાથી જેાઈએ, ન કે કોઈ એવો જે આપણું મૌન સમજી શકે. સમય સાથે તો વિતાવો છો, પણ યાદોને સજાવી નથી રાખતા. બોરિંગ લાઈફ નથી જેાઈતી. હવે જીવનસાથી નહીં, માત્ર વર્તમાન માટે સાથી વિચારે છે. અંદરની સુંદરતામાં વિશ્વાસ નથી કરતા, કારણ કે આપણને હવે સાહસંપૂર્ણ રોમાંચ ગમે છે. શ્ર આપણી પાસે પ્રેમ માટે સમય જ નથી, સંબંધ નિભાવવાની ધીરજ ખૂટી ગઈ છે. શહેરની દોડધામ પછી પ્રેમ માટે સમય જ નથી રહેતો. આપણે ભૌતિક સપનાં જેનાર બિઝી માણસ થઈ ગયા છીએ. હવે સંબંધ સુવિધાથી વધારે કંઈ જ નથી.
  • દરેક વાતે તરત જ ખુશી જેાઈએ. તે આપણી ઓનલાઈન પોસ્ટ હોય, કરિયર હોય કે તે વ્યક્તિ, જેને તમે પ્રેમ કરો છો. સંબંધમાં ગંભીરતા સમય સાથે આવે છે, બીજી વ્યક્તિ સાથે સંપૂર્ણ રીતે જેાડાવામાં વર્ષો વીતી જાય છે. હવે પ્રેમ માટે સમય અને ધીરજ ખૂટી જાય છે.
  • વિકલ્પમાં વિશ્વાસ થવા લાગ્યો છે. સોશિયલ લોકો છે, લોકોને જાણવાને બદલે બસ તેમને મળીએ છીએ. લાલચુ થઈ ગયા છીએ. બધું જેાઈએ. થોડું આકર્ષણ થતા સંબંધ શરૂ કરી દો છો અને થોડો અપેક્ષાકૃત સારો સાથી મળતા તરત જૂનામાંથી બહાર આવી જાઓ છો.
  • ટેક્નોલોજી એકબીજાની નજીક લાવી દે છે. એટલા નજીક કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. શારીરિક હાજરીના બદલે ટેક્સ્ટ્સ, વોઈસ મેસેજ, સ્નેપ ચેટ્સ, વીડિયો કોલે જગ્યા લીધી છે. એકબીજા સાથે સમય વિતાવવાની જરૂર નથી. એકબીજા વિશે પહેલાંથી જ ઘણી માહિતી હોય છે, વાત કરવા માટે કંઈ રહેતું જ નથી.
  • પ્રેમ અને સેક્સને અલગઅલગ જેાવા લાગ્યા છીએ. સેક્સ હવે સરળ છે, નિભા રાખવી મુશ્કેલ છે. સંબંધની બહાર સેક્સ હવે મોટી વાત નથી રહી. પ્રેમની જગ્યા જીવનમાં મર્યાદિત થઈ ગઈ છે.
  • આ વ્યાવહારિક પેઢી છે, જે તર્ક જાણે છે. તેમને પાગલની જેમ પ્રેમ કરતા નથી આવડતું. પોતાનું હિતઅહિત સમજીવિચારીને કોઈ ડગલું ભરે છે. પ્રેમમાં દીવાનાની જેમ કોઈને જેાવાનો સમય હવે કોઈની પાસે નથી. શ્ર પ્રેમમાં કમિટમેન્ટ અને દિલ તૂટવાનો ડર રહે છે. હવે આંખ બંધ કરીને કોઈના પ્રેમમાં પડીને પોતાની લાઈફ નથી બગાડી શકતા. વ્યક્તિનો સૌથી ખાસ ગુણ પ્રેમ છે. કદાચ ધીરેધીરે આ શબ્દના અર્થ જ ભુલાઈ રહ્યા છે. આધુનિક સમયમાં રહેતા આપણે લોકો ક્યાંક પ્રેમનું અસ્તિત્વ, મહત્ત્વ જ ન ભૂલી જઈએ. આ વિચારવા લાયક વાત છે. સંબંધથી પ્રેમ, સહયોગ, સમર્પણ સંપૂર્ણ રીતે ગુમ ન થઈ જાય. આ વાતનું ધ્યાન રાખવું જેાઈએ. મશીન જેવું જીવન ન જીવતા જીવનરૂપી છોડને પ્રેમભર્યા સંબંધથી સીંચો, જેથી ચારે બાજુ વાતાવરણમાં પ્રેમભર્યા સંબંધની ખુશબૂ આવે.

– પૂનમ અહમદ

ભાઈબહેનનો સંબંધ બનાવે છે પિયર

જાણ થઈ કે રાજીવને કેન્સર છે. પછી તો જેાતજેાતામાં જ માત્ર ૮ મહિનામાં તેનું મૃત્યુ થઈ ગયું. આમ અચાનક ગૃહસ્થી પર તૂટી પડેલા પહાડને એકલી શર્મિલા કેવી રીતે ઉઠાવતી? જેાકે તેના બંને ભાઈઓએ તેને સંભાળવામાં કોઈ કસર નહોતી રાખી. ભાઈના એક મિત્રએ શર્મિલાને નાનકડી બાળકી સાથે તેને અપનાવી લીધી હતી. શર્મિલાના મમ્મી તેના જીવનને સંભાળી લેવાનો શ્રેય તેના ભાઈઓને આપતી, ‘‘જેા હું એકલી હોત તો મારું અને શર્મિલાનું જીવન વિતાવવા મજબૂર થઈ જાત, પરંતુ તેના ભાઈઓએ તેનું જીવન સંભાળી દીધું.’’ જરા વિચારો, જે શર્મિલાને કોઈ ભાઈબહેન ન હોત અને માત્ર માતાપિતા જ હોત, તો શું તે ખુશીઆંનદમાં પોતાનું બાકીનું જીવન પસાર કરી શકી હોત? ના. એક દુખ રહેતું, એક ખાલીપો રહેતો. માત્ર ભૌતિક સુવિધાથી જીવન સંપૂર્ણ નથી થતું, તેને સંપૂર્ણ બનાવે છે સંબંધ.

ખાલી પિયરની પીડા : સાવિત્રી જૈન રોજની જેમ સાંજે પાર્કમાં બેઠી હતી. એટલામાં રમા પણ ત્યાં ફરવા આવી પહોંચી. વોટ્સએપ પર આવેલો એક જેાક્સ બધાને સંભળાવતા તે મજાક કરવા લાગી, ‘‘ક્યારે જઈ રહ્યા છો બધા. પિયરમાં?’’ બધા ખડખડાટ હસવા લાગ્યા, પરંતુ સાવિત્રી ઉદાસ થતા બોલી, ‘‘કેવું પિયર? જ્યાં સુધી માતાપિતા હતા, ત્યાં સુધી પિયર પણ હતું. જેા કોઈ ભાઈ હોત તો પણ સરનામું રહેત પિયરનું.’’ ખરેખર, એક માત્ર સંતાનનું પિયર પણ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તેના માતાપિતા આ દુનિયામાં હયાત હોય છે. તેમના ગયા પછી બીજું કોઈ ઘર જ નથી રહેતું પિયરના નામે.

ભાઈભાભી સાથે ઝઘડા : સાવિત્રી તમને એ વાતનો અફસોસ છે કે તમારી પાસે ભાઈભાભી નથી અને મને જુઓ મેં અર્થહીન વાતોમાં આવીને ભાઈભાભી સાથે ઝઘડો કરી લીધો. પિયર હોવા છતાં મેં સ્વયં તેના દરવાજા બંધ કરી દીધા, ‘‘શ્રેયાએ પણ પોતાનું દુખ વહેંચતા કહ્યું. સારું જ તો છે. જે ઝઘડા થતા હોય તો સંબંધ બોજારૂપ બને છે અને આપણે તેને માત્ર નિભાવીએ છીઐ. જ્યાં બે વાસણ હોય, ત્યાં તેનું ટકરાવું સ્વાભાવિક છે, પરંતુ આ વાાતની કેટલી અસર સંબંધ પર થવા દેવી જેાઈએ, તે વાતનો નિર્ણય તો તમે જાતે જ કરો.

ભાઈબહેનનો સાથ : ભાઈબહેનનો સંબંધ તો અમૂલ્ય છે. બંને એકબીજાને ભાવનાત્મક બળ પૂરું પાડતા હોય છે. દુનિયાની સામે એકબીજાને પૂરો સાથ આપતા હોય છે. પછી ભલે ને તે એકબીજાની ખામી કાઢીને ચીડવતા રહે, પરંતુ કોઈ બીજું વચ્ચે બોલતા જ તરફદારી પર ઊતરી આવે છે. ક્યારેય એકબીજાને અધવચ્ચે નથી મૂકી દેતા. ભાઈબહેનના ઝઘડા પણ પ્રેમના ઝઘડા હોય છે, અધિકારની ભાવના સાથે થતા હોય છે. જેા ઘરપરિવારમાં ભાઈબહેન હોય છે, ત્યાં તહેવાર ઉજવાતા હોય છે. પછી ભલે ને હોળી, રક્ષાબંધન કે ઈદ હોય.

મા પછી ભાભી : લગ્નનાં ૨૫ વર્ષ પછી જ્યારે મંજુ પિયરથી પાછી આવે છે ત્યારે સ્ફૂર્તિ સાથે જણાવે છે, ‘‘મારા બંને ભાઈ મને પાંપણ પર બેસાડે છે. તેમને જેાઈને હું મારા દીકરાને એ જ સંસ્કાર આપું છું કે આખું જીવન બહેનને આ રીતે જ આવકારજે. આખરે દીકરીનું પિયર ભાઈભાભીથી હોય છે, ન કે લેવડદેવડ કે ભેટથી. પૈસાની અછત નથી હોતી, પ્રેમ મહત્ત્વનો છે.’’ બીજી તરફ મંજૂની મોટી ભાભી કુસુમ કહે છે, ‘‘લગ્ન પછી જ્યારે હું વિદાય થઈ ત્યારે મારી માએ મને શિખામણ આપી હતી કે પરિણીત નણંદ પિયરમાં બાળપણની યાદો તાજી કરવા આવે છે. કેટલું સારું લાગે છે જ્યારે ભાઈબહેન સાથે બેસીને બાળપણની યાદો પર ખુશીથી હસતા હોય છે.’’

માતાપિતાની એકલતાની ચિંતા : નોકરિયાત સીમાની દીકરી યુનિવર્સિટીના અભ્યાસ હેતુ બીજા શહેરમાં ગઈ. આમ થતા સીમા પણ ઘણા દિવસો સુધી એકલતાથી તાણગ્રસ્ત રહી. તેનું કહેવું છે, ‘‘કાશ, મારે બીજું એક બાળક હોત તો આમ અચાનક હું એકલી ન થઈ જતી. એક સંતાનના જતા ધીરેધીરે પરિસ્થિતિ અનુસાર હું મારી જાતને ઢાળી લેતી. પછી બીજું સંતાન પણ ઘર છોડીને જાય તો મને એટલી પીડા ન થતી. આ તો એકસાથે મારું ઘર ખાલી થઈ ગયું. એકમાત્ર દીકરીને લગ્ન પછી માતાપિતાની ચિંતા રહેવી સ્વાભાવિક છે. જ્યાં ભાઈ માતાપિતા સાથે રહેતો હોય, ત્યાં લેશમાત્ર ચિંતા બહેનને સતાવતી નથી. જેાકે આજે પોતાની નોકરીના કારણે ખૂબ ઓછા છોકરા માતાપિતા સાથે રહે છે, પરંતુ જેા ભાઈ દૂર રહેતો હોય છતાં પણ જરૂર પડતા પહોંચી તો જશે જ. જેાકે બહેન પણ પહોંચી જશે, પણ માનસિક રીતે થોડી ફ્રી રહેશે અને પોતાની ગૃહસ્થીનું પણ ધ્યાન રાખશે.

પતિ અથવા સાસરીમાં વિવાદ : સોનમના લગ્નના થોડા મહિના પછી પતિપત્ની વચ્ચે સાસુસસરા બાબતે ઝઘડા શરૂ થયા. સોનમ નોકરિયાત હતી અને ઘરની જવાબદારી સંભાળવી તેને મુશ્કેલ લાગી રહી હતી, પરંતુ સાસરીનું વાતાવરણ એવું હતું કે ગિરીશ તેને મદદ કરતો તો માતાપિતાના મહેણાં સાંભળવા પડતા. આ ડરના કારણે તે સોનમને મદદ કરતો નહોતો.

પિયર આવતા જ ભાઈએ સોનમના હાસ્ય પાછળ છુપાયેલી પરેશાની માપી લીધી. ખૂબ સમજીને તેણે ગિરીશ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. પછી બંને ઘરની બહાર મળ્યા. દિલ ખોલીને વાતો કરી અને એક નિર્ણય કર્યો. થોડી હિંમત બતાવીને ગિરીશે માતાપિતાને સમજાવી દીધું કે નોકરિયાત વહુ પાસેથી પહેલાના સમયની જેમ અપેક્ષા રાખવી અન્યાય છે. તેને મદદ કરવાથી ઘરના કામ પણ સરળતાથી થશે અને વાતાવરણ પણ હકારાત્મક રહેશે. પુણે યુનિવર્સિટીની એક કોલેજના ડાયરેક્ટર ડો. સારિકા શર્મા જણાવે છે, ‘‘મને વિશ્વાસ છે કે જેા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો મારો ભાઈ એવી પ્રથમ વ્યક્તિ હશે જેને હું મારી મુશ્કેલી જણાવીશ. આમ તો પિયરમાં માબાપ છે, પણ તેમની ઉંમર જેાતા તેમને પરેશાન કરવા વાજબી નથી. વળી, તેમની પેઢીના લોકો આજની સમસ્યાને સમજી નથી શકતા. જ્યારે ભાઈભાભી મારી વાતને સમજી શકે છે.’’ ભાઈભાભી સાથે કેવી રીતે સંબંધ નિભાવશો : ભાઈબહેનનો સંબંધ તો અણમોલ હોય છે. તેને નિભાવવાના પ્રયાસ આજીવન કરવા જેાઈએ. જેાકે ભાભીના આગમન પછી સ્થિતિ થોડી બદલાઈ જતી હોય છે, પરંતુ બંને ઈચ્છે તો આ સંબંધમાં ખટાશ ક્યારેય નહીં આવે. સારિકા કેટલી સારી શિખામણ આપે છે, ‘‘ભાઈભાભી ભલે ને નાના હોય, તેમને પ્રેમ અને માનસન્માન આપવાથી સંબંધ ગાઢ બને છે. ના કે જૂના જમાનાના નણંદ જેવા નખરાં બતાવવાથી. હું આખું વર્ષ મારી ભાભીની પસંદની નાનીમોટી વસ્તુ જમા કરું છું અને જ્યારે મળવાનું થાય ત્યારે તેમને પ્રેમથી આપું છું. પિયરમાં તાણમુક્ત વાતાવરણ જાળવી રાખવાની જવાબદારી દીકરીની પણ હોય છે. પિયરમાં જતા હળીમળીને ઘરના કામ કરવાથી મહેમાનનું આવવું ભાભીને પણ કંટાળાજનક નથી લાગતું અને પ્રેમભાવ જળવાઈ રહે છે.’’ કેટલીક સરળ બાબતો સંબંધની મજબૂતાઈ જાળવશે :

  • ભાઈભાભી અથવા મા અને ભાભી વચ્ચે ન બોલો. પતિપત્ની અને સાસુવહુનો સંબંધ ઘરેલુ હોય છે અને લગ્ન પછી બહેન તો બીજા ઘરની થઈ જાય છે. તેમને પરસ્પર તાલમેલ બેસાડવા દો. શક્ય છે કે જેા વાત તમને ખૂંચતી હોય, તે વાત તેમને એટલી અસર ન પણ કરતી હોય.
  • જેા પિયરમાં નાનોમોટો ઝઘડો અથવા મનદુખ થયા હોય તો પણ જ્યાં સુધી તમને સમાધાન માટે કહેવામાં ન આવે, ત્યાં સુધી તમે વચ્ચે ન બોલો. તમારો સંબંધ તમારી જગ્યાએ છે. આ સ્થિતિને જાળવી રાખો.
  • જેા તમારે વચ્ચે બોલવું પડે તેમ હોય તો મીઠાશથી કહો. જ્યારે તમારી સલાહ માંગવામાં આવે અથવા તો કોઈ સંબંધ તૂટવાની અણી પર હોય, ત્યારે શાંતિ અને ધીરજપૂર્વક જેની પણ ભૂલ હોય તેને સમજાવો.
  • તમારું તમારા પિયરની વાતથી દૂર રહેવું યોગ્ય રહેશે. કોણે ચા બનાવી, કોણે ભીના કપડાં સૂકવ્યા, આ નાનીનાની વાતમાં સલાહ આપવાથી ખટપટ થવાની શરૂઆત થતી હોય છે.
  • જ્યાં સુધી કોઈ બાબતમાં તમારી પાસેથી સલાહ માગવામાં ન આવે ત્યાં સુધી કંઈ ન બોલો. તેમણે ક્યાં ખર્ચ કરવો, ક્યાં ફરવા જવું, આવા નિર્ણય તેમને જ લેવા દો.
  • ન પોતાની મા પાસેથી ભાભીની કે ન ભાભી પાસેથી માની ખોદણી સાંભળો. તેમને સ્પષ્ટ કહો કે મારા માટે બંને સંબંધ ખૂબ કિંમતી છે. હું તમારા બંને વચ્ચે કંઈ ન બોલી શકું. તમે બંને સાસુવહુ પરસ્પર વાતચીત કરીને સમાધાન કરી લો.
  • ભલે ને તમે નાના બહેન હોય કે મોટા, ભત્રીજાભત્રીજી માટે ભેટ ચોક્કસ લઈને પિયરમાં જાઓ. તમારી શક્તિ અનુસાર તેમના માટે કોઈ ઉપયોગી વસ્તુ અથવા કોઈ એવી વસ્તુ જેા તેમની ઉંમરના બાળકોને પસંદ આવે તે લઈને જાઓ.

– પ્રાચી ભારદ્વાજ

અનમોલ સંબંધ મિત્રતાનો

જ્યારે કૌટુંબિક સંબંધ તૂટી જાય છે ત્યારે એક બીજેા સંબંધ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તે છે મિત્રતાનો, જે વિશ્વાસ, સહયોગ પર ટકેલો હોય છે. મિત્ર રાજદાર હોય છે અને સુખદુખનો સાથી પણ. આ સ્થિતિમાં જે લોકો લગ્ન વિશે નથી વિચારતા, તે મિત્રતાની છાયા અને સુરક્ષામાં રહે છે. કેરળની બાસ્કેટબોલ ખેલાડી ગીતા વી મેનન અને પ્લેબેક સિંગર સોની સાઈ તે તમામ લોકો માટે આદર્શ છે, જે જીવનમાં એકલા છે. ગીતા અને સોનીનો સંબંધ તમામ પરિભાષાથી અલગ છે. તાજેતરમાં લગ્ન, છૂટાછેડા અને નિરાશા સામાન્ય વાત છે, ત્યાં આ મિત્રતા એક ખૂબ સારું ઉદાહરણ છે. મનોવૈજ્ઞાનિક જણાવે છે કે જીવનમાં એક સાચો મિત્ર હોવો ખૂબ જરૂરી છે. એક એવો મિત્ર જેની સાથે તમે તમારા દુખદર્દ વહેંચીને મન હળવું કરી શકો. મિત્રતાની આમ તો કેટલીય કહાણી આપણને જેાવા મળે છે, પણ અહીં આપણે એ કહાણી વિશે જાણીશું જે બીજી કહાણીથી બિલકુલ અલગ છે :

પહેલી મુલાકાત : તે પહેલી વાર અચાનક વરસાદમાં મળ્યા હતા. તે બંને જાણતા નહોતા કે તે દિવસે એક છત નીચે ૨ અજાણ્યા વચ્ચે અતૂટ મિત્રતાની શરૂઆત થઈ ગઈ હતી. સિંગર સોની સાઈ તેના દીકરા સાથે તેની બાસ્કેટબોલની પ્રેક્ટિસમાં આવી હતી. ગીતા બાસ્કેટબોલ ખેલાડી અને શિક્ષક છે. તે વરસાદમાં તેમના માટે છત્રી લઈને આવી અને કહ્યું, ‘‘આવો.’’ આ એક શબ્દથી જ તેમની મિત્રતાની શરૂઆત થઈ.

એકબીજાનો ભરપૂર સાથ : ગીતા અને સોનીની મુલાકાત થઈ, તે સમયે બંને જીવનમાં એકલા હતા અને જીવનના ઉતારચઢાવમાંથી પસાર થઈ રહ્યા હતા. બંને એકબીજાનો સહારો બની શકે છે, એ વિચારીને ધીરેધીરે તેમની વચ્ચે મિત્રતા વધી અને આ સત્ય પણ સાબિત થયું. આજે આ બંને સાથે એક જ ઘરમાં રહે છે. સોની ગીતા સાથે તે સમયે ઊભી રહી જ્યારે ગીતા બાસ્કેટબોલના ખેલાડીઓ માટે એક એકેડેમી શરૂ કરવાનું વિચારી રહી હતી. સોનીએ જાતે જ આ એકેડેમી શરૂ કરવાની સલાહ આપી હતી. પેગાસસ નામથી શરૂ થયેલી આ એકેડેમી મુપ્પાથદમ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં કામ કરે છે. આ જગ્યા ખાસ આ એકેડેમી માટે મિનિસ્ટર ઈબ્રાહિમ કુંજુ દ્વારા નિશ્ચિત કરવામાં આવી. ૫ થી ૧૫ વર્ષની ઉંમરનાં બાળકોને અહીં ટ્રેનિંગ આપવામાં આવે છે. સોની પેગાસસ મેનેજર તરીકે અહીંની દરેક નાનીમોટી વસ્તુ પર નિરીક્ષણ રાખે છે. કેટલાય બાળકો જેા અહીં ટ્રેનિંગ લેવા આવે છે તે ગરીબ પરિવારના હોય છે, તો એવામાં તેમને ઓછી કિંમતમાં બાસ્કેટબોલની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેાકે આ એકેડેમીની નાણાકીય સ્થિતિ સારી નહોતી. ગીતાનું કહેવું છે કે તે તેના લક્ષ્યથી પીછેહઠ નહીં કરે. એફએસીટીના તમામ સાથી ખેલાડીઓએ તેમને પૂરેપૂરો સાથ આપ્યો. ગીતા જણાવે છે કે, ‘‘સોનીએ જાતે આ એકેડેમીને શરૂ કરવાની સલાહ આપી. જ્યારે આ એકેડેમી શરૂ થઈ, ત્યારે સોની હંમેશાં મારી સાથે ઊભી રહી અને મને સહારો આપ્યો. જ્યારે ગીતા મારી સાથે રેકોર્ડિંગ સમયે સ્ટુડિયોમાં હોય છે, ત્યારે હું સારું અનુભવું છું. જ્યારે હું મલયાલમ ફિલ્મ ‘જલેસિયા’ માટે સોંગ ગાઈ રહી હતી ત્યારે ગીતા પણ મારી સાથે જ હતી. તે ડાયરેક્ટર જેમણે અમારી મિત્રતાને સમજી, તેમણે સોંગના પૂર્વાભ્યાસના તમામ ચિત્રમાં ગીતાને સામેલ કરી.’’ તે બંને તેમનો વેપાર વધારવા માટે ખૂબ મહેનત કરે છે, પણ જ્યારે તે બંને સાથે હોય છે ત્યારે તેમના વેપારનો ગ્રાફ વધી જાય છે. એકલી મહિલાને પણ જીવવાનો અધિકાર છે, તેમને પણ વેપારની જરૂર છે. જ્યારે એફએસીટીની ટીમે બાસ્કેટબોલમાં રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કાર હાંસલ કર્યા ત્યારે તેનો શ્રેય ગીતા વી મેનનને આપવામાં આવ્યો. છેલ્લા ૧૦ વર્ષથી એફએસીટીની મહિલાઓ તમામ મુખ્ય ટૂર્નામેન્ટ જેવા ફેડરેશન કપમાં પોતાનો ધ્વજ લહેરાવી રહી છે. ગીતાએ તે સમયે પણ આ જ રમતને પસંદ કરી જ્યારે તેમની કેટલીય સાહેલી આ માર્ગ છોડીને તેમના પરિવાર તરફ જવા લાગી હતી, પણ ગીતાના મનમાં હંમેશાંથી જ સિટીનો અવાજ અને રમતની ભાવના જીવિત રહી. એક એવી મહત્ત્વકાંક્ષા, જેણે ગીતાને આ રમતમાં રહેવાની શક્તિ આપી. જીવનની મુશ્કેલ સમસ્યાઓમાં પણ સામનો કરીને ઊભા રહેવાની મહત્ત્વાકાંક્ષાએ હંમેશાં તેને પ્રેરણા આપી.

ગીતાની ઉપલબ્ધિ : ગીતા ૨૦૧૩માં રમતની દુનિયામાં યોજાયેલ વેટેરંસ સ્પોર્ટ્સમાં પાછી આવી. આ એક એવા સૈનિકની વાપસી હતી, જેની પર ઉંમરની કોઈ અસર ન થઈ. તેણે લોંગ જંપ અને રાષ્ટ્રીય સ્તરે ૪,૧૦૦ મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યા, ૨૦૧૪માં જાપાનમાં યોજાયેલ એશિયાઈ માસ્ટર્સ એથ્લેટિક રમતમાં તેણે સિલ્વર મેડલ જીત્યો. જાપાનથી પાછા આવતા એફએસીટીએ તેમનું ધમાકેદાર સ્વાગત કર્યું. ઓગસ્ટ ૨૦૧૫ માં પેરિસમાં યોજાયેલ વર્લ્ડ માસ્ટર એથ્લેટિક મીટમાં તે તેની મનપસંદ ૨ રમતમાં ૫ માં ક્રમાકે આવી. જ્યારે તે આ રમતની પ્રેક્ટિસ કરવામાં આટલું જેાખમ લેતી હતી અને અઢળક પૈસા ખર્ચ કરતી હતી તો માત્ર જીત જ તેના દિમાગમાં રહેતી હતી. જીત તૂટેલા દિલ પર એક મલમની જેમ કામ કરતી હતી. સોની સાઈની અંદરની સિંગરને ઓળખવાની જરૂર છે, પણ જે ગીત તેણે ગાયા છે તેને કોઈ ઓળખની જરૂર નથી. તેમના તમામ સોંગ ખૂબ જ પ્રખ્યાત છે. સાઈ એવી કલાકાર છે, જેને પોતાનો પ્રચાર કરવો બિલકુલ ગમતો નથી. તે લાઈટ મ્યૂઝિકમાં અને સ્કૂલમાં રાજ્ય સ્તરે ૧૯૯૮માં મિમિક્રી માટે ફર્સ્ટ આવી છે. તેણે ૪૦૦૦થી પણ વધારે સ્ટેજ પ્રોગ્રામમાં સોંગ ગાયા છે. સોની હરિહરન, વેણુગોપાલ, જયચંદ્રન વગેરે જાણીતા સિંગર સાથે પ્લેબેક સિંગિંગ કરી ચૂકી છે. સોની સાઈએ ૧૩ વર્ષની ઉંમરમાં પ્રથમ સોંગ ‘સુધાવાસમ’ મૂવી માટે ગાયું. ત્યાર પછી યશુદાસ સાથે ‘અધીના’ મૂવી માટે ગાયું. ત્યાર પછી ‘કનલ કન્નડી’, ‘ભારથન’, ‘ધીરા’, ‘બાંબે માર્ચ ૧૨’ અને ‘નિદ્રા’ માં સોંગ ગાયા. જાણીતા સિંગર સોનુ નિગમ સાથે ‘ચક્કારા માવિન કોમબાથુ…’ પણ ગાયું. તેને કેટલાય પુરસ્કાર પણ મળ્યા જેમ કે કામુકરા ફાઉન્ડેશન એવોર્ડ (૧૯૯૮), સાર્ક એવોર્ડ (૧૯૯૯), બેસ્ટ સિંગર એવોર્ડ, રાઘવન માસ્ટર ટ્રિબ્યૂટ (૨૦૧૪), અરબન ડેવલપમેન્ટ કૌંસિલ દ્વારા રોલ મોડલ સિંગરનો એવોર્ડ (૨૦૧૫) અને કેરલા અચીવમેન્ટ ફોરમ જેવા એવોર્ડથી તેને નવાજવામાં આવી છે, તેણે યૂ.કે., યુ.એસ.એ., યુ.એ.ઈ. અને પૂરા ભારતમાં અનેક શો કર્યા.

– એમ.કે. ગીતા

સંયુક્ત પરિવારમાં કેવી રીતે જાળવી રાખશો પ્રેમભાવ

લંચ ટાઈમમાં પુનીતાના લંચનો ડબ્બો ખૂલતા જ ઓફિસમાં બધા ખુશ થતા હતા. તેનું લંચબોક્સ બધી મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેતું હતું, કારણ કે તેમાં હંમેશાં જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓ રહેતી હતી. બધાને આશ્ચર્ય થતું કે સવારસવારમાં પુનીતા આટલું બધું કેવી રીતે બનાવી લે છે. પછી એક દિવસ પુનીતાએ તેનું રહસ્ય ખોલતા કહ્યું કે આ બધું તો પોતે નથી બનાવતી, પણ પોતાની બહેન બનાવે છે. ત્યાર પછી મહિલાઓમાં ગણગણાટ શરૂ થયો. વિભાએ તો સીધો પ્રશ્ન પૂછી લીધો, ‘‘શું બહેન તારી સાથે સાસરીમાં રહે છે?’’ હસીને પુનીતાએ જવાબ આપ્યો, ‘‘અરે નહીં, તે મારી સગી બહેન નથી, પણ દેરાણી છે, જે સગી બહેનથી પણ વધારે છે. તે જ દરરોજ મારા અને બાળકો માટે ટિફિન બનાવે છે.’’ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા, ‘‘શું તેની પાસે આટલો સમય હોય છે? શું તે જેાબ નથી કરતી?’’ ‘‘હા, તે જેાબ નથી કરતી, પરંતુ પૂરું ઘર સંભાળે છે. તે તો અમારા બધાની લાડકી છે. જેા તે ન હોય તો કદાચ આટલી શાંતિથી હું જેાબ કરી ન શકું.’’ ‘‘અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. આજના સમયમાં કોણ કરે છે બીજા માટે આટલું બધું.’’ વિભાએ કહ્યું. ‘‘પારકું કે પોતાનું, એ વળી શું હોય છે? જેને પોતાનું માની લો તો સર્વસ્વ છે આપણા માટે. એક બહેન પિયરમાં હોય તો એક સાસરીમાં પણ હશે ને.’’ કહીને પુનીતા હસી પડી.

પુનીતા સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને પોતાની દેરાણી સાથે તેના સંબંધ સારા હતા. પુનીતાના પતિનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ આ ઘરમાં તેને ક્યારેય એકલા હોવાનો અહેસાસ થયો નહોતો. પૂરો પરિવાર તેને સાથ આપતો હતો. બની શકે કે સાંભળવામાં આ બધું થોડું વિચિત્ર લાગે, પરંતુ આ સંભવ તો છે. જેા તમે સંબંધોને સાચવીને ચાલો તો તે જ સંબંધો આગળ જતા તમારા જીવનમાં પ્રેમ અને શાંતિના ફૂલ ખીલવે છે. આજે ભલે વિભક્ત પરિવારો વધારે જેાવા મળે છે, પરંતુ જેા તમે એક વાર સંયુક્ત પરિવારમાં રહેવાનું શરૂ કરો તો ક્યારેય એકલા રહેવાની જિદ્દ નહીં કરો. જેાકે આજે તો લોકો પરિસ્થિતિવશ એકલા રહેવા લાગ્યા છે. મોટા શહેરોમાં પરિવારનો અર્થ પતિપત્ની અને બાળકોથી આંકવામાં આવે છે. સંયુક્ત પરિવાર વિરુદ્ધ વિભક્ત પરિવાર છેલ્લા દિવસોમાં ફિલ્મ ડાયરેક્ટર સુજીત સરકારે સંયુક્ત પરિવાર વિરુદ્ધ વિભક્ત પરિવારની ચર્ચાને વેગ આપ્યો હતો, જ્યારે તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું, ‘‘આપણે પોતાની રહેવાની જૂની સિસ્ટમ એટલે કે સંયુક્ત પરિવાર તરફ પાછા ફરવું જેાઈએ. બધા પ્રકારની માનસિક અસુરક્ષા, એકાકીપણું અને ડિપ્રેશનથી બચવાની હવે કદાચ આજ એકમાત્ર રીત બચી છે. પરિવાર નામનું છત્ર આપણને સુરક્ષાની ભાવના પ્રદાન કરે છે.

આ વાત પર મીટુ એક્ટિવિસ્ટ અને પત્રકાર રિતુપર્ણા ચેટર્જીએ લખ્યું, ‘‘આ મારો અંગત અનુભવ છે. મેં ખૂબ નજીકથી સંયુક્ત પરિવારને જેાયા છે. જેમાં મહિલાઓના શ્રમનું શોષણ થતું હોય છે. મહિલાઓ જ એકબીજાની વિરુદ્ધ ઊભી થાય છે.’’ જાહેર છે, કોઈ પણ વસ્તુમાં સારાપણું અને ખરાબી એમ બંને હોય છે. જેા આપણને સંયુક્ત પરિવારની સુરક્ષા અને પ્રેમ જેાઈતા હોય તો થોડી સમજૂતી કરવા માટે તૈયાર રહેવું પડશે. આમ પણ જેાવા જઈએ તો આવા પરિવારમાં રહેવાના લાભ નુકસાન કરતા ખૂબ વધારે હોય છે. જ્યારે ઘરમાં આટલા બધા લોકો રહેતા હોય તો સામાન્ય વાત છે કે થોડો વાદવિવાદ અને પોતાને વધારે સારા સાબિત કરવાની પ્રતિસ્પર્ધા ખૂબ વધી જાય છે, પરંતુ તેના બદલે મનને જે ખુશીઓ મળે છે તેની તુલના કોઈની સાથે કરી શકાય તેમ નથી. પરિવારમાં મહિલાઓની સ્થિતિ કેવી હશે અને તેમનું શોષણ થતું હશે કે નહીં તે ઘણા અંશે મહિલાઓની આર્થિક સ્થિતિ અને બીજી મહિલાઓના વલણ પર પણ નિર્ભર કરે છે. સંયુક્ત પરિવારમાં રહેવાના આમ તો ઘણા લાભ છે, પરંતુ અમે અહીં અમે તમને તેના કેટલાક લાભ વિશે જણાવીએ છીએ :

વસ્તુ શેર કરવાની ટેવ :
સંયુક્ત પરિવારમાં રહેવું ઘણી રીતે લાભદાયી રહેતું હોય છે. અહીં તમને વસ્તુને શેર કરતા શીખવા મળે છે. તમે પણ પોતાની વસ્તુને બીજા સાથે વહેંચીને આનંદ લેવાનો ગુણ બાળપણથી શીખી જાઓ છો. જેાકે તમને તેનો લાભ પણ મળે છે. જેા કોઈ વસ્તુની તમને જરૂર હોય અને તે તમારી પાસે નથી, પરંતુ ઘરના બીજા સભ્યો દ્વારા સરળતાથી ઉપલબ્ધ થતા હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા વધી ગઈ હોય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી સમસ્યામાંથી સરળતાથી બહાર આવી શકાય છે.

બરબાદી ઓછી થાય છે :
એક શોધનું માનીએ તો જે લોકો એકલા રહેતા હોય છે તેઓ સંસાધનોની બરબાદી ૫૦ ટકા વધારે કરતા હોય છે. સંયુક્ત પરિવારમાં રહેવાનો સૌથી મોટો લાભ એ જ છે કે તમારા સંસાધનો વધારે બરબાદ નથી થતા. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે. વિપરીત જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. જાહેર છે કે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જેાવા મળતું હોય છે.

ઓછી તાણ :
એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે વધારે હેલ્ધિ અને હેપી રહો છો, કારણ કે તમે તમારા દુખમુશ્કેલી બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

સેફ્ટી વોલ :
સંયુક્ત પરિવારમાં જેા પતિ દગાખોરી તરફ જઈ રહ્યો હોય અથવા તો તે પોતાની પત્ની સાથે મારપીટ કરતો હોય તો આ સ્થિતિમાં ઘરના બીજા સભ્યો પતિને તેની ખોટા કરતૂત બદલ સમજાવે છે. આ સ્થિતિમાં પરિવાર મહિલાઓ માટે એક પ્રકારે સેફ્ટી વોલની જેમ કામ કરે છે. ઉછેરમાં મદદરૂપ : બાળકોના ઉછેર માટે સંયુક્ત પરિવારના વાતાવરણને ઉત્તમ માનવામાં આવે છે. બાળકો ક્યારે દાદાદાદી, ફોઈકાકાના હાથમાં ઊછરીને મોટા થઈ જાય છે તેની જાણ નથી થતી. વળી, બાળકોના માનસિક વિકાસ માટે લોકોથી ભરેલો સંયુક્ત પરિવાર ઉત્તમ સાબિત થાય છે. કેવી રીતે રહેશો સંયુક્ત પરિવારમાં પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આત્મીયતા જાળવાઈ રહે તે માટે સૌથી વધારે જરૂરી છે કે પોતાના બાળકોને વડીલોને માનસન્માન આપતા શીખવો. જેાકે આ વાત માત્ર બાળકો પર લાગુ નથી પડતી, પણ ઘરના બીજા બધા સભ્યોએ પણ એ વાતનું ધ્યાન રાખવું જેાઈએ કે પોતે પણ ઘરના વડીલોનું માન જાળવે, જેથી પરિવારની કડીઓ એકબીજા સાથે જેાડાયેલી રહે. બાળકો સામે ક્યારેય પણ કોઈની સાથે ગુસ્સામાં મોટેથી બૂમો પાડીને વાત ન કરો. બાળકો એવું શીખે છે જેવું વાતાવરણ તેમને ઘરમાં મળે છે. પોતાના બાળકોને હંમેશાં વડીલો પ્રત્યે વિનમ્ર અને નાનાઓ પ્રત્યે સંવેદનશીલ થતા શીખવો અને તમે પોતે પણ આવો વ્યવહાર કરો. વિભક્ત પરિવારમાં બાળકોને જરૂર કરતા વધારે લાડપ્રેમ મળતા હોય છે, જેથી ઘણી વાર તેઓ જિદ્દી બની જાય છે. તેથી શક્ય તેટલું વધારે તેમને વાસ્તવિકતા સાથે જીવતા શીખવો.

– ગરિમા પંકજ.

જેા તમે છો એક ઘરની વહુ જે તમે સંયુક્ત પરિવારની વહુ હોય તો તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું જેાઈએ. જેા આમ કરશો તો જ તમે પૂરા ઘરને બાંધીને રાખી શકશો અને બધાનો પ્રેમ પ્રાપ્ત કરી શકશો :

  • જેા કિચનમાં તમારા સાસુ, દેરાણી અથવા જેઠાણી ભોજન બનાવી રહ્યા હોય તો તમારે તેમને મદદ કરવી જેાઈએ. પછી ભલે ને તમે ઓફિસેથી થાકીને કેમ આવ્યા ન હોય કે પછી ક્યાંક બહારથી આવી રહ્યા હોય. ઓછામાં ઓછું સામાન્ય શિષ્ટાચાર રૂપે ભલે હોય, પરંતુ મદદરૂપ બનવાની ઓફર અવશ્ય કરો. જેાકે સ્વાભાવિક છે કે તેઓ મનાઈ અવશ્ય કરશે, પરંતુ આમ કરવાથી તમારા પ્રત્યેનું તેમનું વલણ અવશ્ય સકારાત્મક અને પ્રેમાળ બની જશે.
  • જેા ઘરમાં કોઈ બાળકની બર્થ-ડે હોય અથવા તો કોઈ સારા માર્ક્સથી પાસ થયું હોય તો તમે તેને અભિનંદન જરૂર પાઠવો અને તેને પ્રોત્સાહિત કરો.
  • તમને ઘરેલુ કામ આવડતા ન હોય તો ઘરની અન્ય મહિલાઓ પાસેથી શીખવાનો પ્રયત્ન કરો. આમ કરતી વખતે પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો ખચકાટ ન રાખો.
  • પોતાના પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. ઘરમાં કોઈ બીમાર હોય તો તેની શક્ય તેટલી વધારે મદદ કરો. આ બધી બાબતો ન માત્ર તમારું પોતાના પતિની નજરમાં માન વધારશે, પણ ઘરના દરેક સભ્યો પણ તમને વધારે પ્રેમ કરવા લાગશે.

તે દગાખોર તો નથી

સુજાતાને જ્યારે જાણ થઈ કે તેનો પતિ શેખર તેની બેસ્ટ ફ્રેન્ડ અંજલિના ઘરે એકલો આવજા કરે છે ત્યારે તેને વિશ્વાસ જ ન થયો, પરંતુ સુજાતાની બીજી એક બેસ્ટ ફ્રેન્ડ શિખા, જેા અંજલિની બિલ્ડિંગમાં રહેતી હતી, તે ખોટું પણ નહોતી કહી રહી. જ્યારે સુજાતાએ શેખરનો ફોન ચેક કર્યો ત્યારે હકીકત સામે આવી. શેખર અને અંજલિનું અફેર ખૂબ આગળ વધી ગયું હતું.

૨૫ વર્ષના લગ્નજીવનનો પાયો ડગમગતો લાગ્યો તો સુજાતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે શેખરને કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા. પહેલા તો શેખર તેના મનના વહેમ કહેતો રહ્યો, પરંતુ સુજાતાએ ઘણા પુરાવા રજૂ કરતા તેણે સ્વીકારી લીધું કે તેના અંજલિ સાથે સંબંધ છે અને અંજલિ સાથેની મિત્રતાને તે તોડી શકે તેમ નથી. ૨ યુવાન છોકરીઓ, પિયરનો કોઈ સહારો નહીં કે સાસરીમાં કોઈ સાથી નહીં. આ સ્થિતિમાં સુજાતા ઘરમાં બેસીને રડ્યા કરતી હતી. તેણે શેખર અને અંજલિને અલગઅલગ મળીને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ જ રહ્યું હતું. અંજલિનો પતિ ઘણી વાર વિદેશની ટૂર પર રહેતો હતો. તેને એક દીકરો પણ હતો. જ્યારે તે સ્કૂલમાં હોય ત્યારે શેખર અંજલિ સાથે તેના ઘરે બધી મર્યાદાઓ તોડી નાખતો હતો. જ્યારે બધું જ હાથમાંથી સરકી જતું દેખાયું ત્યારે સુજાતાએ પોતાની સોસાયટીમાં નવા રહેવા આવેલા યુવાન દંપતી નિયા અને રાજીવ સાથે મિત્રતા કરી લીધી.

જેાકે રાજીવ ફ્લર્ટિંગમાં હોશિયાર હતો. સોસાયટીના લોકો પાસેથી તેને અંજલિ અને શેખરના સંબંધો વિશે જાણ થઈ ગઈ હતી. પછી તો રાજીવે પણ સુજાતા પાસેથી તેનો ફોન નંબર લઈ લીધો અને ચેટિંગ શરૂ થઈ ગયું. રાજીવનો તો આ શોખ હતો જ. સાથે સુજાતા પણ શેખરથી જખમી થયેલી પરપુરુષ સાથે ઘનિષ્ઠતા વધારી રહી હતી. જ્યારે બંને યુવાન દીકરીઓ સુધી માતાપિતાનાં કરતૂત પહોંચવા લાગ્યા ત્યારે તેમના માથા શરમથી ઝૂકી ગયા, પરંતુ બંને માતાપિતા તો દીકરીની લાગણીઓની અવગણીને પોતપોતાના અફેરમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ બંને હોશમાં ત્યારે જ આવ્યા જ્યારે બંને દીકરીઓ ફેલ થઈને ડિપ્રેશનમાં આવી ગઈ. એટલી બીમાર પડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આ સમયે પણ સુજાતા અને શેખર એકબીજા પર દોષારોપણ કરી રહ્યા હતા.

સ્વયંને બદલી નાખી રોહિતની ઓફિસમાં શું ચાલી રહ્યું છે, તે વિશે તેની હાઉસવાઈફ પત્ની પ્રિયાને ક્યારેય જાણ થઈ ન હોત જ્યાં સુધી તેની નજર બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ પર ન પડી હોત. સારી એવી સેલરી હોવા છતાં પણ રોહિત ઘર ખર્ચ માટે પૈસા આપવામાં કેટલાય મહિનાથી આનાકાની કરી રહ્યો હતો. પ્રિયાને જાણ થઈ ગઈ કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન શોપિંગ કરવામાં આવ્યું હતું. ઘણી મોંઘી ગિફ્ટ્સ મંગાવવામાં આવી હતી. પછી તે પણ આ ગિફ્ટ કોને આપવામાં આવી છે તે વિશેની તપાસ કરવામાં લાગી ગઈ. તપાસમાં એક કડવું સત્ય આવી જ ગયું કે રોહિતનું પોતાની જ એક સહકર્મી મીનલ સાથે અફેર ચાલી રહ્યું છે. બાળકો, પરિવારના સોગંદ આપવા છતાં પણ રોહિત પોતાના કરતૂત છોડવા તૈયાર ન થયો. ‘મિત્રતા જ તો છે’ કહીને પ્રિયાને નજરઅંદાજ કરવા લાગ્યો. પછી પ્રિયાએ આ મુદ્દે રોહિતના ઘણા સહકર્મીની પત્નીઓ, જેમની સાથે તેની સારી મિત્રતા હતી, તેમની સાથે વાત કરી, જેાકે બધાને રોહિત અને મીનલના પ્રેમસંબંધ વિશે જાણ હતી. પોતાની ગૃહસ્થીને બચાવવા માટે પ્રિયાએ શક્ય તેટલા બધા પ્રયત્ન કર્યા, પરંતુ તે તો ‘માત્ર મિત્રતા જ છે’ કહીને પ્રિયાને જ શંકાશીલ, જુનવાણી વિચારો ધરાવનારી કહેતો રહ્યો. જ્યારે પ્રિયા તમામ પ્રયત્નો પછી આખરે હારી ગઈ ત્યારે તેણે પોતાની વિચારવાની રીત બદલી નાખી.

હવે તે પોતાની અને બાળકોની કાળજી પહેલાં કરતા વધારે સારી રીતે લેવા લાગી. તે પહેલાંથી મેથ્સમાં હોશિયાર હતી. પ્રિયા પોતાના દરેક ખર્ચ માટે રોહિત આગળ હાથ ફેલાવવાના બદલે પ્રયત્ન કરવા લાગી કે રોહિત પાસે ઓછા પૈસા માંગવા પડે. તેણે મેથ્સના ટ્યૂશન કરવાનું શરૂ કરી દીધું. આમ પણ સોસાયટીમાં કોઈ સારા મેથ્સ ટીચરની ડિમાન્ડ તો હતી જ, તેથી તે ટ્યૂશનમાં દિવસભર વ્યસ્ત રહેવા લાગી. બેચ પર બેચ આવતી ગઈ. તે ધોરણ ૧૨ સુધીના બાળકો એટલી સરળતાથી સંભાળતી હતી કે તેમના પરિવારજનો પણ બાળકના સારા માર્ક્સ આવતા તેને મળવા આવતા હતા. સોસાયટીમાં પ્રિયાની મહેનત અને ગુણની ચર્ચા થતી હતી. હવે તેની પાસે પોતાના કહી શકાય તેવા સારા એવા પૈસા પણ હતા. હવે મીનલ બાબતે પ્રિયાએ પતિ સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. તેનું કહેવું હતું, ‘‘રોહિતના આ નીચ કરતૂતની હવે મારા જીવન પર કોઈ અસર થવાની નથી.’’ જેાકે પ્રિયાને દુખ ચોક્કસ થતું હતું, એકલી હોય ત્યારે તે રડી લેતી હતી, પણ ત્યાર પછી તરત બધું ભૂલીને કામમાં વ્યસ્ત થઈ જતી હતી. બાળકોને પણ પોતાની મા પર ગર્વ હતો.

રોહિત ક્યારે સુધરશે કે પછી નહીં સુધરશે તે વિશે પ્રિયાએ વિચારવાનું જ છોડી દીધું હતું. જેથી ભવિષ્યમાં કોઈ પરેશાની ન થાય ૬ મહિનાથી સાર્થક અને રિયા એકબીજા વિશે ગંભીરતાથી વિચારી રહ્યા હતા. બંને એક જ ઓફિસમાં નોકરી કરતા હતા અને એકબીજાને પસંદ પણ કરતા હતા, પરંતુ રિયા સાર્થકના ઓફિસના જૂના પ્રેમ પ્રકરણ વિશે સાંભળીને વિચારમાં પડી જતી હતી. તે આ ઓફિસમાં એકાદ વર્ષ પહેલાં આવી હતી. અહીંની છોકરીઓ તેને સાર્થકના ફ્લર્ટિંગ સ્વભાવ વિશે અવારનવાર સાવચેત કરતી હતી. પરંતુ રિયા તો સાર્થકના આકર્ષક વ્યક્તિત્વ અને આનંદી સ્વભાવથી ખૂબ પ્રભાવિત હતી. તેને તો સાર્થક જેવો જ જીવનસાથી જેાઈતો હતો, પરંતુ જ્યારે રિયાએ પોતાની આંખેથી જેાઈ લીધું કે સાર્થક બીજી છોકરીઓ સાથે પણ કેવી રીતે વાતો કરે છે, ત્યારે તેણે વિચારી લીધું કે સાર્થકનો આ સ્વભાવ તો તેને પરેશાન કરી શકે છે. પછી તેણે સાર્થકને તેનાથી થોડું અંતર જાળવવાનું સ્પષ્ટ કારણ બતાવતા એક સહકર્મી રૂપે માત્ર મિત્રતા સુધી સીમિત રહેવું યોગ્ય સમજી લીધું. જેાકે સાર્થકને પણ પોતાની આ ટેવની જાણ તો હતી જ અને આ વાતનો સ્વીકાર કરતા તેણે રિયાની વાતનું ખોટું પણ ન લગાડ્યું. રિયાએ આ યોગ્ય પગલું ભર્યું હતું, સ્થિતિ વણસતા પહેલાં અમિતને શંકા થઈ કે પત્ની નીમાનો જિમમાં એવો કોઈ મિત્ર બની ગયો છે જેના સંપર્કમાં નીમા ઘણી વાર રહે છે. પછી વાતવાતમાં નીમા ઉત્સાહમાં આવીને તેનો ઉલ્લેખ પણ કરી લેતી હતી. ફોન પર તેની સાથે ચેટિંગ પણ ચાલી રહ્યું હતું. જિમ એક દિવસ માટે પણ બંધ રહે ત્યારે તે ઉદાસ અને બેચેન લાગતી હતી.

જેાકે અમિત પણ નીમાની વર્તણૂકને ધ્યાનપૂર્વક નોટ કરતો હતો. ૨૫ વર્ષના લગ્નજીવનમાં આવું પહેલીવાર થયું હતું કે નીમા કોઈ પરપુરુષ પ્રત્યે આસક્ત હતી. તે જાણતો હતો કે તેની પત્ની ચારિત્ર્યહીન તો નથી. આ સ્થિતિ માટે તે સ્વયંને જ જવાબદાર માનતો હતો. તે પૂરો સમય ફોન અને લેપટોપમાં વ્યસ્ત રહેતો. મહિનાઓથી તેણે નીમા સાથે સમય વિતાવ્યો નહોતો. નીમા બોરિંગ અને નીરસ લાઈફ જીવી રહી હતી. બાળકો પણ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. અમિતે તરત સ્થિતિને સંભાળી લીધી. તેનો અંદાજ પણ સાચો હતો. હવે નીમાને જ્યારે ફરીથી અમિતનો દિવસરાત સાથ મળવા લાગ્યો ત્યારે જિમના મિત્ર તરફથી ધ્યાન ધીરેધીરે દૂર કરતી ગઈ. હવે અમિત પણ નીમાના વોટ્સએપનું ‘લાસ્ટ સીન’ ચેક કરતો ત્યારે નીમા કલાકોથી ઓફ લાઈન જ જેાવા મળતી હતી. અમિત પણ પોતાની ભૂલ પર પૂરતું ધ્યાન આપીને સ્થિતિને વણસતા પહેલાં સુધારી ચૂક્યો હતો. જ્યારે પણ કોઈની સામે પાર્ટનરની દગાખોરીનો કિસ્સો આવે છે ત્યારે ગૃહસ્થીનો પાયો હલી જાય છે. આ સ્થિતિમાં આઘાત લાગવો અને દુખ થવું પણ સ્વાભાવિક બની જાય છે. તેનો સામનો કરવો પણ કંઈ સરળ નથી હોતું, સુખી થવા, કોઈની પર દોષારોપણ કરવું, રોકકળ કરવાથી ઉકેલ નથી આવતો, પરંતુ ધીરજ અને શાંત મગજથી વિચારવાથી ઉકેલ મળે છે. આ સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ક્યારેય ગુસ્સા અને બિન જરૂરી ઉતાવળને પોતાની પર હાવી થવા ન દો. સૌપ્રથમ સમસ્યાને બરાબર જુઓ-તપાસો, તેના વિશે બરાબર સમજેા-વિચારો, પછી આગળ કોઈ પગલું ભરો.

– પૂનમ અહમદ શ્ર.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો