મારી પુત્રવધૂની ઉંમર ૩૧ વર્ષ છે. લગ્નના ૬ વર્ષ થયા છે, પણ તે હજી સુધી મા નથી બની શકી. દીકરા અને વહુની ઘણી તપાસ અને સારવાર કરાવી, પણ સમસ્યા દૂર ન થઈ. હવે વહુ પણ ખૂબ ઉદાસ રહેવા લાગી છે. ક્યારેક-ક્યારેક કારણ વિના રડવા લાગે છે. કૃપા કરીને કોઈ ઉપાય જણાવો?

કોઈ પણ મહિલા માટે મા બનવું જીવનનો સૌથી સુખદ અનુભવ હોય છે. તે જેાતા તમારી પુત્રવધૂની મનોસ્થિતિ સમજી શકાય છે. તમારી વાતો પરથી લાગી રહ્યું છે કે માતૃત્વએ તેમને તાણગ્રસ્ત બનાવી દીધા છે. તમારે તેમને આ સ્થિતિમાંથી બહાર લાવવા પડશે, કારણ કે તાણ તો નિ:સંતાનપણાની સમસ્યાને વધારે ઘેરી બનાવે છે. તાણના કારણે પ્રજનનતંત્ર સંબંધી ઘણી સમસ્યા ઊભી થાય છે. વિશ્વભરના ૫૦ ટકા કેસમાં મુખ્યત્વે તાણ અને અન્ય માનસિક સમસ્યા જ કારણરૂપ હોય છે. હવે તમે તેમને કોઈ સારા મનોચિકિત્સકને બતાવો. તેમને ખુશ રાખવાના શક્ય પ્રયાસ કરો. બની શકે કે તેમનું મા ન બનવાનું કારણ માનસિક હોય.

હું મારી સ્થૂળતાના લીધે ગર્ભધારણ નહોતી કરી શકી, પણ હવે જ્યારે મેં મારું વજન ઘટાડી દીધું છે તેમ છતાં પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે. શું ગર્ભધારણ કરવા માટે હવે આઈવીએફ જ એકમાત્ર વિકલ્પ બાકી રહ્યો છે?

સ્થૂળતાના લીધે ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે, પણ એવું નથી કે સ્થૂળ મહિલાઓ ક્યારેય મા નથી બનતી. હવે તો તમે તમારું વજન પણ ઘટાડી દીધું છે. તમે સૌપ્રથમ તો કોઈ સારા સ્ત્રીરોગ નિષ્ણાતને મળીને વંધ્યત્વનું કારણ જાણો. આઈવીએફ જ વંધ્યત્વની સારવારનો એકમાત્ર વિકલ્પ નથી. આ સમસ્યાના ઘણા કારણ હોય છે. જ્યારે સમસ્યાનું ચોક્કસ નિદાન અને સારવાર કરાવવામાં આવશે તો સ્વાભાવિક રીતે તમે ગર્ભધારણ કરી શકશો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં દવા, હોર્મોન્સ થેરપિ, આઈયૂઆઈ ખૂબ અસરકારક સાબિત થાય છે. ક્યારેક-ક્યારેક માત્ર જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી પણ વંધ્યત્વની સમસ્યા દૂર થાય છે. જે આ બધા પ્રયાસ કરવા છતાં પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો આઈવીએફ ટેક્નિકની મદદ લઈ શકો છો.

મારી ઉંમર ૩૮ વર્ષ છે અને હવે મને મેનોપોઝ શરૂ થઈ ગયું છે. શું મારા માટે ગર્ભધારણની કોઈ શક્યતા છે આઈવીએફ દ્વારા?

મેનોપોઝ માટે ૩૮ વર્ષ ખૂબ નાની ઉંમર છે. આ પ્રકારના કેસમાં અમે એ બાબતની જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે શું સમસ્યા મેનોપોઝની છે કે પછી કોઈ અન્ય કારણસર બ્લીડિંગ બંધ થયું છે. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા મેનોપોઝની પુષ્ટિ થાય છે. મેનોપોઝમાં ઈંડાનું નિર્માણ બંધ થાય છે, તેથી સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરવું અશક્ય બની જાય છે. આ સ્થિતિમાં આઈવીએફ ટેક્નિક ગર્ભાધારણ કરવામાં મદદ કરે છે. ડોનર પ્રોગ્રામ દ્વારા બીજી કોઈ મહિલાના ઈંડાં લેવામાં આવે છે અને તેને પાર્ટનરના સ્પર્મ સાથે ફર્ટિલાઈઝ કરવામાં આવે છે. ત્યાર પછી તૈયાર થયેલા ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં ઈમ્પ્લાંટ કરી દેવામાં આવે છે. જેા કોઈ કારણસર બ્લીડિંગ બંધ થયું હોય તો તે કારણની જાણકારી મેળવીને તેની સારવાર કરાવી શકાય છે.

હું ૩૩ વર્ષની ઘરેલુ મહિલા છું. લગ્નના ૧૨ વર્ષ થયા છે, પણ અમારે કોઈ સંતાન નથી. અમે આઈવીએફ ટેક્નિકથી બાળક પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, પણ સાંભળ્યું છે કે આ ટેક્નિકથી જન્મેલા બાળકમાં જન્મજાત વિકૃતિઓ થવાની શંકા વધારે રહે છે?

આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મનાર બાળકોમાં જન્મજાત વિકૃતિઓ હોવાની શંકામાં સ્વાભાવિક પ્રેગ્નન્સી દ્વારા જન્મ લેનાર બાળકોની તુલનામાં માત્ર ૧-૨ ટકાનો સામાન્ય વધારો જેાવા મળે છે. સામાન્ય રીતે ગર્ભધારણમાં આ શંકા દર ૧૫ બાળકોમાંથી ૧ માં થતી હોય છે અને આઈવીએફમાં આ દર ૧૨ બાળકોમાંથી ૧ માં રહેતો હોય છે. અસિસ્ટંડ રીપ્રોડક્ટિવ ટેક્નિક્સમાં નવીનવી ટેક્નિક વિકસિત કરવામાં આવી રહી છે. તે ન માત્ર એવા લોકોને મદદ કરી રહી છે, જેઓ કોઈ કારણવશ નિ:સંતાન છે, પરંતુ આનુવંશિક રૂપે સ્વસ્થ બાળકને જન્મ આપવામાં પણ સહાયતા કરી રહી છે. એવા ઘણા બધા દંપતી છે જે સામાન્ય છે, જે વંધ્યત્વ નથી, પણ તેઓ એવા જીન્સના સંવાહક છે, જેા કોઈ આનુવંશિક રોગના કારણે છે જેમ કે થેલેસેમિયા, હનટિંગ્ટન ડિસીસ, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિંડ્રોમ વગેરે. આ પ્રક્રિયા એ લોકોને પણ સ્વસ્થ બાળક પ્રદાન કરવામાં સહાયતા કરી રહી છે. ભ્રૂણને વિકસિત કરી લીધા પછી તેની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવે છે. પછી માત્ર તે જ ભ્રૂણને મહિલાના ગર્ભમાં ઈંમ્લાંટ કરવામાં આવે છે, જેમાં જેનેટિકલી કોઈ ખરાબી નથી હોતી. પહેલા આઈવીએફની સફળતાની ટકાવારી ૨૦-૪૦ રહેતી હતી, પણ રિસર્ચમાં વાત સામે આવી છે કે સર્વશ્રેભ ભ્રૂણને પસંદ કરવાની જે અત્યાધુનિક ટેક્નિક છે તે તેના સફળતાના દરને ૭૮ ટકા સુધી વધારે છે.

અમે એક મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવીએ છીએ. અમારા લગ્નને ૧૦ વર્ષ થયા છે. સંતાન પ્રાપ્તિ માટે અમે તમામ પ્રયત્ન કરી ચૂક્યા છીએ. હવે અમે આઈવીએફની મદદ લેવા ઈચ્છીએ છીએ, પરંતુ સાંભળ્યું છે કે આ એક જેાખમી અને ખૂબ જ ખર્ચાળ ટેક્નિક છે?

ના આઈવીએફ જેાખમી નથી, પણ એક સલામત સારવાર છે. માત્ર ૧-૨ ટકા મહિલાઓ જ ગંભીર ઓવેરિયન હાઈપર સ્ટીમ્યુલેશન સિન્ડ્રોમના કારણે બીમાર પડી જતી હોય છે. સારી સારવાર અને યોગ્ય સારસંભાળ દ્વારા તેને પણ કાબૂમાં કરી શકાય છે. આઈવીએફ ટેક્નિકની સફળતાની ટકાવારી લગભગ ૪૦ છે. સફળતા માત્ર ટેક્નિક પર નહીં, પણ મહિલાની ઉંમર, વંધ્યત્વનું કારણ, બાયોલોજિકલ અને હોર્મોનલ કારણો પર પણ આધારિત હોય છે. જેાકે આ સારવાર મોંઘી જરૂર છે, પરંતુ પાછલા વર્ષમાં તેના પર થતા કુલ ખર્ચમાં કોઈ વધારો નથી થયો.

મારી ઉંમર ૨૯ વર્ષ છે અને મારા લગ્નના ૫ વર્ષ થયા છે. લગ્નના ૬ મહિના પછી મને ટીબીની બીમારી લાગુ પડી ગઈ હતી. હવે હું ગર્ભધારણ એટલે કે પ્રેગ્નન્ટ નથી થઈ રહી. શું આ વાતનો ટીબી સાથે કોઈ સંબંધ છે? શું મારે મા બનવા માટે આઈવીએફની મદદ લેવી જેાઈએ?

લગ્નના ૫ વર્ષ પછી પણ તમે પ્રેગ્નન્ટ ન થયા હોય તો તે તમારી પ્રજનનક્ષમતા માટે સારો સંકેત નથી. તમારે તમારી શારીરિક તપાસ કરાવવી જેાઈએ. ઘણી વાર ટીબીના લીધે ગર્ભાશય એટલે કે યૂટરસમાં ખરાબી આવી શકે છે, પરંતુ જે ટીબીના લીધે ગર્ભાશયમાં વધારે ખરાબી આવી ન હોય તો તેને સારવાર દ્વારા ઠીક કરી શકાય છે, પરંતુ જે ટીબીએ ગર્ભાશયને સંપૂર્ણ રીતે ખરાબ કરી દીધું હોય, તો પછી તમારે મા બનવા માટે સરોગસી એટલે કે ભાડા પર કૂંખનો સહારો લેવો પડશે. સરોગસીમાં આઈવીએફ ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે. આ ટેક્નિકમાં મહિલાના ઈંડાને પતિના શુક્રાણુ સાથે ફલિત કરવામાં આવે છે અને ભ્રૂણને જે મહિલાના ગર્ભમાં મૂકવામાં આવે છે તે મહિલાને સરોગેટ મધર કહેવામાં આવે છે, પરંતુ બાયોલોજિકલ મધર એ મહિલાને કહેવામાં આવે છે. જેના ઈંડાને ફલિત કરવામાં આવ્યા હોય છે.

મારી ઉંમર ૩૨ વર્ષ છે અને પતિની ૩૪ વર્ષ છે. અમારા લગ્નને ૭ વર્ષ થયા છે, તેમ છતાં અમારે કોઈ સંતાન નથી. ખૂબ તપાસ કરાવ્યા પછી જાણ થઈ છે કે મારા પતિના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ ઓછી છે અને મારી ફેલોપિયન ટ્યૂબ બ્લોક છે. આ સ્થિતિમાં શું આઈવીએફ ટેક્નિક સંતાનસુખ પ્રાપ્ત કરવામાં અમને મદદ કરી શકે છે?

તમારી અને તમારા પતિની પ્રજનન સંબંધી સમસ્યાને જેાતા આઈવીએફ જ તમારા માટે એકમાત્ર વિકલ્પ છે. તમારી ઉંમર ૩૨ વર્ષ છે. તેથી તમે તરત કોઈ સારા આઈવીએફ ક્લિનિકનો સંપર્ક કરો, કારણ કે ૩૫ વર્ષ પછી આઈવીએફની સફળતાનો દર પણ ઘટવા લાગે છે. તમારી ફલોપિયન ટ્યૂબ બ્લોક છે, તેથી ઈંડાનું ફલીનીકરણ અથવા ગર્ભાશય સુધી ભ્રૂણનું પહોંચવું શક્ય નથી, તેથી તમે ક્યારેય કુદરતી રીતે માતૃત્વ ધારણ કરી શકો તેમ નથી. તમારા ઈંડાને કાઢીને લેબોરેટરીમાં તમારા પતિના શુક્રાણુ સાથે ફલીનીકરણ કરાવવામાં આવશે અને ભ્રૂણને તમારા ગર્ભાશયમાં ઈમ્પ્લાન્ટ કરી દેવામાં આવશે. તમારા પતિના સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની મોર્ફોલોજીની તપાસ કરવામાં આવશે. જેા સ્પર્મની મોર્ફોલોજી ખરાબ હશે, તો તેને ધોઈને લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. જેા સ્પર્મની મોર્ફોલોજી સારી હશે તો સ્ક્રીનિંગ દ્વારા સારી ક્વોલિટીના સ્પર્મને ફલીનીકરણ માટે પસંદ કરી લેવામાં આવશે. ઈંડા અને શુક્રાણુની ગુણવત્તા ખરાબ હોવા પર ભ્ર્રૂણ તૈયાર કરવા માટે ડોનરના એગ અને સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે છે.

મારી ઉંમર ૩૧ વર્ષ છે. મારા લગ્નને ૩ વર્ષ થયા છે, પરંતુ હું હજી સુધી મા બની શકી નથી. મને એન્ડોમિટ્રિઓસિસ છે. શું આ કારણસર મને ગર્ભધારણ કરવામાં પરેશાની થઈ રહી છે?

એન્ડોમિટ્રિઓસિસ ગર્ભાશય સાથે જેાડાયેલ પરેશાની છે, જે મહિલાઓની પ્રજનનક્ષમતાને સૌથી વધારે પ્રભાવિત કરે છે, કારણ કે ગર્ભધારણ કરવામાં અને બાળકને જન્મ આપવામાં ગર્ભાશયની સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે, પરંતુ એન્ડોમિટ્રિઓસિસનો એ અર્થ નથી કે તેનાથી પીડિત મહિલા ક્યારેય મા ન બની શકે. માત્ર તેના લીધે ગર્ભધારણ કરવામાં ખૂબ વધારે સમસ્યા થાય છે. જે મહિલાઓને એન્ડોમિટ્રિઓસિસ હોય છે તેમાંની ૩૫ થી ૫૦ ટકાને ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે. તેના લીધે ફલોપિયન ટ્યૂબ બંધ થઈ જાય છે, જેથી શુક્રાણુ અને અંડાણુનું ફલન નથી થતું. ક્યારેક-ક્યારેક ઈંડા અને શુક્રાણુઓને પણ નુકસાન પહોંચે છે. આમ થવાથી પણ ગર્ભધારણ નથી થતો. જેા તમારી પરેશાની ગંભીર હોય તો તમે આઈવીએફનો વિકલ્પ પસંદ કરી શકો છો.

મારી ઉંમર ૩૩ વર્ષ છે. ૫ વર્ષમાં મને ૩ વાર ગર્ભપાત થયો છે. શું હું આઈવીએફની મદદ લઈ શકું છું? શું કોઈ રિસ્ક લીધા વિના હું ગર્ભધારણ કરી શકું છું?

તમારે તરત તમારી તપાસ કરાવી લેવી જેાઈએ. આમ કરવાથી સાચી સ્થિતિની જાણ થશે. જેા કુદરતી રીતે મા બનવાની આશા ન હોય તો આઈવીએફ માટે જાઓ. આઈવીએફમાં ભ્રૂણને ચેક કરીને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, જેથી સ્વસ્થ બાળકના જન્મની આશા વધી જાય છે.

હું ૩૦ વર્ષની નોકરિયાત મહિલા છું. મારા લગ્નને ૪ વર્ષ થયા છે, પરંતુ હું હજી સુધી મા બની શકી નથી. ડોક્ટરે મને આઈવીએફ દ્વારા સંતાન સુખ પ્રાપ્ત કરવાની સલાહ આપી છે, પરંતુ હું મલ્ટિપલ પ્રેગ્નન્સી અને તેની સાથે જેાડાયેલ બીજ જેાખમથી ડરું છું. કૃપા કરીને મને મદદ કરો?

પહેલા ગર્ભાશયમાં ૨ થી વધારે ભ્રૂણ ઈમ્પ્લાન્ટ કરવામાં આવતા હતા, જેથી મલ્ટિપલ પ્રેગ્નન્સીની સંભાવના વધતી હતી અને આઈવીએફ ટેક્નિક દ્વારા મા બનાવવામાં આવનાર ૨૦ થી ૩૦ ટકા મહિલાઓ ૧ થી વધારે બાળકોને જન્મ આપતી હતી. જેાકે એ વાત પણ સાચી છે કે મલ્ટિપલ પ્રેગ્નન્સીના લીધે મા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર જેાખમ રહે છે, તેથી સમય પહેલાં ડિલિવરી, ગર્ભપાત, સીઝેરિયન ડિલિવરી, મૃત બાળકનો જન્મ થવો તેમજ નવજાતના સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યા સાથે જન્મ લેવાનું જેાખમ પણ વધી જતું હોય છે, તેથી મહદ્અંશે મોટાભાગના આઈવીએફ ક્લિનિક ગર્ભાશયમાં એક જ ભ્રૂણ ઈમ્પ્લાન્ટ કરવાનો વિકલ્પ પસંદ કરતા હોય છે. આમ કરવાથી મલ્ટિપલ પ્રેગ્નન્સીના કિસ્સામાં ઘટાડો થયો છે. તમે પોતે પણ આઈવીએફ ક્લિનિકમાં એક જ ભ્રૂણને ઈમ્પ્લાન્ટ કરવા માટે કહી શકો છો.

– ડો. ઉર્મિલા શર્મા.

વધુ વાંચવા કિલક કરો....