મારા પતિને ગત મહિને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ હજી સુધી સંપૂર્ણ રીતે રિકવર નથી થયા. મેં સાંભળ્યું છે કે ફરીથી સ્ટ્રોકની ઝપેટમાં આવવાનું જેાખમ ખૂબ વધારે રહે છે?
એ વાત સાચી છે કે બ્રેન સ્ટ્રોકની અસરમાંથી રિકવર થવામાં ખૂબ વધારે સમય લાગે છે અને જેા જરૂરી સાવચેતી રાખવામાં ન આવે તો ફરીથી તેની ઝપેટમાં આવી જવાનું જેાખમ ખૂબ વધારે રહે છે. પહેલા અઠવાડિયામાં સ્ટ્રોકની પુન:ઝપેટમાં આવવાનું જેાખમ ૧૦-૧૨ ટકા અને પહેલા ૩ મહિનામાં ૨૦-૨૫ ટકા રહે છે. તેથી ડોક્ટરના સતત સંપર્કમાં રહો અને તેમણે સૂચવેલી દવા નિયમિત તમારા પતિને આપતા રહો. તેમને સંપૂર્ણ રીતે બેડ રેસ્ટ પર ન રાખો, પરંતુ હળવી એક્સર્સાઈઝ કરવા અથવા ચાલવા જવા કહો. તેમના આહારનું ખાસ ધ્યાન રાખો. સંતુલિત, સુપાચ્ય અને પોષક ભોજન ખવડાવો.

મારા સસરાની ઉંમર ૫૮ વર્ષ છે, તેમને થોડા દિવસ પહેલાં સ્પાઈનલ સ્ટ્રોક આવ્યો હતો. હવે ડોક્ટરે સર્જરી કરાવવાની સલાહ આપી છે. શું સર્જરી વિના તેની સારવાર શક્ય છે?
સ્પાઈનલ સ્ટ્રોકમાં સ્પાઈનલ કોર્ડ તરફ લોહીનો સપ્લાય અવરોધાતો હોય છે. સ્પાઈનલ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે અને તેના માટે તરત સારવારની જરૂર રહે છે. જેા સમસ્યા વધારે ગંભીર ન હોય તો સોજાને ઓછો કરવાની, લોહીને પાતળું કરવાની, બ્લડ પ્રેશર ઘટાડવાની અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરતી દવાથી આરામ મળી જાય છે. તમારા સસરાની સ્થિતિ ગંભીર હશે, તેથી ડોક્ટરે સર્જરીની સલાહ આપી હશે. સર્જરીથી ડરવાની કોઈ જરૂર નથી. મિનિમલી ઈનવેસિવ સર્જરીને ટેક્નિક સર્જરીએ ખૂબ સરળ બનાવી દીધી છે. આ સર્જરીમાં પરંપરાગત સર્જરીની તુલનામાં તકલીફ ઓછી થાય છે અને હોસ્પિટલમાં વધારે સમય રહેવાની જરૂર નથી.

હું ૪૬ વર્ષની શિક્ષિકા છું. છેલ્લા ઘણા દિવસથી મને માથામાં તીવ્ર દુખાવો થઈ રહ્યો છે. આરામ કરવા અને દવા લેવા પર પણ માથાના દુખાવામાં રાહત નથી મળી રહી. ઘણી વાર માથાના દુખાવાની સાથે ઊલટી થાય છે. શું આ કોઈ ગંભીર બીમારીનો સંકેત છે?
આમ તો માથાનો દુખાવો એક ખૂબ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે, જે ઘણા બધા કારણોસર થાય છે. સામાન્ય માથાના દુખાવાને થોડો સમય આરામ કરવાથી અથવા પેઈન કિલર લઈને ઠીક કરી શકાય છે. ક્યારેક ક્યારેક માથાનો દુખાવો થાય તો ચિંતાની કોઈ વાત નથી, પરંતુ જેા આ દુખાવો સતત રહેતો હોય, રાત્રે અથવા સવારે તીવ્ર દુખાવો થવાથી ઊંઘ ખૂલી જાય, ચક્કર આવવા લાગે, માથાના દુખાવા સાથે ગભરામણ થતી હોય અને ઊલટી થતી હોય તો સમજી લો કે તમારા મગજમાં પ્રેશર વધી રહ્યું છે. મગજમાં પ્રેશર વધવાથી બ્રેન ટ્યૂમર થઈ શકે છે. જેા તમે છેલ્લા થોડા દિવસથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સતર્ક થઈ જાઓ અને તરત ડાયગ્નોસિસ કરાવો.

મારી દીકરીની ઉંમર ૮ વર્ષ છે. તેને છેલ્લા થોડાક મહિનાથી વાઈના એટેક આવે છે. હું ખૂબ પરેશાન છું. મેં સાંભળ્યું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી?
હવે વાઈની બીમારીનો ઈલાજ શક્ય છે. દવા અને સર્જરીથી તેની સારવાર શક્ય છે. વાઈના લગભગ ૮૦ ટકા કિસ્સાને દવાથી ઠીક કરી શકાય છે. ખૂબ ઓછા કિસ્સામાં દવા અથવા બીજા ઉપચારથી દર્દીની સ્થિતિમાં સુધારો નથી થતો, ત્યારે સર્જરીની જરૂર પડે છે. રીસેક્ટિવ સર્જરી વાઈની બીમારીની સારવાર કરાવવા માટે વધારે પ્રચલિત છે. આ સર્જરીના એટેક આવવાની સંખ્યામાં ઘટાડો થાય છે. ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન થેરપિને વાઈના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમને એક દિવસમાં ઘણી વાર વાઈના એટેક આવે છે.

હું ૫૨ વર્ષની નોકરિયાત મહિલા છું. મને સ્પાઈનલ સ્ટેનોસિસ ડાયગ્નોસ થયું છે. હું જાણવા ઈચ્છુ છું કે આ સમસ્યા શું છે અને તેની સારવારના કયાકયા વિકલ્પ ઉપલબ્ધ છે?
સ્પાઈનમાં સ્પાઈનલ કોર્ડ અને તેમાંથી નીકળતી કોશિકા માટે જગ્યા હોય છે. આ કોશિકા સંકેતો અને સંદેશાને મગજમાંથી શરીરમાં અને શરીરના વિભિન્ન ભાગમાંથી મગજમાં પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે આ જગ્યા સંકોચાઈ જાય છે ત્યારે હાડકાના લીધે આ કોશિકા દબાઈ શકે છે. તેથી દુખાવો થઈ શકે છે, ઝણઝણાટી આવી શકે છે અથવા સુન્નપણું આવી શકે છે અથવા માંસપેશીઓમાં નબળાઈ આવી શકે છે. સ્પાઈનલ સ્ટેનોસિસનું મુખ્ય કારણ ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ છે. દવા અને ફિઝિયોથેરપિથી તેને ઠીક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેાકે સ્થિતિ ગંભીર થતા સર્જરીની જરૂર પડે છે, જેથી કોશિકાઓ માટે જગ્યા કરી શકાય.

મારી ઉંમર ૬૨ વર્ષ છે. મને ૬-૭ વર્ષથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે. મેં સાંભળ્યું છે કે હાઈ બ્લડપ્રેશરના લીધે સ્ટ્રોકનું જેાખમ વધી જાય છે. આ સ્થિતિમાં મારે કઈ સાવચેતી રાખવી જેાઈએ?
હાઈ બ્લડપ્રેશરના લીધે બ્લડપ્રેશર વધવાથી હૃદયની કાર્યપ્રણાલીમાં ગરબડ થઈ જાય છે, જેનાથી તેને શરીરના બીજા અંગ સુધી લોહીને પહોંચાડવામાં વધારે મહેનત કરવી પડે છે. આ સ્થિતિના લીધે હૃદય પર દબાણ આવે છે, જેનાથી રક્તવાહિનીને નુકસાન પહોંચે છે અને સ્ટ્રોકની ઝપેટમાં આવવાની શંકા વધી જાય છે. એક વાર જ્યારે રક્તવાહિની કમજેાર પડી જાય ત્યારે તે સરળતાથી બ્લોક થઈ જશે. આમ થવાથી મગજમાં જતો લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે. આ સ્થિતિથી બચવા માટે સૌપ્રથમ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો, દવા સમયસર લો, નિયમિત રીતે વર્કઆઉટ કરો, તાણથી દૂર રહો, પોતાનું વજન વધવા ન દો તેમજ પોતાના આહાર પર ખાસ ધ્યાન આપો.
– ડો. રોહિત ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....