મારી ઉંમર ૩૬ વર્ષ છે. હું એક સરકારી કાર્યાલયમાં ક્લાર્ક છું. છેલ્લા ૨-૩ વર્ષથી મને કબજિયાતની ફરિયાદ છે. જણાવો હું શું કરું?
સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી પેટનું પોલાણ દબાઈ જાય છે, જેથી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને કબજિયાતનું કારણ બની જાય છે. જે લોકો રોજ કલાકો સુધી બેસી રહેતા હોય છે. તેમનામાં આંતરડાની મૂવમેન્ટ પણ થતી નથી, જેથી આંતરડા પોતાની પૂરી ક્ષમતા સાથે કામ નથી કરી શકતા. આંતરડામાં પચેલા ભોજનની ગતિનું સામાન્ય ન હોવું કબજિયાતનું કારણ બની જાય છે. તમે તમારી જેાબને બદલી નથી શકતા, પરંતુ તમારી આદતોમાં બદલાવ જરૂર લાવી શકો છો. જંક ફૂડના બદલે સંતુલિત, પોષક અને હળવા ભોજનનું સેવન કરો. ૭-૮ કલાકની પૂરતી ઊંઘ લો. ખાવાનો અને ઊંઘવાનો સમય નિર્ધારિત કરો, કારણ કે તમે શું ખાઓ છો અને કેટલું ઊંઘો છો, તેની સાથે એ વાત પણ મહત્ત્વની છે કે તમે ક્યારે ખાઓ છો અને ક્યારે ઊંઘો છો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ૧૫૦ મિનિટ તમને મનગમતું વર્કઆઉટ કરો. સાથે બિનજરૂરી તાણથી દૂર રહો.

હું ૪૨ વર્ષીય થાઈરોઈડનો દર્દી છું. મને ઘણું ખરું કબજિયાત રહે છે. આ સમસ્યાથી કેવી રીતે મુક્તિ મળશે?
જે લોકોમાં થાઈરોઈડના હોર્મોનનું સ્તર નીચું હોય છે અથવા જેમને હાઈપોથાઈરોડિઝમ હોય છે. તેમનામાં મોટાભાગે કબજિયાતની સમસ્યા જેાવા મળે છે. હાઈપોથાઈરોડિઝમમાં મોટા આંતરડાની કાર્યપ્રણાલી ધીમી પડી જાય છે, જેથી તેનું સંકોચન પ્રભાવિત થાય છે અને ભોજનમાંથી પાણીનું અવશોષણ થવા લાગે છે, જેા મોટા આંતરડામાં પચેલા ભોજનની ધીમી ગતિનું કારણ બને છે. જ્યારે ભોજન મોટા આંતરડામાં સામાન્ય ગતિથી આગળ નથી વધતું ત્યારે મળત્યાગની આદતમાં ફેરફાર થાય છે. હાઈપોથાઈરોડિઝમથી પીડિત લોકોએ શારીરિક રીતે સક્રિય રહેવું જેાઈએ. તમારા ભોજનમાં લીલા શાકભાજી, ફળ, આખું અનાજ અને દહીં સામેલ કરવા જેાઈએ. થાઈરોઈડ હોર્મોનના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે તમારી દવા યોગ્ય સમયે લો. તાણથી દૂર રહો, કારણ કે તે પણ કબજિયાતનું એક મુખ્ય કારણ છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....