થોડા સમય પહેલાં મુંબઈની કોલેજ વિદ્યાર્થિનીઓના એક જૂથે છોકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયા પર એક પહેલ શરૂ કરી હતી, જેથી તેઓ સેક્સ અને મહિલાઓની ઈચ્છાઓ વિશે ખૂલીને વાત કરી શકે. પછી થોડા મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ અને આ રીતે તેમણે ઈંસ્ટાગ્રામ પર એક સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી લીધું. ઓહ માય ઋતિક ડોટ કોમની ૫ સંસ્થાપકમાંથી ૨ કૃતિ કુલશ્રેભ અને માનસી જૈનનું કહેવું છે કે હસ્તમૈથુન, વાસના, યૌન ઈચ્છા અને યૌન આનંદ આ એવી વસ્તુ છે, જેને યૌવન શરૂ થતા આપણા હોર્મોન્સ તેને પ્રદાન કરે છે, પરંતુ આ વિષય પર આપણે ક્યારેય ખૂલીને વાત કરતા નથી અને તેમાં પણ ખાસ છોકરીઓ.

વાસનાની કહાણી
૨૦૧૮ ની ઠંડીની ઋતુમાં મુંબઈની કોલેજ વિદ્યાર્થિનીઓ કૃતિ માનસી, વૈશાલી માણેક, સુપર્ણા દત્તા અને રેવિકા સિંગલાએ નિર્ણય કર્યો કે તેઓ મહિલાઓની કલ્પના અને તેમના આત્મઆનંદ વિશે વાતચીતની શરૂઆત કરશે. તેઓ આ વિષયને પોતાના ‘બેચલર્સ ઓફ માસ મીડિયા’ ના કોર્સના ક્લાસ એસાઈન્મેન્ટના ભાગરૂપે ઉપયોગ કરવા ઈચ્છતી હતી, પરંતુ તેમની કેટલીક સાહેલીઓને આ વિષય ગમ્યો નહોતો અને તેઓ તેમનાથી અલગ થઈ ગઈ, પરંતુ તે છોકરીઓ પણ માનસિક રીતે આ વિષય પર ઊંડાણપૂર્વક અને પ્રામાણિકતાથી જેાડાયેલી રહી. આ વિષય પર ખૂબ વધારે ચર્ચા થઈ, કારણ કે કેટલાક લોકો જાણતા હતા કે આ વિષય પર હજી ઘણું બધું કરવાનું બાકી છે. કૃતિનું કહેવું છે કે જ્યારે આ વિષય પર શોધ કરી ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારની ભાવના અને વિચારોને પ્રગટ કરવા માત્રથી માનસિક તાણ દૂર થઈ જાય છે.

અજણ્યો મંચ
આ રીતે ઓહ માય ઋતિક ડોટ કોમ યુવા મહિલાઓ માટે પોતાની કલ્પનાને ઓળખ છુપાવીને અથવા ઓળખ સહિત પ્રગટ કરવાનું એક મંચ બની ગયું છે. ઋતિક નામ એટલા માટે આપવામાં આવ્યું, કારણ કે તે સર્વાધિક મહિલાઓના પસંદગીના પુરુષોમાંનું એક છે. કેટલીક યુવતીઓનું કહેવું હતું કે ‘લસ્ટ સ્ટોરી’ ફિલ્મમાં સુમુખી સુરેશનું કેરેક્ટર મહિલા હસ્તમૈથુન વિશે વાત કરે છે, જેમાં ઋતિક રોશન એક સત્યનિભ ગ્રીક ગોડના રૂપમાં છે અને અમે અનુભવ્યું કે આ એએમસીના બદલે કોઈની ભાવનાની અભિવ્યક્તિના રૂપે સમજમાં આવે છે.

એક છોકરીની વાત
કૃતિ જણાવે છે કે શરૂઆતમાં સાઈટ અને તેના સોશિયલ હેન્ડલે ખૂબ સારા છોકરાઓને આકર્ષિત કર્યા, કારણ કે તેમને લાગ્યું કે આ કોઈ સેક્સ સાઈટ છે. વધારે જાણકારી પછી મોટાભાગના છોકરા સાઈટથી અલગ થઈ ગયા, પરંતુ હવે મોટી સંખ્યામાં સાઈટ સાથે છોકરીઓ જેાડાઈ ગઈ છે અને તેમનો ખૂબ પ્રેમ પણ મળી રહ્યો છે.
માનસી જણાવે છે કે લોકોને શંકા હતી કે અમે માત્ર સનસનાટી ફેલાવનાર અથવા નકલ કરનાર છોકરાઓ છીએ, પરંતુ હવે તેમને અહેસાસ થઈ ગયો છે કે આવું કઈ જ નથી. હકીકત એ છે કે અમારા ઘણા પુરુષ મિત્રોએ અમને જણાવ્યું કે આ સાઈટથી તેમને મહિલાઓને સારી રીતે સમજવામાં મદદ મળી છે તેમજ તેઓ છોકરીઓની કલ્પનાઓ વિશે પણ વધારે જાણી શક્યા છે.

ખરાબ વાત નથી
કૃતિ જણાવે છે કે મોટી થતા છોકરીઓએ ક્યારેય પોતાની મહિલા મિત્ર સાથે આવી વાત પર ચર્ચા નથી કરી. અમે સીબીએસઈ સ્કૂલમાં ભણ્યા છીએ. સેક્સના ક્લાસમાં છોકરા પેજ અને પેરાગ્રાફ સુધ્ધાની જાણકારી રાખતા હતા, પરંતુ છોકરીઓ આ શિક્ષણથી દૂર રહેતી હતી. ત્યાં સુધી કે ટીચર પણ ભણાવવાના બદલે એમ કહેતા હતા કે પોતે વાંચી લો.
જ્યારે માનસી જણાવે છે કે મોટાભાગની છોકરીઓ ઈચ્છતી હોય છે કે બીજી છોકરીઓ પણ આ સાઈટ પર અજાણી ન રહે જ્યારે તેઓ પોતાના વિચાર આ મંચ પર પોસ્ટ કરે, કારણ કે આપણે પોતાની કલ્પનાના માલિક હોવા જેાઈએ. જેાકે આ કોઈ ખરાબ વાત નથી. તેના માટે પોતાને દોષિત અનુભવવા પણ ખોટું છે. આ વાત આમ પણ ખૂબ સામાન્ય છે. જેા તમે તમારા વિચારો, ઈચ્છાઓ અને ભાવનાઓને દબાવશો, તો તે તમારા માટે નુકસાનકારક રહેશે. કેટલાક લોકો, છોકરીઓ અને છોકરાઓએ અમને જણાવ્યું છે કે એક છોકરી જે ઈચ્છે છે તે તેની અંગત બાબત છે. તેથી અમે કોઈને વિવશ નથી કરી રહ્યા. અમારી પાસે ખૂબ સારી ઓળખ છુપાયેલી પોસ્ટ છે અને તેમને ચાલુ રાખ્યું છે.

આ વિશે વાત કરો : કૃતિ જણાવે છે કે છોકરીઓ માત્ર ઓનલાઈન સુધી સીમિત રહેવા નથી ઈચ્છતી. અમે આ વિષય પર દિલ્લીના મિરાંડા હાઉસ, જયપુરની એક કાફે અને મુંબઈની એક કોલેજના કેમ્પસમાં ચર્ચા કરી છે. જયપુરમાં અમારી ૨૦ મહિલા ફોલોઅર્સ છે. કેટલીક છોકરીઓએ અમને જણાવ્યું છે કે આ સાઈટના લોંચ થયા પહેલાં જાણતી નહોતી કે તેમણે વાસના અને ઈચ્છાની પોતાની ભાવનાનો સામનો કેવી રીતે કરવાનો છે, આ સાઈટના માધ્યમથી પોતાનો યૌન વ્યવહાર સામાન્ય રાખવામાં ઘણા બધાને મદદ મળી છે.

માનસી એક ઘટનાને યાદ કરતા જણાવે છે કે મારા પોતાના પરિવારનું મને સમાજ કરતા વધારે પ્રોત્સાહન મળ્યું છે. પહેલા મારા માતાપિતાએ વિચાર્યું હતું કે હું નારીવાદ માટે કઈ કરી રહી છું, પરંતુ જ્યાં સુધી અમને જયપુરના એક સમાચાર પત્રના પ્રથમ પાના પર કવરેજ મળ્યું નહોતું, ત્યાં સુધી તેઓ મારી હકીકત સમજી શક્યા નહોતા. જ્યારે છાપાના પ્રથમ પાના પર અમારો લેખ છપાયો ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ ગયા હતા. પ્રિન્ટ મીડિયામાં લેખ છપાયો તેમના માટે સફળતાનો અંતિમ માપદંડ હતું. કૃતિ જણાવે છે કે છોકરીઓનું ખૂબ સ્પષ્ટપણે કહેવું છે કે આ સાઈટ ડેટિંગ અથવા હૂકઅપ કરવા વિશે નહીં. આ તો આત્મઆનંદ અને પોતાની ઈચ્છાને વ્યક્ત કરવા વિશે છે. સાથે આ સાઈટ છોકરીઓ માટે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે.

કદ મહત્ત્વ ધરાવે છે : અમને આ સાઈટથી કોઈ નફો થતો નથી, પરંતુ કોલેજ કેમ્પસમાં અમારા ઘણા બધા સંચાલક અને કાર્યકર્તા છે. અમે એવા લેખકો, કલાકારો, કવિઓ અને લોકોનો સહયોગ ઈચ્છીએ છીએ, જેઓ આ વિષયની અભિવ્યક્તિમાં અમને મદદ કરી શકે. અમે સતત આ ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છીએ છીએ. આ સાઈટ શરૂ કરનાર છોકરીનું કહેવું છે કે હાલપૂરતું તો અમે અમારા પોકેટ મનીમાંથી આ સાઈટનું સંચાલન કરી રહ્યા છીએ, કારણ કે કોઈ પણ વિષયનું કદ મહત્ત્વ ધરાવે છે.

અજ્ઞાનતા : આ યુવતીઓનું કહેવું છે કે મોટાભાગની છોકરીઓ પ્રોતિમા બેદી અને શોભા ડેથી પરિચિત નથી, જેઓ મહિલાઓની ઈચ્છા અને આત્મઆનંદને એક અવાજ આપવામાં અગ્રણી રહી છે. તેથી અમારો પ્રયાસ છે કે અમે તેમને અજ્ઞાનતામાંથી બહાર કાઢીએ. કૃતિનું કહેવું છે કે અમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે લોકો અમારા ખુલ્લાપણાથી જેાખમ અનુભવી શકે છે અથવા તેમને લાગી શકે કે અમે ઘણે બધે અંશે આઝાદ થઈ ગયા છીએ. જેા તેઓ અમને સમજી શકતા નથી તો તેમને અમારા વિશે ટિપ્પણી કરવાનો કોઈ હક નથી. આમ પણ અમે નકારાત્મકતા, અભદ્ર ટિપ્પણીઓ અને અનૈતિક મેસેજિસને નજરઅંદાજ કરીને સકારાત્મક પાસા તરફ જેતા હોઈએ છીએ.

પ્રતિબંધિત વિષય નથી
જાણીતી કલાકાર રાધિકા આપ્ટેએ પોતાના ઓએમએચ પ્લેટફોર્મ પર સાઈટ શરૂ કરનાર છોકરીઓના ખૂબ વખાણ કર્યા છે તથા એક વીડિયો બહાર પાડીને પોતાની કલ્પના વિશે પણ વાત કરી છે. અંતે જ્યારે આ યુવતીઓને પૂછવામાં આવ્યું કે શું ઋતિક આ વાત જાણે છે કે તમે તેને ઈચ્છાપૂર્તિનો પ્રતીક બનાવ્યો છે, ત્યારે તેનું કહેવું હતું કે અમે નથી જાણતા કે તેઓ અમારા વિશે જાણે છે કે નહીં, પરંતુ મુખ્યત્વે આ સાઈટ તેમના વિશે નથી.

આ વિષય પર ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક અશિતા મહેન્દ્રનું કહેવું છે કે યૌન ઉત્પીડન મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને બાધિત કરે છે. ઐતિહાસિક રૂપે મહિલાઓને તેમની કામુકતા માટે શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવી છે, તેથી મહિલાઓ પોતાની સેક્સની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ શારીરિક સંબંધ સ્થાપિત કરવાની પહેલ નથી કરતી. જેાકે તેમને આ વાત માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવે છે. ભારતીય સમાજમાં યૌન તથા યૌન શિક્ષણ પહેલાંથી એક વર્જિત વિષય રહ્યા છે, જ્યારે સિગ્મન્ડ ફ્રોઈડના અનુસાર યૌન આવેગોને અથવા આગ્રહોને દબાવી રાખવાથી ઘણી બધી બીમારીની આશંકા રહે છે, સાથે જ ઘણી બધી વિકૃતિ જેમ કે શરમાળપણું, ચિંતા, વિષાદ વગેરે પેદા થાય છે તેમજ યૌન ઉત્તેજના અને ઈચ્છાની નબળાઈથી તેમનામાં આત્મસંદેહ અને અસુરક્ષાની ભાવના પેદા થાય છે અને તેમના દાંપત્ય સંબંધ પણ તેના લીધે પ્રભાવિત થાય છે.
– ડો. પ્રેમપાલસિંહ વાલ્યાન.

વધુ વાંચવા કિલક કરો....