મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષયક ઘણા બધા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, જેા તેમને પુરુષોની સરખામણીમાં કેટલીક પરિસ્થિતિ અને બીમારીના વિકસિત થવાના હાઈ રિસ્કમાં મૂકી દે છે. તેથી મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી જરૂરી બની જાય છે. આ બીમારીમાંની એક છે ઓવેેરિયન કેન્સર, જ્યાં શરૂઆતમાં ઓળખ થવાથી રોગના નિદાન અને સફળ ઉપચારની સંભાવના રહે છે.

કેરળના કાર્કિનોસ હેલ્થ કેરના સ્ત્રીરોગ ઓંકોલોજિસ્ટ ડો. અવસ્થી નાથ કહે છે કે સ્ત્રીરોગ સંબંધિત કેન્સરથી પીડિત મહિલાઓમાં ઓવેરિયન કેન્સર મૃત્યુનું સૌથી મુખ્ય કારણ હોય છે અને તે મહિલાઓમાં ઘણું ખરું મૃત્યુનું ૫ મું સૌથી મોટું કારણ છે. ભારતમાં ઓવેરિયન કેન્સરના દર્દી વર્ષ ૨૦૨૦માં ૪૩,૮૮૬ મળ્યા હતા, જે વર્ષ ૨૦૨૫ માં વધીને ૪૯,૬૪૪ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ બની જાય છે કે ઓવેરિયન કેન્સરની જલદી જાણકારી મેળવી લેવામાં આવે.

કારણ કયા છે
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સર મહિલાના અંડાશયમાં પેદા થાય છે. ઓવરીઝ, ઈંડા અન હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર હોય છે. અંડાશયના વિભિન્ન ભાગમાં કેન્સરની કોશિકાઓ વિકસિત થઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય પ્રકાર એપિથેલિયલ ઓવેરિયન કેન્સર છે, જે અંડાશયના બાહ્ય પડમાં બને છે. જેાકે ઓવેરિયન કેન્સરના સચોટ કારણ હજી સુધી સંપૂર્ણપણે સમજમાં નથી આવ્યા. માનવામાં આવે છે કે તે આનુવંશિક અને પર્યાવરણીય કારકોનું મિક્સ પરિણામ છે. કેટલાક જાણી શકાયેલા રિસ્ક ફેક્ટર્સમાં ૫૦ વર્ષ કરતા વધારે ઉંમરની મહિલાઓમાં સામેલ હોય છે. ખાસ કરીને મેનોપોઝ પછી. ઓવરી અથવા સ્તન કેન્સરની ફેમિલી હિસ્ટ્રી, આનુવંશિક પરિવર્તન, મેનોપોઝ પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપિનો લાંબા સમય સુધી ઉપયોગ અને એવી મહિલાઓ જે ક્યારેય ગર્ભવતી થઈ ન હોય કે પછી જેમને ગર્ભવતી થવામાં મુશ્કેલી થઈ હોય વગેરે ઘણા બધા કારણો સામેલ છે. જીવનશૈલીમાં પરિવર્તન જેમ કે ધૂમ્રપાન, સ્થૂળતા, આહાર અને પર્યાવરણીય એજન્ટો જેવા કીટનાશકોના સંપર્કમાં આવવાથી પણ ઓવેરિયન કેન્સરનું જેાખમ વધી શકે છે.

લક્ષણ
પેટમાં સોજેા, ભોજન કરતા પેટ જલદી ભરાઈ ગયેલું અનુભવવું, વજન ઘટવું, પેલ્વિક એરિયામાં સારું ન લાગવું, થાક, પીઠમાં દુખાવો, કબજિયાત, વારંવર પેશાબ આવવો વગેરે.

ડાયગ્નોસિસ
ઓવેરિયન કેન્સરના ડાયગ્નોસિસની પ્રક્રિયામાં શારીરિક પરીક્ષણ એક કોમ્બિનેશન અંતર્ગત થાય છે. ઈમેજિંગ પરીક્ષણ દાખલા તરીકે, અલ્ટ્રાસાઉન્ડ અથવા સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ વગેરે સામેલ હોય છે. તદુપરાંત ટ્યૂમર માર્કર (એક પરીક્ષણ જે કોશિકાઓ, લોહી, યૂરિન અથવા શરીરના બીજા પ્રવાહી પદાર્થમાં ટ્યૂમર માર્કર નામક પદાર્થોની માત્રાને માપે છે) હોય છે, જે સારવારમાં સહાયતા કરવાની સાથેસાથે કેન્સરની પુનરાવૃતિ ન થાય તેને પણ ડાયગ્નોસિસ કરી શકે છે.

જેા આ પરીક્ષણ ઓવેરિયન કેન્સરની સંભાવનાનો સંકેત આપતા હોય, તો સીટી સ્કેનમાં બીમારીની સીવિયરનેસના આધારે એક સર્જરી અથવા બાયોપ્સી કરવામાં આવે છે. એક વાર ડાયગ્નોસિસ થયા પછી કેન્સરનું સ્ટેજિંગ કરવામાં આવે છે. સ્ટેજ ૧ થી લઈને સ્ટેજ ૪ સુધીમાં કેન્સરની દૂરના અંગો સુધી ફેલાવાની સંભાવના રહે છે. કેન્સરની સારવારમાં તેનું સ્ટેજ જ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે, જેને યોગ્ય ડાયગ્નોસિસ દ્વારા સમજી શકાય છે.

સારવાર
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સરની સારવાર કેન્સરના સ્ટેજ અને પ્રકારની સાથેસાથે દર્દીની સંપૂર્ણ સ્વાસ્થ્ય કંડિશન પર આધાર રાખે છે. પ્રાથમિક સારવારમાં સર્જરી, કીમોથેરપિ અને ટાર્ગેટેડ થેરપિ સામેલ છે. સર્જરી ઘણું ખરું પહેલું પગલું હોય છે, જેનું લક્ષ્ય શક્ય તેટલું કેન્સરને દર્દીના શરીરમાંથી દૂર કરવાનું હોય છે. કીમોથેરપિનો ઉપયોગ કેન્સરની બાકી રહેલી કોશિકાઓને મારવા માટે કરવામાં આવે છે. ટાર્ગેટેડ થેરપિ એક નવો ઉપચાર વિકલ્પ છે, જે વિશેષ રૂપે કેન્સર કોશિકાઓને ટાર્ગેટ કરે છે અને કીમોથેરપિની સરખામણીમાં તેની સાઈડ ઈફેક્ટને ઓછી કરી શકે છે.

એ વાત સાચી છે કે આ ઉપચારની શારીરિક અને ભાવનાત્મક સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે, જેમાં વાળ ખરવા, થાક અને પ્રજનન સંબંધિત સમસ્યા સામેલ છે. તદુપરાંત સારવારનો ખર્ચ ઘણા બધા પરિવાર માટે નાણાકીય બોજ બની શકે છે, જેથી તેમને દર્દીની યોગ્ય સારસંભાળ લેવામાં મુશ્કેલી પડી શકે છે. આ સમયગાળામાંથી પસાર થનાર મહિલાઓ માટે તેમને હેલ્થ કેર આપનાર અને તેમની દેખરેખ રાખનાર પ્રિયજનો એમ બંને તરફ સહયોગ મળવો ખૂબ જરૂરી બની જાય છે.

અર્લી ડિટેક્શન જરૂરી છે
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સરના અર્લી ડિટેક્શનના મહત્ત્વને ઈગ્નોર કરી શકાય તેમ નથી, કારણ કે જેટલી જલદી આ બીમારીની જાણ થશે, તેટલી જલદી તેને ઠીક કરવી સરળ રહેશે, પરંતુ દુખની વાત એ છે કે ઓવેરિયન કેન્સર મહદ્અંશે લાસ્ટ સ્ટેજમાં ડાયગ્નોસ થતું હોય છે. જેાકે તેના લક્ષણો જેાઈએ તો પેટ ફૂલવું, જલદી ભરાઈ ગયેલું લાગવું, પેટ અને પેલ્વિસમાં દુખાવો અને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જેને મહદ્અંશે ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ, યૂરિન ઈંફેક્શન વગેરે સમજીને નજરઅંદાજ કરી દેવામાં આવે છે, જેથી સમય રહેતા તેની જાણકારી મેળવવી સંભવ નથી બનતી.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....