કામ પ્રત્યે ઉત્સાહ હોવો ખૂબ સારી વાત છે, પરંતુ જ્યારે આ ઉત્સાહ તમામ મર્યાદા તોડીને ઉન્માદમાં ફેરવાઈ જાય અને કોઈ વ્યક્તિ પર હાવી થાય ત્યારે પરેશાનીનું કારણ બને છે. રાકેશ આહુજાાને પોતાનું ઘર એટલું સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની ટેવ છે કે પોતાની કામવાળી પાસે ૨-૨, ૩-૩ વાર ફરસ પર પોતું કરાવડાવે છે. તેમના આવા સ્વભાવના લીધે તેમના ઘરે કોઈ કામવાળી ૧ મહિનાથી વધારે રહેતી નથી. મહોલ્લાના લોકો તેમને નવી કામવાળી શોધતા જુએ છે. તેની પત્ની સીમા દીકરાને લઈને પોતાના પિયરમાં રહે છે, કારણ કે રાકેશ આહુજાથી સહન થતું નહોતું કે તેમના નાનકડા દીકરાના રમકડાં, કપડાં વગેરે વસ્તુ ઘરમાં આમતેમ વિખેરાયેલા પડ્યા રહે. આખરે તેમની પત્ની સીમા આહુજા પોતાના પતિના સાફસફાઈ પ્રત્યેના આવા ગાંડપણથી ગભરાઈ ગઈ ત્યારે તેણે એક દિવસે ઘર છોડી દીધું. સીમા જણાવે છે કે ઘર એ જગ્યા હોય છે જ્યાં માણસ શાંતિથી રહી શકે, પરંતુ પોતાનું ઘર હોટલ હતું, ચમકતું, જ્યાં પોતાનું બાળક પોતાની મરજીથી રમકડાં ફેલાવીને રમી શકતું નહોતું.
મેનિયા એટલે કે ધૂનનો શિકાર
આદત, ધૂનને ડોક્ટર મેનિયાનું નામ આપે છે. રાકેશ આહુજા અને અંજલિના સાસુ બંને મેેનિયા એટલે કે ખોટી ધૂનનો શિકાર બનેલા છે, જેમને સારવારની જરૂર છે. ક્યારેક-ક્યારેક આવા લોકો શંકાને હકીકત માનીને પોતાની તેમજ બીજાની જિંદગીને બેહાલ બનાવી દેતા હોય છે. જેમ કે કોમલને લાગે છે કે તેના પતિનું બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આ માન્યતામાં તે તાણગ્રસ્ત રહેવા લાગી છે. પતિનો ફોન, તેનું મેલ બોક્સ, બેગ, પેન્ટના ખિસ્સા તપાસતી રહે છે. પછી કંઈ જ ન મળતા ચિડાઈ જાય છે અને પતિ સાથે લડવાનું બહાનું શોધવા લાગે છે. પોતાની શંકાના લીધે તેણે પોતાનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, તેનો પતિ પણ કંકાસથી બચવા પોતાનો મોટાભાગનો સમય ઓફિસમાં પસાર કરવા લાગ્યો છે. કોમલની જે માનસિક સ્થિતિ છે, સાયન્સની ભાષામાં તેને સિઝોફ્રેનિયા કહેવામાં આવે છે.
આવી વ્યક્તિ ઘણી વાર એટલી ઉન્માદી બની જાય છે કે વાસ્તવિકતા સાથેનો તેમનો સંબંધ તૂટી જાય છે. પોતાના પોકેટ કે એકાઉન્ટમાં ભલેને ૧૦૦ રૂપિયા પણ ન હોય, પરંતુ તેઓ કોઈને કરોડો રૂપિયાનું દાન કરવાની વાતો કરે અથવા ચેક પણ સાઈન કરીને આપી દે તો આવી વ્યક્તિની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. આ લક્ષણો ધરાવતી બીમારીમાં મેનિયા, બાઈપોલર ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા, પેરાનાઈડ તથા ડિલ્યૂશનલ ડિસઓર્ડર જેવા અનેક માનસિક રોગ થઈ શકે છે, જેની પર યોગ્ય દવાઓ અને કાઉન્સેલિંગથી કાબૂ મેળવી શકાય છે. સામાન્ય રીતે લોકો સમજી નથી શકતા કે તેમની આવી આદતો ક્યારે ધૂન કે સનકમાં ફેરવાઈ ગઈ અથવા તેમના વહેમે ક્યારે સિઝોફ્રેનિયા રોગને જન્મ આપી દીધો.
એકલતા એક કારણ
માનસિક બીમારીના લક્ષણોને જલદી ઓળખી લેવામાં આવે તો તેની સારવાર સરળ બની જાય છે. પશ્ચિમી દેશમાં લોકો આ વાતને લઈને વધારે સાવચેત રહેતા હોય છે. વ્યક્તિના વ્યવહારમાં થોડુંક પણ પરિવર્તન થાય તો તે તરત સાઈકોલોજિસ્ટ પાસે પહોંચી જાય છે, પરંતુ ભારતમાં કોઈ વ્યક્તિને કહેવામાં?આવે કે તમારે સાઈકોલોજિસ્ટની સલાહની જરૂર છે તો તે એમ સમજવા લાગે છે કે કહેનાર વ્યક્તિ તેને પાગલ જાહેર કરવા ઈચ્છે છે. ભારતમાં દર્દીને ત્યારે ડોક્ટરની પાસે લઈ જવામાં આવે છે જ્યારે તેની સાથે રહેવું મુશ્કેલ થઈ જાય છે. મેનિયા અથવા સિઝોફ્રેનિયાના દર્દીની સારવારમાં તેના પરિવારની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની હોય છે, કારણ કે આ બીમારીમાં દર્દી પોતાને બીમાર નથી સમજતો. તેને દવા ખવડાવવાથી લઈને કાઉન્સેલિંગ કરાવવા સુધીની જવાબદારી પરિવારજનોએ જ નિભાવવી પડે છે, પરંતુ દુખની વાત એ છે કે ભારતીય પરિવાર પોતાના ઘરના લોકોની માનસિક સ્થિતિ અને બીમારીને જલદી નથી સમજી શકતા. કેટલા પ્રકારના મેનિયા હોય છે, આવો તે વિશે અહીં જાણીએ :
ઈરિટેબલ મેનિયા : જેમ કે નામ પરથી સ્પષ્ટ થાય છે. આ મેનિયામાં વ્યક્તિ ખૂબ ચીડિયલ થઈ જાય છે અને તેને વાતવાતમાં ગુસ્સો આવી જાય છે.
યૂફોરિક મેનિયા : કોઈ પણ પરિસ્થિતિથી તેને કોઈ ફરક નથી પડતો. તે પોતાનામાં જ મસ્ત રહેતો હોય છે. માની લો કે તેનું ઘર સળગી રહ્યું હોય તો પણ તે ખુશ રહેશે. મેનિયા સાથે સાઈકોટિક અથવા સાઈકોટિક વિના લક્ષણ ધરાવતા તેના શિકાર વ્યક્તિ એવું અનુભવતા હોય છે જાણે કે તેનો દુનિયા સાથેનો સંબંધ તૂટી ગયો છે. તે પોતાના લોકો સાથે વિચિત્ર વર્તન કરતો હોય છે. તે ભ્રમની સ્થિતિમાં રહે છે અને ક્યારેક-ક્યારેક તેની પર ઘરબાર છોડીને સંન્યાસી બની જવાનું ભૂત સવાર થઈ જાય છે અથવા તેઓ બિલકુલ એકલા રહેવાનું પસંદ કરે છે.
ઘણી વાર મેનિયાના સામાન્ય લક્ષણ દેખાતા હોય છે. તેને હાઈપોમેનિયા કહે છે, જેમાં શક્ય છે કે દર્દી સામાન્ય વ્યવહાર કરે, ક્યારેક-ક્યારેક ચિડાવા લાગે. ઘણી વાર કેટલાક લોકોમાં મેનિયા સીઝનલ બની જાય છે એટલે કે થોડા સમય સુધી મેનિયાના લક્ષણ રહેતા હોય છે અને ત્યાર પછી તે સામાન્ય બની જાય છે. હાઈપોમેનિયાના દર્દી કોઈ પણ કામને ખૂબ જલદીથી પૂરું કરવા ઈચ્છે છે, પરંતુ તે સામાન્ય કરતા ખૂબ વધારે ઝડપી હોય છે.
મોટાભાગના કિસ્સામાં હાઈપોમેનિયાની સારવાર ન થવાથી તે વ્યક્તિ મેનિયાનો દર્દી જલદી બની જાય છે. આવા લોકો પોતાના સામાન્ય કામ પણ કરી લેતા હોય છે, પરંતુ સાથે તેમનામાં બીમારીના અન્ય લક્ષણ હોય છે. જેમ કે ચીડિયાપણું. સામાન્ય કરતા વધારે ખુશી, જરૂર કરતા વધારે આત્મવિશ્વાસ, સમજ્યાવિચાર્યા વિના કોઈ પણ કામ શરૂ કરવું, અપૂરતી ઊંઘ છતાં ફ્રેશનેસનો અનુભવ કરવો, એકાગ્રતામાં ઊણપ અનુભવવી, નશા તરફ ઝુકાવ અથવા વાસ્તવિકતાથી અલગ જેવું સાંભળવું.
સિઝોફ્રેનિયા ક્રોનિક એટલે કે એક ગંભીર માનસિક બીમારી છે. સિઝોફ્રેનિયા એક ગ્રીક શબ્દ પરથી બન્યો છે, જેનો સીધો અર્થ છે ‘સિપ્લટ માઈન્ડ’. તેમાં પીડિત વ્યક્તિ પોતાની સ્થિતિને સમજી નથી શકતી અને ઘણી વાર જણાવી પણ નથી શકતી અને સમજ્યાવિચાર્યા વિના ગમે તે બોલવા લાગે છે. આ માનસિક રોગની ગંભીર બીમારી છે. પૂરી દુનિયામાં ૧ ટકા લોકોમાં સિઝોફ્રેનિયાના લક્ષણ આજે પણ જેાવા મળે છે. આ બીમારી ૩૦ થી ૪૦ વર્ષની વચ્ચે અથવા મહદ્અંશે ૬૦ વર્ષ પછી વધારે જેાવા મળે છે.
સિઝોફ્રેનિયાના દર્દીનો વાસ્તવિકતા સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી જાય છે. માત્ર પોતાના વિચારોને સાચા માનવા. તે પોતાના મનથી બનાવેલી દુનિયામાં રચ્યોપચ્યો રહે છે. એવું પણ શક્ય છે કે આવી વ્યક્તિ વાત કરતી વખતે વારંવાર ટોપિક બદલે, શંકા કરે સિઝોફ્રેનિયાના લક્ષણ છે. જે લોકો વધારે નશો કરતા હોય છે. તેમનામાં સિઝોફ્રેનિયાનું જેાખમ વધારે રહે છે, કારણ કે આલ્કોહોલ ન્યૂરોટ્રાંસમીટરને સામાન્ય નથી રહેવા દેતો.
સિઝોફ્રેનિયા ઘણા બધા પ્રકારના હોય છે
પેરાનોઈડ સિઝોફ્રેનિયા : આ રોગના દર્દી વધારે હોય છે. તેમાં વ્યક્તિ ભ્રમની સ્થિતિમાં હોય છે. તેનું સામાન્ય જીવન અવ્યવસ્થિત બની જાય છે. તેને પોતાના કાનમાં એવા અવાજ સંભળાવા લાગે છે, જે વાસ્તવમાં હોતા નથી. શંકા કરવી તેમનો સ્વભાવ બની જાય છે. કોઈ દર્દીને બિહામણા પડછાયા દેખાવા લાગે છે, જે વાસ્તવમાં હોતું નથી. આ બીમારીમાં શંકા કરવું સૌથી મહત્ત્વપૂર્ણ છે, દાખલા તરીકે આ શંકા એક ખાસ પ્રકારના એક વ્યક્તિ વિશે હોઈ શકે છે. આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે પતિએ પત્નીની હત્યા માત્ર એટલા માટે કરી કે તેને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ પ્રકારના કેસમાં પીડિતની સારવારમાં મોડું ન કરવું જેાઈએ.
કેટાટોનિક સિઝોફ્રેનિયા : જ્યારે વ્યક્તિ ભાવનાત્મક રીતે શૂન્ય થઈ જાય. ચહેરા પર કોઈ ભાવ ન આવે, એક પોઝિશનમાં તે કલાકો સુધી પડ્યો રહે તો આ સ્થિતિ વધારે ભયજનક બની જાય છે, જ્યારે દર્દીનું શરીર અકડાઈ જાય છે, આ સ્થિતિમાં ઈલેક્ટ્રિક ચિકિત્સા આપવી પડે છે.
અનડિફ્રેંશિયએટિડ સિઝોફ્રેનિયા : તેમાં એક જ વ્યક્તિમાં કેરાટોનિક સિઝોફ્રેનિયા તથા પેરાનાઈડ સિઝોફ્રેનિયા બંનેના લક્ષણ આવી જાય છે.
સિપ્લર સિઝોફ્રેનિયા : તેમાં દર્દી ધીરેધીરે સમાજથી કપાતો જાય છે. તેનું વર્તન ધીરેધીરે બદલાતું જાય છે. તેથી ઘણી વાર આવી વ્યક્તિની પરેશાની સમજવામાં મોડું થાય છે.
ક્યારે જવું ડોક્ટર પાસે
જેા કોઈ વ્યક્તિમાં આ બીમારીના લક્ષણ દેખાવા લાગે અને તે વ્યક્તિ પોતાનું સામાન્ય કામ ન કરી શકે તો તેને ડોક્ટર પાસે લઈ જવો જેાઈએ. મોડું કરવાથી દર્દીની સ્થિતિ વધારે ગંભીર થાય છે.
દિલ્લીના માઈન્ડ ક્લિનિકના માનસિક રોગ નિષ્ણાત ડોક્ટર સુગંધા ગુપ્તા જણાવે છે, ‘‘જેા જીવનને શિસ્તબદ્ધ રીતે જીવવામાં આવે તો આવી સમસ્યાથી બચી શકાય છે. દરેક વ્યક્તિએ ૬ થી ૮ કલાકની પૂરતી ઊંઘ લેવી જેાઈએ. પૂરતી ઊંઘ માનસિક તેમજ બીજી શારીરિક પરેશાની જેમ કે શુગર, બીપી વગેરેથી બચવામાં લાભદાયી રહે છે. દરરોજ ૧૫ થી ૨૦ મિનિટ એક્સર્સાઈઝ અને ૩૦ મિનિટ માટે ચાલવાથી માનસિક મજબૂતાઈ મળે છે. નિયત સમયે ખાવાનું ખાઓ. મોડી રાત્રે ખાવાથી બચો. જે કોઈની ફેમિલીમાં આવી બીમારીનો ઈતિહાસ રહ્યો હોય તો તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર રહે છે.’’
‘‘માનસિક બીમારીથી બચવા માટે નશાથી હંમેશાં દૂર રહો. જેા નશાની આદત હોય તો મગજમાં કેમિકલ ગરબડી થવાની આશંકા વધારે રહે છે. તેથી જ્યારે આવી વ્યક્તિ મેનિયા અથવા બીમારીની સારવાર કરાવવા જાય છે ત્યારે વધારે પોટેંસીની દવા લેવી પડે છે.’’ ડો. સુગંધા આગળ જણાવે છે, ‘‘નિયમિત સારવારથી દર્દીને લાભ થાય છે. આ બીમારીમાં દર્દીને અહેસાસ નથી થતો કે તે બીમાર છે, તેથી પરિવાર અને ઘણી વાર મિત્રોની પણ જવાબદારી બને છે કે તેમને યોગ્ય સમય પર યોગ્ય સારવાર મળી શકે.’’
જેા સતત ગંભીર ડિપ્રેશનની પરેશાની હોય તો પણ આ પ્રકારની ગંભીર માનસિક બીમારીની આશંકા વધી જાય છે. તેથી જે કોઈને ડિપ્રેશનની સમસ્યા હોય તો તેને ઈગ્નોર ન કરવી જેાઈએ. બીમારીને ટાળવાથી તે વધારે પરેશાન કરે છે.
– નસીમ અંસારી કોચર.





