હર્બલ ઔષધિ વિષયક જ્ઞાન દુનિયાની દરેક સંસ્કૃતિ, માનવજાતિ અને સભ્યતાનું એમ તો ભાગ રહ્યું છે. કેટલીક જડીબુટ્ટીને સોનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આદું, શાલ્મલી લસણ, અશ્વગંધા, હળદર, લવિંગ, ધાણા, આમળા, જામફળ અને આવી હજારો જડીબુટ્ટીના પ્રભાવની પ્રામાણિકતા આધુનિક વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે.
કેટલીક જડીબુટ્ટીને આધુનિક મેડિકલ સાયન્સે પણ કાયદેસર દવા રૂપે સ્વીકારી છે. સિનેકોના નામના ઝાડ પરથી પ્રાપ્ત થતી ક્વીનોન નામની દવા તૈયાર કરવામાં આવી છે અને તેને મલેરિયાની સારવારમાં રામબાણ માનવામાં આવે છે.
આજે વિશ્વના બધા દેશ શોધો અને તેના પરિણામોથી પ્રોત્સાહિત થઈને અનેક હર્બલ દવાના વૈજ્ઞાનિક પ્રમાણ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે ડંડેલિયાન નામના છોડમાંથી કેન્સરની બીમારીના ઈલાજની દવા શોધવામાં આવી રહી છે, તો ક્યાંક કોઈ દેશમાં બારમાસી અને કરેણ જેવા છોડવામાંથી સ્કિન પર થતા ઈંફેક્શનની સારવાર પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જેાકે પરંપરાગત જ્ઞાનનું વૈજ્ઞાનિક સમર્થન જરૂરી છે, જેથી આપણે એ હકીકતને સમજી શકીએ કે ખરેખર કઈ જડીબુટ્ટીથી કયો રોગ ઠીક થાય છે અને આ કેવી રીતે શક્ય બને છે, પરંતુ હું જડીબુટ્ટીમાં રહેલા ખાસ રસાયણને અલગ કરીને ઔષધિને કૃત્રિમ રીતે તૈયાર કરવાના પક્ષમાં નથી.

છોડવા, વૃક્ષોમાં હોય છે રસાયણ
ઔષધિ છોડવામાં માત્ર એક નહીં, હજારો રસાયણ અને તેના સમૂહ જેાવા મળે છે અને કોણ જાણે કયું રસાયણ અસરકારક ગુણ ધરાવતું હોય. તેથી માર્કર કંપાઉન્ડ (કોઈ જડીબુટ્ટીમાં જેાવા મળતું ખાસ રસાયણ) શોધ પર કેટલાક જાણકારો પ્રશ્નો ઊભા કરે છે. જડીબુટ્ટીમાંથી મહત્ત્વપૂર્ણ રસાયણોને અલગ કરીને તેને કૃત્રિમ રીતે તૈયાર કરવાની કોશિશ અસરકારક નહીં રહે. આ વાતને સાબિત કરવા માટે એસ્પિરિનથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે.
એસ્પિરિન ટેબ્લેટમાં માર્કર કંપાઉન્ડના નામે સોલિસિલિક એસિડ હોય છે, જેને સૌપ્રથમ વાઈટ વિલ્લો ટ્રી નામના ઝાડમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પછી આ સોલિસિલિક એસિડને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં?આવ્યું અને એસ્પિરિન નામની દવાને બજારમાં લાવવામાં આવી. પીડાનાશક ગુણો પ્રખ્યાત આ દવાના સેવન પછી રોગીને પેટમાં ગરબડ અને કેટલાકને પેટમાં છાલા પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાઈટ બિલ્લો ટ્રીની છાલના ઉકાળાને કેટલાય આયુર્વેદના જાણકાર પીડાનાશક તરીકે દાયકાથી આપતા આવ્યા છે અને રોગીને ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. આ વાત જાણીને તમે પણ થોડું વિચારો.
હકીકતમાં છાલના ઉકાળામાં એવા રસાયણ પણ હોય છે જે ચાંદાને થતા અટકાવવામાં અસરકારક માનવામાં આવે છે અને કેટલાક રસાયણ એવા પણ છે જે પેટના દુખાવા અને ડાયેરિયાને અટકાવવા વગેરેમાં મહત્ત્વપૂર્ણ હોય છે. જેાકે અહીં સૌથી મોટો પ્રશ્ન દવા અથવા જડીબુટ્ટીની ગુણવત્તા વિશે ઉપસ્થિત થાય છે. મોટાભાગના વૈદ્ય અને જાણકારો અને ઘણી બધી ફાર્મા કંપની પણ દવાઓને તૈયાર કરનાર જડીબુટ્ટીને બજારમાંથી ખરીદતા હોય છે. આ સ્થિતિમાં કાચા માલની ગુણવત્તા પર પ્રશ્ન ઊઠવો વાજબી છે.
બીજી સૌથી મોટી ચિંતાની વાત ઝોળાછાપ લોકોને ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા પરની ભ્રામક માહિતી અથવા ઢોંગી બાબા દ્વારા પ્રચારપ્રસાર કરાતી જાણકારી હોય છે. આવી અડધીઅધૂરી જાણકારી મેળવીને લોકો પણ પોતે ડોક્ટર બની જાય છે અને ઘર પર ઈલાજ કરીને બેસી રહેવા વિચારતા હોય છે, એમ માનીને કે આ હર્બલ દવાઓ છે, તેથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ કે દુષ્પ્રભાવ પડશે નહીં.

હર્બલ દવાથી નુકસાન
ઘણી વાર આપણે જાણેઅજાણે ડોક્ટરને બતાવ્યા વિના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદીને લાવી દેતા હોઈએ છીએ અને વધારામાં સમસ્યા પણ ઘરે લાવી દેતા હોઈએ છીએ. વળી હર્બલ લેક્સેટિવ્સ બજારમાં ઓવર ધ કાઉન્ટર એટલે કે ઓટીસીના રૂપે બધે મળી જાય છે. આપણામાંના ઘણા બધા લોકો એવા છે જેમને તેની સાથે જેાડાયેલ દુષ્પ્રભાવ વિશે જાણકારી નથી હોતી. આ વિરેચક ઔષધિ ન માત્ર શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલનને ખરાબ કરી શકે છે, પરંતુ ઘણા બધા પ્રકારના વિટામિન અને ફેટી પદાર્થોનું વિઘટન પણ કરી દે છે.
અહીં પેશાબ સંબંધિત ખરાબીઓના દુષ્પ્રભાવની વાત કરવી જરૂરી છે, જેથી વિટામિન બી-૧, બી-૬, વિટામિન-સી, સીઓક્યૂ ૧૦ અને શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ ઘટવા લાગે છે. શરીરમાં કેફીનની માત્રા વધારે થવાથી વિટામિન-એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્ત્વોમાં ઊણપ આવવા લાગે છે.
આમ તો હર્બલ દવાઓને દુષ્પ્રભાવહીન માનવામાં આવે છે અને તેના લીધે લોકો સમજ્યાવિચાર્યા વિના આ દવાઓનો ઉપયોગ કરી લે છે, પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે તેની અસંતુલિત માત્રા અથવા કોઈ પ્રશિક્ષિત ચિકિત્સકની સલાહ લીધા વિના તેનો ઉપયોગ ખરાબ અસર કરી શકે છે.
વૈજ્ઞાનિક એલ્વિન લેવિસની શોધ અનુસાર એલોવેરા જેલની અધિક માત્રા, જેને મોટાભાગે લોકો જાણકારી વિના ઘણા બધા રોગની સારવારમાં ઉપયોગમાં લે છે, પરંતુ તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના લીધે પેટમાં દુખાવો અને પેચિસ જેવી સમસ્યા ઉપરાંત હૃદય સંબંધિત ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઝાડછોડમાં જે રસાયણો જેવા મળે છે, તેનો સીધો ઉપયોગ ઘણી વાર ઘાતક સાબિત થઈ શકે છે. ફ્લેવેનોઈડ નામક રસાયણનું પ્રમાણ વધવાથી માનવશરીરમાં ઘણા બધા દુષ્પ્રભાવ જેાવા મળી શકે છે. અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં વૈજ્ઞાનિક અર્નજે લખેલા રિવ્યૂ લેખનું માનીએ તો ફલેવેનોઈડ એનીમિયા જેવી સમસ્યા ઉપરાંત તે તમારી કિડનીને ક્ષતિગ્રસ્ત કરી શકે છે.

ચિકિત્સકીય સલાહ જરૂરી
હર્બલ દવાઓ કોઈ પ્રિસ્ક્રિપ્શન વિના સરળતાથી બજારમાં મળી જાય છે, પરંતુ મારી માન્યતા મુજબ તમારે હર્બલ દવાઓનું સેવન કરતી વખતે ચિકિત્સકીય સલાહ લેવી જરૂરી છે, કારણ કે મોટાભાગે હર્બલ દવાની ઉપયોગિતા વિશે બધા લોકો વાતો કરે છે, પરંતુ તેમને બીજી દવાઓની સાથે થતા રિએક્શન વિશે વધારે જાણકારી નથી હોતી. આ જ વાતને ડાયેટિશિયને પણ સમજાવી જેાઈએ, જે મેડિકલ સાયન્સની પૂરતી સમજ વિના આહારમાં સારા એવા પરિવર્તન કરાવે છે, પરંતુ કોઈ ખાસ તત્ત્વો વધવા અથવા ઓછા થવાના લીધે થતા દુષ્પ્રભાવની ચિંતા નથી કરતા.
શરીરમાં જેા કોઈ પોષક તત્ત્વોની ઊણપ હોય તો પોષક તત્ત્વોની પૂર્તિ માટે ઔષધિ તરફ દોડી જવાના બદલે તે તત્ત્વોની ઊણપ થવાના કારણો શોધવા જેાઈએ અને તે કારણોનું કુદરતી નિવારણ લાવવું જેાઈએ. જે નિયંત્રિત ખાદ્યશૈલી, દોડધામ અને તાણગ્રસ્ત જીવનમાં આપણે પોતાના શરીરને ઢાળી લેતા હોઈએ છીએ અને ત્યાર પછી આ કારણસર શરીર બીમારીની ઝપેટમાં આવી જાય છે.
હર્બલ જ્ઞાનને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે તેના અંધાધૂંધ બજારીકરણે અને ઝોળાછાપ અપૂરતી જાણકારીએ કેટલાક જાણકારો જડીબુટ્ટી વિશે એટલી બધી વાત કહી દે છે કે આપણને પણ એવું લાગે જણે કે જડીબુટ્ટી અમૃત છે. તથાકથિત જાણકારો આ પ્રકારની જડીબુટ્ટી અને વનસ્પતિને હિમાલયથી લઈને દૂરના પૂર્વી પહાડી વિસ્તારોમાંથી લાવ્યા હોવાની અને તેમાંથી દવા બનાવવાનો દાવો કરતા હોય છે. હકીકતમાં દરેક વનસ્પતિ કે જડીબુટ્ટીની પોતાની એક અલગ ખાસિયત હોય છે. દરેક વનસ્પતિ કોઈ ને કોઈ રીતે અસરકારક પણ હોય છે અને આ વાતને યોગ્ય જાણકાર સારી રીતે જાણતા ઓળખતા હોય છે.
આજે ઔષધિનું બજાર કરોડો રૂપિયાનું છે, પરંતુ કુદરતી રીતે શરીરને સ્વસ્થ રાખવું લગભગ મફત છે અને આ મફત સારવાર માટે કોઈ ચિકિત્સકની જરૂર પણ નથી, માત્ર પોતાની જીવનશૈલી, ખાદ્યશૈલી અને રોજબરોજની જિંદગીને સમયબદ્ધ કરી લેવામાં આવે અને પોતાની થોડીક કાળજી લેવામાં આવે તો શરીર પોતાનું રક્ષણ કરી શકે છે. રોગની સારવાર બિલકુલ શક્ય છે, પરંતુ તે ત્યારે જ થશે, જ્યારે રોગના કારણોને આપણે સમજી શકીએ અને ત્યાર પછી તે કારણોના નિવારણ પર અમલ કરીએ.
– ડો. દિપક આચાર્ય.

વધુ વાંચવા કિલક કરો....