આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધિ આદતોના લીધે દુનિયાભરમાં લોકો અલગઅલગ પ્રકારની ગંભીર બીમારીથી ઘેરાયેલા છે. તેમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકના કિસ્સા રોજ સામે આવી રહ્યા છે. મોટાભાગના લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકની વચ્ચેના ફરકને સમજી નથી શકતા.
કાર્ડિયાક અરેસ્ટ શું છે
કાર્ડિયાક અરેસ્ટ હંમેશાં અચાનક થાય છે, તે પહેલા કોઈ ખાસ સંકેત નથી મળતા. તેમાં હાર્ટ શરીરમાં બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે. આ સ્થિતિમાં તરત ટ્રીટમેન્ટ ન મળવા પર વ્યક્તિનું થોડી મિનિટમાં મૃત્યુ થઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટનું સૌથી મુખ્ય લક્ષણ હોય છે બેભાની. ઘણી વાર વ્યક્તિ કાર્ડિયાક એરસ્ટ પહેલા નીચેના લક્ષણોને અનુભવ કરી શકે છે :
અસામાન્ય હાર્ટબીટ, માથું ચકરાવું અથવા ચક્કર આવવા, ચેસ્ટ પેન, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરામણ અથવા ઊલટી થવી. કાર્ડિયાક અરેસ્ટ પછી વ્યક્તિના શ્વાસ બંધ થઈ જાય છે અથવા તે સામાન્ય રીતે શ્વાસ લે છે, લાંબાલાંબા શ્વાસ લેવા અને હાંફવું, સંપૂર્ણપણે બેભાન થવું. જેા લાઈફસ્ટાઈલ યોગ્ય ન હોય તો કાર્ડિયાક અરેસ્ટ ગમે ત્યારે ગમે તેને આવી શકે છે, પરંતુ કેટલાક લોકોને તેનું વધારે જેાખમ રહે છે, જે લોકોના પરિવારમાં કોઈ વ્યક્તિનું કાર્ડિયાક અરેસ્ટના લીધે મૃત્યુ થયું હોય તો તેમને પણ તેનું જેાખમ રહે છે એટલે કે વારસાગત રૂપે જે કોઈના પરિવારમાં ૫૦-૬૦ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોય તો તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર રહે છે, કારણ કે તેમને પણ તેનું જેાખમ રહે છે. ઉપરાંત જે લોકોને કોરોનરી આર્ટરી ડિસીઝ (હૃદયની ધમનીમાં બ્લોકેજ) અથવા હાયપરટેન્શન, ડાયાબિટીસ, દારૂ પીવો અથવા ધૂમ્રપાનની આદત હોય તો તેમને પણ કાર્ડિયાક એરેસ્ટનું જેાખમ રહે છે.
કાર્ડિયાક અરેસ્ટ આવે તો શું કરવું
કોઈ વ્યક્તિને જ્યારે કાર્ડિયાક એરેસ્ટ આવે છે અને ડોક્ટર સુધી પહોંચવામાં મોડું થાય તેમ હોય તો સીપીઆર આપવું જેાઈએ. આમ તો આ સ્થિતિમાં ડોક્ટર પીડિતના હૃદયને ઈલેક્ટ્રિક શોક આપીને સ્થિતિને નિયંત્રિત કરે છે. સીપીઆર એક કટોકટની સ્થિતિમાં પ્રયોગમાં લેવાતી પ્રક્રિયા છે જેા કોઈ વ્યક્તિના હૃદયના ધબકારા અથવા શ્વાસ અટકી જવા પર પ્રયોગમાં લેવામાં આવે છે. સીપીઆરમાં બેભાન વ્યક્તિને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે, જેનાથી ફેફસાને ઓક્સિજન મળે છે અને શ્વાસ પરત આવતા સુધી અથવા હૃદયના ધબકારા સામાન્ય થવા સુધી છાતીને દબાવવામાં આવે છે, જેનાથી શરીરમાં પહેલાંથી રહેલું ઓક્સિજનવાળું લોહી સંચારિત થતું રહે છે.
હાર્ટએટેક શું છે
આજકાલ દરરોજ હજારો લોકોએ હાર્ટએટેકનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લડ ક્લોટિંગ થવાથી અથવા હાર્ટમાં બ્લડ સપ્લાય ઘટવાથી હાર્ટએટેકની સ્થિતિ પેદા થાય છે. હાર્ટએટેક મહદ્અંશે કોરોનરી આર્ટરીઝમાં રહેલા બ્લોકેજના લીધે થતો હોય છે, જે હાર્ટને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
હાર્ટએટેકના લક્ષણ
બેચેની, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં પરેશાની, ઠંડો પરસેવો થવો, હાર્ટબીટ તેજ થવી, હાથ, પીઠ, ગરદન, જડબા, પેટમાં દુખાવો થવો અને તીવ્ર બળતરા થવી તથા ચક્કર આવવા.
સ્ટ્રોક શું છે
સ્ટ્રોક બ્રેનમાં બ્લડના ફ્લોમાં અવરોધના લીધે થાય છે. તે બ્રેન ટિશ્યૂને પ્રભાવિત કરે છે. સ્ટ્રોક એક મેડિકલ ઈમર્જન્સી છે, જે ત્યારે થાય છે જ્યારે તમારા મસ્તિષ્કમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે.
સ્ટ્રોકના લક્ષણ
અચાનક માનસિક ભ્રમ, બોલવામાં સમસ્યા, ચહેરા, હાથ અથવા પગમાં લકવો, ચાલવામાં અસમર્થતા, વિઝનનું ધૂંધળું થવું, માથામાં દુખાવો ચાવવા અથવા ગળવામાં મુશ્કેલી, ટ્રાન્સિએંટ ઈસ્કેમિક એટેક.
ઈસ્કેમિક સ્ટ્રોક : જ્યારે મસ્તિષ્કમાં ઓક્સિજનયુક્ત બ્લડ લઈ જતી ધમનીમાં અડચણનો અનુભવ થાય છે, ત્યારે તેનાથી મસ્તિષ્કની કોશિકા મરી જાય છે. તેથી ઈસ્કેમિક સ્ટ્રોક આવે છે. મસ્તિષ્કની નસોમાં આ પ્રકારની અડચણ ધમનીના સંકુચિત થવાથી થઈ શકે છે, પરંતુ તે નાના બ્લડ ક્લોટ્સના લીધે થઈ શકે છે.
ટ્રાન્સિએંટ ઈસ્કેમિક સ્ટ્રોક : આ એક ‘મીની સ્ટ્રોક’ છે અને તે ત્યારે થઈ શકે છે, જ્યારે મસ્તિષ્કમાં બ્લડ લઈ જનાર ધમની થોડા સમય માટે એવું કરવાનું બંધ કરી દે છે. બ્લડ ફ્લોમાં અડચણના આ સમયગાળા દરમિયાન સ્ટ્રોકના લક્ષણ જેાઈ શકાય છે.
હીમોરેગિક સ્ટ્રોક : જ્યારે મસ્તિષ્કની અંદર એક ધમની ફાટી જાય છે, ત્યારે ફાટેલી ધમનીમાં બ્લડ ફ્લોમાં અડચણના લીધે બ્રેન સેલ્સ ડેમેજ થઈ જાય છે અને મસ્તિષ્કમાં ચારેબાજુ બ્લડ ફેલાઈ જાય છે.
જીવનશૈલીમાં બદલાવથી હૃદયરોગના જેાખમને ઘટાડી શકાય છે. ધૂમ્રપાન જેવી આદતોને છોડવાની સાથેસાથે ફિઝિકલી એક્ટિવ રહેવું અને હેલ્ધિ બોડી વેટ જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ છે.
પોતાના બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરની દેખરેખ અને તેમને નિયંત્રણમાં રાખવા પણ જરૂરી છે, જે હાર્ટએટેક, કાર્ડિયાક અરેસ્ટ અથવા સ્ટ્રોકને અટકાવવાની સૌથી ઉત્તમ
રીત છે.
– ડો. વિવેકા કુમાર.





