લોન ભલે ને નાની હોય, પરંતુ હરિયાળી હોવી જેાઈએ, એવી કે જે જેાનારની આંખને ઠંડક આપે, પગ મૂકો તો મખમલી ઘાસનો અહેસાસ થાય, પરંતુ આવી લોનની ઈચ્છા માટે અહીં જણાવેલ કેટલીક જરૂરી વાતને તમારે ધ્યાનમાં રાખવી પડશે :
જમીનની પસંદગી : બગીચામાં લોન કેવા પ્રકારની, ક્યાં અને કઈ સાઈઝની બનાવવામાં?આવે તેના માટે સૌપ્રથમ પોતાના મકાનના પ્લોટની સાઈઝ જેાઈ લો. જેા ૫૦૦ વારના પ્લોટની પાછળ લોન તૈયાર કરી રહ્યા છો તો ઘાસ ખરાબ ન થાય, તેની પર આરામથી ચાલી શકાય, તેના માટે લોનની ચારે બાજુ ચાલવા માટે એક પગદંડી બનાવો. ધ્યાન રાખો, ગોળ પથ્થર થોડા અંતરે મૂકીને આકર્ષક રસ્તો બને.
જમીનની તપાસ : જ્યારે નક્કી થાય કે લોન ક્યાં બનાવવી છે, તો સૌપ્રથમ કોઈ સોઈલ એજન્ટ પાસે તમારી જમીનની તપાસ કરાવો. દિલ્લી પૂસા ઈન્સ્ટિટ્યૂટમાં સોઈલ ટેસ્ટ લેબમાં કોઈ નિષ્ણાત પાસેથી અથવા કોઈ સારી નર્સરીમાંથી જમીન તપાસની સર્વિસ મેળવી શકાય છે. આ સોઈલ વિશેષજ્ઞ તમારી જમીન વિશે સંપૂર્ણ જાણકારી આપશે જમીન કયા પ્રકારની છે, રેતાળ છે, ચીકણી છે કે પછી પથરાળ. જમીનમાં ન્યૂટ્રીયન્સ કેટલા છે, પેલસ શું છે, આ બધાથી આ જમીન લોન બનાવવા યોગ્ય છે કે નહીં. ઉત્તમ પ્રકારની લોન માટે પિટ લેવલ ૬ અને ૭ ની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે. જેા જમીનમાં થોડી ખામી હોય તો જમીનની તપાસ પછી સોઈલ એજન્ટ તમને જણાવશે કે હવે પછી શું કરવાનું છે.
લોનનો ખોરાક : હરિયાળી લોન માટે ખાતર ક્યારે, કેટલું, કેવું અને કેવી રીતે નાખવાનું છે તે ખૂબ જરૂરી છે. અમેરિકામાં મિસિસિપી સ્ટેટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર લેન્ડસ્કપિંગ બોબ બ્રજજેક અનુસાર સિંથેટિક ખાતરની સરખામણીમાં ઓર્ગેનિક ખાતર જે કુદરતી વસ્તુ જેમ કે સીવીડ અથવા બોન મીલ સારા પરિણામ આપે છે. સારા ઘાસ માટે જરૂરી છે કંપોઝર મિક્સ માટીને વધારે માત્રામાં ભેળવવામાં આવે. પછી એવી રીતે પાવડા અથવા ટ્રેક્ટરને ચલાવો કે ઉપરની માટીનું પડ ઓછામાં ઓછું ૬ હોય. ખાતર નાખવાની આ પ્રક્રિયા વર્ષમાં ઓછામાં ઓછી ૨ વાર વસંત ઋતુ અને જ્યારે પાંદડા ખરે છે ત્યારે ફરીથી કરો. ખાતર નાખવાથી તેમાં રહેલા ન્યૂટ્રીએંટ્સ અને ભીનાશ ઘાસ માટે ક્રશનનું કામ કરે છે. ૩-૪ વાર માટીને ઉપરનીચે કરો, પછી તેને સમથળ કરો. પથ્થરકાંકરા કાઢી નાખો, જંગલી ઘાસ અને છોડવાને દૂર કરો. હવે તેમાં છાણીયું ખાતર નાખી શકો છો. ખાતર કોઈ માન્યતા પ્રાપ્ત સ્ટોરમાંથી લો. આજકાલ જાતજાતના રેડિમેડ ખાતર પેકેટમાં પણ મળી રહ્યા છે અને ઓફલાઈન પણ મંગાવી શકાય છે.
ઘાસનો પ્રકાર : લોનમાં ઘાસનો પ્રકાર ખૂબ મહત્ત્વનો છે. જળ, વાયુ, સ્થળ, વિસ્તાર અને લોનના આકારને જેાઈને ઘાસ લગાવો. આજકાલ નર્સરીમાં ઘણા બધા પ્રકારના ઘાસની વેરાઈટી ઉપલબ્ધ છે, જેમ કે જેા ભેજવાળા કે છાંયાદાર સ્થળે ઘાસ લગાવવું હોય તો એક્સોનોપસ એફિનસ પ્રકારનું ઘાસ લગાવી શકો છો.
જયસિસ પ્રકાર : જેા તમારી પાસે પૂરતો સમય હોય, પૂરતી કાળજી રાખી શકાય તેમ હોય અને તમે બાગકામના શોખીન છો, તો સાઉથ ઈસ્ટ એશિયામાં પ્રચલિત જયસિસ પ્રકારનું ઘાસ લગાવી શકો છો. તેના પાંદડા અણીદાર અને તેનો રંગ ઘેરો લીલો હોય છે.
ભારતમાં સાઈનોડોન : આ ઘાસ મોટાભાગના લોકોની પહેલી પસંદ હોય છે. વર્ષાઋતુને ઘાસ લગાવવા માટેની સૌથી ઉત્તમ ઋતુ માનવામાં આવે છે. ચોમાસામાં ઘાસ લગાવવાથી તેનો ગ્રોથ ખૂબ થાય છે અને તેની પર ચાલવાનો આનંદ પણ આવે છે.
સિંચાઈ : અમેરિકાની ‘અમેરિકા સોસાયટી ઓફ લેન્ડસ્કેપિંગ આસલા’ ના વિશેષજ્ઞ જેનેટ મેશ્સતાનું માનવું છે કે જરૂરી નથી કે લોનને રોજ પાણી આપવામાં આવવું જેાઈએ. ઋતુ તથા રોજના ઉષ્ણતામાનને ધ્યાનમાં રાખીને ધીરેધીરે લોનને એવી રીતે પાણી આપો કે ઘાસના મૂળને મજબૂત બનીને ચોંટી જવામાં સરળતા રહે.
કંટિંગ તથા રોલર લગાવવા : ઘાસ જેમાં મૂળ હોય તેને તૈયાર ભૂમિમાં ૧-૨ ઈંચના અંતરથી સારી રીતે લગાવતા જાઓ. નજીક નજીકમાં લગાવેલું ઘાસ ઘનત્વવાળું ગીચ લોન આપશે અને જલદી ઊગશે. બજારમાં જાતજાતની લોન ઉપલબ્ધ છે. જ્યારે આપણે ત્યાં માળી ઘાસ કાપવાના મશીનથી લઈને લોન કટિંગ કરે છે, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મશીનની બ્લેડ ધારદાર હોય, જેથી ઘાસ યોગ્ય રીતે કપાય. મશીનમાં ભરાયેલું ન રહે કે પછી મૂળ સહિત જમીનમાંથી બહાર ન આવે.
જે છે તે પૂરતું છે : જરૂરી નથી કે તમારી પૂરી લોનમાં હરિયાળું ઘાસ હોય. શેડ, છાયાદાર અને ઝાડની નીચે જ્યાં પાણી જમા રહેતું હોય ત્યાં ઘાસ બરાબર ઊગતું નથી. તેથી આવી જગ્યાએ ઉપયુક્ત ઝાડી જેા શક્ય હોય છોડ, ઝાડ લગાવીને તે ઊણપને પૂરી કરી શકાય છે. તેનાથી લોન ખૂબ હરિયાળી દેખાશે.
– મનજીત સિંહ.





