બીમારી ભલે ને શારીરિક હોય કે માનસિક તેના કારણો પ્રત્યે જનમાનસની કેટલીક માન્યતા હોય છે અને મોટાભાગની માનસિકતા ખોટી હોય છે, કારણ કે તે મનઘડંત અથવા પરંપરાગત માન્યતા પર આધારિત હોય છે ન કે મેડિકલ દષ્ટિકોણ પર.
અહીં કેટલાક ઉદાહરણો દ્વારા માનસિક બીમારી વિશેની માન્યતા પર પ્રકાશ પાડીને તેની પરના મેડિકલ દષ્ટિકોણને જાણીએ :
માનસિક બીમારી જેનેટિક હોય છે : ‘‘અરે, તમે સુનીતા સાથે તમારા દીકરાના લગ્ન કરાવવા જઈ રહ્યા છો? શું તમે જાણો છો થોડાક વર્ષ પહેલાં તેની માને માનસિક બીમારી થઈ ગઈ હતી. સુનીતાને પણ તેવી જ બીમારી થઈ શકે છે. આ બીમારી જેનેટિક હોઈ શકે છે. તે છોકરી સાથે તમારા દીકરાના લગ્ન ન કરાવશો.’’ શાંતા પોતાની સાહેલીને કહી રહી હતી. આ ખોટી માનસિકતાના લીધે ઉચ્ચ શિક્ષિત, સુંદર તથા સ્વસ્થ એવી સુનીતાના લગ્ન અટકી ગયા. આ એક સામાન્ય માન્યતા છે કે જે માતા અથવા પિતા માનસિક રીતે બીમાર હોય તો તેમનું સંતાન પણ થોડા સમય પછી તે જ બીમારીથી પીડિત થઈ જાય છે. જેાકે આ વાત સાચી નથી. રિસર્ચ અનુસાર માત્ર ૯૦ ટકા દર્દીઓના પારિવારિક ઈતિહાસમાં કોઈ પણ સભ્યના મા અથવા પિતાની બીમારીથી પીડિત ન હોવું આ વાતને સાબિત કરી ચૂક્યું છે. રિસર્ચમાં જેાવા મળ્યું છે કે તેઓ સામાન્ય જીવન પસાર કરી રહ્યા હતા.
માનસિક બીમારી જન્મ પહેલાંના કુકર્મોનું પરિણામ છે : જ્યારે માનસિક રીતે બીમાર કોઈ વ્યક્તિ જેાવા મળે તો કદાચ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવે છે, ‘‘જુઓ, આ બિચારાને, તેણે આગળના જન્મમાં કોઈ પાપ કર્યા હશે, તેની સષ્ટ આ જન્મમાં ભોગવી રહ્યો છે. જે જેવું વાવે છે, તેવું જ લણે છે. તે પોતાના કર્મના ફળથી બચી નથી શકતો.’’ જ્યારે લોકો બીમારીના સાચા કારણને જાણે છે ત્યારે આ રીતે ખરાબ કર્મો વિરુદ્ધ ચેતવણી આપતા હોય છે, પરંતુ આપણે જાણી લેવું જેાઈએ કે માનસિક બીમારી મગજમાં થતા વિશેષ પરિવર્તનના લીધે થાય છે, ન કે ખોટા કર્મોના પરિણામે. ગીતાના ભ્રમ ફેલાવતા પાઠ ખૂબ કામમાં આવે છે. તેનાથી પંડાઓને ગ્રહશાંતિની તક પણ મળે છે, જેમાં તેમને મોટી દક્ષિણા મળે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વજ રંજન ગોગોઈ દૈવી શક્તિની વાત કરી શકતા હોય તો પછી સામાન્ય લોકોનું તો પૂછવું જ શું.
માનસિક બીમારી ઉપદ્રવી ખરાબ આત્માના લીધે થાય છે : ૨૫ વર્ષની નીલા ઠીંગણી અને પાતળી છે. અચાનક છેલ્લા ૩ મહિનાથી તેના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું. કહેવામાં આવતું હતું કે તે ખરાબ આત્માની ઝપટમાં આવી ગઈ છે. તે આત્મા અલગઅલગ સમયે વિભિન્ન લક્ષણોને પ્રગટ કરે છે. તે ક્યારેક આક્રમક તથા હિંસક પણ બની જાય છે. તે પોતાના પતિ તથા સાસુ પર પણ ગુસ્સે થાય છે અને અપશબ્દો પણ બોલે છે. તે ગમે તેના ઘરે ચાલી જાય છે અને ભોજન માંગે છે, પછી જે કંઈ મળે તેને ગળી જાય છે. તે ૩ વ્યક્તિ ખાઈ શકે તેટલું ભોજન ખાઈ જાય છે. તે પૂરો દિવસ ગામમાં ફરતી રહે છે. લોકોને પણ તેને જેાઈને ખૂબ આશ્ચર્ય થાય છે કે શું તે પાગલ થઈ ગઈ છે?
વિક્રમ ૩૦ વર્ષનો છે. તે એક કુશળ કર્મચારી હતો, પરંતુ હવે તે આળસુ બની ગયો હતો, તેથી તે હવે પોતાની સાથે વાતો કરતો રહે છે. ક્યારેક-ક્યારેક બૂમો પાડે છે અને કહે છે, ‘‘દૂર ચાલ્યા જાઓ નહીં તો હું તમારા પર થૂંકીશ. તે જાણે કોઈ હુકમ કરતો હોય તે રીતે બોલે છે. તેની સ્થિતિ દયાજનક બની ગઈ છે. તે રાત્રે ઊંઘી નથી શકતો અને પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન નથી આપી રહ્યો. તેનું વજન ઘટી ગયું છે. તેના ગામના લોકોનું કહેવું છે કે તે એક અથવા એકથી વધારે મહિલાઓના આત્માનો શિકાર બની ગયો છે, જે તેના જીવનની શક્તિને ચૂસી રહી છે અને તેને માત્ર ચામડી અને હાડકાનું માળખું બનાવી દીધો છે.’’ હકીકત એ છે કે નીલા હિસ્ટીરિકલ ન્યૂરોસિસ નામની બીમારીથી ગ્રસ્ત છે. તે ઘરમાં પતિ તથા બીજા પરિવારજનોથી ખુશ નથી. તેમના ખરાબ વ્યવહાર સામે તેણે વિરોધ પણ કર્યો, પરંતુ કોઈએ તેને સહારો આપ્યો નહીં કે ન કોઈ લાગણી દર્શાવી. તેના આ વ્યવહાર પર તેના અચેતન મને એક રીત શોધી લીધી અને તેણે સામાજિક રીતે માનવ ધારણા આત્મા આવી જવા ને અપનાવી અને આ રીતે તે એક સંમોહિત વ્યક્તિ જેવો વ્યવહાર કરવા લાગી તેમજ પોતાના પતિ તથા સાસરીના લોકો વિશે ખરાબ બોલવા લાગી. તેમને તે અપશબ્દો પણ બોલવા લાગી હતી. બધા એમ વિચારતા કે આ બધું નીલા નહીં તેનામાં રહેલું પ્રેત કરી રહ્યું છે અને ત્યાર પછી તેઓ નીલા પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગ્યા.
વિક્રમ ગંભીર માનસિક વિકાર સિઝોફ્રેનિયાથી પીડિત હતો. આ બીમારીમાં વ્યક્તિની યોગ્ય રીતે સમજવાની ક્ષમતા ઓછી અથવા નાબૂદ થાય છે. તે અજ્ઞાત અવાજ સાંભળવા લાગે છે. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અથવા દશ્યો જેાવા લાગે છે અને ત્યાર પછી તેના પ્રતિ દષ્ટિભ્રમ કે પ્રતિક્રિયા આપવા લાગે છે. આ પ્રક્રિયાને હ્લૂસિનેશન કહે છે. તેના શ્વાસ અને વ્યવહાર કુદરતી રીતે વિચિત્ર થઈ જાય છે અને લોકો એવું માનવા લાગે છે કે આત્મા તેની સાથે વાત કરી રહ્યો છે અને આ સ્થિતિમાં તે સારી રીતે ખાવાનું ખાઈ નથી શકતો અને કમજેર પડી જાય છે. કહેવાય છે કે આત્માઓ તેની જીવનશક્તિને ચૂસી રહ્યા છે.
માનસિક બીમારી મનોવૈજ્ઞાનિક આઘાત દ્વારા થાય છે : હું સમજી શકું છું કે કાર્તિકેય કેમ પાગલ થઈ ગયો છે બિચારો. બીજું થઈ પણ શું શકે છે તેની સાથે? તે પોતાની પત્નીને એટલો પ્રેમ કરતો હતો કે તેના માટે તેણે ઘર લેવા મોટું દેવું પણ કર્યું હતું, પરંતુ તેની ચારિત્ર્યહીન પત્ની એક દિવસ તેના પાડોશી સાથે ભાગી ગઈ. આ વાતને તે સહન ન કરી શક્યો અને પાગલ થઈ ગયો. હવે તે કહેતો ફરે છે કે પોતે કુંવારો છે. શું તમે સાંભળ્યું. શંકર જેની લાકડાની દુકાન છે, તેને લોટરી લાગી છે અને તે કરોડપતિ થઈ ગયો છે, પરંતુ તે પોતાની આ સમૃદ્ધિનું સુખ માણી ન શક્યો. તેણે જેવા આ સમાચાર સાંભળ્યા કે તે પાગલ થઈ ગયો અને તેણે પોતાની દુકાનને આગ લગાવવાની કોશિશ કરી, કર્મચારીઓ સાથે મારપીટ શરૂ કરી દીધી. હવે તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો છે. તે બૂમો પાડતો રહે છે કે તે એક રાજ છે અને હવે તે એ બધું જ કરવા ઈચ્છે છે, જે વર્ષોથી ઈચ્છતો હતો. હવે ઘરના લોકો તેને માનસિક રોગીની હોસ્પિટલમાં દાખલ કરવાનું વિચારી રહ્યા છે.
આ ઉદાહરણ મનોવૈજ્ઞાનિક આઘાતનું છે જેમાં માનસિક બીમારી કેટલીક ખાસ ઘટનાના ફળસ્વરૂપ થતી હોય છે તેવું માનવામાં આવે છે. મોટાભાગે ફિલ્મો, કહાણી અને નવકથામાં આ પ્રકારની ઘટના થવી જણાવવામાં આવે છે અને તેની અસર લોકો પર એવી થાય છે કે તેઓ કોઈ પણ વ્યક્તિને માનસિક બીમારી થવા પર આ પ્રકારના લક્ષણો શોધતા હોય છે. જેાકે હકીકત એ છે કે સુખ અને દુખ બંને સંબંધિત અનઅપેક્ષિત ઘટના કોઈ પણ વ્યક્તિમાં માનસિક બીમારીનું કારણ હોઈ શકે છે, પરંતુ એ લોકોમાં જેમનામાં જન્મજાત આ રોગના હોવાની શક્યતા એક સામાન્ય સ્વસ્થ માણસની સરખામણીમાં વધારે રહે છે. કોવિડના દિવસોમાં જે લોકોને ઘણા બધા અઠવાડિયા સુધી એકલા રહેવું પડ્યું હતું, તેઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.
– બકુલા પારેખ.





