બીમારી ભલે ને શારીરિક હોય કે માનસિક તેના કારણો પ્રત્યે જનમાનસની કેટલીક માન્યતા હોય છે અને મોટાભાગની માનસિકતા ખોટી હોય છે, કારણ કે તે મનઘડંત અથવા પરંપરાગત માન્યતા પર આધારિત હોય છે ન કે મેડિકલ દષ્ટિકોણ પર.
અહીં કેટલાક ઉદાહરણો દ્વારા માનસિક બીમારી વિશેની માન્યતા પર પ્રકાશ પાડીને તેની પરના મેડિકલ દષ્ટિકોણને જાણીએ :
માનસિક બીમારી જેનેટિક હોય છે : ‘‘અરે, તમે સુનીતા સાથે તમારા દીકરાના લગ્ન કરાવવા જઈ રહ્યા છો? શું તમે જાણો છો થોડાક વર્ષ પહેલાં તેની માને માનસિક બીમારી થઈ ગઈ હતી. સુનીતાને પણ તેવી જ બીમારી થઈ શકે છે. આ બીમારી જેનેટિક હોઈ શકે છે. તે છોકરી સાથે તમારા દીકરાના લગ્ન ન કરાવશો.’’ શાંતા પોતાની સાહેલીને કહી રહી હતી. આ ખોટી માનસિકતાના લીધે ઉચ્ચ શિક્ષિત, સુંદર તથા સ્વસ્થ એવી સુનીતાના લગ્ન અટકી ગયા. આ એક સામાન્ય માન્યતા છે કે જે માતા અથવા પિતા માનસિક રીતે બીમાર હોય તો તેમનું સંતાન પણ થોડા સમય પછી તે જ બીમારીથી પીડિત થઈ જાય છે. જેાકે આ વાત સાચી નથી. રિસર્ચ અનુસાર માત્ર ૯૦ ટકા દર્દીઓના પારિવારિક ઈતિહાસમાં કોઈ પણ સભ્યના મા અથવા પિતાની બીમારીથી પીડિત ન હોવું આ વાતને સાબિત કરી ચૂક્યું છે. રિસર્ચમાં જેાવા મળ્યું છે કે તેઓ સામાન્ય જીવન પસાર કરી રહ્યા હતા.
માનસિક બીમારી જન્મ પહેલાંના કુકર્મોનું પરિણામ છે : જ્યારે માનસિક રીતે બીમાર કોઈ વ્યક્તિ જેાવા મળે તો કદાચ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવે છે, ‘‘જુઓ, આ બિચારાને, તેણે આગળના જન્મમાં કોઈ પાપ કર્યા હશે, તેની સષ્ટ આ જન્મમાં ભોગવી રહ્યો છે. જે જેવું વાવે છે, તેવું જ લણે છે. તે પોતાના કર્મના ફળથી બચી નથી શકતો.’’ જ્યારે લોકો બીમારીના સાચા કારણને જાણે છે ત્યારે આ રીતે ખરાબ કર્મો વિરુદ્ધ ચેતવણી આપતા હોય છે, પરંતુ આપણે જાણી લેવું જેાઈએ કે માનસિક બીમારી મગજમાં થતા વિશેષ પરિવર્તનના લીધે થાય છે, ન કે ખોટા કર્મોના પરિણામે. ગીતાના ભ્રમ ફેલાવતા પાઠ ખૂબ કામમાં આવે છે. તેનાથી પંડાઓને ગ્રહશાંતિની તક પણ મળે છે, જેમાં તેમને મોટી દક્ષિણા મળે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વજ રંજન ગોગોઈ દૈવી શક્તિની વાત કરી શકતા હોય તો પછી સામાન્ય લોકોનું તો પૂછવું જ શું.





