મા બનવાનો અહેસાસ દરેક મહિલા માટે ખાસ હોય છે. એક મહિલાથી મા બનવાના આ ૯ મહિનાની સફરમાં મહિલાઓ અનેક માનસિક અને શારીરિક પરિવર્તનમાંથી પસાર થાય છે. શિશુના જન્મ લીધા પછી કેટલીય મહિલાઓ સ્તનપાન કરાવવાથી ડરે છે. તેમને એવું લાગે છે કે સ્તનપાન કરાવવાથી શરીરનો આકાર બગડી જાય છે, જ્યારે આ માત્ર ભ્રમ છે. સ્તનપાન મા અને શિશુ બંને માટે ફાયદાકારક છે. સ્તનપાનથી માને શારીરિક અને માનસિક તાણથી મુક્તિ મળે છે. આવો, જાણીએ ડોક્ટર સુષ્મા, સ્ત્રીરોગ નિષ્ણાતથી શિશુ અને મા માટે બ્રેસ્ટ ફીડિંગ કેમ જરૂરી છે :

શિશુ માટે માનું દૂધ જરૂરી છે
બ્રેસ્ટ ફીડિંગના ફાયદા મા અને શિશુ બંને માટે લાભદાયક છે. શિશુ માટે માનું દૂધ ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે કે બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન શિશુ માટે સુરક્ષિત, સ્વાસ્થ્યપ્રદ ભોજન છે, જેાકે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે અને તે શિશુને ઈંફેક્શનલ અને અનેક બીમારીથી બચાવે છે. ડોક્ટર સુષ્મા જણાવે છે કે માનું દૂધ શિશુને જન્મના ૧ કલાકની અંદર આપવું જેાઈએ અને ત્યાર પછી શિશુને શરૂઆતના ૬ મહિના સુધી દૂધ પિવડાવવું જેાઈએ. જેા શિશુનો સમય પહેલાં જન્મ થાય છે એટલે પ્રીમેચ્યોર બેબી તેમના માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. શિશુના જન્મ પછી માના સ્તનમાંથી ગાઢ પીળા રંગનો પદાર્થ નીકળે છે, જેને કોલોસ્ટ્રમ કહેવાય છે. જેા શિશુને જરૂરી પોષણ આપવાની સાથેસાથે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. તે શિશુના શારીરિક અને માનસિક વિકાસમાં સહાયક હોય છે. તેમાં રોગપ્રતિરોધક ક્ષમતા પણ હોય છે.
આવો જાણીએ માનું દૂધ શિશુ માટે કેમ લાભપ્રદ છે :

શિશુ માટે માનું દૂધ એન્ટિબોડીનું કામ કરે છે. જન્મ લીધા પછી ૬ મહિના સુધી શિશુને પાણી અથવા અન્ય પદાર્થ ન આપવા જેાઈએ. ૬ મહિના સુધી શિશુ માટે માનું દૂધ જરૂરી હોય છે. જે શિશુમાં ન્યુમોનિયા થવાનું જેાખમ ઘટાડે છે.
શિશુ જન્મના તરત પછીથી લઈને થોડા દિવસ સુધી માના સ્તનમાંથી નીકળતું પાતળું ઘટ્ટ દૂધ કોલોસ્ટ્રમ કહેવાય છે. જે પીળા રંગનું દૂધ હોય છે. આ દૂધને લોકો અંધશ્રદ્ધાના લીધે ગંદું અને ખરાબ દૂધ કહીને નવજાતને નથી આપતા, જ્યારે ડોક્ટર સુષ્માનું કહેવું છે કે કોલોસ્ટ્રમ બાળક માટે સૌથી વધારે ફાયદાકારક હોય છે અને તેમાં સંક્રમણથી બચાવતા તત્ત્વો હોય છે. જે વિટામિનથી પણ ભરપૂર હોય છે તેમજ તેમાં ૧૦ ટકાથી વધારે પ્રોટીન હોય છે.
માનું દૂધ સુપાચ્ય હોય છે, જેને શિશુ સરળતાથી પચાવી શકે છે.
માનું દૂધ શિશુના મગજના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. તેનાથી શિશુની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે.
શિશુને બોટલથી દૂધ પિવડાવવાથી તેને સ્વચ્છ દૂધ નથી મળતું. બ્રેસ્ટફીડ કરાવવાથી માને પણ દૂધ ગરમ કરવું, બોટલ ધોવી, સ્ટરીલાઈઝ કરવા જેવા કામ નથી કરવા પડતા. બ્રેસ્ટ ફીડિંગથી શિશુને સંપૂર્ણ પોષણ મળે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....