સટાયર અને સર્કાઝમ એવા ટૂલ્સ છે જેનાથી કોઈને પણ મજાકિયા અંદાજમાં ક્રિટિસાઈઝ અથવા રોસ્ટ કરી શકાય છે. ભારતમાં યુવાનોમાં હાલના દિવસોમાં સ્ટેન્ડઅપ કોમેડીનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. અનેક એવા યુવાનો છે જે ઈવેન્ટ શો તથા ઓપન માઈકમાં મોનોલોગ કોમેડી કરીને વીડિયોને યૂટ્યૂબ પર અપલોડ કરે છે. હવે એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ પોતાના ઓટીટી પ્લેટફોર્મ પર શો પ્રેઝન્ટ કરવા લાગ્યા છે. તેને જેાનારા ન માત્ર ટિકિટ ખરીદીને શો જેાવા જાય છે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેની લાખો અથવા ક્યારેક-ક્યારેક કરોડો પાર વ્યૂઅરશિપ હોય છે. હાલના દિવસોમાં ભારતમાં સ્ટેન્ડઅપ કોમેડીએ પોતાનું એક અલગ સ્થાન બનાવી લીધું છે. આ સ્થાનમાં મોટો ફાળો કોરોનાકાળનો છેલ્લા અઢી વર્ષનો પણ રહ્યો છે, જ્યારે લોકો માટે ઈન્ટરનેટ જ સર્વસ્વ બની ગયું હતું. યૂટ્યૂબ પર લોકોએ સ્ટેન્ડઅપ કોમેડિયનના જૂના વીડિયો સુધ્ધાં શોધીશોધીને જેાયા હતા. હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર આ પ્રકારના કંટેન્ટ એટલા બધા પોપ્યુલર છે કે કેટલાક સ્ટેન્ડઅપ કોમેડિયન નેશનલ ચર્ચાનો ભાગ બની ગયા છે.
નવેમ્બર, ૨૦૨૧ માં પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસે નેટફ્લિક્સના શો ‘આઈ કમ ફ્રોમ ટૂ ઈન્ડિયાસ’ કર્યો ત્યારે આ શો વિવાદોથી ઘેરાઈ ગયો હતો. આ શો વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ કેનેડી સેન્ટરમાં કરવામાં આવ્યો હતો. આ શો વિરુદ્ધ દિલ્લી અને મુંબઈમાં ૨ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમેરિકામાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ બદનામ કરી રહ્યા છે.
શો પર વિવાદ
હકીકતમાં, આ શોમાં વીર દાસ ૨ અલગઅલગ ભારતની વાત સટાયરિકલ અંદાજમાં કરી રહ્યા હતા, જેનો એક ચહેરો કદરૂપો હતો જેને દક્ષિણીપંથી પચાવી શક્યા નહોતા, જે વર્ષના અંતે વીર દાસના શોને લઈને હોબાળો મચ્યો હતો બરાબર તે જ વર્ષની શરૂઆતમાં ૩૦ વર્ષની સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીની ધરપકડ તેમની સ્ટેન્ડઅપ કોમેડીના લીધે થઈ હતી. તેમની પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ધાર્મિક ભાવનાને ઉશ્કેરી છે. આવા ૧ કે ૨ કિસ્સા નથી, આ લિસ્ટમાં કુણાલ કામરા, કિકુ શારદા,અગ્રિમ જેાશુઆ, તન્મય ભટ્ટ, કપિલ શર્મા વગેરે સ્ટેન્ડઅપ કોમેડિયન પણ આવી ચૂક્યા છે, જેમને પોતાની કોમેડીના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના સ્પષ્ટપણે એ વાત દર્શાવે છે કે ભારતમાં સ્ટેન્ડઅપ કોમેડીને સીરિયસ જેવા- માનવા સમજવામાં આવી રહી છે, કારણ કે આજે મોટી સંખ્યામાં લોકો તેને જેાવા લાગ્યા છે અને તેનાથી પણ અગત્યની વાત એ છે કે હવે યુવાનો પોતાના મનમાં દબાયેલો આક્રોશ આ માધ્યમથી કાઢવા લાગ્યા છે.





